દિલ્હીએ રોહિત શર્મા માટે મુંબઈને કરી હતી અપ્રોચ, પરંતુ આ કારણે ન થઈ ડીલ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024માં દિલ્હી કેપિટલ્સ (DC) ફ્રેન્ચાઇઝી ઇચ્છતી હતી કે કોઈ સીનિયર ખેલાડી તેમની ટીમને લીડ કરે. જેવી જ આ વાત સામે આવી, મુંબઈ ઇન્ડિયન્સે હાર્દિક પંડ્યાને પોતાની સાથે જોડવાની ઈચ્છા વ્યક્ત કરી. તો એવી જ રીતે દિલ્હી કેપિટલ્સે મુંબઈ ઇન્ડિયન્સ (MI)ને રોહિત શર્મા માટે અપ્રોચ કરી હતી. દિલ્હી કેપિટલ્સ ઇચ્છતી હતી કે તે ટ્રેડના માધ્યમથી રોહિત શર્માને પોતાની સાથે જોડી લે, પરંતુ એ સંભવ ન થયું. તેની પાછળ શું કારણ હતું, ચાલો આ આર્ટિકલમાં જાણીએ.

દિલ્હી કેપિટલ્સ અને રોહિત શર્મા વચ્ચે ડીલ એટલે ન થઈ શકી કેમ કે રોહિત શર્મા અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે કોન્ટ્રાક્ટ છે, જેના કારણે તે ટ્રેડ માટે ઉપલબ્ધ નહોતો. સ્પોર્ટ્સ ટૂડેના રિપોર્ટ મુજબ, દિલ્હી કેપિટલ્સે રિષભ પંતને એક ઇમ્પેક્ટ ખેલાડી તરીકે રમાડવાના ઉદ્દેશ્યથી સીનિયર ખેલાડીને કેપ્ટન્સી સોંપવાનું મન બનાવ્યું હતું. જો કે, જ્યારે રોહિત શર્મા સાથે તેની ડીલ ન થઈ તો તેણે રિષભ પંતને જ કેપ્ટન બનાવવો પડ્યો. તો રોહિત શર્માની વાત કરીએ તો તેને મુંબઈ ઇન્ડિયન્સે હાલમાં જ કેપ્ટન્સીમાંથી હટાવી દીધો છે.

તે માત્ર એક ખેલાડી તરીકે ટીમમાં રમતો નજરે પડશે. રોહિત શર્મા IPL 2024માં હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીમાં રમશે. મુંબઈ ઇન્ડિયન્સે ગુજરાત ટાઈટન્સ (GT) પાસેથી ટ્રેડમાં લીધો છે. તે છેલ્લી બે સીઝનમાં ગુજરાતની ટીમનો કેપ્ટન હતો અને તે આ જ શરત પર મુંબઈમાં ફર્યો કે તેને કેપ્ટન્સી મળે. મુંબઈ ઇન્ડિયન્સે સત્તાવાર રૂપે હાર્દિક પંડ્યાને પોતાનો કેપ્ટન બનાવી દીધો છે. ઉલ્લેખનીય છે કે, હાર્દિક પંડ્યાની મુંબઇમાં વાપસી એ કારણે સંભવ થઈ શકી કેમ કે મુંબઈ ઇન્ડિયન્સે કેમરોન ગ્રીનને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ને ટ્રેડમાં આપ્યો છે.

આ જ કારણ હતું કે આ મોંઘા ખેલાડીને મુંબઈ ઇન્ડિયન્સ પોતાની સાથે જોડી શકી કેમ કે સાડા 17 કરોડ રૂપિયામાં તેણે કેમરોન ગ્રીનને ખરીદ્યો હતો. તેને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને સોંપી દીધો તો એટલી રકમ તેના પર્સમાં બાકી રહી, જેથી તે હાર્દિક પંડ્યાને પૈસા આપી શકે છે. કેટલીક ટ્રાન્સફર ફીસ પણ મુંબઈ ઇન્ડિયન્સને ચૂકવવી પડી છે.

About The Author

Top News

ધોની, દીપિકા અને અશ્નીર ગ્રોવરના રૂપિયા ડૂબવાના? બધાએ એ કંપનીમાં લગાવેલા પૈસા જે...

ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની, બોલિવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ અને શોર્ટ ટેન્કની પહેલી સીઝનમાં જજ રહેલા અશ્નીર ગ્રોવરના લાખો રૂપિયાના...
Business 
ધોની, દીપિકા અને અશ્નીર ગ્રોવરના રૂપિયા ડૂબવાના? બધાએ એ કંપનીમાં લગાવેલા પૈસા જે...

કોચિંગ વગર JEE મેઈન્સમાં 100 પર્સન્ટાઈલ, આ છે સાઈ મનોગનાનો ગોલ્ડન રુલ અને લક્ષ્ય!

JEE મેન્સ સત્ર-2 (એપ્રિલ સત્ર)નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ સત્રમાં, વિવિધ રાજ્યોના કુલ 24 વિદ્યાર્થીઓએ ...
Education 
કોચિંગ વગર JEE મેઈન્સમાં 100 પર્સન્ટાઈલ, આ છે સાઈ મનોગનાનો ગોલ્ડન રુલ અને લક્ષ્ય!

જનોઈ પહેરીને વિદ્યાર્થીને એક્ઝામ હોલમાં જતા રોકાયો, પરીક્ષા અધિકારી સસ્પેન્ડ

કર્ણાટકના શિવમોગામાં આદિચુંચનગિરી સ્કૂલમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) આપવા ગયેલા વિદ્યાર્થીઓ પાસેથી જનોઈ ઉતારવાના મામલો સામે આવ્યા બાદ, ...
National 
જનોઈ પહેરીને વિદ્યાર્થીને એક્ઝામ હોલમાં જતા રોકાયો, પરીક્ષા અધિકારી સસ્પેન્ડ

અંબાલાલ પટેલે જણાવ્યું- આ વર્ષે ગુજરાતમાં કેવી રહેશે વરસાદની ઋતુ

અત્યારે ઉનાળાની સીઝન ચાલી રહી છે, અને રાજ્યમાં મિશ્રા ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે વાદળછાયું વાતાવરણ જોવા મળી...
Gujarat 
અંબાલાલ પટેલે જણાવ્યું- આ વર્ષે ગુજરાતમાં કેવી રહેશે વરસાદની ઋતુ
Copyright (c) Khabarchhe All Rights Reserved.