વર્ષમાં એક વખત ખૂલે છે આ ટ્રેનના દરવાજા, ભારતની એકમાત્ર ટ્રેન જે 15 દિવસમાં ફેરવે છે આખો દેશ

ટ્રેનમાં મુસાફરી કરવાની પોતાની એક અલગ મજા હોય છે. બારી પાસેની સીટ હોય અને ગરમાગરમ ચા, તો પછી ટ્રેનની મુસાફરી વધુ રોમાંચક થઈ જાય છે. ભારતીય રેલવે દરરોજ 13 હજારથી વધુ ટ્રેનો ચલાવે છે. દરરોજ લાખોની સંખ્યામાં લોકો આ ટ્રેનોમાં મુસાફરી કરે છે. ઘણી ટ્રેનો આખું વર્ષ મુસાફરોથી ખીચોખીચ ભરેલી રહે છે. કેટલીક ટ્રેનો દરરોજ ચાલે છે, તો કેટલીક અઠવાડિયામાં 1-2 દિવસ, પરંતુ જે ટ્રેન બાબતે આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ તે અન્ય ટ્રેનો કરતા એકદમ અલગ છે. જો તમે ફરવાના શોખીન છો તો ભારતીય રેલવે પાસે તમારા માટે ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે. જે ટ્રેન બાબતે અમે આજે બતાવી રહ્યા છીએ તે વર્ષમાં માત્ર એક જ વખત દોડે છે. આ ટ્રેનના દરવાજા વર્ષમાં માત્ર એક જ વખત ખુલે છે. વર્ષ 2008માં આ ટ્રેનની શરૂઆત થઈ હતી. દર વર્ષે માત્ર 15 દિવસ માટે આ ટ્રેન ચાલે છે.

jagriti yatra train
businesstoday.in

જો તમે ફરવાના શોખીન છો અને ભારતના દરેક ખૂણામાં ફરવા માગો છો તો જાગૃતિ યાત્રા એક્સપ્રેસ તમારા માટે પરફેક્ટ છે. આ ટ્રેન વર્ષ 2008થી ચાલી રહી છે, પરંતુ આ ટ્રેન બાબતે ઘણા ઓછા લોકો જાણે છે. આ ટ્રેનને વર્ષમાં માત્ર 15 દિવસ જ ચલાવવામાં આવે છે. આ ટ્રેનમાં એક વખતમાં માત્ર 500 લોકોને જ મુસાફરી કરાવવામાં આવે છે. ટ્રેનની અંદર, આંત્રપ્રિન્યોર સાથે જોડાયેલી સુક્ષ્મતાઓથી અવગત કરાવવામાં આવે છે.

આ મુસાફરી દરમિયાન, મુસાફરે 15 દિવસ ટ્રેનમાં જ વિતાવવાના હોય છે. આ ટ્રેન 15 દિવસમાં 8,000 કિમીનું અંતર કાપે છે. આ ટ્રેનના રૂટની વાત કરીએ તો, આ ટ્રેન મુંબઈથી દોડે છે અને પહેલું સ્ટોપ અમદાવાદ હોય છે. ત્યારબાદ, તે મુંબઈ અને બેંગ્લોર થતી દેશના દક્ષિણ ખૂણામાં મદુરાઈ સુધી જાય છે. વાઇઝેક ઓરિસ્સાથી મધ્ય ભારત અને પછી મુંબઈ પહોંચે છે. 15 દિવસની મુસાફરીમાં આ ટ્રેન 12 રાજ્યોની મુસાફરી કરે છે.

jagriti yatra train
medium.com

આ ટ્રેનમાં મુસાફરીનું ભાડું અન્ય ટ્રેનોથી ખૂબ ઓછું છે. જો તમે તેની પસંદગી પ્રક્રિયામાં સિલેક્ટ થઈ જાવ છો, તો તમને અહીં શીખવાનો અવસર મળશે, અહીં બિઝનેસની ટ્રિક શીખવવામાં આવે છે. આ ટ્રેન દર વર્ષે નવેમ્બરથી શરૂ થાય છે, જોકે રજીસ્ટ્રેશન પ્રોસેસ 15 ઓક્ટોબરથી જ શરૂ થઈ જાય છે. આ ટ્રેનમાં મુસાફરી કરનારા મુસાફરોની ઉંમર 21 વર્ષથી લઈને 27 વર્ષ વચ્ચે હોવી જોઈએ. તમે આ લિંક https://www.jagritiyatra.com/ પર જઈને તમારું રજીસ્ટ્રેશન કરાવી શકો છો. 100 રૂપિયાના રજીસ્ટ્રેશન બાદ તમને સિલેક્શન પ્રોસેસમાંથી પસાર થવું પડશે. સિલેક્ટ થયા બાદ, ફીસ ચૂકવવી પડશે. ફીની ડિટેલ વેબસાઇટ પર ઉપલબ્ધ છે.

 

About The Author

Related Posts

Top News

ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર

ગુજરાત રાજ્યમાં દાયકાઓથી ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તામાં છે. આ સમયગાળા દરમિયાન રાજ્યે ઔદ્યોગિક વિકાસ, માળખાકીય સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય અને...
Opinion 
ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર

દીદીની ખુરસી છીનવી લેનારા અરૂપ રોય કોણ છે? TMC બળવાખોર જૂથના અધ્યક્ષ બન્યા છે

પશ્ચિમ બંગાળના રાજકારણમાં એક ઐતિહાસિક પલટો આવ્યો છે, જેની કલ્પના પણ તાજેતરમાં કોઈએ કરી ન હતી. 1998માં તૃણમૂલ...
National 
દીદીની ખુરસી છીનવી લેનારા અરૂપ રોય કોણ છે? TMC બળવાખોર જૂથના અધ્યક્ષ બન્યા છે

લંચ બ્રેક એક મિનિટ વધારે લાગી તો મફતમાં વધારાનો કલાક કામ કરવું પડશે!

ઓફિસ કલ્ચર અંગેની એક પોસ્ટ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તેમાં લંચ બ્રેક અંગેના નિયમની બનાવવામાં આવ્યો...
Lifestyle 
લંચ બ્રેક એક મિનિટ વધારે લાગી તો મફતમાં વધારાનો કલાક કામ કરવું પડશે!

મોહેંજો-દડોમાં મળેલી નગ્ન પ્રતિમાને NCERTએ કપડા પહેરાવ્યા! ઇતિહાસકારો નારાજ

થોડા દિવસો પહેલા જ NCERTને 'ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર' વિષય પરના પ્રકરણ અંગે ઘણા સવાલોનો સામનો કરવો પડ્યો હતો....
National 
મોહેંજો-દડોમાં મળેલી નગ્ન પ્રતિમાને NCERTએ કપડા પહેરાવ્યા! ઇતિહાસકારો નારાજ

Opinion

ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર
ગુજરાત રાજ્યમાં દાયકાઓથી ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તામાં છે. આ સમયગાળા દરમિયાન રાજ્યે ઔદ્યોગિક વિકાસ, માળખાકીય સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય અને...
સમર્પણ, દીર્ઘદ્રષ્ટિ અને સેવાનું પ્રતીક… સુરતના અગ્રણી સમાજસેવી અશોક કાનુંનગો
સંધ્યાકાળ અને ગૌધુલી સમયનું આપણા જીવનમાં મહત્ત્વ સમજવું આવશ્યક છે
અનારબેન પટેલ એક એવું વ્યક્તિત્વ જ્યાં ભક્તિ, સેવા અને સમર્પણ ભાવનો ત્રિવેણી સંગમ છે
ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણ જેવા વ્યક્તિત્વો સમાજ માટે પ્રકાશસ્તંભ છે, જે આંખોને રોશની આપે છે અને હૃદયોને પ્રેરણા
Copyright (c) Khabarchhe All Rights Reserved.