સેમિફાઇનલમાં ભારત સામે હાર પછી ન્યૂઝીલેન્ડ મીડિયાએ પીચનો વિવાદ ઉભો કર્યો

ICC મેન્સ વર્લ્ડકપની બુધવારે મુંબઇના વાનખેડે સ્ટેડીયમ પર રમાયેલી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની સેમી ફાઇનલમાં ભારત સામે હાર મળ્યા પછી ન્યૂઝીલેન્ડનું મીડિયા ભારત પર તુટી પડ્યું છે. વાનખેડેની પીચનો મુદ્દો ઉઠાવીને અખબારો તપાસ કરાવવાની માંગ કરી છે. જો કે કેટલાંક અખબારોએ મોહમંદ શામી અને કોહલીના ભરપેટ વખાણ પણ કર્યા છે.

બુધવારે વાનખેડે પર ભારતે ન્યૂઝીલેન્ડને 70 રનથી હરાવીને ફાઇનલમાં એન્ટ્રી કરી દીધી હતી. આ મેચને લઇને ભારતના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો તો બીજી તરફ ન્યૂઝીલેન્ડના મીડિયામાં સેમી ફાઇનલને લઇને ભારે ચર્ચા છે.

ન્યૂઝીલેન્ડના કેટલાંક મીડિયામાં મેચ પહેલા પીચ બદલવાના નિર્ણય સામે હંગામો મચાવવામાં આવી રહ્યો છે.

ન્યૂઝીલેન્ડની મીડિયા કંપની Stuffએ તેના એક અહેવાલમાં લખ્યું છે કે મુંબઈમાં ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને છેલ્લી ક્ષણે બદલાયેલી પીચ પર હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો, પરંતુ ભારતીય ટીમ પિચ વિવાદમાં ઘેરાયેલી છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સેમી ફાઈનલ નવી પીચ પર રમવાની હતી, પરંતુ સોમવારે મેચ એવી પીચ પર રમાઈ હતી જેનો પહેલા બે વખત ઉપયોગ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ પક્ષપાતનો વિવાદ શરૂ થયો હતો.

ICCની દેખરેખ હેઠળ સ્થાનિક ગ્રાઉન્ડ અધિકારીઓ પિચની તૈયારી અને પસંદગીનો હવાલો સંભાળે છે.

ન્યૂઝીલેન્ડની ન્યૂઝ વેબસાઈટે પિચ વિવાદ પર ICCના સત્તાવાર નિવેદનનો ઉલ્લેખ કરતા લખ્યું છે કે, સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન પિચમાં ફેરફાર કરવામાં આવ્યા છે અને સેમિફાઈનલ દરમિયાન પિચમાં જે ફેરફારો થયા છે તેનાથી ICC વાકેફ હતું.

ન્યઝીલેન્ડના એખબાર ધ પોસ્ટે હેડીગ માર્યું છે કે ‘બ્લેક કેપ્સે લડત આપી, પણ હારી ગયું, કારણકે ભારતની જબરદસ્ત સફળતા યથાવત છે.

ધ પોસ્ટે છેલ્લી ક્ષણે પિચ બદલવા પર પણ ટિપ્પણી કરી છે. અખબારે લખ્યું, વર્લ્ડ કપની પ્રથમ સેમિફાઇનલની તૈયારીના અંતિમ તબક્કામાં, મુંબઈમાં પિચની પસંદગી હાવી રહી. અગાઉ એવું નક્કી કરવામાં આવ્યું હતું કે મેચ 20.12 મીટરની નવી પીચ પર રમાશે પરંતુ મેચ એ જ પીચ પર થઈ કે જેના પર બે મેચ રમાઈ ચૂકી છે. પીચ પર સૌથી તાજેતરની મેચ 2 નવેમ્બરના રોજ રમાઈ હતી. જેની તપાસ થવી જોઇએ.

ન્યૂઝીલેન્ડના એક અખબારે ઇંગ્લેડના પૂર્વ કેપ્ટન માઇકલ વોનને ટાંકીને લખ્યું છે. ક્રિક્રેટરે કહ્યુ કે, હું નથી માનતો કે સેમી ફાઇનલની મેચમાં એક વખત ઉપયોગમાં લેવાયેલી પીચ પર મેચ રમવી જોઇએ. ભારત એક મજબુત ટીમ છે, તેણે પીચને લઇને આટલી ચિંતા કરવાની જરૂર નહોતી.

ન્યૂઝીલેન્ડના અખબાર ઓટાગો ડેલી ટાઇમ્સે લખ્યું કે ભારતે ન્યૂઝીલેન્ડના વર્લ્ડકપમાંથી બહાર કરી દીધું. ભારતે ન્યૂઝીલેન્ડ સામેનો બદલો પુરો કરી દીધો છે.

ન્યૂઝીલેન્ડના હેરાલ્ડ અખબારે શામીના ભરપેટ વખાણ કર્યા છે. શામીએ 57 રન આપીને 7 વિકેટ ઝડપી અને કિવી ટીમને વેરવિખેર કરી નાંખી.

જો કે મુંબઇના વાનખેડે પર સેમી ફાઇનલ પહેલા પીચ બદલવાના વિવાદ પર ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિક્રેટર સુનીલ ગાવસ્કરે બધાની બરાબરની ઝાટકણી કાઢી છે. ગાવસ્કરે કહ્યુ કે, વિવાદ કરનારા હવે અટકી જાય. ભારત પર ખોટો આરોપ લગાવવાનું બંધ કરો.

Related Posts

Top News

પ્રોવિડન્ટ ફંડમાં એવી સુવિધા આવી રહી છે જે તમને કામ લાગશે

કેન્દ્ર સરકાર એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO)માં મોટો બદલાવ કરી રહી છે. કર્મચારીઓને હવે એક વિશેષ સુવિધા મળવાની...
Business 
પ્રોવિડન્ટ ફંડમાં એવી સુવિધા આવી રહી છે જે તમને કામ લાગશે

આગામી પાંચ વર્ષમાં HRથી લઈને IT સુધીની આ 8 નોકરીઓ AI છીનવી લેશે! રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો

આજના સમયમાં, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આપણા રોજિંદા જીવનનો એક ભાગ બની રહ્યું છે. હવે AIને કારણે ફક્ત...
Tech and Auto 
આગામી પાંચ વર્ષમાં HRથી લઈને IT સુધીની આ 8 નોકરીઓ AI છીનવી લેશે! રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 04-06-2025 દિવસ: બુધવાર મેષ:  તમે દિવસનો થોડો સમય માતા-પિતાની સેવામાં પણ પસાર કરશો. તમે તમારા પરિવારના સભ્યોને પિકનિક પર...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાને ભારતનો રસ્તો અપનાવ્યો! ન્યૂયોર્ક મોકલ્યું ડેલિગેશન, પણ શા માટે...

પાકિસ્તાનના વિદેશ મંત્રાલય દ્વારા વિશ્વના મુખ્ય દેશોમાં બે સરકારી પ્રતિનિધિમંડળો મોકલવામાં આવશે. આ પ્રતિનિધિમંડળો પર જવાબદારી હશે કે, ભારત સાથે...
World 
પાકિસ્તાને ભારતનો રસ્તો અપનાવ્યો! ન્યૂયોર્ક મોકલ્યું ડેલિગેશન, પણ શા માટે...
Copyright (c) Khabarchhe All Rights Reserved.