શું ઇન્ડિયા વિશ્વકપ જીતી શકશે કે નહી? પોન્ટિંગે કરી ભવિષ્યવાણી

ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપ 2023માં પોતાના અભિયાનની શરૂઆત ઓસ્ટ્રેલિયા સામે આઠ વિકેટે શાનદાર જીત સાથે કરી હતી. આ પછી ટીમ ઈન્ડિયાએ તેના પછી રમાયેલી મેચમાં અફઘાનિસ્તાનને 6 વિકેટથી હરાવીને જીતની પરંપરા જાળવી રાખી અને કટ્ટર હરીફ પાકિસ્તાન પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું. 14 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનની આખી ટીમને માત્ર 191 રનમાં આઉટ કરીને સાત વિકેટે એકતરફી જીત પ્રાપ્ત કરી હતી અને આ સાથે જ ટીમ ઈન્ડિયાએ તેની વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે(8-0)ના પોતાના વિજય અભિયાનને જાળવી રાખ્યું હતું.

ટીમ ઈન્ડિયાના અત્યાર સુધીના પ્રદર્શન પરથી દરેક વ્યક્તિ અંદાજ લગાવી શકે છે કે, ટીમ ઈન્ડિયા આ વખતે વર્લ્ડ કપ જીતી શકે છે. જો કે આ હજુ ટુર્નામેન્ટનો પ્રારંભિક તબક્કો છે, ટીમ ઈન્ડિયાએ તેની બાકીની મેચોમાં પણ આ જ પ્રકારનું પ્રદર્શન જાળવી રાખવું પડશે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી અને પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે ટીમ ઈન્ડિયાની વર્લ્ડ કપ જીતવાની આશાને લઈને મોટી ભવિષ્યવાણી કરી છે.

ઓસ્ટ્રેલિયાના મહાન ક્રિકેટર રિકી પોન્ટિંગનું માનવું છે કે 'રિલેક્સ્ડ' કેપ્ટન રોહિત શર્મા ભારતને તેની ધરતી પર બીજો વર્લ્ડ કપ અપાવી શકે છે. ભારતે સતત ત્રણ શાનદાર જીત સાથે તેના વર્લ્ડ કપ અભિયાનની ખુબ જ સારી શરૂઆત કરી છે. રોહિત શર્મા પર પોન્ટિંગે ICCને કહ્યું, 'તે એકદમ બેફિકર છે, ચિંતા વગરનો છે. તે જલ્દીથી વિચલિત થતો નથી. તેની રમતમાં પણ આ દેખાય છે. તે એક શાનદાર બેટ્સમેન છે અને મેદાન પર અને મેદાનની બહાર એકદમ બેફિકર જેવો દેખાય છે.'

રોહિત ડિસેમ્બર 2021માં વિરાટ કોહલીની જગ્યાએ ભારતનો કેપ્ટન બન્યો હતો. પોન્ટિંગનું માનવું છે કે, રોહિતની કેપ્ટન્સીમાં વિરાટ તેની બેટિંગ પર ધ્યાન આપી શકે છે. તેણે કહ્યું, 'વિરાટ ખૂબ જ લાગણીશીલ ખેલાડી છે. તે ચાહકોની વાત સાંભળે છે અને તેમને જવાબ પણ આપે છે. તેના જેવા વ્યક્તિ માટે આ કામ થોડું મુશ્કેલ હોતે.' પોન્ટિંગે કહ્યું, 'રોહિતને કોઈ મુશ્કેલી નહીં પડે. તે એક શાનદાર ખેલાડી છે અને ખૂબ જ સારી કેપ્ટનશીપ પણ કરી રહ્યો છે.'

ભારતે છેલ્લે 2011માં શ્રીલંકાને ફાઇનલમાં હરાવીને પોતાની જ ધરતી પર વર્લ્ડ કપ જીત્યો હતો. પોતાના દેશમાં રમતી વખતે સારું પ્રદર્શન કરવાનું દબાણ હોય છે, પરંતુ પોન્ટિંગે કહ્યું કે, રોહિત તેને સંભાળવામાં સક્ષમ છે. તેમણે કહ્યું, 'એવું ન કહી શકાય કે ભારત પર અપેક્ષાઓનું દબાણ નહીં હોય. તે ચોક્કસપણે થશે પરંતુ રોહિત તેનો સામનો કરી શકે છે. ભારત પાસે ઘણી પ્રતિભાશાળી ટીમ છે. તેની ઝડપી બોલિંગ, સ્પિન, ટોપ ઓર્ડર, મિડલ ઓર્ડર બધું જ શાનદાર છે. તેમને હરાવવા ખૂબ મુશ્કેલ હશે.'

Related Posts

Top News

પાકિસ્તાને ભારતનો રસ્તો અપનાવ્યો! ન્યૂયોર્ક મોકલ્યું ડેલિગેશન, પણ શા માટે...

પાકિસ્તાનના વિદેશ મંત્રાલય દ્વારા વિશ્વના મુખ્ય દેશોમાં બે સરકારી પ્રતિનિધિમંડળો મોકલવામાં આવશે. આ પ્રતિનિધિમંડળો પર જવાબદારી હશે કે, ભારત સાથે...
World 
પાકિસ્તાને ભારતનો રસ્તો અપનાવ્યો! ન્યૂયોર્ક મોકલ્યું ડેલિગેશન, પણ શા માટે...

ટીમ ઈન્ડિયાના પૂર્વ સિલેક્ટરે ગિલને આપ્યો જીતનો મંત્ર, ઈંગ્લેન્ડ સીરિઝ માટે આ ખેલાડીને X ફેક્ટર ગણાવ્યો

ટીમ ઈન્ડિયા 20 જૂનથી ઈંગ્લેન્ડ સામે 5 મેચની ટેસ્ટ શ્રેણી રમશે. આ શ્રેણી ઘણી રીતે ખાસ બનવાની છે. આગામી ઈંગ્લેન્ડ...
Sports 
ટીમ ઈન્ડિયાના પૂર્વ સિલેક્ટરે ગિલને આપ્યો જીતનો મંત્ર, ઈંગ્લેન્ડ સીરિઝ માટે આ ખેલાડીને X ફેક્ટર ગણાવ્યો

કોરોનાની નાકની રસીનું શું થયું? શું હમણાંની નવી લહેરમાં ઉપયોગી થશે? જાણો કંઈ કંપનીઓએ તેને તૈયાર કરી છે

દેશમાં ફરી એકવાર કોરોના ધીમે ધીમે ફેલાઈ રહ્યો છે. સોમવાર સુધીમાં, દેશભરમાં કોરોનાના લગભગ ચાર હજાર કેસ નોંધાયા છે...
National 
કોરોનાની નાકની રસીનું શું થયું? શું હમણાંની નવી લહેરમાં ઉપયોગી થશે? જાણો કંઈ કંપનીઓએ તેને તૈયાર કરી છે

સ્મૃતિ ઇરાની ફરી એક્ટીંગ તરફ વળ્યા, શું તેમણે રાજકારણ છોડી દીધું છે?

વર્ષ 2000થી 2008 સુધી પ્રસારિત થયેલી અને લોકપ્રિય બનેલી સીરિયલ ક્યોંકી સાંસભી કભી બહું થીની સિઝન-2 શરૂ થવા જઇ રહી...
Entertainment 
સ્મૃતિ ઇરાની ફરી એક્ટીંગ તરફ વળ્યા, શું તેમણે રાજકારણ છોડી દીધું છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.