શું ભારતને હવે નહીં મળે એશિયા કપની ટ્રોફી? શું છે ICCનો નિયમ, જાણો

ભારતે ફાઈનલમાં પાકિસ્તાનની ટીમને હરાવીને નવમી વખત એશિયા કપની ટ્રોફી કબજે કરી હતી. ફાઈનલ મેચ ખૂબ જ રોમાંચક રહી, જેમાં એક સમયે એવું લાગતું હતું કે પાકિસ્તાન જીતી જશે, પરંતુ અંતે ભારતીય ટીમે ખૂબ સમજદારી પૂર્વક રમીને મેચમાં જીત મેળવી. જેની અપેક્ષા હતી, થયું પણ કંઇક એવું જ, ફાઇનલ બાદ એવોર્ડ વિતરણ સમારોહમાં વિવાદ જોવા મળ્યો. ભારતીય ખેલાડીઓએ મોહસીન નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો, જેના કારણે નકવીએ ટ્રોફી બહાર મોકલાવી દીધી. ભારતીય ખેલાડીઓએ ટ્રોફી વિના પોતાની જીતની ઉજવણી કરી. તેમણે તેને સ્વીકારવાની એક્ટિંગ કરતા ફોટા પડાવ્યા, પરંતુ આ બધા વચ્ચે, દરેકના મનમાં એક સવાલ ઉભો થયો કે, ‘શું ભારતને હવે ટ્રોફી મળશે કે નહીં? ચાલો જાણીએ ટ્રોફી અંગે ICCના નિયમો શું છે.

ટ્રોફીને લઈને ICCના નિયમો શું છે?

ટ્રોફી સ્વીકારવાનો કેપ્ટનનો ઇનકાર ICC આચારસંહિતા હેઠળ આવી શકે છે, પરંતુ તેને લઈને કોઈ ચોક્કસ નિયમો નથી. આ ક્રિકેટની ભાવના વિરુદ્ધ હોઈ શકે છે. ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે સમજાવવું પડશે કે તેણે ટ્રોફી કેમ ન સ્વીકારી અને ટૂર્નામેન્ટની સંસ્થા (ACC) અથવા ICC કોઈ કોઈપણ કાર્યવાહી પર નિર્ણય લેશે. મેચ અથવા ટ્રોફી જીત્યા બાદ ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કરવો એ ક્રિકેટની ભાવનાનો અનાદર ગણી શકાય. તેની રક્ષા ICC આચારસંહિતાનો હેતુ છે.

Team india
https://x.com/surya_14kumar

ટીમના કેપ્ટન અથવા પ્રતિનિધિએ ICCને ટ્રોફી ન સ્વીકારવાનું સ્પષ્ટ અને માન્ય કારણ આપવું પડશે. BCCI આગામી ICC કોન્ફરન્સમાં આ ઘટના અંગે સત્તાવાર રીતે કડક વિરોધ નોંધાવી શકે છે. ICC પાસે અનુચિત આચરણ માટે અનુશાસનાત્મક પ્રક્રિયા છે. તેઓ ICC આચારસંહિતા હેઠળ આ પરિસ્થિતિની સમીક્ષા કરી શકે છે. તેમાં એ નક્કી કરવામાં આવશે કે કોઈ નિયમોનું ઉલ્લંઘન થયું છે કે નહીં અને જો એમ હોય તો ઉલ્લંઘન માટે કોણ જવાબદાર હતું અને શું સજા આપી શકાય છે.

ભારતીય ક્રિકેટ નિયંત્રણ બોર્ડ (BCCI) નવેમ્બરમાં થનારી ACC બેઠકમાં ACC પ્રમુખ અને PCB અધ્યક્ષ મોહસીન નકવી સામે સખત વિરોધ નોંધાવશે. ખેલાડીઓએ મોહસીન નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો, એવામાં અન્ય એક વરિષ્ઠ અધિકારી તેને ટીમને સોંપી શકતા હતા. BCCI સચિવ દેવજીત સૈકિયાએ તેને લઈને કહ્યું હતું કે ભારત એવા વ્યક્તિ પાસેથી ટ્રોફી સ્વીકારી નહીં શકે, જે દેશ સામે યુદ્ધ છેડી રહ્યો છે. અમે તેની (મોહસીન નકવી) પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ તેનાથી તેને પોતાની હોટલના રૂમમાં લઈ જવાની મંજૂરી નથી મળી જતી. તેમણે કહ્યું કે, અમે નવેમ્બરમાં ICC મીટિંગમાં સખત વિરોધ નોંધાવીશું. જો PCB પણ ICCને ફરિયાદ કરશે, તો ICC અંતિમ નિર્ણય લેશે.

Team india
https://x.com/surya_14kumar

ભારતને એશિયા કપ 2025 ટ્રોફી પર અધિકાર છે; કોઈ પણ તેને કારણ વિના આપી રહ્યું નથી; ભારતીય ટીમે તેને મેળવવા માટે સખત મહેનત કરી અને બધી પ્રતિદ્વંદ્વી ટીમોને હરાવી. કોઈને પણ હક નથી કે તે ટ્રોફી પોતાની સાથે લઈ જઇ શકે. જો ભારતીય ખેલાડીઓ મોહસીન નકવી સાથે હાથ મળાવવા અથવા તેમની પાસેથી ટ્રોફી સ્વીકારવા માગતા નથી અને તેને લઈને કોઈ નિયમ નથી, તો તેમાં કંઈ ખોટું નથી. પરંતુ ટીમ પાસે તેણે જીતેલી ટ્રોફીનો અધિકાર છીનવવો અને તેને પોતાની સાથે લઈ જવું એકદમ ખોટું છે.

About The Author

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.