એક વર્ષ બાદ આટલો બધો કોવિડ પોઝિટિવિટી રેટ, વધી રહ્યો છે નવો NB.1.8.1 વેરિયન્ટ; WHO નું એલર્ટ

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ કોરોના વાયરસના કેસમાં ફરી વધારો થવાને લઈને ચિંતા વ્યક્ત કરી છે. WHOના જણાવ્યા મુજબ, ફેબ્રુઆરી 2025ના મધ્યથી દુનિયાભરમાં SARS-CoV-2 વાયરસની ગતિવિધિમાં વધારો નોંધાઈ રહ્યો છે. WHOના આંકડા અનુસાર, કોરોનાના ટેસ્ટમાં પોઝિટિવિટી દર 11 ટકા સુધી પહોંચી ગયો છે, જે જુલાઈ 2024 બાદ સૌથી વધુ છે. WHOનું કહેવું છે કે, આ વધારો વિશેષ રૂપે પૂર્વી ભૂમધ્ય સાગર ક્ષેત્ર, દક્ષિણ-પૂર્વ એશિયા, પશ્ચિમ પ્રશાંત ક્ષેત્રોમાં જોવા મળી રહ્યો છે.

WHOનું કહેવું છે કે, વર્ષ 2025ની શરૂઆતથી કોરોના વેરિયન્ટ્સના વલણમાં થોડો બદલાવ આવ્યો છે. LP.8.1 વેરિયન્ટ ઘટી રહ્યો છે. જ્યારે NB.1.8.1ને વેરિયન્ટ અંડર મોનિટરિંગ (દેખરેખ વેરિયન્ટ)ની શ્રેણીમાં રાખવામાં આવ્યો છે, તેના કેસ ઝડપથી વધી રહ્યા છે. મે 2025ના મધ્ય સુધી આ વેરિયન્ટ દુનિયાભરમાં રિપોર્ટ કરવામાં આવેલા કુલ જીનોમિક સિક્વન્સના 10.7 ટકા બની ચૂક્યો છે.

corona1
nfid.org

 

WHOના જણાવ્યા મુજબ, વર્તમાન સંક્રમણ સ્તર ગત વર્ષના આ જ સમય જેવી જ સ્થિતિ દર્શાવે છે. WHOએ એમ પણ કહ્યું હતું કે અત્યાર સુધી કોરોનાના પ્રસારમાં કોઈ સ્પષ્ટ મૌસમી પેટર્ન જોવા મળી નથી. આ ઉપરાંત, અત્યારે પણ ઘણા દેશોમાં દેખરેખ વ્યવસ્થા સીમિત છે, જે એક ચિંતાનો વિષય છે.

WHOએ બધા સભ્ય દેશોને આગ્રહ કર્યો કે જોખમ આધારિત અને ઇન્ટિગ્રેટેડ સ્ટ્રેટેજી મુજબ, કોરોનાનું સંચાલન કરે છે. WHOના ડિરેક્ટર જનરલની ભલામણોનું પાલન કરો. વેક્સીનેશન પ્રોગ્રામ બંધ ન કરો, તેને ચાલુ રાખો. ખાસ કરીને હાઇ રીસ્કવાળા લોકોને વેક્સીન જરૂર લગાવો. વેક્સીન ગંભીર બીમારી અને મૃત્યુને રોકવા માટે સૌથી પ્રભાવી રીત છે.

WHO1
breeze-technologies.de

 

નોઇડામાં પણ કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, હાલના સમયમાં નોઇડામાં કોરોનાના 19 સક્રિય કેસ છે. જેમાં 11 મહિલાઓ અને 8 પુરુષો સામેલ છે. જિલ્લા આરોગ્ય વિભાગ બધા દર્દીઓના કોન્ટેક્ટ ટ્રેસિંગ અને ટ્રાવેલ હિસ્ટ્રી શોધી રહ્યો છે. જો કે, બધા દર્દીઓમાં માત્ર હળવા લક્ષણો જોવા મળ્યા છે અને જિલ્લામાં અત્યાર સુધી કોઈ ગંભીર કેસ નોંધાયો નથી.

દિલ્હી AIIMSના પૂર્વ ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ કોરોનાને લઈને કહ્યું હતું કે કોરોના વાયરસનો એક નવો વેરિયન્ટ JN.1 આવ્યો છે. આ વેરિયન્ટ ઓગસ્ટ 2023માં રિપોર્ટ કરવામાં આવ્યો હતો, પરંતુ આ હવે આખી દુનિયામાં સૌથી વધુ છે. તેમણે જણાવ્યું કે આ વેરિયન્ટમાં કેટલાક મ્યૂટેશન છે, જેના કારણે તે વધુ ઇન્ફેક્શન કરે છે. તેમાં શરદી, ફ્લૂ, તાવ, ઉધરસ, ખંજવાળનું થાય છે. જે લોકોને હાર્ટની સમસ્યા છે, ડાયાબિટિસ છે અથવા એવી દવાઓ પર છે, જેનાથી ઇમ્યુનિટી ઓછી થઈ જાય છે, તેમણે વધુ સાવધાની રાખવાની જરૂરિયાત છે.

About The Author

Related Posts

Top News

માસ્ક પહેરીને આવ્યો પતિ, પ્રેમી સાથે રહેતી પત્નીને હોસ્પિટલ પહોંચાડી દીધી

ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં, સંબંધોના ગૂંચવાયેલા તાંતણા સાથે સંકળાયેલા એક સનસનાટીભર્યા કિસ્સાએ સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો છે. અહીં એક પતિએ...
National 
માસ્ક પહેરીને આવ્યો પતિ, પ્રેમી સાથે રહેતી પત્નીને હોસ્પિટલ પહોંચાડી દીધી

અભિનેત્રી મંદાના કરીમી પર ઈરાનમાં પ્રવેશ કરવા પર કેમ છે પ્રતિબંધ? બોલી- 'તે હજુ પણ મારો દેશ છે.'

18 વર્ષની ઉંમરે, મંદાના કરીમી ઈરાન છોડીને ભારત આવી ગઈ હતી. અહીંયા આવીને તેણે પોતાના કામ અને કારકિર્દી પર...
Entertainment 
અભિનેત્રી મંદાના કરીમી પર ઈરાનમાં પ્રવેશ કરવા પર કેમ છે પ્રતિબંધ? બોલી- 'તે હજુ પણ મારો દેશ છે.'

જબરદસ્ત ફીચર્સ સાથે આવી રહ્યો છે OnePlus 15T, 7,500mAh બેટરી, 100W ચાર્જિંગ, સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર...

OnePlusના આગામી કોમ્પેક્ટ ફ્લેગશિપ, OnePlus 15T વિશે નવી માહિતી બહાર આવી છે. કંપનીના ચીનના પ્રમુખ, લી જીએ...
Tech and Auto 
જબરદસ્ત ફીચર્સ સાથે આવી રહ્યો છે OnePlus 15T, 7,500mAh બેટરી, 100W ચાર્જિંગ, સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર...

સેમિફાઇનલમાં ભારતની એક નબળાઈ સામે આવી; ગંભીર-સૂર્યા આને ચેતવણી માનીને ફાઇનલ પહેલા સુધારી નાખે તો સારું!

થોડા દિવસો પહેલા, ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઇકલ વોને કહ્યું હતું કે, જો ભારત T20 વર્લ્ડ કપમાં બોલિંગ કરવા...
Sports 
સેમિફાઇનલમાં ભારતની એક નબળાઈ સામે આવી; ગંભીર-સૂર્યા આને ચેતવણી માનીને ફાઇનલ પહેલા સુધારી નાખે તો સારું!

Opinion

ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં એક એવા મુખ્યમંત્રી ગુજરાતને મળ્યા છે જેઓ વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓને રાજકારણથી દૂર રાખીને પ્રજાની સેવામાં સંપૂર્ણપણે સમર્પિત...
ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.