ક્રિકેટર કેદાર જાધવના ગુમ થયેલા પિતા કલાકોની શોધખોળ બાદ મળ્યા

ભારતીય ક્રિકેટર કેદાર જાધવના પિતા મહાદેવ જાધવ સોમવારે પુણેથી ગુમ થઈ ગયા હતા. તેઓ ગુમ થયાનો રિપોર્ટ પૂણેના અલંકાર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવ્યો હતો. પોલીસે પૂણેના દરેક પોલીસ સ્ટેશનમાં એલર્ટ જાહેર કરી દીધું હતું અને તેમની તપાસ કરવામાં આવી રહી હતી. તેઓ છેલ્લી વખત હાઉસિંગ કોમ્પલેના ગેટ બહાર નીકળતા નજરે પડ્યા હતા. ગુમ થયાના થોડા કલાકો બાદ જ કેદાર જાધવના પિતા મળી ગયા છે. એક અધિકારીએ કહ્યું કે, મહાદેવ જાધવ મુંધવા વિસ્તારમાંથી મળ્યા. મુંધવા પોલીસ સ્ટેશનના વરિષ્ઠ નિરીક્ષક અજીત લકડેએ કહ્યું કે, તેમનું સ્વાસ્થ્ય સારું છે અને તેમને પરિવાર સાથે મળાવી દેવામાં આવ્યા છે.

મહાદેવ જાધવ કથિત રીતે સોમવારે સવારે 11:30 વાગ્યે પૂણેના કોથ રોડ વિસ્તારમાંથી અચાનક ગુમ થઈ ગયા હતા. કેદાર જાધવના પરિવાર તરફથી પોલીસને આપવામાં આવેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે, મહાદેવ જાધવે આજે સવારે 11:300 વાગ્યા નજીક કોથરોડ વિસ્તારથી રિક્ષા લીધી હતી, પરંતુ ત્યારબાદ તેઓ ક્યાં ગયા અત્યાર સુધી ખબર નથી. ક્રિકેટર્ન પરિવારનું કહેવું હતું કે, તેમનો ફોન પણ બંધ આવી રહ્યો હતો, ત્યારબાદ પરિવારજનોએ અલંકાર પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.

પોલીસને આપવામાં આવેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે, મહાદેવ જાધવે સફેદ રંગનું શર્ટ અને સ્લેટી રંગનું ટ્રાઉઝર અને બ્લેક ચપ્પલ પહેરી છે. તેમણે નજરના (નંબરવાળા) ચશ્મા પણ પહેરી રાખ્યા છે. ગુમ રિપોર્ટ મુજબ, મહાદેવ જાધવની ઊંચાઈ 5 ફૂટ 6 ઇંચ છે, તેમના ચહેરાની ડાબી તરફ સર્જરીનું નિશાન છે. મહાદેવ જાધવ મરાઠી બોલે છે. તેમના જમણા હાથની આંગળીમાંમાં સોનાની 2 અંગૂઠી પહેરી રાખી છે. તેમની પાસે મોબાઈલ ફોન છે, પરંતુ અત્યારે પણ સ્વિચ ઓફ આવી રહ્યો છે.

પૂણે પોલીસે મહાદેવ જાધવની તસવીર મહારાષ્ટ્રના બધા પોલીસ સ્ટેશનોમાં સર્ક્યૂલેટ કરી દીધી હતી. ત્યારબાદ દરેક જગ્યાએ તપાસ કરવામાં આવી રહી હતી. ફરિયાદ મુજબ કેદાર જાધવના 75 વર્ષીય પિતા મહાદેવ જાધવ ડિમેન્શિયા પીડિત છે. કેદાર જાધવર અત્યારે ભારતીય ટીમથી બહાર ચાલી રહ્યો છે. વર્ષ 2014માં ડેબ્યૂ કરનારા કેદાર જાધવે વર્ષ 2020માં ભારત માટે છેલ્લી મેચ રમી હતી. ઇન્ટરનેશનલ કરિયરમાં તેને 73 વન-દે અને 9 T20 એમચ રમી છે. તેમના નામે 1389 રન સાથે જ 27 વિકેટ પણ છે. કેદાર જાદવ અત્યારે કોઈ પણ IPL ટીમનો હિસ્સો નથી. વર્ષ 2022ના ઓક્શનમાં તે અનસોલ્ડ રહ્યો હતો.

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.