ગૌતમ ગંભીરે એબી ડી વિલિયર્સ પર એવું શું કહ્યું કે મચી ગયો હોબાળો!

ભારતીય ટીમના પૂર્વ ઑપનર, ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંસદ અને લખનૌ સુપર જાયન્ટ્સના મેન્ટર ગૌતમ ગંભીર હાલના દિવસોમાં ચર્ચામાં છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) શરૂ થવાના ગણતરીના દિવસો જ બાકી છે અને એ અગાઉ ગૌતમ ગંભીરે એબી ડી વિલિયર્સને લઇને નિવેદન આપ્યું છે. ગૌતમ ગંભીરે એક ચર્ચા દરમિયાન કહ્યું કે, એબી ડી વિલિયર્સ પાસે માત્ર ખાનગી રેકોર્ડ છે, તે IPLમાં એટલો મહાન નથી. આ જ નિવેદન પર હોબાળો થઇ ગયો છે. રવિવારે (5 માર્ચના રોજ) ટ્વીટર પર ગૌતમ ગંભીર ટ્રેન્ડ થતા રહ્યા.

ફેન્સે તેમના નિવેદનની નિંદા કરી. ગૌતમ ગંભીરે સ્ટાર સ્પોર્ટ્સ પર એક શૉ દરમિયાન આ નિવેદન આપ્યું હતું. ગૌતમ ગંભીરે કહ્યું હતું કે, ‘એબી ડી વિલિયર્સ જો 8-10 વર્ષ ચેન્નાસ્વામી સ્ટેડિયમમાં રમશે, તે એટલું નાનું મેદાન છે. કોઇને પણ જો ત્યાં રમાડશો તો તેની સ્ટ્રાઇક રેટ અને એબિલિટી એટલી જ હશે. સુરેશ રૈના પાસે 4 IPL ટાઇટલ છે, પરંતુ એબી ડી વિલિયર્સ પાસે માત્ર ખાનગી રેકોર્ડ છે. ફેન્સ આ નિવેદન પર ગુસ્સે ભરાઇ ગયા અને ટ્વીટર પર ગૌતમ ગંભીરને ખરું-ખોટું સંભળાવી દીધું.

લોકોએ ચેન્નાસ્વામી મેદનના આંકડા પણ કાઢ્યા. એક ફેને લખ્યું કે, ગૌતમ ગંભીરનો રેકોર્ડ આ મેદાન પર ખરાબ છે. હેરાનીની વાત છે કે તેઓ તેને સરળ મેદાન બનાવી રહ્યા હતા, પરંતુ પોતે રન ન બનાવી શક્યા. એક ફેને લખ્યું કે, કોઇ પણ મેદાન પર ગૌતમ ગંભીરની સૌથી વધારે એવરેજ 30ની રહી છે. એવામાં તેમને પહેલા બેટિંગ આવડતી નહોતી અને હવે તેમને વાત કરવાની આવડતી નથી. ઉલ્લેખનીય છે કે, ગૌતમ ગંભીરને પણ IPLના લીજેન્ડ માનવામાં આવે છે, તેમની આગેવાનીમાં કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)એ 2 ટ્રોફી જીતી હતી.

હાલમાં ગૌતમ ગંભીર લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)ના મેન્ટર તરીકે કામ કરી રહ્યા છે. તો જો એબી ડી વિલિયર્સની વાત કરીએ તો તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) માટે લીજેન્ડ રહ્યો છે અને તેની ભારતમાં એક સ્પેશિયલ ફેન ફોલોઇંગ રહી છે. એબી ડી વિલિયર્સે IPLમાં 184 મેચ રમી છે, જેમાં તેના નામે લગભગ 40ની એવરેજથી 5162 રન નોંધાયેલા છે. તેના નામે 3 સદી અને 40 અડધી સદી પણ છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.