BCCIએ ગૌતમ ગંભીરની બોલિંગ કોચ બાદ ફિલ્ડિંગ કોચની માગ પણ ઠુકરાવી

On

ગૌતમ ગંભીર ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ બની ચૂક્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ગયા મંગળવારે ગૌતમ ગંભીરં હેડ કોચ બનવાની જાહેરાત કરવા આવી હતી. રાહુલ દ્રવિડનો કાર્યકાળ સમાપ્ત થયા બાદ ગૌતમ ગંભીરને હેડ કોચની જવાબદારી સોંપવામાં આવી હતી. રાહુલ દ્રવિડ સાથે સાથે તેમના પોતાના સપોર્ટ સ્ટાફ એટલે કે બેટિંગ કોચ વિક્રમ રાઠોડ, બોલિંગ કોચ પારસ મ્હામ્બ્રે અને ફિલ્ડિંગ કોચ ટી દીલિપનો કાર્યકાળ પણ સમાપ્ત થઈ ગયો હતો.

જો કે, મીડિયા રિપોર્ટ્સ મુજબ, ટી દીલિપ ફિલ્ડિંગ કોચ બન્યા રહી શકે છે. બાકી બેટિંગ અને બોલિંગ કોચનું બદલાવું નક્કી છે. આમ તો BCCIના હેડ કોચને પોતાના સપોર્ટ સ્ટાફને પસંદ કરવાનો અધિકાર આપે છે, પરંતુ ગૌતમ ગંભીર સાથે એમ થતું નજરે પડી રહ્યું નથી. પહેલા ગૌતમ ગંભીર વિનય કુમારને બોલિંગ કોચ બનાવવા માગતા હતા, જેના પર BCCIએ કોઈ ઉત્સુકતા ન દેખાડી. હવે એક અંગ્રેજી અખબારના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે BCCIએ ગૌતમ ગંભીરની ફિલ્ડિંગ કોચની ડિમાન્ડ પણ નકારી દીધી છે.

ગૌતમ ગંભીર દક્ષિણ આફ્રિકાના પૂર્વ દિગ્ગજ જોન્ટી રોડ્સને ફિલ્ડિંગ કોચ બનાવવા માગતા હતા. જો કે, BCCI સપોર્ટ સ્ટાફમાં વિદેશી કોચને સામેલ કરવા માગતી નથી. છેલ્લા કેટલાક વર્ષોથી BCCI દેશી કોચ સાથે કામ કરી રહી છે. રિપોર્ટ્સમાં સોર્સે જણાવ્યું કે, જોન્ટી રોડ્સના નામને લઈને ચર્ચા થઈ હતી, પરંતુ બોર્ડે નક્કી કર્યું કે બધા સપોર્ટ સ્ટાફના મેમ્બર ભારતીય હશે. તેનાથી ફરી એક વખત ટી દીલિપ માટેના દરવાજા ખૂલી જાય છે.

તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન શાનદાર કામ કર્યું હતું. ગત કોચિંગ સ્ટાફના મેમ્બરનો કાર્યકાળ આગામી હેડ કોચના કાર્યકાળમાં કામ કરવાની કોઈ નવી વાત નથી. બેટિંગ કોચ તરીકે વિક્રમ રાઠોડે વર્ષ 2019 વન-ડે વર્લ્ડ કપ બાદ રવિ શાસ્ત્રીના હેડ કોચ રહેતા સામેલ થયe હતા અને પછી રાહુલ દ્રવિડના હેડ કોચ બન્યા બાદ પણ તેઓ બેટિંગ કોચ બન્યા રહ્યા. ભારતીય ટીમના હેડ કોચના રૂપમાં ગૌતમ ગંભીરનો કાર્યકાળ ઔપચારિક રૂપે 27 જુલાઈથી શરૂ થશે. આ દિવસે ભારત અને શ્રીલંકાની ટીમો વચ્ચે T20 મેચ થવાની છે. શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત થવાની બાકી છે.

Top News

PM મોદી અંગે Grok કે ChatGPTના જવાબો પર કેટલો ભરોસો કરાય? આ પ્રોફેસરની વાત તમને વિચારતા કરી દેશે

(પ્રોફેસર કિરણ પંડ્યા) હું એ સમજાવવાનો પ્રયત્ન પ્રયત્ન કરી રહ્યો છું કે કોઈપણ ચેટબોટના સકારાત્મક કે નકારાત્મક જવાબને બહુ ગંભીરતાથી...
Education 
PM મોદી અંગે Grok કે ChatGPTના જવાબો પર કેટલો ભરોસો કરાય? આ પ્રોફેસરની વાત તમને વિચારતા કરી દેશે

વિવેક પટેલ: એક એવા ભૂતપૂર્વ ધારાસભ્ય જે પ્રસિદ્ધિથી દૂર બસ કામમાં વ્યસ્ત રહે છે

આજે આપણે વાત કરીએ એક એવા સમાજસેવકની જે ધરાતલ પર સમાજસેવા અને લોકસંપર્ક કરે છે.  આજના સોશિયલ મીડિયાના યુગમાં જ્યાં...
Politics 
વિવેક પટેલ: એક એવા ભૂતપૂર્વ ધારાસભ્ય જે પ્રસિદ્ધિથી દૂર બસ કામમાં વ્યસ્ત રહે છે

એક PM તરીકે નરેન્દ્ર મોદી પહેલીવાર નાગપુર મુખ્યાલયમાં RSS નેતાઓ સાથે બેઠક કરી શકે છે!

PM નરેન્દ્ર મોદી 30 માર્ચે નાગપુરમાં RSS મુખ્યાલયની મુલાકાત લેશે. 2014માં PM બન્યા પછી આ પહેલી વાર હશે, ...
National 
એક PM તરીકે નરેન્દ્ર મોદી પહેલીવાર નાગપુર મુખ્યાલયમાં RSS નેતાઓ સાથે બેઠક કરી શકે છે!

સાણંદમાં 23મી માર્ચે ભવ્ય વીરાંજલિ કાર્યક્રમ, 100થી વધુ કલાકારો ક્રાંતિવીરોની શોર્ય ગાથાને રજૂ કરશે

છેલ્લા 17 વર્ષથી વીરાંજલિ સમિતિ દ્વારા ગુજરાતના અલગ અલગ સ્થળો પર વીરાંજલિ નામે કાર્યક્રમો યોજી 23મી માર્ચે શહીદ દિન ઉજવવામાં...
Gujarat 
સાણંદમાં 23મી માર્ચે ભવ્ય વીરાંજલિ કાર્યક્રમ, 100થી વધુ કલાકારો ક્રાંતિવીરોની શોર્ય ગાથાને રજૂ કરશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.