કોહલી-રોહિત નહીં, રિકી પોન્ટિંગે આ 2 ખેલાડીઓને ગણાવ્યા IPL 2025ના સૌથી ખતરનાક બેટ્સમેન

પંજાબ કિંગ્સ (PBKS)ના કોચ રિકી પોન્ટિંગે એ બેટ્સમેનો બાબતે વાત કરી છે જેને તેઓ આ IPLના સૌથી ખતરનાક બેટ્સમેન માને છે. રિકી પોન્ટિંગે આન્દ્રે રસેલ, વિરાટ કોહલી અને રોહિત શર્માનું નામ લીધું નથી. પૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર અને પંજાબના હેડ કોચ રિકી પોન્ટિંગે પોતાની ટીમના 2 બેટ્સમેનોને  લઈને વાત કરી છે અને તેમને ખતરનાક બેટ્સમેન ગણાવ્યા છે. લખનૌ વિરુદ્ધની મેચમાં પ્રભસિમરન સિંહે શાનદાર અંદાજમાં બેટિંગ કરી હતી, પ્રભસિમરને લખનૌ સામેની મેચમાં 48 બોલમાં 91 રનની ઇનિંગ રમી હતી, તેની ઇનિંગમાં પ્રભસિમરને 6 ફોર અને 7 સિક્સ લગાવ્યા હતા. પંજાબના આ બેટ્સમેનની શાનદાર ઇનિંગને કારણે ટીમે સીમિત ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 236 રન બનાવ્યા હતા. પંજાબે લખનૌની ટીમને 37 રને હરાવી હતી. મેચ બાદ પ્રેસ સાથે વાત કરતા, રિકી પોન્ટિંગે પ્રભસિમરન સિંહની પ્રશંસા કરી અને તેને ખતરનાક બેટ્સમેન ગણાવ્યો.

ricky ponting
hindustantimes.com

પોન્ટિંગે પંજાબના બેટ્સમેનને લઈને કહ્યું કે, પ્રભસિમરન વિસ્ફોટક અને શાનદાર હતો. તેણે અને પ્રિયાંશે અમને આ ટૂર્નામેન્ટમાં ઘણી વખત સારી શરૂઆત અપાવી છે. લખનૌ સામેની મેચ અગાઉ, બંનેના નામે 350-350 રન નોંધાયેલા હતા. આ મેચ અગાઉ, જ્યારે ટીમ મીટિંગ થઈ, તો મેં બંનેને સદી બનાવવાનું ચેલેન્જ આપ્યું હતું. પ્રભસિમરન આ ચેલેન્જ પૂર્ણ કરવાની નજીક હતો પરંતુ તે ચૂકી ગયો. દુર્ભાગ્યથી પ્રભ થોડો પાછળ રહી ગયો, પરંતુ તેમણે પોતાના બેટ્સમેનોને એકદમ સ્પષ્ટ દિશા આપી છે કે તેમણે કેવી રીતે રમવાનું છે, અને ટોપ ઓર્ડરની ભાગીદારી કેટલી મહત્ત્વની છે.

priyansh arya and prabhsimran singh
crictoday.com

રિકી પોન્ટિંગે પ્રિયાંશ આર્ય અને પ્રભસિમરન સિંહની ભરપૂર પ્રશંસા કરી છે અને તેમને આ IPLના સૌથી ખતરનાક બેટ્સમેન ગણાવ્યા છે. બંનેને લઈને પોન્ટિંગે નિવેદન આપતા કહ્યું કે, ‘જ્યારે પ્રિયાંશ અને પ્રભસિમરન એકસાથે રન બનાવે છે, તો ખૂબ જ ખતરનાક બની શકે છે. પ્રિયાંશ ફાસ્ટ બોલરો સામે ખૂબ જ સારો છે અને પ્રભ સ્પિનરો સામે ખૂબ જ આક્રમક છે. એક લેફ્ટ હેન્ડર છે, બીજો રાઇટ હેન્ડર. અને બંનેની તાકતો અલગ-અલગ છે, જેથી તેઓ એક-બીજાને સારો સહયોગ કરે છે. આ જોડી વાસ્તવમાં ખતરનાક છે.

Related Posts

Top News

50 ઓવરની મેચ ફક્ત 5 બોલમાં સમાપ્ત થઈ ગઈ... 49 ઓવર બાકી રહેતા ટીમ જીતી ગઈ

ક્રિકેટમાં ઘણીવાર એકતરફી મેચ જોવા મળે છે, પરંતુ કેટલીક મેચમાં સંઘર્ષ એટલો બધો થઇ જાય છે કે તેના પર...
Sports 
50 ઓવરની મેચ ફક્ત 5 બોલમાં સમાપ્ત થઈ ગઈ... 49 ઓવર બાકી રહેતા ટીમ જીતી ગઈ

'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પુણે કોર્ટમાં અરજી દાખલ કરીને દાવો કર્યો છે કે, તેમના જીવને ગંભીર જોખમ છે. આ...
National 
'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો

E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી

પેટ્રોલ-ડીઝલથી ચાલતા વાહનોથી થતા એર પોલ્યુશનને રોકવા અને ફ્યુલના ભાવો ઘટાડવા માટે દુનિયાભરની સરકારો ઇથેનોલ બ્લેન્ડેડ ફ્યુઅલ પર કામ કરી...
Tech and Auto 
E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી

તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે

બિહારના ભૂતપૂર્વ DyCM તેજસ્વી યાદવ છેલ્લા કેટલાક દિવસોથી ચૂંટણી પંચ પર સંપૂર્ણ પ્રહાર કરી રહ્યા છે. જ્યારથી બિહારમાં SIR પ્રક્રિયા...
National 
તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.