- Sports
- અમેરિકામાં રમાશે ભારત-પાકિસ્તાન મેચઃ અમેરિકન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષનો દાવો
અમેરિકામાં રમાશે ભારત-પાકિસ્તાન મેચઃ અમેરિકન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષનો દાવો

ICC પોતાની દરેક ટૂર્નામેન્ટમાં ઓછામાં ઓછી એક ભારત-પાકિસ્તાનની મેચ જરૂર કરાવે છે. 2024 T20 વર્લ્ડ કપમાં પણ આ બે ચિર પ્રતિદ્વંદ્વિઓની ટક્કર થશે. આ વર્લ્ડ કપ વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકાની સંયુક્ત મેજબાનીમાં યોજાવાનો છે. અમેરિકી ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ અતુલ રાયે દાવો કર્યો છે કે, ભારત-પાકિસ્તાન મેચ અમેરિકામાં જ રમાશે, વેસ્ટ ઈન્ડિઝમાં નહીં. અતુલ રાયે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું છે, ફ્લોરિડામાં ભારત-વેસ્ટ ઈન્ડિઝ મેચને લોકલ ફેન્સ તરફથી સારો રિસ્પોન્સ મળ્યો હતો. મેચની બધી ટિકિટ વેચાઈ ગઈ હતી. આથી, અમને લાગે છે કે જો ભારત-પાકિસ્તાન વર્લ્ડ કપ મેચ પણ અહીં રમાય તો તેને ફેન્સનો જબરદસ્ત સપોર્ટ મળશે.
જણાવી દઈએ કે, ગત વર્ષે ઓગસ્ટમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકાનો પ્રવાસ કર્યો હતો. આ દરમિયાન ટીમ ઈન્ડિયાએ 5 T20 અને ત્રણ વનડેની સીરિઝ રમી હતી. છેલ્લી T20 ફ્લોરિડામાં રમાઈ હતી, જેને ભારતે 88 રનોથી જીતી હતી. ટીમ ઈન્ડિયાએ આ T20 સીરિઝ 4-1થી પોતાના નામે કરી હતી. ICCની ટૂર્નામેન્ટ કમિટીએ બેવાર અમેરિકાના અલગ-અલગ શહેરોનો પ્રવાસ કર્યો છે. તેણે ઘણા મેદાનોનું નીરિક્ષણ કર્યું છે. 2024 T20 વર્લ્ડ કપની આ મેચની મેજબાની અમેરિકાને આપવામાં આવી રહી છે, કારણ કે ત્યાં ભારત અને પાકિસ્તાન મૂળની ઘણી આબાદી રહે છે. તેની પાછળનું બીજું કારણ એ છે કે, ICC અમેરિકામાં પણ ક્રિકેટને લોકપ્રિય બનાવવા ઈચ્છે છે. હાલ ત્યાં બેઝબોલ, બાસ્કેટબોલ, ફુટબોલ જેવી ગેમ લોકપ્રિય છે.
T20 વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન મેચ
મેચ | ક્યારે રમાઈ | ક્યાં | કોણ જીત્યું |
પહેલી | 14 સપ્ટેમ્બર, 2007 | ડરબન | ટાઈ |
બીજી | 24 સપ્ટેમ્બર, 2007 | જોહાનિસબર્ગ | ભારત |
ત્રીજી | 30 સપ્ટેમ્બર, 2012 | કોલંબો | ભારત |
ચોથી | 21 માર્ચ, 2014 | મીરપુર | ભારત |
પાંચમી | 19 માર્ચ, 2016 | ઈડન ગાર્ડન્સ | ભારત |
છઠ્ઠી | 24 માર્ચ, 2021 | દુબઈ | પાકિસ્તાન |
સાતમી | 23 ઓક્ટોબર, 2022 | મેલબર્ન | ભારત |
ભારત-પાકિસ્તાન રાઈવલરી દુનિયામાં જાણીતી છે. છેલ્લાં 10 વર્ષથી બંને ટીમો વચ્ચે દ્વિપક્ષીય સીરિઝ નથી રમાઈ રહી. ICC તેનો ફાયદો ઉઠાવે છે અને પોતાની દરેક ટૂર્નામેન્ટમાં આ બંને ટીમો વચ્ચે મેચનું આયોજન કરે છે. સામાન્યરીતે આ મેચ ટૂર્નામેન્ટના શરૂઆતી ચરણમાં હોય છે. તેને કારણે ટૂર્નામેન્ટને હાઈપ મળે છે. એવામાં ICC અને મેજબાન દેશને ટિકિટ, સ્પોન્સર વગેરે દ્વારા સારી કમાણી થાય છે. સમગ્ર વર્લ્ડ કપની એક તૃતિયાંશ વ્યૂઅરશિપ આ જ મેચ દ્વારા આવે છે.
વનડે વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન મેચ
મેચ | ક્યારે રમાઈ | ક્યાં | કોણ જીત્યું |
પહેલી | 4 માર્ચ, 1992 | સિડની | ભારત |
બીજી | 9 માર્ચ, 1996 | બેંગલુરુ | ભારત |
ત્રીજી | 8 જૂન, 1999 | મેનચેસ્ટર | ભારત |
ચોથી | 1 માર્ચ, 2003 | સેન્ચુરિયન | ભારત |
પાંચમી | 30 માર્ચ, 2011 | મોહાલી | ભારત |
છઠ્ઠી | 15 ફેબ્રુઆરી, 2015 | એડિલેડ | ભારત |
સાતમી | 16 જૂન, 2019 | મેનચેસ્ટર | ભારત |
બીજા T20 વર્લ્ડ કપ 2024માં યોજાવાનો છે. આ પહેલા આ જ વર્ષે વનડે વર્લ્ડ કપ ભારતમાં રમાવાનો છે. તેમા પણ ભારત-પાકિસ્તાન મેચ યોજાવાની છે. જોકે, હાલ બંને દેશોના બોર્ડની વચ્ચે એશિયા કપને લઈને ખેંચતાણ ચાલી રહી છે. ભારતીય ક્રિકેટ બોર્ડના સચિવ અને એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ જય શાહે કહ્યું છે કે, ભારતીય ટીમ એશિયા કપ રમવા પાકિસ્તાન નહીં જશે. આથી, એશિયા કપ પાકિસ્તાનની બહાર યોજવામાં આવશે. પાકિસ્તાની ક્રિકેટ બોર્ડ તેનો વિરોધ કરી રહ્યું છે. PCBના પૂર્વ ચેરમેન રમીઝ રાજાએ ત્યાં સુધી કહી દીધુ હતું કે, જો ભારતીય ટીમ પાકિસ્તાન નહીં આવશે તો પાકિસ્તાનની ટીમ પણ વર્લ્ડ કપ રમવા માટે ભારત નહીં જશે.
ત્યારબાદ રમીઝ રાજાએ ચેરમેન પદ પરથી હાથ ધોવા પડ્યા છે. હવે નઝમ સેઠીને PCBના ચેરમેન બનાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું છે કે, વર્લ્ડ કપ માટે ટીમને ભારત મોકલવી કે ના મોકલવી તેનો નિર્ણય પાકિસ્તાનની સરકાર કરશે. બોર્ડ તે નિર્ણયનું પાલન કરશે.