US પરના ટેરિફને શૂન્ય કરવા તૈયાર છે ભારત, રાષ્ટ્રપતિ ટ્રમ્પે કર્યો મોટો દાવો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ભારત અમેરિકા પરના તેના ટેરિફ સમાપ્ત કરવા માટે તૈયાર છે. તેમનું કહેવું છે કે ભારતે આ બીજા કોઈ માટે નથી કર્યું, પણ તેણે તેના માટે કર્યું છે. કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્ની સાથે દ્વિપક્ષીય વાટાઘાટો દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિએ આ દાવો કર્યો હતો. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું નથી કે તેઓ કયા ઉત્પાદનો પર ટેરિફ લાદવાની વાત કરી રહ્યા છે, અને તેમના દાવા પર હજુ સુધી ભારત તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું, "ભારતમાં દુનિયામાં સૌથી વધુ ટેરિફ છે. અમે તેને સહન કરીશું નહીં. તેઓ તેને શૂન્ય કરવા સંમત થયા છે." જોકે, ટ્રમ્પે પોતાના દાવામાં ન તો તે ઉત્પાદનો વિશે વાત કરી કે ન તો તે ક્ષેત્રો વિશે કે જેના પર ભારત શૂન્ય ટેરિફ લાદવા માટે સંમત થયું છે.

Trump1
bombaysamachar.com

ભારત-અમેરિકામાં ચાલી રહી છે વેપાર કરાર પર વાતચીત

ભારત અમેરિકા સાથે વેપાર કરાર પર વાતચીત કરી રહ્યું છે અને અહેવાલો મુજબ, ભારતે સ્ટીલ, ઓટો કમ્પોનેંટ્સ અને ફાર્માસ્યુટિકલ્સ ક્ષેત્રો પર શૂન્ય ટેરિફનો પ્રસ્તાવ મૂક્યો છે. આ ટેરિફ પારસ્પરિક ધોરણે પણ હશે, જેનો અર્થ એ થયો કે અમેરિકાએ ભારતને ટેરિફમાં છૂટછાટ પણ આપવી પડશે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, આ માટે પણ એક મર્યાદા લાદવામાં આવશે, અને નિર્ધારિત જથ્થા સુધી ટેરિફ મુક્તિ આપવામાં આવશે.

Trump
moneycontrol.com

ટ્રમ્પે ટેરિફ પર 90 દિવસ માટે લગાવી રોક 

અમેરિકાએ 2 એપ્રિલને "લિબરેશન ડે" તરીકે જાહેર કરતા ભારત સહિત વિશ્વભરના ડઝન દેશો પર ટેરિફની જાહેરાત કરી હતી. આ સમયગાળા દરમિયાન, ભારત પર 26 ટકા ટેરિફ લાદવામાં આવ્યો હતો. જોકે, પાછળથી તેઓએ ચીન સિવાયના તમામ દેશો માટે ટેરિફ પર 90 દિવસ માટે રોક લગાવવાનો નિર્ણય લીધો, જેનાથી ભારતને પણ રાહત મળી, અને હાલમાં 10 ટકા ટેરિફ લાગુ છે. ચીની ઉત્પાદનો પર હજુ પણ 145 ટેરિફ લાગુ છે.

About The Author

Related Posts

Top News

સુરત પોલીસે ત્યજી દેવાયેલી નવજાત બાળકીની છઠ્ઠી વિધિ ઉજવી; નામ રાખ્યું- ‘હસ્તી’

બાળકો ત્યજી દેવાની ઘટનાઓ ખૂબ જ ચોંકાવનારી અને  ચિંતાજનક હોય છે. અવારનવાર તમે આવી ઘટનાઓ સમાચારોમાં સાંભળી હશે અથવા થોડા...
Gujarat 
સુરત પોલીસે ત્યજી દેવાયેલી નવજાત બાળકીની છઠ્ઠી વિધિ ઉજવી; નામ રાખ્યું- ‘હસ્તી’

રસ્તા પર ખાડા હોવાની જાણ કરનારને મળશે રૂ. 5000, આ રાજ્યમાં આવી રહી છે નવી સ્કીમ

બિહારના રસ્તાઓ પર ખાડા હોવાની જાણ કરનાર કોઈપણ વ્યક્તિને 5000 રૂપિયા મળશે. આ નવી યોજના 15 ફેબ્રુઆરી બાદ લાગૂ કરવામાં...
Politics 
રસ્તા પર ખાડા હોવાની જાણ કરનારને મળશે રૂ. 5000, આ રાજ્યમાં આવી રહી છે નવી સ્કીમ

બજરંગ દળના નેતાને UP પોલીસે આખી રાત પોલીસ સ્ટેશનમાં ધાબળો ઓઢાડી ખૂબ માર્યા; મંત્રી અને ધારાસભ્યએ વિરોધ પ્રદર્શન કર્યું

ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં બજરંગ દળના જિલ્લા સંયોજકે પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે. વિનોદ મૌર્યનો આરોપ છે કે, પોલીસે...
National 
બજરંગ દળના નેતાને UP પોલીસે આખી રાત પોલીસ સ્ટેશનમાં ધાબળો ઓઢાડી ખૂબ માર્યા; મંત્રી અને ધારાસભ્યએ વિરોધ પ્રદર્શન કર્યું

ભાજપના MLAએ ચૈતર વસાવા અને અનંત પટેલને સિંહ કહ્યા, સભામાં હાજર BJPના કાર્યકરો અને હોદ્દેદારો પણ સ્તબ્ધ

સામાન્ય રીતે સત્તા પક્ષ અને વિપક્ષના નેતાઓ એક-બીજા પર આરોપ-પ્રત્યારોપ લગાવતા રહેતા હોય છે. વિપક્ષના નેતાઓ રાજયમાં બનતી કેટલીક ઘટનાઓને...
Gujarat 
ભાજપના MLAએ ચૈતર વસાવા અને અનંત પટેલને સિંહ કહ્યા, સભામાં હાજર BJPના કાર્યકરો અને હોદ્દેદારો પણ સ્તબ્ધ
Copyright (c) Khabarchhe All Rights Reserved.