મજબૂરીમાં સંન્યાસ લઈ રહ્યો છે કોહલી, મોહમ્મદ કૈફે જણાવ્યું કારણ

Mohammad Kaifs big statement on Virat Kohli amid retirement rumours

7 મે 2025, આ તારીખે રોહિત શર્માના ટેસ્ટ સંન્યાસના સમાચાર બંધ થયા નહોતા, અને વિરાટ કોહલીની ચર્ચા તેજ થઈ ગઈ હતી. વિરાટે BCCIને ઈંગ્લેન્ડ પ્રવાસમાં ન સામેલ થવાની જાણકારી આપી હતી અને બોર્ડ તેને મનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. સંન્યાસની અટકળો વચ્ચે મોહમ્મદ કૈફે એક હેરાન કરી દેનારું નિવેદન આપ્યું છે. તેણે જણાવ્યું કે, વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટમાંથી શા માટે સંન્યાસ લેવા માગે છે. તેણે સંન્યાસનું કારણ પણ બતાવ્યું અને વિરાટ કોહલીને અપીલ પણ કરી હતી.

mohammad kaif
crictoday.com

 

ભારત કમનસીબે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવામાં નિષ્ફળ રહ્યું. ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ભારતીય ટીમને 3-1થી હારનો સામનો કરવો પડ્યો હતો.  બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પહેલી ટેસ્ટમાં વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારી હતી, પરંતુ ત્યારબાદ તે પૂરી રીતે ફ્લોપ નજરે પડ્યો હતો. કોહલીની નબળાઈ આ સીરિઝમાં જગજાહેર હતી, કૈફે તેને જ સંન્યાસનું કારણ ગણાવ્યું છે.

https://twitter.com/MohammadKaif/status/1921536472382915022

મોહમ્મદ કૈફે વિરાટ કોહલીને મોટી અપીલ કરી છે. તેણે વીડિયો શેર કરતા લખ્યું કે, વિરાટ કોહલી ભારતનો સિંહ, હવે આરામના મૂડમાં છે. તે સંન્યાસ તરફ આગળ વધી રહ્યો છે. મને લાગે છે કે કોણે ઇંગ્લેન્ડ જાય, ત્યાં પોતાને સાબિત કરીને તેણે હાઇનોટ પર ખતમ કર, જેમ તે T20 વર્લ્ડ કપ 2024માં કર્યું હતું. મોહમ્મદ કૈફે આગળ કહ્યું કે, કેમ મજબૂરીમાં કોહલીને સંન્યાસ વિશે વિચારી રહ્યો છે કેમ કે એક એવો બોલ જે, તેને ઘણા વર્ષોથી પરેશાન કરી રહ્યો હતો તે હતો આઉટસ્વિંગ બોલ. જ્યાં આઉટ સ્વિંગ બોલ આવ્યો ત્યાં તે ઘણી વખત આઉટ થયો.

mohammad kaif
blackhattalent.com

 

આ એક એવી મુશ્કેલી હતી, જે તેના કરિયરમાં ટળી ન શકી. તે ઈંગ્લેન્ડ ગયો, તે ઓસ્ટ્રેલિયા ગયો અને ત્યાં આઉટ થયો. ઘરઆંગણે ન્યૂઝીલેન્ડ સામે સ્પિન પર આઉટ થયો. ખૂબ પ્રયાસ કર્યા, 200 ટકા તેનો પ્રયાસ રહે છે, દરેક મેચમાં તે રમવા આવે છે, પરંતુ થઈ શક્યું નહીં. પૂર્વ ક્રિકેટરે હ્યું કે, ‘મેં પહેલી વખત જોયું કે ઓસ્ટ્રેલિયાના પર્થમાં સદી ફટકાર્યા બાદ વિરાટ કોહલી આઉટ ઓફ ફોર્મ થઈ ગયો. તે ક્યારેય થયું નથી, ઇતિહાસ સાક્ષી છે. તે પહેલી મેચમાં સ્કોર કરે છે અને પછી તે સતત સ્કોર કરતો જાય છે, તમે તેને આઉટ નહીં કરી શકો, એવો બેટ્સમેન રહ્યો છે ભારતનો. ઇંગ્લેન્ડ જાવ સારું રમો અને અને તેણે હાઇ નોટ પર ખતમ કરો. આ મારી દુવા છે તેના માટે અને તેના ફેન્સની પણ આજ દુવા હશે.

About The Author

Related Posts

Top News

વડાપ્રધાન મોદીના ઉત્તરાધિકારી કોણ? ફડણવીસે આપ્યો સ્પષ્ટ જવાબ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઉતરાધિકારી કોણ? એ બાબતે ઘણા સમયથી ચર્ચા શરૂ થઇ છે. તાજેતરમાં રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘની વડા...
National 
વડાપ્રધાન મોદીના ઉત્તરાધિકારી કોણ? ફડણવીસે આપ્યો સ્પષ્ટ જવાબ

ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

શનિવારે બપોરે ગોવાથી નવી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટમાં એક અમેરિકન મુસાફર અચાનક બીમાર પડી ગઈ ત્યારે અંધાધૂંધી ફેલાઈ ગઈ. કેલિફોર્નિયાની...
National 
ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના ટિબ્બી શહેરમાં આ અઠવાડિયે થયેલી હિંસક અથડામણે સમગ્ર વિસ્તારને ચર્ચામાં લાવી દીધો. સેંકડો લોકો સામે FIR દાખલ...
National 
ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ

ભારતીય જનતા પાર્ટીએ ફરીએકવાર બધાને ચોંકાવતા નીતિન નબીનને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે પસંદ કર્યા છે. નીતિન નબીન વિશે ભાગ્યે...
National 
કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Copyright (c) Khabarchhe All Rights Reserved.