US પરના ટેરિફને શૂન્ય કરવા તૈયાર છે ભારત, રાષ્ટ્રપતિ ટ્રમ્પે કર્યો મોટો દાવો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ભારત અમેરિકા પરના તેના ટેરિફ સમાપ્ત કરવા માટે તૈયાર છે. તેમનું કહેવું છે કે ભારતે આ બીજા કોઈ માટે નથી કર્યું, પણ તેણે તેના માટે કર્યું છે. કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્ની સાથે દ્વિપક્ષીય વાટાઘાટો દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિએ આ દાવો કર્યો હતો. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું નથી કે તેઓ કયા ઉત્પાદનો પર ટેરિફ લાદવાની વાત કરી રહ્યા છે, અને તેમના દાવા પર હજુ સુધી ભારત તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું, "ભારતમાં દુનિયામાં સૌથી વધુ ટેરિફ છે. અમે તેને સહન કરીશું નહીં. તેઓ તેને શૂન્ય કરવા સંમત થયા છે." જોકે, ટ્રમ્પે પોતાના દાવામાં ન તો તે ઉત્પાદનો વિશે વાત કરી કે ન તો તે ક્ષેત્રો વિશે કે જેના પર ભારત શૂન્ય ટેરિફ લાદવા માટે સંમત થયું છે.

Trump1
bombaysamachar.com

ભારત-અમેરિકામાં ચાલી રહી છે વેપાર કરાર પર વાતચીત

ભારત અમેરિકા સાથે વેપાર કરાર પર વાતચીત કરી રહ્યું છે અને અહેવાલો મુજબ, ભારતે સ્ટીલ, ઓટો કમ્પોનેંટ્સ અને ફાર્માસ્યુટિકલ્સ ક્ષેત્રો પર શૂન્ય ટેરિફનો પ્રસ્તાવ મૂક્યો છે. આ ટેરિફ પારસ્પરિક ધોરણે પણ હશે, જેનો અર્થ એ થયો કે અમેરિકાએ ભારતને ટેરિફમાં છૂટછાટ પણ આપવી પડશે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, આ માટે પણ એક મર્યાદા લાદવામાં આવશે, અને નિર્ધારિત જથ્થા સુધી ટેરિફ મુક્તિ આપવામાં આવશે.

Trump
moneycontrol.com

ટ્રમ્પે ટેરિફ પર 90 દિવસ માટે લગાવી રોક 

અમેરિકાએ 2 એપ્રિલને "લિબરેશન ડે" તરીકે જાહેર કરતા ભારત સહિત વિશ્વભરના ડઝન દેશો પર ટેરિફની જાહેરાત કરી હતી. આ સમયગાળા દરમિયાન, ભારત પર 26 ટકા ટેરિફ લાદવામાં આવ્યો હતો. જોકે, પાછળથી તેઓએ ચીન સિવાયના તમામ દેશો માટે ટેરિફ પર 90 દિવસ માટે રોક લગાવવાનો નિર્ણય લીધો, જેનાથી ભારતને પણ રાહત મળી, અને હાલમાં 10 ટકા ટેરિફ લાગુ છે. ચીની ઉત્પાદનો પર હજુ પણ 145 ટેરિફ લાગુ છે.

About The Author

Related Posts

Top News

દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

દિલ્હી યુનિવર્સિટી (DU)એ ગુરુવારે સ્પષ્ટ કરી દીધું કે તેના કોઈપણ કોર્સમાં મનુસ્મૃતિ ભણાવવામાં નહીં આવે. આ નિવેદન ત્યારે...
Education 
દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

ભલે આજે દુનિયા આધુનિક બની ગઇ હોય, આસમાનમાં પહોંચવાની વાત થતી હોય, પરંતુ આજની તારીખે પણ દહેજનું દુષણ...
National 
કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

આમીરે જણાવ્યું ફિલ્મ 'દંગલ' પાકિસ્તાનમાં કેમ રીલિઝ ન થઈ

2016માં રિલીઝ થયેલી ફિલ્મ 'દંગલ'માં સુપરસ્ટાર આમિર ખાને મહાવીર સિંહ ફોગટની ભૂમિકા ભજવી હતી. તે કુસ્તીબાજો...
Entertainment 
આમીરે જણાવ્યું ફિલ્મ 'દંગલ' પાકિસ્તાનમાં કેમ રીલિઝ ન થઈ

એવું લાગે છે કે ડાયમંડ ઉદ્યોગમાં એક પણ રત્નકલાકાર બેરોજગાર નથી!

ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લાં અઢી વર્ષથી કારમી મંદીને કારણે લાખો રત્નકલાકારોએ રોજગારી ગુમાવી છે એ વિશે દેશભરમાં ભારે ઉહાપોગ મચી જતા...
Gujarat 
એવું લાગે છે કે ડાયમંડ ઉદ્યોગમાં એક પણ રત્નકલાકાર બેરોજગાર નથી!
Copyright (c) Khabarchhe All Rights Reserved.