ત્રીજી વન-ડેમાં રોહિતે ટોસ જીત્યો, પંડ્યા-ઉમરાન મલિકની જગ્યાએ આ 2 ખેલાડી

ભારત-શ્રીલંકા વન-ડે સીરિઝની ત્રીજી મેચ તિરુવનંતપુરમમાં શરૂ થવા જઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. બંને ટીમોએ બે-બે ફેરફાર કર્યા છે. વન-ડે સીરિઝમાં 2-0થી અજેય સરસાઈ મેળવનારી ભારતીય ટીમ શ્રીલંકા સામે ક્લીન સ્વીપ કરવાના ઈરાદા સાથે ઉતરશે. જો આમ થશે તો ભારતીય ટીમ ચોથી વખત શ્રીલંકાને ક્લીન સ્વીપ કરશે.

ભારતીય કેપ્ટન રોહિત શર્મા ટીમમાં બે ફેરફાર કર્યા છે, જેમાં હાર્દિક પંડ્યા અને ઉમરાન મલિકને આરામ આપ્યો છે અને તેના સ્થાને વોશિંગટન સુંદર અને સૂર્યકુમાર યાદવનો સમાવેશ કરવામાં આવ્યો છે. શ્રીલંકાએ પણ પોતાની ટીમમાં બે ફેરફાર કર્યા છે. ધનંજય ડી સિલ્વાની જગ્યાએ અશીન બંદરા અને દુનિથ વેલ્લાલાગેની જગ્યાએ જેફરી વનડરસેને સ્થાન આપવામાં આવ્યું છે. શ્રીલંકાની ટીમ આ મેચ જીતીને ICC સુપર લીગના પોઈન્ટ ટેબલમાં પોતાનું સ્થાન મજબૂત કરવા ઈચ્છશે.

બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 19 દ્વિપક્ષીય વન-ડે સીરિઝ રમાઈ છે. ભારત 14 વખત અને શ્રીલંકા બે વખત જીત્યું હતું. જેમાંથી 3 સીરિઝ ડ્રો રહી હતી. 14માંથી 3 વખત, ભારતે શ્રીલંકા સામે ક્લીન સ્વીપ કર્યું અને સીરિઝની તમામ મેચ જીતી.

બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 164 મેચ રમાઈ છે. ભારતે 95 અને શ્રીલંકાએ 57 મેચ જીતી હતી. એક મેચ ટાઈ થઈ હતી અને 11 અનિર્ણિત રહી હતી. ટીમ ઈન્ડિયા એક ટીમ સામે સૌથી વધુ વન-ડે જીતમાં ઓસ્ટ્રેલિયાની બરાબરી પર છે. ઓસ્ટ્રેલિયાએ 95 વન-ડેમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યું છે. ભારતમાં બંને વચ્ચે 53 મેચ રમાઈ હતી. ભારતે 38 અને શ્રીલંકાએ 12માં જીત મેળવી હતી. 3 મેચ અનિર્ણિત રહી હતી.

તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં અત્યાર સુધી માત્ર એક જ ODI મેચ રમાઈ છે. 2019માં વેસ્ટ ઈન્ડિઝ પ્રથમ બેટિંગ કરતા 104 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતે 105 રનનો આ ટાર્ગેટ માત્ર એક વિકેટ પર હાંસલ કરી લીધો હતો. જો પીચ ફરીથી પેસરોને શરૂઆતમાં મદદ કરે છે, તો ટોસ જીતનારી ટીમ પીછો કરવાનું પસંદ કરશે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.