શિખર ધવનને ધમકાવીને પૈસા લીધા... કોર્ટે આયેશાને વ્યાજ સહિત 5.7 કરોડ રૂપિયા પરત કરવાનો આપ્યો આદેશ

ભારતીય ક્રિકેટર શિખર ધવનને કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. દિલ્હી ફેમિલી કોર્ટે તેની પૂર્વ પત્ની આયેશા મુખર્જીને 5.7 કરોડ રૂપિયા પરત કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે જણાવ્યું હતું કે, ‘આ રકમ એક્સટોર્શન, છેતરપિંડી અને ધમકીઓ દ્વારા મેળવવામાં આવી હતી.

ઇન્ડિયા ટૂડેના અહેવાલ મુજબ, પટિયાલા હાઉસ કોર્ટના ન્યાયાધીશ દેવેન્દ્ર કુમાર ગર્ગે આ કેસમાં ચૂકાદો આપ્યો હતો. તેમણે શિખર ધવન અને તેની પૂર્વ પત્ની આયેશા મુખર્જી વચ્ચેના તમામ સમાધાનોને રદ કરી દીધા. ન્યાયાધીશના જાણવા મળ્યું કે આ સમજૂતી ધમકી, બળજબરી, છેતરપિંડી અને એક્સટોર્શન (ખંડણી) દ્વારા કરવામાં આવી હતી.

dhawan
dailyo.in

કોર્ટે આયેશા મુખર્જીને આદેશ આપ્યો કે, તે લગભગ 5.7 કરોડ રૂપિયા (AU$894,397) પરત કરે. સાથે જ ધવને કેસ દાખલ કર્યો તે તારીખથી તેને આ રકમ પર 9 ટકા વાર્ષિક વ્યાજ પણ ચૂકવવું પડશે. ન્યાયાધીશે સ્પષ્ટપણે એમ પણ કહ્યું કે, ઓસ્ટ્રેલિયન કોર્ટને આ કેસનો ઉકેલ લાવવાનો કોઈ અધિકાર નથી.

આયેશા ઓસ્ટ્રેલિયાની રહેવાસી છે. ધવનથી અલગ થયા બાદ, 2021 અને 2024 સુધી ઓસ્ટ્રેલિયન કોર્ટે તેમની મિલકત વહેંચવાના ઘણા આદેશો આપ્યા. ફેબ્રુઆરી 2024માં, ઓસ્ટ્રેલિયન કોર્ટે ચૂકાદો આપ્યો કે, આયેશાને કુલ સંપત્તિના 15% હિસ્સો મળશે. આનાથી તેને આશરે 7.46 કરોડ રૂપિયાની સંપત્તિ જાળવી રાખવાની મંજૂરી મળી હતી. શિખર પાસેથી વધારાના 15.95 કરોડ રૂપિયા મળ્યા અને એક મિલકત ટ્રાન્સફર કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો હતો. આ દરમિયાન, આયેશાને એક મિલકતના વેચાણમાંથી લગભગ 5.7 કરોડ રૂપિયા પ્રાપ્ત થયા હતા.

શિખરે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં કેસ દાખલ કર્યો. ધવને પટિયાલા હાઉસ કોર્ટને જણાવ્યું કે તેમના લગ્ન 2012માં થયા હતા. તેમના લગ્નના થોડા સમય બાદ આયેશાએ ધમકી આપી કે, ખોટી અને બદનામી કરનારી વાતો (ફેબ્રિકેટેડ ડિફેમેટરી મટિરિયલ) બનાવીને ફેલાવી દેશે, જેથી તેની પ્રતિષ્ઠા અને ક્રિકેટ કારકિર્દીને પૂરી રીતે બરબાદ થઈ જશે.

Shikhar Dhawan's ex-wife
hindustantimes.com

ધવનનું કહેવું છે કે તેણે પોતાની કમાણીમાંથી મિલકતો ખરીદી હતી. પરંતુ, આયેશાના દબાણમાં તેને મજબૂરીમાં એ મિલકતો અથવા તો બંનેના નામે અથવા માત્ર આયેશાના નામે નોંધાવવી પડી હતી. એક કેસમાં, કોર્ટને કહેવામાં આવ્યું હતું કે આયેશા ધવન દ્વારા ખરીદેલી મિલકતમાં 99% ભાગીદાર હતી. બધા પુરાવાઓની સમીક્ષા કર્યા બાદ, ન્યાયાધીશ ગર્ગે ધવનની વાત માની લીધી અને ચૂકાદો આપ્યો હતો કે ધવન ઓસ્ટ્રેલિયન કોર્ટના આદેશોથી બંધાયેલો નથી.

ઉલ્લેખનીય છે કે, શિખર ધવન અને આયેશા મુખર્જીના લગ્ન 2012માં થયા હતા. 2014માં તેમના પુત્ર જોરાવરનો જન્મ થયો હતો. જોકે, તેમના સંબંધ સારી રીતે ન ચાલી શક્યા અને તેઓ 2021માં અલગ થઈ ગયા.દિલ્હીની એક કોર્ટે 2023માં તેમના છૂટાછેડા મંજૂર કર્યા. ત્યારબાદ કોર્ટે શિખરને તેના પુત્રને મળવાનો અધિકાર આપ્યો હતો, પરંતુ બાદમાં આયેશાએ તેની સાથેનો સંપર્ક પૂરી રીતે કાપી નાખ્યો હતો.

About The Author

Related Posts

Top News

મમ્મી-પાપા 10 કલાક સુધી ડિજિટલ એરેસ્ટ હતા, 8 ધોરણમાં ભણતા પુત્રએ સમજાવ્યા, પણ ન માન્યા, પછી તેણે...

છેતરપિંડી કરનારાઓએ ખુબ ચાલાકીપૂર્વક એક દંપતીને પોતાની વાતોમાં ફસાવી લીધું હતું. તેમણે તેમને આતંકવાદી કાર્યવાહીમાં સંડોવણી હોવાની ધમકી આપી અને...
National 
મમ્મી-પાપા 10 કલાક સુધી ડિજિટલ એરેસ્ટ હતા, 8 ધોરણમાં ભણતા પુત્રએ સમજાવ્યા, પણ ન માન્યા, પછી તેણે...

'ખ્રિસ્તી બનો તો કેન્સર મટી શકે છે...' આદિવાસી ગામને ધર્મ પરિવર્તન માટે આવું કહેવાનો પાદરીઓ પર આરોપ; પોલીસે કેસ નોંધ્યો

મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં પોલીસે બે પાદરીઓ અને તેમના સહયોગીઓ સામે ધર્મ પરિવર્તનનો કેસ નોંધ્યો છે. તેમના પર મોહનપુર ખુર્દ ગામમાં ...
National 
'ખ્રિસ્તી બનો તો કેન્સર મટી શકે છે...' આદિવાસી ગામને ધર્મ પરિવર્તન માટે આવું કહેવાનો પાદરીઓ પર આરોપ; પોલીસે કેસ નોંધ્યો

ફ્રાન્સે ટ્રમ્પની તિજોરીમાંથી 129 ટન સોનું વેચી નાખ્યું અને તેના ખજાનામાં લગભગ 13 અરબ યુરોનો નફો પણ કર્યો

ડોનાલ્ડ ટ્રમ્પ યુનાઇટેડ સ્ટેટ્સમાં સત્તામાં આવ્યા ત્યારથી, યુરોપિયન દેશોથી તેમનું અંતર વધી રહ્યું છે. ટેરિફ, ગ્રીનલેન્ડ અને ઈરાન...
Business 
ફ્રાન્સે ટ્રમ્પની તિજોરીમાંથી 129 ટન સોનું વેચી નાખ્યું અને તેના ખજાનામાં લગભગ 13 અરબ યુરોનો નફો પણ કર્યો

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 13-04-2026 વાર: સોમવાર મેષ - આજે ઘર પરિવાર પાછળ ખર્ચનું પ્રમાણ વધે, નોકરી ધંધામાં ઉપરી વર્ગ સાથે સંઘર્ષ ટાળવો,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.