મોટી જીત છતા ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર, આ બેટ્સમેન બીજી ટેસ્ટમાંથી બહાર થયો

ભારતે ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટ મેચ એક ઇનિંગ અને 132 રને જીતી લીધી હતી. મેચના ત્રીજા દિવસે ભારતે કાંગારૂ ટીમને બીજા દાવમાં માત્ર 91 રનમાં આઉટ કરી દીધી હતી. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ ચાર મેચની ટેસ્ટ શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. હવે શ્રેણીની બીજી ટેસ્ટ મેચ 17 ફેબ્રુઆરીથી દિલ્હીમાં રમાશે.

બીજી મેચ પહેલા ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર થયો છે. હવે BCCIએ ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટને બીજી ટેસ્ટ મેચ માટે ટીમમાંથી બહાર કરી દીધો છે. આ નિર્ણય ભારતીય ટીમ મેનેજમેન્ટ સાથે ચર્ચા કરીને લેવામાં આવ્યો છે. જયદેવ ઉનડકટ સૌરાષ્ટ્ર માટે રણજી ટ્રોફીની ફાઇનલ મેચ રમશે. 16 ફેબ્રુઆરીથી ઈડન ગાર્ડનના મેદાન પર બંગાળ અને સૌરાષ્ટ્ર વચ્ચે ફાઈનલ મેચ રમાવાની છે.

BCCIની પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, 'ઓલ ઈન્ડિયા સિનિયર સિલેક્શન કમિટીએ ભારતીય ટીમ મેનેજમેન્ટ સાથે પરામર્શ કરીને બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટ માટે ભારતીય ટીમમાંથી જયદેવ ઉનડકટને બહાર કરવાનો નિર્ણય લીધો છે. જયદેવ હવે 16 ફેબ્રુઆરીથી કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે બંગાળ સામે રમાનાર રણજી ટ્રોફી ફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ ચૂકેલી સૌરાષ્ટ્રની ટીમ સાથે જોડાશે.'

જયદેવ ઉનડકટ સૌરાષ્ટ્રની ટીમનો કેપ્ટન છે. તેની ગેરહાજરી છતાં, સૌરાષ્ટ્રે સેમિફાઇનલમાં કર્ણાટકને ચાર વિકેટે હરાવીને પાંચમી વખત રણજી ટ્રોફીની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. 2019-20 સિઝનની ચેમ્પિયન ટીમ સૌરાષ્ટ્રે સેમિફાઇનલ મેચના પાંચમા દિવસે જીતવા માટે જરૂરી 115 રન બનાવ્યા હતા. ખાસ વાત એ છે કે, 2019-20ની રણજી સિઝનમાં પણ ફાઈનલ મેચ સૌરાષ્ટ્ર અને બંગાળ વચ્ચે રમાઈ હતી.

જયદેવ ઉનડકટે વર્ષ 2010માં સેન્ચુરિયનમાં સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું. જયદેવ ઉનડકટને લાંબી રાહ જોયા બાદ ગયા વર્ષે ડિસેમ્બરમાં બાંગ્લાદેશ સામે તેની કારકિર્દીની બીજી ટેસ્ટ મેચ રમવાની તક મળી હતી. 31 વર્ષીય જયદેવ ઉનડકટે વર્ષ 2013માં ભારત માટે સાત વનડે મેચ પણ રમી છે, જેમાં તેના નામે આઠ વિકેટ છે.

About The Author

Top News

ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

દાંતા તાલુકાના પાડલિયા ગામે જમીન વિવાદને લઈને સર્જાયેલી હિંસક ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 13...
Gujarat 
ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ઠંડીમાં ચક્કર લગાવી લગાવીને પરસેવો પાડી રહ્યા છે. ખેડૂતો હાલમાં યુરિયા ન મળવાને કારણે પરેશાન...
National 
મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ...
Gujarat 
 પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.