હવે મેક્સિકોએ ટેરિફ શરૂ કર્યો, ભારત સહિત અનેક દેશો પર 50 ટકા ટેરિફ લગાડી દીધો!

સમગ્ર વિશ્વમાં ફરી એકવાર ટેરિફ યુદ્ધ શરૂ થઈ રહ્યું હોય તેવું લાગે છે. અમેરિકાએ અગાઉ ટેરિફ વધારીને ઘણા દેશોને ફટકો આપ્યો હતો, હવે મેક્સિકોનો વારો છે. મેક્સિકોએ એક મોટું પગલું ભર્યું છે, જેમાં ચીન સહિત અનેક એશિયન દેશોમાંથી આવતા માલ પર 50 ટકા સુધીનો ઉચ્ચ ટેરિફ (મેક્સિકો 50 ટકા ટેરિફ) લાદવામાં આવ્યો છે, જે અમેરિકાની જેમ જ 50 ટકા સુધી હશે. સેનેટે આ દરખાસ્તને મંજૂરી આપી છે, અને આ નવા ટેરિફ આવતા વર્ષે, 2026થી લાગુ થશે. આ એક મોટો ફટકો હશે, ખાસ કરીને એવા દેશો માટે કે જેમનો મેક્સિકો સાથે વેપાર કરાર નથી.

Mexico-Tariff-Attack3
punjabkesari.com

અહેવાલો અનુસાર, મેક્સિકો દ્વારા આ વધેલા ટેરિફ આવતા વર્ષે, 2026થી અમલમાં આવશે. આ નિર્ણયથી સૌથી વધુ પ્રભાવિત દેશોમાં ચીન, ભારત, દક્ષિણ કોરિયા, થાઈલેન્ડ અને ઇન્ડોનેશિયાનો સમાવેશ થાય છે. આવતા વર્ષથી, મેક્સિકો આ દેશોમાંથી આયાત થતા ઓટો પાર્ટ્સ, કાપડ, સ્ટીલ અને અન્ય માલ પર 50 ટકા સુધીનો ટેરિફ લાદશે. સેનેટમાં પસાર થયેલા પ્રસ્તાવ મુજબ, અનેક ચીજવસ્તુઓ પર ટેરિફ વધારીને 35 ટકા કરવામાં આવ્યો છે. મેક્સીકન સેનેટે આ ટેરિફ વધારાને 76 મત આપ્યા, જ્યારે 5 મતોએ વિરોધ કર્યો અને આ ઉપરાંત 35 ગેરહાજર મતોની સાથે તેને પસાર કરી દીધો.

હકીકતમાં, યુનાઇટેડ સ્ટેટ્સ પછી, મેક્સિકોએ પણ તેના જ રસ્તે સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી આ ટેરિફ વધારાનો નિર્ણય લીધો છે. જોકે, તેની અસર શું થશે તે તો આવનારો સમય જ બતાવશે. જોકે, વ્યાપારી જૂથોએ આ ટેરિફ વધારાનો સખત વિરોધ કર્યો છે.

Mexico-Tariff-Attack1
punjabkesari.com

અહેવાલ મુજબ, વિશ્લેષકો અને ખાનગી ક્ષેત્રે દલીલ કરી છે કે, મેક્સિકો ટેરિફ વધારાનું પગલું યુનાઇટેડ સ્ટેટ્સને ખુશ કરવા અને આગામી વર્ષે 3.76 બિલિયન ડૉલરની વધારાની આવક ઉત્પન્ન કરવા માટે લેવામાં આવ્યું હતું, કારણ કે મેક્સિકો તેની રાજકોષીય ખાધને પહોંચી વળવાનો પ્રયાસ કરી રહ્યું છે.

મેક્સીકન સેનેટ દ્વારા મંજૂર કરાયેલા સુધારેલા બિલમાં મૂળ દરખાસ્ત કરતાં ઓછી ઉત્પાદન શ્રેણીઓ શામેલ છે. આશરે 1,400 આયાતી ચીજવસ્તુઓ પર ટેરિફ લાદતા આ બિલને અગાઉના સ્થગિત સંસ્કરણથી નરમ પાડવામાં આવ્યું છે, જેમાં આમાંથી ઘણી ચીજવસ્તુઓ પર ટેરિફ દર ઘટાડીને 50 ટકા કરવામાં આવ્યા છે. મેક્સિકોએ અગાઉ USને ખુશ કરવાના પ્રયાસમાં ચીની ચીજવસ્તુઓ પર ટેરિફ વધારવાની જાહેરાત કરી હતી, પરંતુ તેની ખાસ કંઈ અસર દેખાઈ ન હતી.

Mexico-Tariff-Attack2
punjabkesari.com

અહેવાલ મુજબ, છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત અને મેક્સિકો વચ્ચેનો વેપાર વધ્યો છે. 2022માં, બંને દેશો વચ્ચે માલનો વેપાર 11.4 બિલિયન ડૉલર સુધી પહોંચ્યો હતો. જોકે, 2023માં, તે થોડો ઘટીને 10.6 બિલિયન ડૉલર થયો. 2024માં, તે ફરીથી વધ્યો, જે 11.7 બિલિયન ડૉલરના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યો. ભારતનો મેક્સિકો સાથે પણ નોંધપાત્ર વેપાર સરપ્લસ છે. 2024માં, ભારતની મેક્સિકોમાં નિકાસ આશરે 8.9 બિલિયન ડૉલર હતી, જ્યારે આયાત 2.8 બિલિયન ડૉલર હતી.

About The Author

Related Posts

Top News

રોકડ સંકટને પહોંચી વળવા RBI 2 લાખ કરોડ રૂપિયા સિસ્ટમમાં નાખીને બજારને રાહત આપવાની તૈયારીમાં

ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ બેન્કિંગ સિસ્ટમમાં રોકડની અછતને પહોંચી વળવા માટે એક મોટું પગલું ભર્યું છે. કેન્દ્રીય બેન્કે...
Business 
રોકડ સંકટને પહોંચી વળવા RBI 2 લાખ કરોડ રૂપિયા સિસ્ટમમાં નાખીને બજારને રાહત આપવાની તૈયારીમાં

બાંગ્લાદેશના T20 વર્લ્ડ કપ બોયકૉટથી ભારતને કેટલું થશે નુકસાન?

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)એ સ્પષ્ટ કરી દીધું છે કે, તે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટે...
Sports 
બાંગ્લાદેશના T20 વર્લ્ડ કપ બોયકૉટથી ભારતને કેટલું થશે નુકસાન?

2 લોકોએ 2.89 કરોડનું સોનું એવી રીતે છુપાવ્યું કે DRIની ટીમ પણ હેરાન રહી ગઈ

મુંબઈ એરપોર્ટ હાલના દિવસોમાંમાં ‘તસ્કરી’ વેબ સીરિઝને કારણે ચર્ચામાં છે. આ વેબ સીરિઝમાં બતાવવામાં આવ્યું છે કે,...
National 
2 લોકોએ 2.89 કરોડનું સોનું એવી રીતે છુપાવ્યું કે DRIની ટીમ પણ હેરાન રહી ગઈ

યુરોપિયન યુનિયને કહ્યું- 'ભારત સાથે વેપાર કરાર થવાથી ચીન, રશિયા અને USની જરૂરિયાત ઘટી જશે'

યુરોપિયન યુનિયન (EU)ના નેતાઓ ભારતના 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય મહેમાન છે. તેથી, યુરોપિયન નેતાઓ 25...
National 
યુરોપિયન યુનિયને કહ્યું- 'ભારત સાથે વેપાર કરાર થવાથી ચીન, રશિયા અને USની જરૂરિયાત ઘટી જશે'

Opinion

દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
(ઉત્કર્ષ પટેલ) ભારતીય સંસ્કૃતિ અને રાજકારણમાં અયોધ્યાધામ એક અડગ આસ્થાનું કેન્દ્ર રહ્યું  છે. પ્રભુ શ્રી રામની જન્મભૂમિ તરીકે જાણીતી આ...
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
અનારબેન પટેલ: ખોડલધામનું નવું નેતૃત્વ, નવી પ્રેરણા...
Copyright (c) Khabarchhe All Rights Reserved.