વેંકટેશ ઐયર મોંઘો, પૃથ્વી શૉ-સરફરાજ ખાન સસ્તા… સ્ટીવ સ્મિથની 4 વર્ષ બાદ IPLમાં થશે એન્ટ્રી?

IPL 2026 સીઝન માટે ખેલાડીઓની હરાજીની યાદીને અંતિમ સ્વરૂપ આપી દેવામાં આવ્યું છે. 16 ડિસેમ્બરે અબુ ધાબીમાં થનારી હરાજીમાં કુલ 350 ખેલાડીઓ ભાગ લેશે. આ વખતે 1390 ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી 350ને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. 240 ભારતીય અને 110 વિદેશી ખેલાડી. આ યાદીમાં 224 અનકેપ્ડ ભારતીય અને 14 અનકેપ્ડ વિદેશી ખેલાડીઓનો સમાવેશ થાય છે, જેથી આ વર્ષના ખેલાડીઓનો પૂલ વધુ મજબૂત દેખાઇ રહ્યો છે.

IPL-Auction3
BCCI

હરાજીના પહેલા સેટમાં ભારત અને મુંબઈના બેટ્સમેન પૃથ્વી શૉ અને સરફરાઝ ખાનનો સમાવેશ થાય છે, જેમણે તેમની બેઝ પ્રાઈઝ 75 લાખ નક્કી કરી છે. KKR દ્વારા રીલિઝ કરાયેલા વેંકટેશ ઐયરે હવે આગામી હરાજી માટે પોતાની બેઝ પ્રાઈઝ 2 કરોડ રૂપિયા નક્કી કરી છે.

ફ્રેન્ચાઇઝીઓ માટે કુલ 77 સ્લોટ ઉપલબ્ધ રહેશે, જેમાં 31 સ્લોટ વિદેશી ખેલાડીઓ માટે અનામત રહેશે. સૌથી વધુ બેઝ પ્રાઈસ કેટેગરી 2 કરોડ રૂપિયા છે, જેમાં 40 ખેલાડીઓએ પોતાનું નામ આપ્યું છે. હરાજી મંગળવારે બપોરે 2:30 વાગ્યે શરૂ થશે.

KKR પાસે સૌથી મોટું પર્સ 64.3 કરોડ

3 વખતની ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) 2026ની હરાજીમાં 64.3 કરોડ રૂપિયાના સૌથી મોટા પર્સ સાથે ઉતરશે. 5 વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)નું પર્સ 43.4 કરોડ રૂપિયાના પર્સ સાથે બીજા ક્રમે છે. એક વખતની IPL ચેમ્પિયન સનરાઇઝર્સ હૈદરાબાદ પાસે 25.5 કરોડ રૂપિયાથીના વધુના પર્સ સાથે ત્રીજા નંબર પર છે.

IPL હરાજીમાં આ સ્ટાર ખેલાડીઓ સામેલ

IPL દ્વારા શેર કરાયેલી યાદીમાં 2 ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ કેમેરોન ગ્રીન અને જેક ફ્રેઝર-મેકગર્ક સાથે-સાથે ન્યૂઝીલેન્ડ અને ચેન્નાઈ સુપર કિંગ્સનો પૂર્વ ઓપનર ડેવોન કોનવે અને દક્ષિણ આફ્રિકાના ડેવિડ મિલરનો સમાવેશ થાય છે, દરેકની બેઝ પ્રાઈઝ 2 કરોડ રૂપિયા છે.

IPL1
BCCI

તાજેતરમાં જ વન-ડેમાંથી નિવૃત્તિમાંથી પરત ફરેલા દક્ષિણ આફ્રિકાના વિકેટકીપર-બેટ્સમેન ક્વિન્ટન ડી કોકનો ફાઇનલ યાદીમાં તેનો સમાવેશ થયો છે. ડી કોક 1 કરોડના બેઝ પ્રાઈઝ સાથે મોડેથી સામેલ થયો હતો. આ યાદીમાં ઓસ્ટ્રેલિયન બેટ્સમેન સ્ટીવ સ્મિથનો પણ સમાવેશ થાય છે, જેની બેઝ પ્રાઈઝ 2 કરોડ રૂપિયા છે. સ્મિથ છેલ્લે 2021માં IPL રમ્યો હતો.

કેપ્ડ અને અનકેપ્ડ ખેલાડીઓની આખું વિવરણ

કેપ્ડ ભારતીય- 16

કેપ્ડ વિદેશી- 96

અનકેપ્ડ ભારતીય- 224

અનકેપ્ડ વિદેશી- 14

કુલ - 350

બેઝ પ્રાઇઝ અનુસાર ખેલાડીઓની સંખ્યા

રિઝર્વ પ્રાઇઝ (લાખમાં) ખેલાડીઓની સંખ્યા

200-40

150-9

125-4

100-17

75-42

50-4

40-7

30-227

કુલ– 350.

About The Author

Related Posts

Top News

'બેબી શાવર બંધ, દાંડિયારાસ, DJ બંધ...' રબારી સમાજે વિવિધ 11 મુદ્દાઓ પર ઘડ્યું બંધારણ

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલ સમશેરપુરા ખાતે આગામી 25 જાન્યુઆરીના રોજ રબારી સમાજનું એક વિશાળ મહાસંમેલન યોજાયું હતું. આ સંમેલન...
Gujarat 
'બેબી શાવર બંધ, દાંડિયારાસ, DJ બંધ...' રબારી સમાજે વિવિધ 11 મુદ્દાઓ પર ઘડ્યું બંધારણ

‘મારા બાળકોનો શું વાંક?’ પાકિસ્તાની મહિલા રેહાનાએ PM મોદીને કરી આજીજી

માતૃત્વની વેદના અને વિરહના આંસુ સાથે રેહાનાએ પાકિસ્તાનથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આજીજી કરી રહી છે કે ભારત આવવામાં તેની મદદ...
Gujarat 
‘મારા બાળકોનો શું વાંક?’ પાકિસ્તાની મહિલા રેહાનાએ PM મોદીને કરી આજીજી

એન્જિનિયરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું! નદી પર નહીં ખેતરોની વચ્ચોવચ પુલ ઊભો કરી દીધો

બિહારના કિશનગંજ જિલ્લામાં એન્જિનિયરો નદી કે નાળાને બદલે ખેતરમાં પુલ બનાવીને બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. જ્યા એક તરફ જનતા પુલ...
National 
એન્જિનિયરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું! નદી પર નહીં ખેતરોની વચ્ચોવચ પુલ ઊભો કરી દીધો

અવિમુક્તેશ્વરાનંદની શિબિર બહાર બબાલ, બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ, ‘બુલડોઝર બાબા કી જય’ના નારા લાગ્યા

પ્રયાગરાજના માઘ મેળા વિસ્તારમાં સેક્ટર-4, ત્રિવેણી માર્ગ પર સ્થિત શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીના શિબિરમાં અસામાજિક તત્વોએ હોબાળો મચાવ્યો હતો. એવો...
National 
અવિમુક્તેશ્વરાનંદની શિબિર બહાર બબાલ, બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ, ‘બુલડોઝર બાબા કી જય’ના નારા લાગ્યા

Opinion

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે? ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.