એક વર્ષ બાદ આટલો બધો કોવિડ પોઝિટિવિટી રેટ, વધી રહ્યો છે નવો NB.1.8.1 વેરિયન્ટ; WHO નું એલર્ટ

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ કોરોના વાયરસના કેસમાં ફરી વધારો થવાને લઈને ચિંતા વ્યક્ત કરી છે. WHOના જણાવ્યા મુજબ, ફેબ્રુઆરી 2025ના મધ્યથી દુનિયાભરમાં SARS-CoV-2 વાયરસની ગતિવિધિમાં વધારો નોંધાઈ રહ્યો છે. WHOના આંકડા અનુસાર, કોરોનાના ટેસ્ટમાં પોઝિટિવિટી દર 11 ટકા સુધી પહોંચી ગયો છે, જે જુલાઈ 2024 બાદ સૌથી વધુ છે. WHOનું કહેવું છે કે, આ વધારો વિશેષ રૂપે પૂર્વી ભૂમધ્ય સાગર ક્ષેત્ર, દક્ષિણ-પૂર્વ એશિયા, પશ્ચિમ પ્રશાંત ક્ષેત્રોમાં જોવા મળી રહ્યો છે.

WHOનું કહેવું છે કે, વર્ષ 2025ની શરૂઆતથી કોરોના વેરિયન્ટ્સના વલણમાં થોડો બદલાવ આવ્યો છે. LP.8.1 વેરિયન્ટ ઘટી રહ્યો છે. જ્યારે NB.1.8.1ને વેરિયન્ટ અંડર મોનિટરિંગ (દેખરેખ વેરિયન્ટ)ની શ્રેણીમાં રાખવામાં આવ્યો છે, તેના કેસ ઝડપથી વધી રહ્યા છે. મે 2025ના મધ્ય સુધી આ વેરિયન્ટ દુનિયાભરમાં રિપોર્ટ કરવામાં આવેલા કુલ જીનોમિક સિક્વન્સના 10.7 ટકા બની ચૂક્યો છે.

corona1
nfid.org

 

WHOના જણાવ્યા મુજબ, વર્તમાન સંક્રમણ સ્તર ગત વર્ષના આ જ સમય જેવી જ સ્થિતિ દર્શાવે છે. WHOએ એમ પણ કહ્યું હતું કે અત્યાર સુધી કોરોનાના પ્રસારમાં કોઈ સ્પષ્ટ મૌસમી પેટર્ન જોવા મળી નથી. આ ઉપરાંત, અત્યારે પણ ઘણા દેશોમાં દેખરેખ વ્યવસ્થા સીમિત છે, જે એક ચિંતાનો વિષય છે.

WHOએ બધા સભ્ય દેશોને આગ્રહ કર્યો કે જોખમ આધારિત અને ઇન્ટિગ્રેટેડ સ્ટ્રેટેજી મુજબ, કોરોનાનું સંચાલન કરે છે. WHOના ડિરેક્ટર જનરલની ભલામણોનું પાલન કરો. વેક્સીનેશન પ્રોગ્રામ બંધ ન કરો, તેને ચાલુ રાખો. ખાસ કરીને હાઇ રીસ્કવાળા લોકોને વેક્સીન જરૂર લગાવો. વેક્સીન ગંભીર બીમારી અને મૃત્યુને રોકવા માટે સૌથી પ્રભાવી રીત છે.

WHO1
breeze-technologies.de

 

નોઇડામાં પણ કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, હાલના સમયમાં નોઇડામાં કોરોનાના 19 સક્રિય કેસ છે. જેમાં 11 મહિલાઓ અને 8 પુરુષો સામેલ છે. જિલ્લા આરોગ્ય વિભાગ બધા દર્દીઓના કોન્ટેક્ટ ટ્રેસિંગ અને ટ્રાવેલ હિસ્ટ્રી શોધી રહ્યો છે. જો કે, બધા દર્દીઓમાં માત્ર હળવા લક્ષણો જોવા મળ્યા છે અને જિલ્લામાં અત્યાર સુધી કોઈ ગંભીર કેસ નોંધાયો નથી.

દિલ્હી AIIMSના પૂર્વ ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ કોરોનાને લઈને કહ્યું હતું કે કોરોના વાયરસનો એક નવો વેરિયન્ટ JN.1 આવ્યો છે. આ વેરિયન્ટ ઓગસ્ટ 2023માં રિપોર્ટ કરવામાં આવ્યો હતો, પરંતુ આ હવે આખી દુનિયામાં સૌથી વધુ છે. તેમણે જણાવ્યું કે આ વેરિયન્ટમાં કેટલાક મ્યૂટેશન છે, જેના કારણે તે વધુ ઇન્ફેક્શન કરે છે. તેમાં શરદી, ફ્લૂ, તાવ, ઉધરસ, ખંજવાળનું થાય છે. જે લોકોને હાર્ટની સમસ્યા છે, ડાયાબિટિસ છે અથવા એવી દવાઓ પર છે, જેનાથી ઇમ્યુનિટી ઓછી થઈ જાય છે, તેમણે વધુ સાવધાની રાખવાની જરૂરિયાત છે.

Related Posts

Top News

હવે રાહુલ ગાંધીની પણ ચાપલૂસી શરૂ થઈ

રાહુલ ગાંધીની અત્યાર સુધી કોંગ્રેસ નેતાઓએ ચાપલૂસી કરી હોય તેવી વાત સામે નહોતી આવી, પરંતુ લાગે  છે કે સામાન્ય...
Politics 
હવે રાહુલ ગાંધીની પણ ચાપલૂસી શરૂ થઈ

અરવિંદ કેજરીવાલ અને પ્રશાંત કિશોર બિહારમાં ભાજપના સ્લીપર સેલ

આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ અને જનસૂરાજ પાર્ટીના નેતા પ્રશાંત કિશોર એક જ રસ્તાના મુસાફર બની ગયા હોય એવું...
Politics 
અરવિંદ કેજરીવાલ અને પ્રશાંત કિશોર બિહારમાં ભાજપના સ્લીપર સેલ

ભારત-ઇંગ્લેન્ડની પાંચમી મેચ જ્યાં રમાઈ છે તે ઓવલમાં એક ઇનિંગમાં 903 રન બનેલા, બોલરો 3 દિવસ સુધી વિકેટ માટે તરસી ગયેલા

ટેસ્ટ સિરીઝની પાંચમી અને નિર્ણાયક મેચ  ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે શરૂ થઈ છે. આ મેચ લંડનના કેનિંગ્ટન ઓવલ મેદાન પર...
Sports 
ભારત-ઇંગ્લેન્ડની પાંચમી મેચ જ્યાં રમાઈ છે તે ઓવલમાં એક ઇનિંગમાં 903 રન બનેલા, બોલરો 3 દિવસ સુધી વિકેટ માટે તરસી ગયેલા

ટ્રમ્પના 25 ટકા ટેરિફથી જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ પર શું અસર પડશે?

ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે ભારત પર 25 ટકા ટેરિફ નાંખવાની અને 1 ઓગસ્ટથી અમલ કરવાની જાહેરાત કરી. ટ્રમ્પના આ ટેરિફની સૌથી...
Business 
ટ્રમ્પના 25 ટકા ટેરિફથી જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ પર શું અસર પડશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.