ભારત-શ્રીલંકા મેચ પછી સ્ટેડિયમમાં હંગામો,ચાહકો એકબીજા સાથે લડ્યા,લાત-મુક્કા...

એશિયા કપ 2023માં રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ક્રિકેટ ટીમનું પ્રદર્શન એકદમ સર્વશ્રેષ્ઠ રહ્યું છે. જો કે અત્યાર સુધી ટીમ ઈન્ડિયાની કોઈ એવી મેચ નથી બની જેમાં વરસાદ ન પડ્યો હોય. પરંતુ આ બધું હોવા છતાં તેણે પોતાની વિરોધી ટીમને ધોબી પછાડ આપી છે.

ટીમ ઈન્ડિયાએ છેલ્લા 3 દિવસમાં પાકિસ્તાન અને પછી શ્રીલંકાને સુપર 4માં હરાવ્યું છે. શ્રીલંકા સામે 41 રનની જીત સાથે ભારત રેકોર્ડ 11મી વખત એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું છે. શ્રીલંકાને રોમાંચક મેચમાં હરાવ્યા પછી ભારતીય ચાહકોનો ઉત્સાહ સમાતો ન હતો. પરંતુ ત્યાર પછી તે ગ્રાઉન્ડ પર કંઈક એવું જોવા મળ્યું કે જેની કોઈને અપેક્ષા નહોતી કરી. મેચ પતી ગયા પછી ભારત અને શ્રીલંકાના ચાહકો મેદાન પર એકબીજા સાથે ઘર્ષણમાં ઉતર્યા હતા. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

ભારત અને શ્રીલંકા વચ્ચેની મેચ સમાપ્ત થયા પછી બંને ટીમોના ચાહકો સ્ટેન્ડમાં એકબીજા સાથે અથડાયા હતા. પહેલા તો ચાહકોમાં થોડી ગરમ ગરમી થઇ. ત્યાર પછી શ્રીલંકાનો એક પ્રશંસક દોડીને આવે છે અને ભારતીય પ્રશંસક પર હુમલો કરે છે. આ પછી, તમામ ભારતીય પ્રશંસકોએ શ્રીલંકાના પ્રશંસકને પકડી લીધો અને તેને ખુબ ખરાબ રીતે માર્યો. જો કે, આ પછી કેટલાક અન્ય લોકો તેમની લડાઈમાં વચ્ચે પડીને તેમને અલગ કરે છે. ઝઘડો કયા કારણોસર થયો તે અંગે કોઈ માહિતી નથી. પરંતુ આ લડાઈનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આવી સ્થિતિમાં રોહિત શર્મા અને કંપનીએ બેટિંગ કરતા 213 રન બોર્ડ પર મૂક્યા હતા. રોહિત (53), રાહુલ (39) અને ઈશાને ભારતને ફાઈટીંગ ટોટલ સુધી લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

214 રનના ટાર્ગેટનો પીછો કરવા આવેલી શ્રીલંકન ટીમની બેટિંગ સંપૂર્ણ રીતે ફ્લોપ રહી હતી. તે માત્ર 172ના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી અને ભારતે 41 રનથી આ મેચ જીતી લીધી હતી. ટીમ ઈન્ડિયા તરફથી કુલદીપ યાદવે સૌથી વધુ 4 વિકેટ લીધી હતી.

જ્યારે, આ મેચમાં શ્રીલંકન ટીમનો હીરો 20 વર્ષનો યુવા ખેલાડી ડ્યુનિથ વેલ્લાલેજ હતો. ડ્યુનિથ વેલ્લાલેજે ટીમ ઈન્ડિયા સામે 10 ઓવરમાં 40 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. તેમજ તેણે બેટિંગમાં પણ સારું પ્રદર્શન કર્યું અને 46 બોલમાં 42 રન બનાવ્યા પછી અણનમ રહ્યો. ડ્યુનિથ વેલ્લાલેજના શાનદાર ઓલરાઉન્ડ પ્રદર્શનને કારણે શ્રીલંકાના હારી ગયા પછી પણ તેને મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

About The Author

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.