IPL 2012મા CSK સામેની ફાઇનલમાં મળેલી જીતને લઈને ગંભીરે જુઓ શું કહ્યું

કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના પૂર્વ કેપ્ટન ગૌતમ ગંભીરે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામે વર્ષ 2012ની ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ફાઇનલમાં મળેલી જીતને પોતાની સૌથી મુશ્કેલ જીતમાંથી એક કરાર આપ્યો છે. ગૌતમ ગંભીરના જણાવ્યા મુજબ, ચેન્નાઈ સુપર કિંગ્સને તેના જ ઘરમાં હરાવવી એકદમ સરળ નહોતી, પરંતુ તેમની ટીમે એમ કરી દેખાડ્યું. કોલકાતા નાઈટ રાઇડર્સે IPLની ટ્રોફી પહેલી વખત વર્ષ 2012માં જીતી હતી. ટીમે ફાઇનલ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવી હતી.

ચેપોક સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે પહેલા બેટિંગ કરતા સીમિત 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 190 રન બનાવ્યા હતા. સુરેશ રૈનાએ 38 બૉલમાં 3 ફોર અને 5 સિક્સની મદદથી 73 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. બ્રેટલીએ એ મેચમાં 4 ઓવરમાં 42 અને સુનિલ નરીને 4 ઓવરમાં 37 રન લૂંટાવી દીધા હતા. ટારગેટને પીછો કરવા ઉતરેલી કોલકાતા નાઈટ રાઇડર્સને મોટો ઝટકો પહેલી જ ઓવરમાં લાગી ગયો હતો. કેપ્ટન ગૌતમ ગંભીર માત્ર 2 રન બનાવીને આઉટ થઈ ગયા હતા.

જો કે, ત્યારબાદ મનવિન્દર બિસ્લાએ 48 બૉલમાં 89 અને જેક કાલિસે 49 બૉલમાં 69 રન બનાવીને ટીમને જીત આપાવી દીધી હતી. કોલકાતા નાઈટ રાઇડર્સે ચેન્નાઈ સુપર કિંગ્સને તેના જ ઘરમાં હરાવીને પહેલી વખત IPLની ટ્રોફી પોતાના નામે કરી હતી. ગૌતમ ગંભીરે આ જીતને સૌથી ખાસ બતાવી. તેમણે એક સ્પોર્ટ ચેનલ પર વાતચીત કરતા કહ્યું કે, લોકો મને પૂછે છે કે, વર્ષ 2012 અને વર્ષ 2014માંથી કઈ મોટી જીત હતી? તો મારું માનવું છે કે વર્ષ 2012 વાળી જીત વધારે મોટી હતી.

તેમણે કહ્યું કે, તેનું કારણ એ હતું કે ચેન્નાઈ સુપર કિંગ્સને તેના જ ઘરમાં હરાવવી સરળ નહોતી. ત્યાં આખો સપોર્ટ તેના (ચેન્નાઈ સુપર કિંગ્સ) માટે જ હતો. મારા નંબર 1 બોલર સુનિલ નરિનને ખૂબ જ વધારે રન પડી ગયા હતા. પછી ત્યાંથી વાપસી કરીને જીત હાંસલ કરવી શાનદાર હતું. તે ખૂબ મુશ્કેલ જીત હતી. ગૌતમ ગંભીર ગત સીઝનથી લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) માટે મેન્ટર તરીકે કામ કરી રહ્યા છે. લખનૌ સુપર જાયન્ટ પોતાના IPL 2023ના અભિયાનની શરૂઆત 1 એપ્રિલે દિલ્હી કેપિટલ્સ (DC) વિરુદ્ધ કરશે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.