મો. હાફીઝે જણાવ્યું ભારતીય ટીમ છેલ્લા 10 વર્ષથી ICC ઇવેન્ટમાં કેમ જીતી શકતી નથી

ભારતીય ટીમ છેલ્લા 10 વર્ષથી ICC ઇવેન્ટ્સ જીતી ન શકવાને લઈને પાકિસ્તાનના પૂર્વ ઓલરાઉન્ડર ખેલાડી મોહમ્મદ હાફીઝે મોટી પ્રતિક્રિયા આપી છે. તેણે જણાવ્યું કે, શું કારણ છે કે ભારતીય ટીમ ICC ટૂર્નામેન્ટમાં આવીને વિખેરાઈ જાય છે અને તે ટાઇટલ જીતી શકતી નથી. ભારતીય ટીમે વર્ષ 2013 બાદ જ ICCની કોઈ ટ્રોફી જીતી નથી. ભારતીય ટીમ ઘણી વખત સેમીફાઇનલ અને ફાઇનલ સુધી પહોંચી છે, પરંતુ ટ્રોફી પોતાના નામે કરી શકી નથી.

ભારતીય ટીમ વર્ષ 2014ના વર્લ્ડ કપ ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ શ્રીલંકા સામે તેને હારનો સામનો કરવો પડ્યો હતો. તો વર્ષ 2015ના વર્લ્ડ કપમાં ટીમ સેમીફાઇનલમાં હારી ગઈ હતી. વર્ષ 2016ના T20 વર્લ્ડ કપં પણ ભારતીય ટીમ સેમીફાઇનલમાં હારી ગઈ હતી. વર્ષ 2017ની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં તેને પાકિસ્તાની ટીમ સામે શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. એ સિવાય વર્ષ 2019ના વર્લ્ડ કપની સેમીફાઇનલમાં પણ ટીમને હાર મળી હતી. વર્ષ 2021ના T20 વર્લ્ડ કપમાં ટીમ પહેલા જ બહાર થઈ ગઈ હતી. તો વર્ષ 2022ના T20 વર્લ્ડ કપમાં પણ ટીમને ઇંગ્લેન્ડ સામે સેમીફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

મોહમ્મદ હાફીઝે ભારતીય ટીમની આ નિષ્ફળતાનું મોટું કારણ જણાવ્યું છે. સ્પોર્ટ્સ તક પર વાતચીત કરવા દરમિયાન તેણે કહ્યું કે, ICC ઇવેન્ટ્સમાં રમવા અને તેના નોકઆઉટમાં આવીને પ્રદર્શન કરવાનું પ્રેશર દ્વિપક્ષીય સીરિઝથી ખૂબ અલગ હોય છે. જે પ્રકારે ડોમેસ્ટિક ક્રિકેટની તુલના તમે ઇન્ટરનેશનલ ક્રિકેટ સાથે નહીં કરી શકો, એ જ પ્રકારે ICC ઇવેન્ટ પણ દ્વિપક્ષીય સીરિઝથી ખૂબ અલગ હોય છે. ભારતીય ટીમ એ દબાવને ઝીલી શકતી નથી. વર્ષ 2017માં ટીમ ફાઇનલ માટે હોટ ફેવરિટ હતી, પરંતુ એ છતા હારી ગઈ હતી.

તેણે આગળ કહ્યું કે, હવે ભારત સામે પડકાર છે કે તે પોતાની જાતને સાબિત કરે. મોહમ્મદ હાફીઝે ભારતના પૂર્વ કેપ્ટન અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલીનું ઉદાહરણ આપતા કહ્યું કે, ભારત હંમેશાંથી હોટ ફેવરિટ રહ્યું છે. તે ભારત માટે પ્લસ પોઈન્ટ છે અને તેનો પાયો ગાંગુલીના યુગમાં રાખવામાં આવ્યો હતો, જ્યારે ટીમમાં વિશ્વાસ રાખવામાં આવ્યો હતો કે તે એક વિશ્વ વિજેતા બની શકે છે. આ વિશ્વાસને મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલીએ બનાવી રાખ્યો.

About The Author

Top News

શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને લોકસભામાં 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનો નવો કાયદો રજૂ કર્યો. આ કાયદાનો હેતુ...
Education 
શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

મંગળવારે ભારે હોબાળા વચ્ચે વિકસિત ભારત-ગેરન્ટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન બિલ 2025 એટલે કે ‘VB-G RAM G’ બિલને લોકસભામાં...
Politics 
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.