‘સ્ટેડિયમમાં દર્શકો કરતા વધારે તો સુરક્ષાકર્મી..’ PSLની ખરાબ હાલત, આ લોકોને IPLની બરાબરી કરવી છે

પાકિસ્તાન સુપર લીગ (PSL)ની 10મી સીઝન શરૂ થઈ ગઈ છે. આ પહેલી વખત છે જ્યારે PSL, IPL સાથે રમાઈ રહી છે. કરાચીમાં એક મેચ દરમિયાન સ્ટેડિયમમાં ખૂબ ઓછા દર્શકો પહોચ્યા હતા. દર્શકો કરતા સુરક્ષાકર્મી વધારે હતા. જેનાથી PSLની લોકપ્રિયતા પર સવાલ ઉભા થઈ રહ્યા છે. PSLની 10મી સીઝન 11 એપ્રિલથી શરૂ થઈ ચૂકી છે.

PSL
tv9hindi.com

PSLમાં 3 દિવસમાં 4 મેચ રમાઈ ચૂકી છે. આ વખતે PSL અને IPL એક સાથે થઈ રહી છે. આ 2 લીગ વચ્ચેનો તફાવત સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. PSLમાં રમત અને પૈસા ઉપરાંત, દર્શકોનો પણ અભાવ છે. કરાચીમાં થયેલી એક મેચમાં પણ કંઈક આવું જ જોવા મળ્યું. શનિવારે કરાચી કિંગ્સ અને મુલતાન સુલ્તાન્સ વચ્ચે મેચ હતી. આ મેચ કરાચીના નેશનલ સ્ટેડિયમમાં રમાઈ હતી. મેચમાં ખૂબ રન બન્યા, પરંતુ, સ્ટેડિયમમાં માત્ર 5 હજાર દર્શકો હતા, જેથી  PSLની લોકપ્રિયતા ઓછી થતી લાગી રહી છે.

https://twitter.com/imransiddique89/status/1911077807431594114

મોહમ્મદ રિઝવાન, ડેવિડ વોર્નર અને હસન અલી જેવા મોટા ખેલાડીઓ રમી રહ્યા હતા. છતા, દર્શકો ઓછા હતા. સ્ટેડિયમમાં દર્શકો કરતા વધારે સુરક્ષાકર્મી હતા. એક ટ્વીટર યુઝરે જણાવ્યુ કે, મેચમાં લગભગ 5,000 દર્શકો હતા, જ્યારે 6700 સુરક્ષાકર્મી હતા. PSL મેચોમાં દર્શકોના અભાવની ફરિયાદો અગાઉ પણ આવી છે. ખાસ કરીને કરાચીમાં છેલ્લી કેટલાક સીઝનથી આવું થઈ રહ્યું છે. આયોજક પણ તેનાથી નિરાશ થયા છે. માત્ર PSL જ નહીં, પરંતુ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પણ એવું જ જોવા મળ્યું છે. સ્ટેડિયમમાં ઓછા દર્શકો આવી રહ્યા છે. જો એવું જ ચાલતું રહ્યું તો તે ટૂર્નામેન્ટ અને પાકિસ્તાન ક્રિકેટ માટે ચિંતાની વાત હશે.

rizwan
timesnownews.com

દર્શકોના અભાવના ઘણા કારણો હોઈ શકે છે. એક કારણ એ છે કે PSL અને IPL એકસાથે થઈ રહી છે. IPLમાં વધુ પૈસા અને મોટા ખેલાડીઓ છે એટલે દર્શકો IPLને વધુ પસંદ કરી શકે છે. બીજું કારણ એ છે કે કરાચીમાં સુરક્ષાની સ્થિતિ સારી નથી. લોકો સ્ટેડિયમમાં જતા ડરી શકે હશે. ત્રીજું કારણ એ છે કે PSLની ટિકિટ મોંઘી છે. ગરીબ લોકો ટિકિટ ખરીદી શકતા નથી. PSLએ પોતાની લોકપ્રિયતા વધારવા માટે કેટલાક પગલાં ઉઠાવવા પડશે. સૌથી પહેલા, IPL સાથે મુકાબલો કરવા માટે તેને વધુ પૈસા ખર્ચવા પડશે અને મોટા ખેલાડીઓ લાવવા પડશે. બીજું, તેણે કરાચીમાં સુરક્ષાની સ્થિતિમાં સુધારવી પડશે. ત્રીજું, તેણે ટિકિટની કિંમત ઘટાડવી પડશે.

About The Author

Related Posts

Top News

હાર્દિક પટેલે CMને પત્ર લખીને પૂર પીડિતો માટે વિશેષ રાહત પેકેજની કરી માંગ

તાજેતરમાં જ અમદાવાદ જિલ્લાના વિરમગામ પંથકમાં મુશળધાર વરસાદ ખાબકવાને કારણે પૂરની પરિસ્થિતિ સર્જાઇ હતી. જેમાં ભારે તારાજી સર્જાઇ હતી હાલ...
Gujarat 
હાર્દિક પટેલે CMને પત્ર લખીને પૂર પીડિતો માટે વિશેષ રાહત પેકેજની કરી માંગ

કોલસા કૌભાંડ કેસમાં સ્વ.પૂર્વ PM મનમોહન સિંહ સામેનો કેસ બંધ થયો, સુપ્રીમ કોર્ટે આપી ક્લીન ચીટ

સુપ્રીમ કોર્ટે બુધવારે કોલસા કૌભાંડ મામલે સ્વર્ગસ્થ પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ સામેનો કેસ બંધ કરવાના કેન્દ્રીય અન્વેષણ બ્યુરો (...
National 
કોલસા કૌભાંડ કેસમાં સ્વ.પૂર્વ PM મનમોહન સિંહ સામેનો કેસ બંધ થયો, સુપ્રીમ કોર્ટે આપી ક્લીન ચીટ

RSS સાથે કનેક્શન, IITનો અભ્યાસ..., કોણ છે જગદીશ આફલે, જેમને રામ મંદિર ટ્રસ્ટના પ્રથમ સચિવ બનાવાયા?

શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે સંગઠનાત્મક પુનર્ગઠનમાં મોટો ફેરફાર કરતા જગદીશ આફલે ટ્રસ્ટના પ્રથમ સચિવ તરીકે નિમણૂક કરી છે. તેમની...
National 
RSS સાથે કનેક્શન, IITનો અભ્યાસ..., કોણ છે જગદીશ આફલે, જેમને રામ મંદિર ટ્રસ્ટના પ્રથમ સચિવ બનાવાયા?

ઘાસ ચારો કાપવાની મશીને વેઈટ લિફ્ટિંગમાં કરાવી એન્ટ્રી, હવે કોમનવેલ્થ ગેમ્સમાં દેશને અપાવ્યો સિલ્વર મેડલ

કોમનવેલ્થ ગેમ્સમાં વેઈટલિફ્ટિંગમાં ભારતનો મેડલ જીતવાનો સિલસિલો ચાલુ છે, આ યાદીમાં એક નવું નામ ઉમેરાયું છે. નામ છે હરજિંદર...
Sports 
ઘાસ ચારો કાપવાની મશીને વેઈટ લિફ્ટિંગમાં કરાવી એન્ટ્રી, હવે કોમનવેલ્થ ગેમ્સમાં દેશને અપાવ્યો સિલ્વર મેડલ
Copyright (c) Khabarchhe All Rights Reserved.