સેમિફાઇનલમાં ભારત સામે હાર પછી ન્યૂઝીલેન્ડ મીડિયાએ પીચનો વિવાદ ઉભો કર્યો

On

ICC મેન્સ વર્લ્ડકપની બુધવારે મુંબઇના વાનખેડે સ્ટેડીયમ પર રમાયેલી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની સેમી ફાઇનલમાં ભારત સામે હાર મળ્યા પછી ન્યૂઝીલેન્ડનું મીડિયા ભારત પર તુટી પડ્યું છે. વાનખેડેની પીચનો મુદ્દો ઉઠાવીને અખબારો તપાસ કરાવવાની માંગ કરી છે. જો કે કેટલાંક અખબારોએ મોહમંદ શામી અને કોહલીના ભરપેટ વખાણ પણ કર્યા છે.

બુધવારે વાનખેડે પર ભારતે ન્યૂઝીલેન્ડને 70 રનથી હરાવીને ફાઇનલમાં એન્ટ્રી કરી દીધી હતી. આ મેચને લઇને ભારતના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો તો બીજી તરફ ન્યૂઝીલેન્ડના મીડિયામાં સેમી ફાઇનલને લઇને ભારે ચર્ચા છે.

ન્યૂઝીલેન્ડના કેટલાંક મીડિયામાં મેચ પહેલા પીચ બદલવાના નિર્ણય સામે હંગામો મચાવવામાં આવી રહ્યો છે.

ન્યૂઝીલેન્ડની મીડિયા કંપની Stuffએ તેના એક અહેવાલમાં લખ્યું છે કે મુંબઈમાં ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને છેલ્લી ક્ષણે બદલાયેલી પીચ પર હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો, પરંતુ ભારતીય ટીમ પિચ વિવાદમાં ઘેરાયેલી છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સેમી ફાઈનલ નવી પીચ પર રમવાની હતી, પરંતુ સોમવારે મેચ એવી પીચ પર રમાઈ હતી જેનો પહેલા બે વખત ઉપયોગ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ પક્ષપાતનો વિવાદ શરૂ થયો હતો.

ICCની દેખરેખ હેઠળ સ્થાનિક ગ્રાઉન્ડ અધિકારીઓ પિચની તૈયારી અને પસંદગીનો હવાલો સંભાળે છે.

ન્યૂઝીલેન્ડની ન્યૂઝ વેબસાઈટે પિચ વિવાદ પર ICCના સત્તાવાર નિવેદનનો ઉલ્લેખ કરતા લખ્યું છે કે, સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન પિચમાં ફેરફાર કરવામાં આવ્યા છે અને સેમિફાઈનલ દરમિયાન પિચમાં જે ફેરફારો થયા છે તેનાથી ICC વાકેફ હતું.

ન્યઝીલેન્ડના એખબાર ધ પોસ્ટે હેડીગ માર્યું છે કે ‘બ્લેક કેપ્સે લડત આપી, પણ હારી ગયું, કારણકે ભારતની જબરદસ્ત સફળતા યથાવત છે.

ધ પોસ્ટે છેલ્લી ક્ષણે પિચ બદલવા પર પણ ટિપ્પણી કરી છે. અખબારે લખ્યું, વર્લ્ડ કપની પ્રથમ સેમિફાઇનલની તૈયારીના અંતિમ તબક્કામાં, મુંબઈમાં પિચની પસંદગી હાવી રહી. અગાઉ એવું નક્કી કરવામાં આવ્યું હતું કે મેચ 20.12 મીટરની નવી પીચ પર રમાશે પરંતુ મેચ એ જ પીચ પર થઈ કે જેના પર બે મેચ રમાઈ ચૂકી છે. પીચ પર સૌથી તાજેતરની મેચ 2 નવેમ્બરના રોજ રમાઈ હતી. જેની તપાસ થવી જોઇએ.

ન્યૂઝીલેન્ડના એક અખબારે ઇંગ્લેડના પૂર્વ કેપ્ટન માઇકલ વોનને ટાંકીને લખ્યું છે. ક્રિક્રેટરે કહ્યુ કે, હું નથી માનતો કે સેમી ફાઇનલની મેચમાં એક વખત ઉપયોગમાં લેવાયેલી પીચ પર મેચ રમવી જોઇએ. ભારત એક મજબુત ટીમ છે, તેણે પીચને લઇને આટલી ચિંતા કરવાની જરૂર નહોતી.

ન્યૂઝીલેન્ડના અખબાર ઓટાગો ડેલી ટાઇમ્સે લખ્યું કે ભારતે ન્યૂઝીલેન્ડના વર્લ્ડકપમાંથી બહાર કરી દીધું. ભારતે ન્યૂઝીલેન્ડ સામેનો બદલો પુરો કરી દીધો છે.

ન્યૂઝીલેન્ડના હેરાલ્ડ અખબારે શામીના ભરપેટ વખાણ કર્યા છે. શામીએ 57 રન આપીને 7 વિકેટ ઝડપી અને કિવી ટીમને વેરવિખેર કરી નાંખી.

જો કે મુંબઇના વાનખેડે પર સેમી ફાઇનલ પહેલા પીચ બદલવાના વિવાદ પર ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિક્રેટર સુનીલ ગાવસ્કરે બધાની બરાબરની ઝાટકણી કાઢી છે. ગાવસ્કરે કહ્યુ કે, વિવાદ કરનારા હવે અટકી જાય. ભારત પર ખોટો આરોપ લગાવવાનું બંધ કરો.

Related Posts

Top News

ગરીબ વ્યક્તિના હંમેશા 'ગરીબ' જ રહેવા પર રોબર્ટ કિયોસાકીએ FOMMને જવાબદાર બતાવ્યું

છેવટે, કોણ ધનવાન બનવા નથી માંગતું? પણ એ જરૂરી નથી કે દરેક વ્યક્તિ તે સ્તર સુધી પહોંચે. બચત...
Business 
ગરીબ વ્યક્તિના હંમેશા 'ગરીબ' જ રહેવા પર રોબર્ટ કિયોસાકીએ FOMMને જવાબદાર બતાવ્યું

દીપક હુડ્ડાને છોકરાઓમાં રસ છે, પત્ની સ્વીટી બોરાના આરોપો; વાયરલ વીડિયો પર આપી સ્પષ્ટતા

હરિયાણાના હિસારની રહેવાસી ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન બોક્સર સ્વીટી બોરા અને તેના પતિ દીપક હુડ્ડા વચ્ચેનો વિવાદ વધી રહ્યો છે. પોલીસમાં...
National 
દીપક હુડ્ડાને છોકરાઓમાં રસ છે, પત્ની સ્વીટી બોરાના આરોપો; વાયરલ વીડિયો પર આપી સ્પષ્ટતા

હિરોઈન જેવી સુંદર, તેજ દિમાગ-અંગત વકીલ, એલિના ન્યૂ જર્સીના વચગાળાના US એટર્ની નિયુક્ત

US રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના અંગત વકીલ એલિના હુબ્બાને ન્યૂ જર્સીના વચગાળાના US એટર્ની તરીકે નિયુક્ત કર્યા છે. આ અંગે...
World 
હિરોઈન જેવી સુંદર, તેજ દિમાગ-અંગત વકીલ, એલિના ન્યૂ જર્સીના વચગાળાના US એટર્ની નિયુક્ત

આ 2 કામોથી કુણાલ કામરાની થાય છે જોરદાર કમાણી, હવે વિવાદોમાં ફસાયો, જાણો કેટલી છે તેની નેટવર્થ

કોમેડિયન કુણાલ કામરાનો વિવાદો સાથે જૂનો સંબંધ છે. ગયા વર્ષે ઑક્ટોબરમાં, તે ઘણા દિવસ સુધી ચર્ચામાં રહ્યો હતો, સોશિયલ મીડિયા...
Entertainment 
આ 2 કામોથી કુણાલ કામરાની થાય છે જોરદાર કમાણી, હવે વિવાદોમાં ફસાયો, જાણો કેટલી છે તેની નેટવર્થ

Opinion

કિશોરભાઈ વાંકાવાલા ભાજપના એક એવા સુરતી નેતા જે સૌને ગમતા અને સૌના થઈને સુરત માટે કામ કરતા કિશોરભાઈ વાંકાવાલા ભાજપના એક એવા સુરતી નેતા જે સૌને ગમતા અને સૌના થઈને સુરત માટે કામ કરતા
(ઉત્કર્ષ પટેલ) કિશોરભાઈ વાંકાવાલા એ ગુજરાતના રાજકારણ અને સમાજસેવાના ક્ષેત્રમાં એક એવું નામ છે જે સુરત શહેરના નાગરિકોના હૃદયમાં આજે...
ગોપાલ ઇટાલિયા: વાયદા અને તોછડી નીંદા વિના વિસાવદરથી ચૂંટણી જીતી બતાવે તો ખરા નેતા બનશે
આમ આદમી પાર્ટી ગુજરાતના આગેવાનો વાયદા અને નિંદા કરવામાંથી ઊંચા ના આવ્યા
સુરતના રક્ષક: અનુપમસિંહ ગેહલોત-પરિવારના સદસ્યની જેમ સુરતીઓની કાળજી લેતા સાચા સંરક્ષક
હાર્દિક પટેલઃ આંદોલન સાથે અનેક ભૂલો કરી છતા સમાજ અને ભાજપે બધું ભૂલી આવકાર આપ્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.