ગંભીરના મતે કોહલી અને આ ખેલાડી T20 WC 2024 રમવા માટે અનફીટ છે

ભારતના પૂર્વ સ્ટાર બેટ્સમેન ગૌતમ ગંભીરે વિરાટ કોહલી અને કે.એલ. રાહુલને લઇ મોટું નિવેદન આપ્યું છે. ગૌતમ ગંભીરે જણાવ્યું કે, વિરાટ કોહલી અને કે.એલ. રાહુલ T20 વર્લ્ડ કપ 2024 માટે ટીમમાં ફિટ બેસતા નથી. જો ભારતે ICC ઇવેન્ટ જીતવી હોય તો, ભારતીય ટીમ યુવા ખેલાડીઓ સાથે જાય. ભારત 3 જાન્યુઆરીથી શ્રીલંકા વિરુદ્ધ 3 મેચોની T20 સીરિઝ રમશે. ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)એ વિરાટ કોહલી અને કે.એલ. રાહુલને આ સીરિઝ માટે આરામ આપ્યો છે.

જ્યારે માનવામાં આવી રહ્યું છે કે, રોહિત શર્માને આંગળીની ઇજા પૂરી રીતે સારી થાય તે માટે વધુ સમય જોઇએ છે. સીનિયર ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારને ટીમથી બહાર રાખવામાં આવ્યો છે. એવામાં ભારતના પૂર્વ બેટ્સમેન અને ભાજપના સાંસદ ગૌતમ ગંભીરે ગુરુવારે સ્ટાર સ્પોર્ટ્સ દ્વારા આયોજિત એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું કે, ટીમમાં સ્પષ્ટતા હોવી જોઇએ. સિલેક્ટર્સ અને ખેલાડીઓ વચ્ચે સારો સંવાદ હોવો જોઇએ. જો સિલેક્ટર્સે આ લોકો વિરુદ્ધ જોવાનો નિર્ણય લીધો છે તો સારું છે.

તેમણે કહ્યું કે, મને લાગે છે કે ઘણા બધા દેશોએ એમ કર્યું છે. તમે આગામી T20 વર્લ્ડ કપ 2024 માટે પોતાની યોજનાઓ બાબતે વિચારી રહ્યા છો. તમે તેને જીતવા માગો છો. જો આ લોકો તેને હાંસલ કરી શક્યા નથી તો મને લાગે છે કે તમે તેમની સાથે જવાનું પસંદ કરશો. સૂર્યકુમાર યાદવ જેવી યુવા પેઢી એ સપનાંને હાંસલ કરવામાં મદદ કરી શકે છે. ગૌતમ ગંભીરે વર્ષ 2024ના વર્લ્ડ કપ માટે સ્પષ્ટ યોજનાઓની આવશ્યકતાઓ પર ભાર આપ્યો છે.

તેમણે કહ્યું કે, કે.એલ. રાહુલ અને વિરાટ કોહલીને એ યોજનાઓમાં ફિટ જોવાનું મુશ્કેલ થઇ રહ્યું છે. અંગત રીતે જો તમે મને પૂછો તો એ મુશ્કેલ લાગે છે. સૂર્યકુમાર યાદવ, ઇશાન કિશન જેવા યુવા આપણી પાસે ઉપસ્થિત છે. હાર્દિક પંડ્યા, પૃથ્વી શૉ, રાહુલ ત્રિપાઠી અને સંજુ સેમસન જેવા ખેલાડીઓનો વિકલ્પ ઉપસ્થિત છે. તેઓ નીડર ક્રિકેટ રમી શકે છે. ગૌતમ ગંભીરે એમ પણ કહ્યું કે, રિષભ પંતે હવે માત્ર ટેસ્ટ ક્રિકેટ પર ધ્યાન આપવું જોઇએ.

ઇશાન કિશને સારું પ્રદર્શન કર્યું છે. દરેક ભારતીય ક્રિકેટને વધુ સાહસી અને નીડર જોવા માગે છે. આ લોકો સ્વાભાવિક રીતે રમી શકે છે. રિષભ પંતને એ અવસર મળ્યો છે એટલે ફરિયાદ નહીં કરી શકે. તેને 3-4-5-6 પર બેટિંગ કરવાનો અવસર મળ્યો છે. મેનેજમેન્ટે તેને માત્ર સફેદ બૉલ ક્રિકેટમાં સફળ થવાનો દરેક અવસર આપ્યો છે, પરંતુ તે એમ કરી શક્યો નથી, મને એમ લાગે છે કે તેણે રેડ બૉલ ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરી શકાય છે, જે રિષભ માટે ખરાબ નથી.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.