કોહલી-રોહિત નહીં, રિકી પોન્ટિંગે આ 2 ખેલાડીઓને ગણાવ્યા IPL 2025ના સૌથી ખતરનાક બેટ્સમેન

પંજાબ કિંગ્સ (PBKS)ના કોચ રિકી પોન્ટિંગે એ બેટ્સમેનો બાબતે વાત કરી છે જેને તેઓ આ IPLના સૌથી ખતરનાક બેટ્સમેન માને છે. રિકી પોન્ટિંગે આન્દ્રે રસેલ, વિરાટ કોહલી અને રોહિત શર્માનું નામ લીધું નથી. પૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર અને પંજાબના હેડ કોચ રિકી પોન્ટિંગે પોતાની ટીમના 2 બેટ્સમેનોને  લઈને વાત કરી છે અને તેમને ખતરનાક બેટ્સમેન ગણાવ્યા છે. લખનૌ વિરુદ્ધની મેચમાં પ્રભસિમરન સિંહે શાનદાર અંદાજમાં બેટિંગ કરી હતી, પ્રભસિમરને લખનૌ સામેની મેચમાં 48 બોલમાં 91 રનની ઇનિંગ રમી હતી, તેની ઇનિંગમાં પ્રભસિમરને 6 ફોર અને 7 સિક્સ લગાવ્યા હતા. પંજાબના આ બેટ્સમેનની શાનદાર ઇનિંગને કારણે ટીમે સીમિત ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 236 રન બનાવ્યા હતા. પંજાબે લખનૌની ટીમને 37 રને હરાવી હતી. મેચ બાદ પ્રેસ સાથે વાત કરતા, રિકી પોન્ટિંગે પ્રભસિમરન સિંહની પ્રશંસા કરી અને તેને ખતરનાક બેટ્સમેન ગણાવ્યો.

ricky ponting
hindustantimes.com

પોન્ટિંગે પંજાબના બેટ્સમેનને લઈને કહ્યું કે, પ્રભસિમરન વિસ્ફોટક અને શાનદાર હતો. તેણે અને પ્રિયાંશે અમને આ ટૂર્નામેન્ટમાં ઘણી વખત સારી શરૂઆત અપાવી છે. લખનૌ સામેની મેચ અગાઉ, બંનેના નામે 350-350 રન નોંધાયેલા હતા. આ મેચ અગાઉ, જ્યારે ટીમ મીટિંગ થઈ, તો મેં બંનેને સદી બનાવવાનું ચેલેન્જ આપ્યું હતું. પ્રભસિમરન આ ચેલેન્જ પૂર્ણ કરવાની નજીક હતો પરંતુ તે ચૂકી ગયો. દુર્ભાગ્યથી પ્રભ થોડો પાછળ રહી ગયો, પરંતુ તેમણે પોતાના બેટ્સમેનોને એકદમ સ્પષ્ટ દિશા આપી છે કે તેમણે કેવી રીતે રમવાનું છે, અને ટોપ ઓર્ડરની ભાગીદારી કેટલી મહત્ત્વની છે.

priyansh arya and prabhsimran singh
crictoday.com

રિકી પોન્ટિંગે પ્રિયાંશ આર્ય અને પ્રભસિમરન સિંહની ભરપૂર પ્રશંસા કરી છે અને તેમને આ IPLના સૌથી ખતરનાક બેટ્સમેન ગણાવ્યા છે. બંનેને લઈને પોન્ટિંગે નિવેદન આપતા કહ્યું કે, ‘જ્યારે પ્રિયાંશ અને પ્રભસિમરન એકસાથે રન બનાવે છે, તો ખૂબ જ ખતરનાક બની શકે છે. પ્રિયાંશ ફાસ્ટ બોલરો સામે ખૂબ જ સારો છે અને પ્રભ સ્પિનરો સામે ખૂબ જ આક્રમક છે. એક લેફ્ટ હેન્ડર છે, બીજો રાઇટ હેન્ડર. અને બંનેની તાકતો અલગ-અલગ છે, જેથી તેઓ એક-બીજાને સારો સહયોગ કરે છે. આ જોડી વાસ્તવમાં ખતરનાક છે.

About The Author

Related Posts

Top News

પ્રેમ, લગ્ન અને વિદેશમાં સ્થાયી થવાની લાલચ... વકીલને કંગાળ કરી નાંખ્યા

સાયબર ક્રાઇમના કેસ સતત વધી રહ્યા છે, અને છેતરપિંડી કરનારાઓ હવે લોકોને ફસાવવા માટે નવી નવી પદ્ધતિઓનો ઉપયોગ કરી...
Gujarat 
પ્રેમ, લગ્ન અને વિદેશમાં સ્થાયી થવાની લાલચ... વકીલને કંગાળ કરી નાંખ્યા

HDFC બેંકના ચેરમેન અતનુ ચક્રવર્તીનું રાજીનામાથી રોકાણકારોમાં ખળભળાટ, હવે કોણ સંભાળશે સુકાન?

ભારતની સૌથી મોટી ખાનગી બેંક HDFC બેંક તરફથી મોટા સમાચાર આવ્યા છે, જેણે બેંકિંગ ક્ષેત્ર અને શેરબજાર બંનેને આશ્ચર્યચકિત...
Business 
HDFC બેંકના ચેરમેન અતનુ ચક્રવર્તીનું રાજીનામાથી રોકાણકારોમાં ખળભળાટ, હવે કોણ સંભાળશે સુકાન?

'મને ફોન આપી દે નહીંતર હું ટ્રેનમાંથી ઉતારી મુકીશ,' મુસાફરે ચુપકેથી ઘટના રેકોર્ડ કર્યા પછી...

સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક મુસાફર અને ટ્રેન ટિકિટ એક્ઝામિનર (TTE) ...
National 
'મને ફોન આપી દે નહીંતર હું ટ્રેનમાંથી ઉતારી મુકીશ,' મુસાફરે ચુપકેથી ઘટના રેકોર્ડ કર્યા પછી...

આસામમાં કોંગ્રેસને વધુ એક ઝટકો, પ્રતિક બોરદોલોઇએ આ બેઠક પરથી ટિકિટ પાછી આપી દીધી

આસામમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. એવામાં, તમામ રાજકીય પક્ષોએ પોતપોતાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે....
Politics 
આસામમાં કોંગ્રેસને વધુ એક ઝટકો, પ્રતિક બોરદોલોઇએ આ બેઠક પરથી ટિકિટ પાછી આપી દીધી

Opinion

કમલભાઈ તુલસિયાન: સફળ ટેક્સટાઇલ ઉદ્યોગપતિ જ નહીં પરંતુ સમાજસેવક, બેંકિંગ ક્ષેત્રના માર્ગદર્શક અને ઉદ્યોગના હિતરક્ષક કમલભાઈ તુલસિયાન: સફળ ટેક્સટાઇલ ઉદ્યોગપતિ જ નહીં પરંતુ સમાજસેવક, બેંકિંગ ક્ષેત્રના માર્ગદર્શક અને ઉદ્યોગના હિતરક્ષક
(ઉત્કર્ષ પટેલ) સુરત ભારતનું ટેક્સટાઇલ કેપિટલ અહીં અનેક ઉદ્યોગપતિઓએ પોતાની મહેનત અને દૂરંદેશીથી વિશ્વમાં નામના મેળવી છે. આવા જ સફળ...
છેવાડાના આદિવાસી ગામડાઓ: વિકાસના દીવા તળે અંધારું જ્યાં દીવો પ્રગટાવવો જરૂરી છે
શંકરભાઈ ચૌધરી: જેમણે પશુપાલન, ખેતી, સહકારી કામ અને રાજકારણમાં પોતાની જવાબદારી નિભાવીને ઘણા લોકોનું જીવન સુધાર્યું છે
એક સમયે સાબરમતીથી ટ્રેન દ્વારા સૌરાષ્ટ્રમાં પાણી મોકલવું પડતું હતું, અને આજે...
ગુજરાતના પનોતા પુત્ર મુકેશ અંબાણી અને રિલાયન્સ ગ્રુપ અમેરિકામાં જઈને રોકાણ કરે તે દેશ અને ગુજરાત માટે ગર્વની વાત જ કહેવાય
Copyright (c) Khabarchhe All Rights Reserved.