‘સ્ટેડિયમમાં દર્શકો કરતા વધારે તો સુરક્ષાકર્મી..’ PSLની ખરાબ હાલત, આ લોકોને IPLની બરાબરી કરવી છે

પાકિસ્તાન સુપર લીગ (PSL)ની 10મી સીઝન શરૂ થઈ ગઈ છે. આ પહેલી વખત છે જ્યારે PSL, IPL સાથે રમાઈ રહી છે. કરાચીમાં એક મેચ દરમિયાન સ્ટેડિયમમાં ખૂબ ઓછા દર્શકો પહોચ્યા હતા. દર્શકો કરતા સુરક્ષાકર્મી વધારે હતા. જેનાથી PSLની લોકપ્રિયતા પર સવાલ ઉભા થઈ રહ્યા છે. PSLની 10મી સીઝન 11 એપ્રિલથી શરૂ થઈ ચૂકી છે.

PSL
tv9hindi.com

PSLમાં 3 દિવસમાં 4 મેચ રમાઈ ચૂકી છે. આ વખતે PSL અને IPL એક સાથે થઈ રહી છે. આ 2 લીગ વચ્ચેનો તફાવત સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. PSLમાં રમત અને પૈસા ઉપરાંત, દર્શકોનો પણ અભાવ છે. કરાચીમાં થયેલી એક મેચમાં પણ કંઈક આવું જ જોવા મળ્યું. શનિવારે કરાચી કિંગ્સ અને મુલતાન સુલ્તાન્સ વચ્ચે મેચ હતી. આ મેચ કરાચીના નેશનલ સ્ટેડિયમમાં રમાઈ હતી. મેચમાં ખૂબ રન બન્યા, પરંતુ, સ્ટેડિયમમાં માત્ર 5 હજાર દર્શકો હતા, જેથી  PSLની લોકપ્રિયતા ઓછી થતી લાગી રહી છે.

https://twitter.com/imransiddique89/status/1911077807431594114

મોહમ્મદ રિઝવાન, ડેવિડ વોર્નર અને હસન અલી જેવા મોટા ખેલાડીઓ રમી રહ્યા હતા. છતા, દર્શકો ઓછા હતા. સ્ટેડિયમમાં દર્શકો કરતા વધારે સુરક્ષાકર્મી હતા. એક ટ્વીટર યુઝરે જણાવ્યુ કે, મેચમાં લગભગ 5,000 દર્શકો હતા, જ્યારે 6700 સુરક્ષાકર્મી હતા. PSL મેચોમાં દર્શકોના અભાવની ફરિયાદો અગાઉ પણ આવી છે. ખાસ કરીને કરાચીમાં છેલ્લી કેટલાક સીઝનથી આવું થઈ રહ્યું છે. આયોજક પણ તેનાથી નિરાશ થયા છે. માત્ર PSL જ નહીં, પરંતુ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પણ એવું જ જોવા મળ્યું છે. સ્ટેડિયમમાં ઓછા દર્શકો આવી રહ્યા છે. જો એવું જ ચાલતું રહ્યું તો તે ટૂર્નામેન્ટ અને પાકિસ્તાન ક્રિકેટ માટે ચિંતાની વાત હશે.

rizwan
timesnownews.com

દર્શકોના અભાવના ઘણા કારણો હોઈ શકે છે. એક કારણ એ છે કે PSL અને IPL એકસાથે થઈ રહી છે. IPLમાં વધુ પૈસા અને મોટા ખેલાડીઓ છે એટલે દર્શકો IPLને વધુ પસંદ કરી શકે છે. બીજું કારણ એ છે કે કરાચીમાં સુરક્ષાની સ્થિતિ સારી નથી. લોકો સ્ટેડિયમમાં જતા ડરી શકે હશે. ત્રીજું કારણ એ છે કે PSLની ટિકિટ મોંઘી છે. ગરીબ લોકો ટિકિટ ખરીદી શકતા નથી. PSLએ પોતાની લોકપ્રિયતા વધારવા માટે કેટલાક પગલાં ઉઠાવવા પડશે. સૌથી પહેલા, IPL સાથે મુકાબલો કરવા માટે તેને વધુ પૈસા ખર્ચવા પડશે અને મોટા ખેલાડીઓ લાવવા પડશે. બીજું, તેણે કરાચીમાં સુરક્ષાની સ્થિતિમાં સુધારવી પડશે. ત્રીજું, તેણે ટિકિટની કિંમત ઘટાડવી પડશે.

About The Author

Related Posts

Top News

E20 પેટ્રોલ બંધ નહીં કરે સરકાર? કહ્યું- 1 લાખ કરોડ અને ખેડૂતો સાથે સંકળાયેલો છે આખો મામલો

E20 પેટ્રોલને લઇને રાષ્ટ્રવ્યાપી બહેસ વચ્ચે કેન્દ્ર સરકારે તેની ઇથેનોલ મિશ્રણ નીતિનો મજબૂત રીતે બચાવ કર્યો છે. પેટ્રોલિયમ અને કુદરતી...
Business 
E20 પેટ્રોલ બંધ નહીં કરે સરકાર? કહ્યું- 1 લાખ કરોડ અને ખેડૂતો સાથે સંકળાયેલો છે આખો મામલો

‘…તો હું પગરખા પહેરવાનું છોડી દઈશ’ મંચ પર ભાજપના MLAના શપથથી CM પણ ક્ષોભનીયની સ્થિતિમાં મુકાયા

મધ્ય પ્રદેશમાં વિકાસ અને માર્ગ માળખાગત સુવિધાઓમાં સુધારાના દાવાઓ વચ્ચે શાસક ભાજપ નેતા સાથે સંકળાયેલી એક અનોખી ઘટનાએ વ્યાપક ચર્ચા...
Politics 
‘…તો હું પગરખા પહેરવાનું છોડી દઈશ’ મંચ પર ભાજપના MLAના શપથથી CM પણ ક્ષોભનીયની સ્થિતિમાં મુકાયા

મધ્ય પ્રદેશમાં સરકારી ચોખા ભરેલો ટ્રક ઇથેનોલ પ્લાન્ટને બદલે ખાનગી મિલમાં પહોંચતા વહીવટીતંત્રમાં મચી ગયો ખળભળાટ

મધ્યપ્રદેશમાં, ઇથેનોલ પ્લાન્ટ માટે નિર્ધારિત સરકારી ચોખા ભરેલો ટ્રક અધવચ્ચેથી જ બીજી કોઈ જગ્યાએ મોકલી આપવામાં આવ્યો હતો. પોલીસે...
National 
મધ્ય પ્રદેશમાં સરકારી ચોખા ભરેલો ટ્રક ઇથેનોલ પ્લાન્ટને બદલે ખાનગી મિલમાં પહોંચતા વહીવટીતંત્રમાં મચી ગયો ખળભળાટ

'અમે તમને જનતા સમક્ષ ખુલ્લા પાડી દઈશું'; સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારને ફટકાર લગાવી, જાણો આખો મામલો

જાહેરાત માટે જામીન અરજીઓનો વિરોધ કરવા બદલ પરંતુ ટ્રાયલ્સમાં વિલંબ કરવા બદલ સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારને ઠપકો આપ્યો. કોર્ટે ચેતવણી...
National 
'અમે તમને જનતા સમક્ષ ખુલ્લા પાડી દઈશું'; સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારને ફટકાર લગાવી, જાણો આખો મામલો
Copyright (c) Khabarchhe All Rights Reserved.