સ્મિથના મતે IPLમા આ ભારતીય ખેલાડી પર ભારે દબાણ છે, અન્ય બેટ્સમેનોએ મદદ કરવી જોઈએ

On

ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથનું માનવું છે કે, IPLની વર્તમાન સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના બાકીના બેટ્સમેનોની નિષ્ફળતાને કારણે વિરાટ કોહલી પર ઘણું દબાણ છે અને તેના સાથી ખેલાડીઓએ વધુ સારું પ્રદર્શન કરીને તેને સમર્થન આપવું જોઈએ.

કોહલીએ આ સિઝનમાં RCB માટે 4 મેચમાં 67.66ની એવરેજથી 203 રન બનાવ્યા છે, જ્યારે બીજા ક્રમે દિનેશ કાર્તિક છે જેણે માત્ર 90 રન બનાવ્યા છે.

કોહલીના સારા ફોર્મ છતાં RCB ચારમાંથી ત્રણ મેચ હારી ગયું છે અને પોઈન્ટ ટેબલમાં 8મા સ્થાને છે. ગ્લેન મેક્સવેલ, ફાફ ડુ પ્લેસિસ અને કેમેરોન ગ્રીનના બેટ શાંત રહ્યા છે.

એક મીડિયા ટીમની કોમેન્ટ્રીના સભ્ય સ્મિથે ચેનલના સ્ટુડિયોમાં સૂત્રો સાથે વાત કરતા કહ્યું કે, 'અન્ય અગ્રણી બેટ્સમેનોએ તેને સપોર્ટ કરવો જોઈએ. આમ કરીને તેઓ ટીમને જીતના માર્ગ પર લાવી શકે છે. આ સમયે તમામ દબાણ માત્ર વિરાટ કોહલી પર છે.

તેણે કહ્યું, 'ટોપ અને મિડલ ઓર્ડરના બેટ્સમેનોએ તેની મદદ કરવી જોઈએ. તેણે ખૂબ જ સારી શરૂઆત કરી છે, પરંતુ તેને સમર્થનની જરૂર છે. તે એકલો દરેક મેચમાં રન બનાવી શકતો નથી.

ધીમી સ્ટ્રાઈક રેટ (વિરાટ કોહલી સ્ટ્રાઈક-રેટ)ને લઈને કોહલીની ટીકાને ફગાવી દેતા સ્મિથે કહ્યું કે, દુનિયાનો કોઈ ખેલાડી કોહલીથી વધુ સારી રીતે આ પરિસ્થિતિને સમજી શકે નહીં.

તેણે કહ્યું, ‘કોહલી એક મહાન ખેલાડી છે. તે પરિસ્થિતિને સારી રીતે સમજે છે અને તે મુજબ રમે છે અને આ બાબતમાં દુનિયામાં તેની બરાબરી નથી.

રોહિત શર્માની જગ્યાએ મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બનાવવામાં આવ્યા પછી દર્શકોના રોષનો સામનો કરી રહેલા હાર્દિક પંડ્યાના કિસ્સામાં તેણે કહ્યું કે, દર્શકોએ ભૂતકાળમાં જીવવાનું બંધ કરી દેવું જોઈએ.

તેણે કહ્યું, 'આ દુર્ભાગ્યપૂર્ણ છે. દર્શકોએ હાર્દિકને સમર્થન આપવું જોઈએ, પરંતુ રોહિતના અસંખ્ય ચાહકો છે. તેઓ ગુસ્સે છે કે, તે કેપ્ટન કેમ નથી. પરંતુ હવે આપણે તેને ભૂલીને હાર્દિકને સમર્થન આપવું પડશે. તે ગુજરાત ટાઇટન્સનો સફળ કેપ્ટન રહ્યો છે, અને હવે તે મુંબઈ પાછો ફર્યો છે. સિનિયર ખેલાડીઓએ તેની મદદ કરવી જોઈએ.'

છ વર્ષ પહેલા કેપટાઉન ટેસ્ટમાં બોલ ટેમ્પરિંગ માટે પ્રતિબંધિત સ્મિથે કહ્યું, 'આટલી બધી નકારાત્મકતા વચ્ચે તેણે તેનો સામનો કરવાના રસ્તાઓ શોધવા પડશે. જો મુંબઈ જીતના માર્ગે પરત ફરશે તો બધુ બરાબર થઈ જશે.'

Top News

PM મોદી અંગે Grok કે ChatGPTના જવાબો પર કેટલો ભરોસો કરાય? આ પ્રોફેસરની વાત તમને વિચારતા કરી દેશે

(પ્રોફેસર કિરણ પંડ્યા) હું એ સમજાવવાનો પ્રયત્ન પ્રયત્ન કરી રહ્યો છું કે કોઈપણ ચેટબોટના સકારાત્મક કે નકારાત્મક જવાબને બહુ ગંભીરતાથી...
Education 
PM મોદી અંગે Grok કે ChatGPTના જવાબો પર કેટલો ભરોસો કરાય? આ પ્રોફેસરની વાત તમને વિચારતા કરી દેશે

વિવેક પટેલ: એક એવા ભૂતપૂર્વ ધારાસભ્ય જે પ્રસિદ્ધિથી દૂર બસ કામમાં વ્યસ્ત રહે છે

આજે આપણે વાત કરીએ એક એવા સમાજસેવકની જે ધરાતલ પર સમાજસેવા અને લોકસંપર્ક કરે છે.  આજના સોશિયલ મીડિયાના યુગમાં જ્યાં...
Politics 
વિવેક પટેલ: એક એવા ભૂતપૂર્વ ધારાસભ્ય જે પ્રસિદ્ધિથી દૂર બસ કામમાં વ્યસ્ત રહે છે

એક PM તરીકે નરેન્દ્ર મોદી પહેલીવાર નાગપુર મુખ્યાલયમાં RSS નેતાઓ સાથે બેઠક કરી શકે છે!

PM નરેન્દ્ર મોદી 30 માર્ચે નાગપુરમાં RSS મુખ્યાલયની મુલાકાત લેશે. 2014માં PM બન્યા પછી આ પહેલી વાર હશે, ...
National 
એક PM તરીકે નરેન્દ્ર મોદી પહેલીવાર નાગપુર મુખ્યાલયમાં RSS નેતાઓ સાથે બેઠક કરી શકે છે!

સાણંદમાં 23મી માર્ચે ભવ્ય વીરાંજલિ કાર્યક્રમ, 100થી વધુ કલાકારો ક્રાંતિવીરોની શોર્ય ગાથાને રજૂ કરશે

છેલ્લા 17 વર્ષથી વીરાંજલિ સમિતિ દ્વારા ગુજરાતના અલગ અલગ સ્થળો પર વીરાંજલિ નામે કાર્યક્રમો યોજી 23મી માર્ચે શહીદ દિન ઉજવવામાં...
Gujarat 
સાણંદમાં 23મી માર્ચે ભવ્ય વીરાંજલિ કાર્યક્રમ, 100થી વધુ કલાકારો ક્રાંતિવીરોની શોર્ય ગાથાને રજૂ કરશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.