શું અગરકર અને ગંભીર સાથે પંગો લેવું શમીને મોંઘું પડ્યું? સમજો કારકિર્દી ખતમ!

દક્ષિણ આફ્રિકા સામેની બે ટેસ્ટ મેચની સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. ટીમની જાહેરાત સાથે જ ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ફરી એકવાર ચર્ચામાં આવી ગયો છે કેમ કે ફરી એક વખત તેને ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. શમી હાલમાં રણજી ટ્રોફીમાં બંગાળ માટે રમી રહ્યો છે. શમીએ બંગાળ માટે શાનદાર બોલિંગ પણ કરી છે, છતા તેને ટીમમાં સામેલ ન કરવાને લઇને એક મોટો પ્રશ્નો ઉભા થયો છે.

શમીએ છેલ્લી 3  રણજી ટ્રોફી મેચમાં 15 વિકેટ લીધી છે. તેણે ઉત્તરાખંડ સામેની મેચમાં 7 વિકેટ લીધી હતી. જોકે, ટીમમાં પસંદગી ન થવાનું કારણ માત્ર બોલિંગ અને પ્રદર્શન જ નથી, પરંતુ ટીમ મેનેજમેન્ટની રણનીતિ પણ છે. આ ઉપરાંત શમીએ મુખ્ય પસંદગીકાર અજીત અગરકર દ્વારા આપવામાં આવેલા નિવેદન પર ટિપ્પણી કરી હતી, જેના કારણે તેને કેટલાક નુકસાન ઉઠાવવા પડ્યા છે.

shami

શું છે શમી-અગરકરનો મામલો?

ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ પસંદગી બાદ અજીત અગરકર અને મોહમ્મદ શમી વચ્ચે મતભેદ સામે આવ્યા હતા. ઓસ્ટ્રેલિયા સીરિઝ માટે ભારતીય ટીમની વન-ડે અને T20I ટીમમાં શમીને સામેલ કરવામાં આવ્યો નહોતો. તેની પાછળ કારણ એવું આપવામાં આવ્યું હતું કે તે સંપૂર્ણપણે ફિટ નથી. પોતાની ફિટનેસ અંગેના પ્રશ્નો ઉઠ્યા બાદ, શમીએ પણ પ્રતિક્રિયા આપી હતી.

રણજી ટ્રોફી મેચ બાદ મીડિયા સાથે વાત કરતા શમીએ અગરકરના ફિટનેસવાળા નિવેદન પર જવાબ આપતા કહ્યું હતું કે, ‘જો હું ટેસ્ટ મેચમાં આખો દિવસ રમી શકું છુ અને બોલિંગ કરી શકું છું, તો હું વન-ડેમાં કેમ નહીં રમી શકું? તમે જોઈ શકો છો કે મારી ફિટનેસ કેવી છે. આ ઉપરાંત તેણે અગરકરના ફોન કોલને પણ વાત કરી હતી.

shami.jpg-2

નોંધનીય છે કે મોહમ્મદ શમીને લાંબા સમયથી ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. તેણે છેલ્લે જૂન 2023માં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ મેચ રમી હતી. જો કે, શમીને વન-ડે અને T20Iમાં રમવાની જરૂર તક મળી છે. તે આ વર્ષની શરૂઆતમાં ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં વન-ડેમાં દેખાયો હતો. તે ઇંગ્લેન્ડ સામેની T20I સીરિઝનો પણ ભાગ હતો, પરંતુ ત્યારથી તે ભારતીય ટીમમાં વાપસી કરી શક્યો નથી.

About The Author

Related Posts

Top News

'જન ગન મન'ને રાષ્ટ્રગાન અને 'વન્દે માતરમ્'ને રાષ્ટ્રગીતનો દરજ્જો કંઈ રીતે અપાયો

વંદે માતરમના 150 વર્ષ પૂરા થવાના પ્રસંગે સંસદભવનમાં ચર્ચા થઈ રહી છે, ત્યારે સૌ કોઈ તેમના ઈતિહાસ વિશે જાણવા ઈચ્છતા...
National 
'જન ગન મન'ને રાષ્ટ્રગાન અને 'વન્દે માતરમ્'ને રાષ્ટ્રગીતનો દરજ્જો કંઈ રીતે અપાયો

સોનુ સૂદ અને ખલીને કાનપુર પોલીસે નોટિસ મોકલી, 1500 કરોડનો મામલો છે

કાનપુરના રૂ. 1,500 કરોડના કાનપુર છેતરપિંડીના કેસમાં અભિનેતા સોનુ સૂદ અને કુસ્તીબાજ ધ ગ્રેટ ખલીનું નામ માસ્ટરમાઇન્ડ રવિન્દ્રનાથ સોનીના છેતરપિંડીના...
National 
સોનુ સૂદ અને ખલીને કાનપુર પોલીસે નોટિસ મોકલી, 1500 કરોડનો મામલો છે

રાજકોટઃ ચકડોળમાં 100 ફૂટ ઊંચાઈએ લોકો બેઠા હતા અને રાઇડ બંધ કરીને જતો રહ્યો ઓપરેટર

રાજકોટ મહાનગર પાલિકા સંચાલિત રાઈડ્સમાં ફરી એકવાર ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે, જેના કારણે લોકોના જીવ જોખમમાં મુકાયા...
Gujarat 
રાજકોટઃ ચકડોળમાં 100 ફૂટ ઊંચાઈએ લોકો બેઠા હતા અને રાઇડ બંધ કરીને જતો રહ્યો ઓપરેટર

જિગ્નેશ મેવાણીએ PM મોદી વિરુદ્ધ આપેલા નિવેદન બાદ મોદી સમાજમાં રોષ, અમદાવાદમાં...

વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ વડનગરમાં યોજાયેલી જાહેર સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર...
Gujarat 
જિગ્નેશ મેવાણીએ PM મોદી વિરુદ્ધ આપેલા નિવેદન બાદ મોદી સમાજમાં રોષ, અમદાવાદમાં...
Copyright (c) Khabarchhe All Rights Reserved.