ટીમ ઈન્ડિયામાં ડેબ્યુ કરનાર સરફરાઝના પિતાને આનંદ મહિન્દ્રાએ આપી મોટી ભેટ

On

ભારત અને ઇંગ્લેંડ વચ્ચે અત્યારે રાજકોટમાં બીજી ટેસ્ટ મેચ રમાઇ રહી છે અને આ ટેસ્ટ મેચમાં ડેબ્યુ કરનાર સરફરાઝ ખાને પહેલી જ મેચમાં 62 રન ફટકારીને અનેક લોકોની પ્રસંશા મેળવી છે. હવે દેશના જાણીતા ઉદ્યોગપતિ અને ઓટોમોબાઇલ જાયન્ટ મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ સરફારઝની બેટીંગથી પ્રભાવિત થઇને તેના પિતા માટે એક મોટી ભેટની જાહેરાત કરી છે.

આનંદ મહિન્દ્રાએ X પ્લેટફોર્મ પર લખ્યું છે કે, હિમંત નહીં છોડતો બસ. સખત મહેનત, ધૈય અને હિંમત એ એક પિતા માટે એક બાળકને પ્રેરણા આપવા માટે આનાથી શ્રેષ્ઠ ગુણ કયો હોય શકે? એક પ્રેરણાદાયક માતા-પિતા હોવાના નાતે મારું સૌભાગ્ય અને સન્માન હશે કે નૌશાદ ખાન થારની ભેટ સ્વીકારે.

નૌશાદ ખાન સરફરાઝના પિતા છે. સરફરાઝે ઇંગ્લેંડ સામેની ટેસ્ટમેચમાં 48 બોલમાં 62 રન માર્યા હતા, પરંતુ એક ભૂલને કારણે તે રનઆઉટ થઇ ગયો હતો.

Related Posts

Top News

RSS: રાષ્ટ્રસેવાનું પવિત્ર માધ્યમ

(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુએસના પ્રખ્યાત પોડકાસ્ટર લેક્સ ફ્રીડમેન સાથેના પોડકાસ્ટમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) વિશેના પોતાના...
National 
RSS: રાષ્ટ્રસેવાનું પવિત્ર માધ્યમ

ભૂપેન્દ્રભાઈ પટેલ: ગુજરાતના વિકાસના નવા પ્રણેતા

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના રાજકારણમાં ભૂપેન્દ્રભાઈ પટેલનું નામ આજે એક એવા નેતા તરીકે ઝળકી રહ્યું છે જેઓ પોતાના સૌમ્ય સ્વભાવ...
Gujarat  Opinion 
ભૂપેન્દ્રભાઈ પટેલ: ગુજરાતના વિકાસના નવા પ્રણેતા

પહેલા આપ્યા હવે હરિયાણામાં વિદ્યાર્થીઓને 5 દિવસમાં ટેબલેટ જમા કરાવવા આદેશ

શિક્ષણ વિભાગ તરફથી જિલ્લાની તમામ સરકારી શાળાઓમાં પરીક્ષા બાદ વિદ્યાર્થીઓ પાસેથી ટેબલેટ પરત લેવાના આદેશો જાહેર કરવામાં આવ્યા છે. જો...
National  Education 
પહેલા આપ્યા હવે હરિયાણામાં વિદ્યાર્થીઓને 5 દિવસમાં ટેબલેટ જમા કરાવવા આદેશ

કેદારનાથમાં બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકો, BJP MLAએ કહ્યું- આ લોકો ત્યાં માંસ...

કેદારનાથ ધામમાં બિન-હિન્દુઓના પ્રવેશ પર અને તેમની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવા અંગે ચર્ચાઓ પ્રબળ બની છે. કેદારનાથના BJP ધારાસભ્ય આશા...
National 
કેદારનાથમાં બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકો, BJP MLAએ કહ્યું- આ લોકો ત્યાં માંસ...

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.