કે.એલ.રાહુલ અને ઇશાન કિશન? ગૌતમ ગંભીરે જણાવ્યું આગામી મેચમાં કોને રમાડવો જોઈએ

વર્લ્ડ કપ 2023 માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ગઈ છે અને આ ટીમમાં કે.એલ. રાહુલની પણ પસંદગી કરવામાં આવી છે. જો કે, પૂર્વ કેપ્ટન ગૌતમ ગંભીરનું માનવું છે કે વર્લ્ડ કપની પ્લેઇંગ ઇલેવનમાં કે.એલ. રાહુલની જગ્યાએ ઇશાન કિશનને ચાન્સ આપવામાં આવે. ગૌતમ ગંભીરે કહ્યું કે, કે.એલ. રાહુલ ઘણા સમયથી જરાય ક્રિકેટ રમ્યો નથી, જ્યારે ઇશાન કિશન સતત શાનદાર પ્રદર્શન કરતો આવી રહ્યો છે. કે.એલ. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)થી જ ઇજાગ્રસ્ત હતો અને હવે તે ફિટ થયો છે.

જો કે, તેણે ફિટનેસ ટેસ્ટ પાસ કર્યા બાદ એક પણ ઇન્ટરનેશનલ મેચ રમી નથી. તો બીજી તરફ ઇશાન કિશને વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ સીરિઝ દરમિયાન શાનદાર પ્રદર્શન કર્યું હતું અને પાકિસ્તાન વિરુદ્ધ મેચમાં ખૂબ દબાવમાં શાનદાર ઇનિંગ રમી હતી. ગૌતમ ગંભીરના જણાવ્યા મુજબ, વર્લ્ડ કપ જીતવા માટે સૌથી જરૂરી એ છે કે જે ખેલાડી ફોર્મમાં છે તેને રમાડવામાં આવે.

તેમણે એક સ્પોર્ટ્સ ચેનલ પર વાતચીત કરતા કહ્યું કે, ‘મને એવી વસ્તુ બતાવો, ચેમ્પિયનશિપ જીતવા માટે શું જરૂરી છે નામ કે ફોર્મ?’ જો રોહિત શર્મા કે વિરાટ કોહલીએ ઇશાન કિશનની જેમ શાનદાર પ્રદર્શન કર્યું હોત તો પણ તમે શું એમ જ કહેતા કે, કે.એલ. રાહુલને તેની જગ્યાએ રમાડી દો. જ્યારે તમે વર્લ્ડ કપ જીતવા માટે પોતાનો જોર લગાવી રહ્યા છો તો પછી તમે નામ જોતા નથી, તમે ફોર્મ જુઓ છો.'

તેમણે આગળ કહ્યું કે, 'તમે એ ખેલાડીઓને સિલેક્ટ કરો છો જે સારું પ્રદર્શન કરીને પોતાનું ટાઇટલ જીતાડી શકે. મને લાગે છે કે ઇશાન કિશને એ બધુ કર્યું છે જેના કારણે તેણે ટીમનો હિસ્સો હોવું જોઈએ. જો તે ઇશાન કિશન છે અને વધારે ઇન્ટરનેશન મેચ અત્યાર સુધી રમી નથી તો તેનો મતલબ એ નથી કે તમે તેની જગ્યાએ કે.એલ. રાહુલને રમાડી દો.'

વન-ડે વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ:

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐય્યર, ઈશાન કિશન (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, કે.એલ. રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (ઉપકેપ્ટન), જસપ્રીત બૂમરાહ, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ.  

Top News

ફૂગ લાગેલી ખાદ્યવસ્તુઓ અને ગંદકી વચ્ચે આ શહેરમાં Zeptoનું લાઇસન્સ રદ

મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)એ ફૂડ સેફટીના કડક ઉલ્લંઘનને પગલે Zeptoની પેરન્ટ કંપની Kiranakart Technologies Pvt Ltdનું ફૂડ લાઇસન્સ...
Business 
ફૂગ લાગેલી ખાદ્યવસ્તુઓ અને ગંદકી વચ્ચે આ શહેરમાં Zeptoનું લાઇસન્સ રદ

કડી-વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસ-ભાજપના ઉમેદવાર જાહેર

કોંગ્રેસે કડી વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડાને મેદાનમાં ઉતાર્યા છે. તેમણે વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં એક્ટર...
Politics  Gujarat 
કડી-વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસ-ભાજપના ઉમેદવાર જાહેર

ઓપરેશન સિંદૂર પછી PM મોદીના નિવેદનોથી વિપક્ષની ઉંઘ કેમ હરામ થઇ ગઇ?

ઓપરેશન સિંદૂર પછીના 20 દિવસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 6 નિવેદનોને કારણે  વિપક્ષની ઉંઘહરામ થઇ ગઇ છે. વિપક્ષનું માનવું છે કે ...
National 
ઓપરેશન સિંદૂર પછી PM મોદીના નિવેદનોથી વિપક્ષની ઉંઘ કેમ હરામ થઇ ગઇ?

IPL ફાઇનલ: સેનાની ત્રણેય પાંખના પ્રમુખોનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સન્માન થશે

BCCIએ એક પ્રસંશનીય પગલું લીધું છે.IPL 2025ની ફાઇનલ મેચ ગુજરાતના અમદાવાદમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં રમાવવાની છે અને...
Sports 
IPL ફાઇનલ: સેનાની ત્રણેય પાંખના પ્રમુખોનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સન્માન થશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.