કોહલી-રોહિત નહીં, રિકી પોન્ટિંગે આ 2 ખેલાડીઓને ગણાવ્યા IPL 2025ના સૌથી ખતરનાક બેટ્સમેન

પંજાબ કિંગ્સ (PBKS)ના કોચ રિકી પોન્ટિંગે એ બેટ્સમેનો બાબતે વાત કરી છે જેને તેઓ આ IPLના સૌથી ખતરનાક બેટ્સમેન માને છે. રિકી પોન્ટિંગે આન્દ્રે રસેલ, વિરાટ કોહલી અને રોહિત શર્માનું નામ લીધું નથી. પૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર અને પંજાબના હેડ કોચ રિકી પોન્ટિંગે પોતાની ટીમના 2 બેટ્સમેનોને  લઈને વાત કરી છે અને તેમને ખતરનાક બેટ્સમેન ગણાવ્યા છે. લખનૌ વિરુદ્ધની મેચમાં પ્રભસિમરન સિંહે શાનદાર અંદાજમાં બેટિંગ કરી હતી, પ્રભસિમરને લખનૌ સામેની મેચમાં 48 બોલમાં 91 રનની ઇનિંગ રમી હતી, તેની ઇનિંગમાં પ્રભસિમરને 6 ફોર અને 7 સિક્સ લગાવ્યા હતા. પંજાબના આ બેટ્સમેનની શાનદાર ઇનિંગને કારણે ટીમે સીમિત ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 236 રન બનાવ્યા હતા. પંજાબે લખનૌની ટીમને 37 રને હરાવી હતી. મેચ બાદ પ્રેસ સાથે વાત કરતા, રિકી પોન્ટિંગે પ્રભસિમરન સિંહની પ્રશંસા કરી અને તેને ખતરનાક બેટ્સમેન ગણાવ્યો.

ricky ponting
hindustantimes.com

પોન્ટિંગે પંજાબના બેટ્સમેનને લઈને કહ્યું કે, પ્રભસિમરન વિસ્ફોટક અને શાનદાર હતો. તેણે અને પ્રિયાંશે અમને આ ટૂર્નામેન્ટમાં ઘણી વખત સારી શરૂઆત અપાવી છે. લખનૌ સામેની મેચ અગાઉ, બંનેના નામે 350-350 રન નોંધાયેલા હતા. આ મેચ અગાઉ, જ્યારે ટીમ મીટિંગ થઈ, તો મેં બંનેને સદી બનાવવાનું ચેલેન્જ આપ્યું હતું. પ્રભસિમરન આ ચેલેન્જ પૂર્ણ કરવાની નજીક હતો પરંતુ તે ચૂકી ગયો. દુર્ભાગ્યથી પ્રભ થોડો પાછળ રહી ગયો, પરંતુ તેમણે પોતાના બેટ્સમેનોને એકદમ સ્પષ્ટ દિશા આપી છે કે તેમણે કેવી રીતે રમવાનું છે, અને ટોપ ઓર્ડરની ભાગીદારી કેટલી મહત્ત્વની છે.

priyansh arya and prabhsimran singh
crictoday.com

રિકી પોન્ટિંગે પ્રિયાંશ આર્ય અને પ્રભસિમરન સિંહની ભરપૂર પ્રશંસા કરી છે અને તેમને આ IPLના સૌથી ખતરનાક બેટ્સમેન ગણાવ્યા છે. બંનેને લઈને પોન્ટિંગે નિવેદન આપતા કહ્યું કે, ‘જ્યારે પ્રિયાંશ અને પ્રભસિમરન એકસાથે રન બનાવે છે, તો ખૂબ જ ખતરનાક બની શકે છે. પ્રિયાંશ ફાસ્ટ બોલરો સામે ખૂબ જ સારો છે અને પ્રભ સ્પિનરો સામે ખૂબ જ આક્રમક છે. એક લેફ્ટ હેન્ડર છે, બીજો રાઇટ હેન્ડર. અને બંનેની તાકતો અલગ-અલગ છે, જેથી તેઓ એક-બીજાને સારો સહયોગ કરે છે. આ જોડી વાસ્તવમાં ખતરનાક છે.

About The Author

Related Posts

Top News

સરફરાઝ ખાને પહેલા 92 રન બનાવ્યા, પછી ફટકારી સદી, હવે સિલેક્ટરોને શું જોઈએ છે?

ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી પહેલા પ્રેક્ટિસ મેચ રમી રહી છે. આ મેચ ઈન્ડિયા A અને મુખ્ય ટીમ વચ્ચે...
Sports 
સરફરાઝ ખાને પહેલા 92 રન બનાવ્યા, પછી ફટકારી સદી, હવે સિલેક્ટરોને શું જોઈએ છે?

રાજા રઘુવંશી કેસમાં રાજ માસ્ટર માઇન્ડ હતો સોનમે...

રાજા રઘુવંશી કેસમાં હવે શિલોંગ પોલીસે મોટી ચોખવટ કરી છે કે, રાજા રઘુવંશી હત્યા કેસમાં રાજ કુશવાહ માસ્ટર માઇન્ડ...
National 
રાજા રઘુવંશી કેસમાં રાજ માસ્ટર માઇન્ડ હતો સોનમે...

પતિએ 'ફરમાન'ના કહેવાથી ઈદ ઉજવવાનું શરૂ કર્યું, પત્નીએ કહ્યું- અજયે મંદિર જવાનું બંધ કર્યું, ડર છે કે...

ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક મહિલાએ તેના પતિ પર ધાર્મિક માર્ગથી ભટકી...
National 
પતિએ 'ફરમાન'ના કહેવાથી ઈદ ઉજવવાનું શરૂ કર્યું, પત્નીએ કહ્યું- અજયે મંદિર જવાનું બંધ કર્યું, ડર છે કે...

કેપ્ટન ગિલ પાસેથી કોચ ગંભીરને કોઈ અપેક્ષા નથી! ગૌતમે તેને ફક્ત મુક્તપણે રમવાની સલાહ આપી

ભારતીય ક્રિકેટ ટીમ 20 જૂનથી ઇંગ્લેન્ડ સામે તેની ધરતી પર પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે, જેના માટે ભારતીય...
Sports 
કેપ્ટન ગિલ પાસેથી કોચ ગંભીરને કોઈ અપેક્ષા નથી! ગૌતમે તેને ફક્ત મુક્તપણે રમવાની સલાહ આપી
Copyright (c) Khabarchhe All Rights Reserved.