ધોનીએ પહેલી વખત પોતાના સૌથી પસંદગીના ખેલાડીના નામનો કર્યો ખુલાસો

મેદાન બહાર તો પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની પસંદ અને નાપસંદ બાબતે બધાને ખબર છે. કરોડો ફેન્સ જાણે છે કે તેમને બાઇક અને કારોનો કેટલો બધો શોખ છે. તે કેવી રીતે શાંતચિત્તે પોતાની જિંદગી વિતાવવાનું પસંદ કરે છે, પરંતુ મેદાન પર તેની પસંદ કેવી રહી છે, તેનો ઉલ્લેખ ક્યારેક ક્યારેક જ તેમણે કર્યો છે. મતલબ તેમના પસંદગીના બેટ્સમેન કે બોલર કોણ છે કે વર્તમાનમાં કોણ છે વગેરે વગેરે. હાલમાં જ હવે તેમાં એક પહેલું સામે આવ્યું છે અને તેણે એક સાર્વજનિક કાર્યક્રમમાં સ્પષ્ટ કહી દીધું કે વર્તમાન ભારતીય ટીમના દિગ્ગજોમાં તેનો પસંદગીનો ખેલાડી કોણ છે.

જ્યારે તાજેતરના જ એક કાર્યક્રમમાં મહેન્દ્ર સિંહ ધોનીના પસંદગીના ખેલાડીનું નામ પૂછવામાં આવ્યું તો તેણે વિલંબ કર્યા વિના જ જસપ્રીત બૂમરાહનું નામ લીધું. મહેન્દ્ર સિંહ ધોનીએ સ્પષ્ટ કરતા કહ્યું કે, વર્તમાનમાં તેનો કોઇ પસંદગીનો બેટ્સમેન નથી. તેનું કારણ વધારે વિવિધતા હોવાનું છે. ધોનીએ કહ્યું કે, તેનો અર્થ એ નથી કે અહી કોઇ સારો બેટ્સમેન નથી. મારો પસંદગીનો બોલર જસપ્રીત બૂમરાહ છે. બેટ્સમેનો બાબતે ધોનીએ કહ્યું કે, આપણી પાસે એટલા બધા બેટ્સમેન છે કે કોઇ એકનું નામ લેવાનું ખૂબ મુશ્કેલ થઇ જાય છે.

તેણે કહ્યું કે, આપણી પાસે એટલા બધા બેટ્સમેન છે કે જ્યારે કોઇ એકને બેટિંગ કરતા જુઓ તો લાગે છે કે તેને જ જોતા રહો. પરંતુ ત્યારે કોઇ બીજો બેટ્સમેન આવે છે. તે પણ એટલો જ સારો હોય છે. એવામાં જ્યાં સુધી ભારતીય ટીમ સારું કરી રહી છે, ત્યાં સુધી હું કોઇ એક બેટ્સમેનને પસંદ કરવા માગતો નથી. મને આશા છે કે તેઓ રન બનાવતા રહેશે.

ઉલ્લેખનીય છે કે જસપ્રીત બૂમરાહ માટે T20 વર્લ્ડ કપ શાનદાર રહ્યો હતો. તે ભારત માટે અર્શદીપ બાદ સૌથી વધુ વિકેટ લેનારો બોલર રહ્યો. તેણે 8 મેચોમાં કુલ 15 વિકેટ લીધી, પરંતુ તેની ઇકોનોમી રેટ જોઇને દરેક આશ્ચર્યચકિત રહી ગયું હતું. તેણે આખા વર્લ્ડ કપ ટૂર્નામેન્ટ દરમિયાન માત્ર 4.17ની ઇકોનોમી રેટથી રન આપ્યા. T20 ક્રિકેટમાં એમ કરવું એક અવિશ્વસનીય કામ છે. નોંધનીય છે કે બૂમરાહને શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટીમમાં સિલેક્ટ કરવામાં આવ્યો નથી. તેને આરામ આપવામાં આવ્યો છે, પરંતુ અટકળો છે કે તે સપ્ટેમ્બરમાં બાંગ્લાદેશ વિરુદ્ધ 2 ટેસ્ટ મેચોની સીરિઝમાં વાપસી કરી શકે છે.

Top News

PoK અંગે રાજનાથ સિંહે કહ્યું- 'તે મારો જ ભાઈ છે, મારાથી દૂર ક્યાં જશે'

રક્ષા મંત્રી રાજનાથ સિંહે ફરી એકવાર પાકિસ્તાનને પડકાર ફેંકતા મોટું નિવેદન આપ્યું છે. આ વખતે તેમણે POK પર એવું નિવેદન...
National 
PoK અંગે રાજનાથ સિંહે કહ્યું- 'તે મારો જ ભાઈ છે, મારાથી દૂર ક્યાં જશે'

‘મને અંગ્રેજી નથી આવડતી..’, આટલું બોલીને શિક્ષણમંત્રીએ હાથ જોડ્યા અને પકડ્યા કાન’ દામિનીએ પૂછ્યો હતો સવાલ

રાજસ્થાનના શિક્ષણ મંત્રી મદન દિલાવર શનિવારે અચાનક ચર્ચામાં આવી ગયા. તેમનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. એક દિવસ અગાઉ...
National  Politics 
‘મને અંગ્રેજી નથી આવડતી..’, આટલું બોલીને શિક્ષણમંત્રીએ હાથ જોડ્યા અને પકડ્યા કાન’ દામિનીએ પૂછ્યો હતો સવાલ

2012, 2017 અને 2022માં જે ભૂલ કરી છે તેના પરિણામે વિસાવદરનો વિકાસ થયો નથીઃ સી.આર.પાટીલ

સુરતને મિની સૌરાષ્ટ્ર તરીકે ઓળખવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં જ્યારે પણ રાજનીતિક વાતાવરણ ઊભું થાય તો સુરત મહત્ત્વનું કેન્દ્ર બની જાય...
Politics  Gujarat 
2012, 2017 અને 2022માં જે ભૂલ કરી છે તેના પરિણામે વિસાવદરનો વિકાસ થયો નથીઃ સી.આર.પાટીલ

સવજી ધોળકિયાની અનોખી પહેલ, 1 વૃક્ષ વાવો 1000 રૂપિયા લઇ જાવ, પણ શરતો અઘરી છે

દિવાળીમાં પોતાના કર્મચારીઓને કાર ભેટ આપવા માટે જાણીતી બનેલી હરિ ક્રિષ્ણા ડાયમંડ કંપનીએ હવે પોતાના કર્મચારીઓ માટે નવી યોજના બનાવી...
સવજી ધોળકિયાની અનોખી પહેલ, 1 વૃક્ષ વાવો 1000 રૂપિયા લઇ જાવ, પણ શરતો અઘરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.