જયદેવ ઉનડકટનો ખુલાસો, ભારતીય ટીમમાં વાપસી માટે આ ખેલાડીએ કર્યો પ્રોત્સાહિત

ભારતીય ટીમના ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટે 12 વર્ષના લાંબા ઇંતજાર બાદ રાષ્ટ્રીય ટીમમાં વાપસી કરી હતી. ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટે વાપસી કર્યા બાદ બાંગ્લાદેશ વિરુદ્ધ ટેસ્ટ મેચ રમી અને 3 વિકેટ લીધી. જયદેવ ઉનડકટે ખુલાસો કર્યો કે, ચેતેશ્વર પૂજારાએ તેને રાષ્ટ્રીય ટીમમાં વાપસી કરવા માટે પ્રોત્સાહિત કર્યો હતો. જયદેવ ઉનડકટે જણાવ્યું કે, ચેતેશ્વર પૂજાર સાથે તેણે ઘણી ભાવુક પળ વિતાવી છે અને રાષ્ટ્રીય ટીમમાં તેની વાપસીથી ભારતીય બેટ્સમેન દિલથી ખુશ હતો.

જયદેવ ઉનડકટે ચેતેશ્વર પૂજારા બાબતે વાત કરતા કહ્યું કે, મેં પહેલી મેચ રમી નહોતી, પરંતુ પહેલી વખત જર્સી પહેરી હતી. પૂજારાએ કહ્યું હતું કે, તું સારો લાગી રહ્યો છે. તે એકદમ દિલથી નીકળ્યું હતું અને હું જોઇ શકતો હતો કે તે મારા માટે કેટલો ખુશ છે. ચેતેશ્વર પૂજારા સાથે રમવું વિશેષ છે. તેણે આટલા વર્ષ મને સતત મહેનત કરવા માટે પ્રોત્સાહિત કર્યો. તે 10 વર્ષ કરતા વધુ સમયથી રાષ્ટ્રીય ટીમનો હિસ્સો છે. હું તેને એ પ્રકારે જોતો હતો કે તે જે પ્રકારે ટીમનો હિસ્સો છે, એવી જ રીતે હું પણ બનવા માગું છું.

જયદેવ ઉનડકટે કહ્યું કે, પૂજારાના કરિયર ગ્રાફે તેને લાંબા સમય સુધી પ્રોત્સાહિત રાખ્યો અને તેનાથી આટલા વર્ષો સુધી મહેનત કરવાનો દમ મળ્યો. પૂજારાએ પોતાના કરિયરમાં ઘણા ઉતાર-ચડાવ જોયા અને ત્યારે જ 98 ટેસ્ટ રમી જે મારા માટે પ્રોત્સાહન ભરી છે. જયદેવ ઉનડકટે બાંગ્લાદેશ વિરુદ્ધ બીજી ટેસ્ટ મેચમાં કુલદીપ યાદવની જગ્યાએ પોતાને ચાન્સ મળવાને લઇને પણ મોટી પ્રતિક્રિયા આપી છે. તેના જણાવ્યા મુજબ તે જરાય દબાવમાં નહોતો અને પોતાનું સારું પ્રદર્શન કરવા પૂરી રીતે તૈયાર હતો.

કુલદીપ યાદવે પહેલી ટેસ્ટ મેચમાં કુલ 8 વિકેટ લઇને ભારતીય ટીમની જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી, પરંતુ એ છતા બીજી મેચમાં તેને ડ્રોપ કરી દેવામાં આવ્યો. ઉનડકટને જ્યારે આ બાબતે સવાલ પૂછવામાં આવ્યો તો તેણે કહ્યું કે, હું જરાય દબાવમાં નહોતો. જ્યારે તમે આશા રાખો છો અને એ વસ્તુ થઇ જાય છે તો ખૂબ સારું લાગે છે. હું માત્ર પોતાનું યોગદાન આપવા માગતો હતો. જો વિકેટ ન લઇ શકું તો, બીજી તરફથી દબાવ તો બનાવી રાખું. મારો એ જ વિચાર હતો. મને એટલે ચાન્સ મળ્યો કેમ કે મેનેજમેન્ટને લાગ્યું કે આ પીચ મારા માટે યોગ્ય છે. ત્યાંની પરિસ્થિતિ રાજકોટ જેવી જ હતી. વિકેટ પર વધારે પેસ નહોતી. મને ખબર હતી જો મેં પોતાની સ્ટ્રેન્થથી બોલિંગ કરી તો પછી સફળ રહીશ.

About The Author

Related Posts

Top News

મમતા બેનર્જીએ જણાવ્યું- યૂસુફ પઠાણને પાકિસ્તાનની પોલ ખોલનારી ટીમમાં કેમ નહીં મોકલે TMC?

પાકિસ્તાનની કરતૂતોનો પર્દાફાશ કરવા માટે સરકાર તરફથી વિવિધ દેશોમાં મોકલવામાં આવનાર ઓલ પાર્ટી ડેલિગેશનને લઈને એક નવો વિવાદ શરૂ થઈ...
National  Politics 
મમતા બેનર્જીએ જણાવ્યું- યૂસુફ પઠાણને પાકિસ્તાનની પોલ ખોલનારી ટીમમાં કેમ નહીં મોકલે TMC?

અંબાલાલ પટેલની આગાહી, 20થી 24 મે વચ્ચે વાવાઝોડું આવી રહ્યું છે

ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલ પટેલે મે મહિનામાં ઘણી બધી બાબતોની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, 24-25મેના દિવસે રોહિણી...
Gujarat 
અંબાલાલ પટેલની આગાહી, 20થી 24 મે વચ્ચે વાવાઝોડું આવી રહ્યું છે

પાકિસ્તાન સાથે 'નો ક્રિકેટ' એશિયા કપનો હિસ્સો નહીં બને ભારતીય ટીમ, BCCIનો મોટો નિર્ણય

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ એશિયા કપથી બહાર થવાનો નિર્ણય લીધો છે. BCCIએ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (...
Sports 
પાકિસ્તાન સાથે 'નો ક્રિકેટ' એશિયા કપનો હિસ્સો નહીં બને ભારતીય ટીમ, BCCIનો મોટો નિર્ણય

CJIએ અધિકારીઓને ખખડાવ્યા તો પોલીસ કમિશનર અને ચીફ સેક્રેટરી આગામી કાર્યક્રમમાં દોડતા પહોંચ્યા

મુંબઈમાં રવિવારે કંઈક એવું થયું, જે અધિકારીઓને હંમેશાં યાદ રહેશે. ભારતના મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈએ જ્યારે એક સાર્વજનિક મંચ...
National 
CJIએ અધિકારીઓને ખખડાવ્યા તો પોલીસ કમિશનર અને ચીફ સેક્રેટરી આગામી કાર્યક્રમમાં દોડતા પહોંચ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.