બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીત્યા બાદ જાણો રોહિત શર્મા શું બોલ્યો

ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ બોર્ડર-ગાવસ્કર શ્રેણીની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચના પાંચમા દિવસે સોમવારે ભારતીય બોલરોને પિચમાંથી બહુ મદદ મળી ન હતી, પરંતુ ટીમે ઘરઆંગણાની સ્થિતિમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો અને શ્રેણી 2-1થી જીતી લીધી હતી. જો કે આ મેચ પુરી થાય તે પહેલા જ ભારતે સતત બીજી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું હતું. રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, હું જાણું છું કે મેં મારા માટે કેવો બેન્ચમાર્ક સેટ કર્યો છે.

રોહિતે કહ્યું, 'તે એક શાનદાર શ્રેણી હતી. તે શરૂઆતથી જ રોમાંચક હતી. ઘણા ખેલાડીઓ તેને પ્રથમ વખત રમી રહ્યા છે. અમે આ શ્રેણી અને સામેવાળી ટીમનું મહત્વ સમજીએ છીએ. આમાં ઘણી મહેનત કરવામાં આવી છે. અમે જુદા જુદા સમયે જવાબો સાથે આવ્યા છીએ. અમે જાણતા હતા કે શ્રેણી શરૂ કરવી કેટલી મહત્વપૂર્ણ છે. દિલ્હી ટેસ્ટ વિશે વાત કરતા રોહિતે કહ્યું, 'મને ખૂબ ગર્વ છે. અમે રમત પાછળ હતા. ઈન્દોરમાં અમે દબાણમાં આવીને મેચ હારી ગયા. વિવિધ ખેલાડીઓએ હાથ ઉંચા કરી દીધા હતા. ઘણા લોકોએ જવાબદારી લીધી અને અમને બહાર કાઢ્યા.

ટેસ્ટ ક્રિકેટ મુશ્કેલ સંઘર્ષવાળું છે અને તે સરળ નથી. હું એકદમ સંતુષ્ટ છું. હું જાણું છું કે મેં મારા માટે કેવો બેન્ચમાર્ક સેટ કર્યો છે. હું અંગત માઈલસ્ટોનને બાજુ પર રાખું છું, મને સિરીઝમાંથી જે જોઈતું હતું, તેનું પરિણામ મળ્યું છે. અમે પરિણામ મેળવીને ખૂબ જ ખુશ છીએ.'

અત્રે ઉલ્લેખનીય છે કે, ક્રાઈસ્ટચર્ચમાં શ્રીલંકા સામે ન્યૂઝીલેન્ડની 2 વિકેટની રોમાંચક જીત સાથે જ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઇનલમાં ભારતની ટિકિટ કન્ફર્મ થઈ ગઈ હતી. ભારત-ઓસ્ટ્રેલિયા શ્રેણીની અંતિમ ટેસ્ટ પહેલાના સમીકરણમાં WTC ફાઇનલમાં ક્વોલિફાય થવા માટે શ્રીલંકાને ન્યુઝીલેન્ડ સામે 2-0થી જીતની જરૂર હતી પરંતુ શ્રેણીની શરૂઆતની મેચમાં તેમની હારથી ભારતનું સ્થાન એકદમ પાક્કું થઇ ગયું હતું.

ઓસ્ટ્રેલિયાએ છેલ્લી ટેસ્ટ મેચ જીતીને WTC ફાઇનલમાં પોતાનું સ્થાન પહેલેથી જ પાક્કું કરી લીધું હતું. WTC ફાઇનલ 7 જૂનથી લંડનના ઓવલ ખાતે રમાશે. ભારતે ઓસ્ટ્રેલિયા સામે સતત ચોથી વખત ટેસ્ટ શ્રેણી 2-1થી જીતી છે. આ પહેલા ભારતીય ટીમે 2017માં ઘરઆંગણાની શ્રેણી સિવાય, 2018-19 અને 2020-21માં ઓસ્ટ્રેલિયાને તેના ઘરઆંગણે હરાવ્યું હતું.

About The Author

Related Posts

Top News

300 કરોડની કમાણી પણ ફિલ્મ 'ધૂરંધર' પર આ છ મુસ્લિમ દેશોએ પ્રતિબંધ મૂક્યો!

રણવીર સિંહની નવી જાસૂસી થ્રિલર ફિલ્મ 'ધુરંધર' ભારતમાં ધૂમ મચાવી રહી છે, પરંતુ તેની આંતરરાષ્ટ્રીય રિલીઝને ખાસ...
Entertainment 
300 કરોડની કમાણી પણ ફિલ્મ 'ધૂરંધર' પર આ છ મુસ્લિમ દેશોએ પ્રતિબંધ મૂક્યો!

કોંગ્રેસની દિલ્હીમાં આજે વિશાળ રેલી, આ શક્તિ પ્રદર્શનમાં રાહુલ અને ખડગે હાજર રહેશે

બિહાર વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર અને મર્યાદિત જાહેર સમર્થન છતાં, કોંગ્રેસ પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે તે 'મત...
કોંગ્રેસની દિલ્હીમાં આજે વિશાળ રેલી, આ શક્તિ પ્રદર્શનમાં રાહુલ અને ખડગે હાજર રહેશે

અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

ભારત સરકારના બ્યુરો ઓફ સ્ટાન્ડર્ડસ (BIS)એ તાજેતરમાં દેશભરના રાજ્યોમાં સીસ્મીક ઝોનિંગમાં નોંધપાત્ર સુધારો કર્યો છે. ગુજરાતના અમદાવાદને ઉચ્ચ...
Business 
અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

મેક્સિકોની સંસદે જે દેશ સાથે મુક્ત વેપાર કરાર (FTA) નથી એવા દેશો સામે ટેરિફ વધારીને 50 ટકા કર્યો છે....
Business 
મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.