આ ધોનીની છેલ્લી IPL જ લાગે છે, જુઓ SRH સામે જીત બાદ શું કહ્યું તેણે

ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની મેચ સમાપ્ત થયા બાદ પ્રેઝન્ટેશન સેરેમનીમાં પોતાના નિવેદનથી હાહાકાર મચાવી દે છે. બોલરોના નો બૉલ અને વાઇડ વધારે કરવાથી પરેશાન મહેન્દ્ર સિંહ ધોનીએ કેપ્ટન્સી છોડવાની ધમકી આપી નાખી હતી. હવે તેણે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વિરુદ્ધ જીત બાદ એવું નિવેદન આપ્યું, જેને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023 બાદ તેના સંન્યાસ લેવાના સંકેત માનવામાં આવી રહ્યા છે. આ દરમિયાન તેણે કેચ એવોર્ડ ન આપવાની પણ ફરિયાદ કરી.

સાથે જ જુનિયર મલિંગા એટલે કે મથીસા પથિરાનાના પણ વખાણ કર્યા છે. સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ 7 વિકેટથી જીત બાદ ચેન્નાઈમાં ફેન્સ તરફથી મળતા પ્રેમથી અભિભૂત ધોનીએ કહ્યું કે, બીજું શું કહું. બધુ જ કહી ચૂક્યો છું. આ મારા કરિયરનો અંતિમ દૌર છે. અહીં રમવાનું સારું લાગે છે. દર્શકોએ અમને ખૂબ પ્રેમ આપ્યો છે. મહેન્દ્ર સિંહ ધોનીના આ નિવેદનને તેના રિટયરમેન્ટના સંકેત માનવામાં આવી રહ્યા છે. મહેન્દ્ર સિંહ ધોનીએ બોલરોના વખાણ કરતા કહ્યું કે, બેટિંગનો વધારે ચાંસ મળી રહ્યો નથી, પરંતુ કોઈ ફરિયાદ નથી.

તેણે આગળ કહ્યું કે, અહી હું ફિલ્ડિંગને લઈને ખચકાઈ રહ્યો હતો કેમ કે મને લાગ્યું કે વધારે ઝાકળ નહીં હોય. અમારા સ્પિનરોએ શાનદાર બોલિંગ કરી અને ફાસ્ટ બોલરો ખાસ કરીને પથિરાનાએ પણ. તેની પાસે વેરિએશન છે અને ગતિ પણ સારી છે. આપણે મલિંગા સાથે એવું જોયું છે. અજીબ એક્શન અને શાનદાર લાઇન અને લેન્થના કારણ તેની વિરુદ્ધ રન બનાવવા મુશ્કેલ છે. નિશ્ચિત રૂપે તે એક નવી શોધ રહ્યો છે. ધોનીએ કેચને લઈને કહ્યું કે, હું હંમેશાં કહું છું કે ફિલ્ડ સેટિંગની પહેલી પ્રાથમિકતા તમારાથી શરૂ થાય છે.

છતા તેમણે મને બેસ્ટ કેચનો એવોર્ડ ન આપ્યો. હું ખૂબ ખરાબ પોઝિશનમાં હતો. અમે ગ્લવ્સ પહેરીએ છીએ તો લોકોને લાગે છે કે એ સરળ છે. મને લાગ્યું કે તે શાનદાર કેચ છે. મને અત્યારે પણ યાદ છે, ઘણા સમય પહેલા રાહુલ દ્રવિડ કીપિંગ કરી રહ્યા હતા અને તેમણે એવો જ એક કેચ પકડ્યો હતો. જો તમે સચિન પાજી છો અને 16-17ની ઉંમરમાં રમવાનું શરૂ ન કરતા તો વૃદ્ધ થવા પર જ તમને અનુભવ મળે છે. નિશ્ચિત રૂપે વૃદ્ધ થઈ ગયો છું, તેનાથી ભાગી નહીં શકું.

About The Author

Top News

અંબાલાલ પટેલે ભરઉનાળે જણાવી દીધું- આ વર્ષે ચોમાસુ કેવું રહેશે, ક્યારે હવામાન બદલાશે

ગુજરાતના જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલની મોટાભાગની આગાહીઓ સચોટ અને સાચી સાબિત થતી હોય છે. જેને કારણે તેમને ગુજરાતનાં ‘બાબા...
Gujarat 
અંબાલાલ પટેલે ભરઉનાળે જણાવી દીધું- આ વર્ષે ચોમાસુ કેવું રહેશે, ક્યારે હવામાન બદલાશે

બિનહરીફ જીત: વિશ્વકર્મા તો પાટીલને પણ ટપી ગયા!

ગુજરાતમાં સ્થાનીય સ્વરાજની ચૂંટણીઓમાં ફોર્મ ખેંચવાની તારીખ 15 એપ્રિલ હતી. ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ જાહેર કર્યું...
Politics 
બિનહરીફ જીત: વિશ્વકર્મા તો પાટીલને પણ ટપી ગયા!

ડાંગમાં સાસુ અને વહુ વચ્ચે ચૂંટણીનો જંગ, એકને ભાજપે ટિકિટ આપી તો બીજીને કોંગ્રેસે

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હવે બરાબરનો માહોલ જામ્યો છે. પાર્ટીઓએ આપેલા મેન્ડેટ બાદ હવે બધા ઉમેદવારો ફોર્મ ભર્યા બાદ પ્રચાર...
Gujarat 
ડાંગમાં સાસુ અને વહુ વચ્ચે ચૂંટણીનો જંગ, એકને ભાજપે ટિકિટ આપી તો બીજીને કોંગ્રેસે

'મારી જિંદગીમાં પહેલી વાર મને કેસ પરથી કોઈએ હટી જવા કહ્યું છે' કેજરીવાલને આવું કહેનારા જસ્ટિસ સ્વર્ણ કાન્તા શર્મા કોણ છે?

જ્યારે ભૂતપૂર્વ CM અરવિંદ કેજરીવાલે સોમવારે દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ સ્વર્ણ કાન્તા શર્માને એક્સાઈઝ પોલિસી કેસની સુનાવણીમાંથી દૂર રહેવાની અપીલ કરી...
National 
'મારી જિંદગીમાં પહેલી વાર મને કેસ પરથી કોઈએ હટી જવા કહ્યું છે' કેજરીવાલને આવું કહેનારા જસ્ટિસ સ્વર્ણ કાન્તા શર્મા કોણ છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.