જો વરસાદમાં ધોવાઈ ગઈ IPL ફાઇનલ, તો કોણ બનશે ચેમ્પિયન? જાણો નિયમો

IPL 2023ની ફાઇનલ મેચ આજે (28 મે) ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે ટક્કર થશે. બંને ટીમોની વચ્ચે આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ગુજરાત ટાઇટન્સે ક્વોલિફાયર-2 મેચમાં મુંબઈ ઇન્ડિયન્સને 62 રનથી હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી છે. જ્યારે, ચેન્નઈ સુપર કિંગ્સે ક્વોલિફાયર-1માં ગુજરાત ટાઇટન્સને 15 રનોથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો. આ ફાઇનલ મેચની શરૂઆત પહેલા અમદાવાદમાં ઘણો વરસાદ પડ્યો છે. આ વરસાદને પગલે ટોસમાં વિલંબ થયો છે, જે ફેન્સ માટે ચિંતાનો વિષય છે. Accuweather ના રિપોર્ટ અનુસાર પણ અમદાવાદમાં રવિવારે સાંજે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર, અમદાવાદ શહેરમાં આશરે 2 કલાક વરસાદની આશા વ્યક્ત કરવામાં આવી હતી. આ સાથે જ સાંજે સૂર્યાસ્ત બાદ વરસાદ પડવા પર 50 કિમી પ્રતિ કલાકની સ્પીડથી હવા ચાલવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી.

IPL 2022માં ફાઇનલ મેચ માટે રિઝર્વ ડે હતો, આ વખતે પણ ફાઇનલ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. ફાઇનલ મેચની શરૂઆત સાંજે 7.30 વાગ્યે થઈ. એવામાં જો વરસાદ આવે તો 9.35 સુધી ગેમ શરૂ થવાની સ્થિતિમાં ઓવર્સમાં કાપ નહીં કરવામાં આવશે. ત્યારબાદ પણ જો હવામાન ખરાબ રહે, તો 5-5 ઓવરની મેચ માટે કટ-ઓફ ટાઇમ 11.56 સુધી હશે.

જો 28 મેના દિવસે મિનિમમ પાંચ-પાંચ ઓવર્સની ગેમ નહીં થઈ શકે તો મેચ રિઝર્વ ડે (29 મે) ના રોજ રમાશે. જો રિઝર્વ ડેમાં પણ નિર્ણય ના થઈ શક્યો તો ગુજરાત ટાઇટન્સની ટીમ ટાઇટલ જીતી જશે. જણાવી દઈએ કે, ગુજરાત ટાઇટન્સ પોઇન્ટ ટેબલમાં ટોપ પર રહી હતી, તેમજ ચેન્નઈ સુપર કિંગ્સે બીજું સ્થાન મેળવ્યું હતું. ગુજરાતે 14માંથી 10 મેચ જીતીને 20 પોઇન્ટ્સ મેળવ્યા હતા અને તેનો નેટ-રન રેટ 0.809 હતો. બીજી તરફ CSKએ 14માંથી 8 મેચ જીતી હતી અને તેના 17 પોઇન્ટ્સ હતા.

પ્લેઓફ મેચ માટે આ છે નિયમ

IPL પ્લેઇંગ કંડિશન્સ અનુસાર, ફાઇનલ, એલિમિનેટર, ક્વોલિફાયર-1, ક્વોલિફાયર-2 મેચ જો ટાઇ રહે. અથવા કોઈ પરિણામ ના આવે, તો આ નિયમ લાગૂ થશે...

16.11.1- તેમા ટીમો સુપર ઓવરમાં એકબીજા સામે રમશે, જ્યારે ફાઇનલમાં વિજેતા નક્કી કરવાનો હોય અને 16.11.2- જો મેચમાં સુપર ઓવર ના થઈ શકે તો વિનરનો નિર્ણય IPLની પ્લેઇંગ કંડિશન અપેન્ડિક્સ એફ અંતર્ગત થશે. અપેન્ડિક્સ એફ અનુસાર, લીગ સ્ટેજમાં જે પણ ટીમ પોઇન્ટ ટેબલમાં ઉપર હશે તેને વિનર જાહેર કરી દેવામાં આવશે.

ગુજરાત ટાઇટન્સ સ્ક્વોડ

ઋદ્ધિમાન સાહા (વિકેટ કીપર), શુભમન ગિલ, સાઈ સુદર્શન, હાર્દિક પંડ્યા (કેપ્ટન), વિજય શંકર, ડેવિડ મિલર, રાહુલ તેવતિયા, રાશિદ ખાન, મોહિત શર્મા, નૂર એહમદ, મોહમ્મદ શમી, જોશુઆ લિટલ, શ્રીકર ભરત, શિવમ માવી, ઓડિયન સ્મિથ, આર. સાઈ કિશોર, પ્રદીપ સાંગવાન, મેથ્યૂ વેડ, જયંત યાદવ, દાસુન શનાકા, અભિનવ મનોહર, અલ્જારી જોસેફ, દર્શન નાલકંડે, ઉર્વિલ પટેલ, યશ દયાલ.

ચેન્નઈ સુપર કિંગ્સ ટીમ

ઋતુરાજ ગાયકવાડ, ડેવોન કોન્વે, શિવમ દુબે, અજિંક્ય રહાણે,મોઈન અલી, અંબાતી રાયડુ, એમએસ ધોની (કેપ્ટન/ વિકેટ કીપર), રવિન્દ્ર જાડેજા, દીપક ચાહર, તુષાર દેશપાંડે, મહેશ તીક્ષ્ણા, મથીશા પથિરાના,મિચેલ સેંટનર, સુભ્રાંશુ સેનાપતિ, શેખ રાશિદ, આકાશ સિંહ, બેન સ્ટોક્સ, ડ્વેન પ્રિટોરિયસ, સિસાંડા મગાલા અજય યાદવ મંડલ, પ્રશાંત સોલંકી, સિમરજીત સિંહ, રાજવર્ધન સિંહ હૈંગરગેકર, ભગત વર્મા, નિશાંત સિંધુ.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.