શું અગરકર અને ગંભીર સાથે પંગો લેવું શમીને મોંઘું પડ્યું? સમજો કારકિર્દી ખતમ!

દક્ષિણ આફ્રિકા સામેની બે ટેસ્ટ મેચની સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. ટીમની જાહેરાત સાથે જ ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ફરી એકવાર ચર્ચામાં આવી ગયો છે કેમ કે ફરી એક વખત તેને ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. શમી હાલમાં રણજી ટ્રોફીમાં બંગાળ માટે રમી રહ્યો છે. શમીએ બંગાળ માટે શાનદાર બોલિંગ પણ કરી છે, છતા તેને ટીમમાં સામેલ ન કરવાને લઇને એક મોટો પ્રશ્નો ઉભા થયો છે.

શમીએ છેલ્લી 3  રણજી ટ્રોફી મેચમાં 15 વિકેટ લીધી છે. તેણે ઉત્તરાખંડ સામેની મેચમાં 7 વિકેટ લીધી હતી. જોકે, ટીમમાં પસંદગી ન થવાનું કારણ માત્ર બોલિંગ અને પ્રદર્શન જ નથી, પરંતુ ટીમ મેનેજમેન્ટની રણનીતિ પણ છે. આ ઉપરાંત શમીએ મુખ્ય પસંદગીકાર અજીત અગરકર દ્વારા આપવામાં આવેલા નિવેદન પર ટિપ્પણી કરી હતી, જેના કારણે તેને કેટલાક નુકસાન ઉઠાવવા પડ્યા છે.

shami

શું છે શમી-અગરકરનો મામલો?

ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ પસંદગી બાદ અજીત અગરકર અને મોહમ્મદ શમી વચ્ચે મતભેદ સામે આવ્યા હતા. ઓસ્ટ્રેલિયા સીરિઝ માટે ભારતીય ટીમની વન-ડે અને T20I ટીમમાં શમીને સામેલ કરવામાં આવ્યો નહોતો. તેની પાછળ કારણ એવું આપવામાં આવ્યું હતું કે તે સંપૂર્ણપણે ફિટ નથી. પોતાની ફિટનેસ અંગેના પ્રશ્નો ઉઠ્યા બાદ, શમીએ પણ પ્રતિક્રિયા આપી હતી.

રણજી ટ્રોફી મેચ બાદ મીડિયા સાથે વાત કરતા શમીએ અગરકરના ફિટનેસવાળા નિવેદન પર જવાબ આપતા કહ્યું હતું કે, ‘જો હું ટેસ્ટ મેચમાં આખો દિવસ રમી શકું છુ અને બોલિંગ કરી શકું છું, તો હું વન-ડેમાં કેમ નહીં રમી શકું? તમે જોઈ શકો છો કે મારી ફિટનેસ કેવી છે. આ ઉપરાંત તેણે અગરકરના ફોન કોલને પણ વાત કરી હતી.

shami.jpg-2

નોંધનીય છે કે મોહમ્મદ શમીને લાંબા સમયથી ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. તેણે છેલ્લે જૂન 2023માં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ મેચ રમી હતી. જો કે, શમીને વન-ડે અને T20Iમાં રમવાની જરૂર તક મળી છે. તે આ વર્ષની શરૂઆતમાં ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં વન-ડેમાં દેખાયો હતો. તે ઇંગ્લેન્ડ સામેની T20I સીરિઝનો પણ ભાગ હતો, પરંતુ ત્યારથી તે ભારતીય ટીમમાં વાપસી કરી શક્યો નથી.

About The Author

Related Posts

Top News

અહીં સરકાર માત્ર 1 રૂપિયામાં આપી રહી છે જમીન, બસ તમારે આ શરતો પૂરી કરવી પડશે

ઘણીવાર જોવા મળે છે કે સારો બિઝનેસ આઇડિયા હોવા છતા જમીનના આસમાને પહોંચતા ભાવ ઉદ્યોગસાહસિકોના સપનાને ચકનાચૂર કરી નાખે છે....
Business 
અહીં સરકાર માત્ર 1 રૂપિયામાં આપી રહી છે જમીન, બસ તમારે આ શરતો પૂરી કરવી પડશે

મેવાણીએ જણાવ્યું- ગુજરાતમાં નશીલા પદાર્થનું અભિયાન કેવી રીતે શરૂ થયું?

જિગ્નેશ મેવાણીએ ડો. હરિ દેસાઇને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યુ હતું કે, ગુજરાતમાં દારૂ- નશીલા પદાર્થના અભિયાનનું કોઇ પ્લાનીંગ નહોતુ અચાનક...
Gujarat 
 મેવાણીએ જણાવ્યું- ગુજરાતમાં નશીલા પદાર્થનું અભિયાન કેવી રીતે શરૂ થયું?

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 07-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પ્રદૂષણ કરશો તો દંડ ભરીને છૂટી જશો, જેલ નહીં જવું પડે

કેન્દ્ર સરકારે વોટર (પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન) અધિનિયમ 1974માં સુધારો કરીને નિયમો બદલ્યા છે. પહેલા એવી જોગવાઇ હતી કે...
National 
પ્રદૂષણ કરશો તો દંડ ભરીને છૂટી જશો, જેલ નહીં જવું પડે
Copyright (c) Khabarchhe All Rights Reserved.