ધોનીએ પહેલી વખત પોતાના સૌથી પસંદગીના ખેલાડીના નામનો કર્યો ખુલાસો

On

મેદાન બહાર તો પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની પસંદ અને નાપસંદ બાબતે બધાને ખબર છે. કરોડો ફેન્સ જાણે છે કે તેમને બાઇક અને કારોનો કેટલો બધો શોખ છે. તે કેવી રીતે શાંતચિત્તે પોતાની જિંદગી વિતાવવાનું પસંદ કરે છે, પરંતુ મેદાન પર તેની પસંદ કેવી રહી છે, તેનો ઉલ્લેખ ક્યારેક ક્યારેક જ તેમણે કર્યો છે. મતલબ તેમના પસંદગીના બેટ્સમેન કે બોલર કોણ છે કે વર્તમાનમાં કોણ છે વગેરે વગેરે. હાલમાં જ હવે તેમાં એક પહેલું સામે આવ્યું છે અને તેણે એક સાર્વજનિક કાર્યક્રમમાં સ્પષ્ટ કહી દીધું કે વર્તમાન ભારતીય ટીમના દિગ્ગજોમાં તેનો પસંદગીનો ખેલાડી કોણ છે.

જ્યારે તાજેતરના જ એક કાર્યક્રમમાં મહેન્દ્ર સિંહ ધોનીના પસંદગીના ખેલાડીનું નામ પૂછવામાં આવ્યું તો તેણે વિલંબ કર્યા વિના જ જસપ્રીત બૂમરાહનું નામ લીધું. મહેન્દ્ર સિંહ ધોનીએ સ્પષ્ટ કરતા કહ્યું કે, વર્તમાનમાં તેનો કોઇ પસંદગીનો બેટ્સમેન નથી. તેનું કારણ વધારે વિવિધતા હોવાનું છે. ધોનીએ કહ્યું કે, તેનો અર્થ એ નથી કે અહી કોઇ સારો બેટ્સમેન નથી. મારો પસંદગીનો બોલર જસપ્રીત બૂમરાહ છે. બેટ્સમેનો બાબતે ધોનીએ કહ્યું કે, આપણી પાસે એટલા બધા બેટ્સમેન છે કે કોઇ એકનું નામ લેવાનું ખૂબ મુશ્કેલ થઇ જાય છે.

તેણે કહ્યું કે, આપણી પાસે એટલા બધા બેટ્સમેન છે કે જ્યારે કોઇ એકને બેટિંગ કરતા જુઓ તો લાગે છે કે તેને જ જોતા રહો. પરંતુ ત્યારે કોઇ બીજો બેટ્સમેન આવે છે. તે પણ એટલો જ સારો હોય છે. એવામાં જ્યાં સુધી ભારતીય ટીમ સારું કરી રહી છે, ત્યાં સુધી હું કોઇ એક બેટ્સમેનને પસંદ કરવા માગતો નથી. મને આશા છે કે તેઓ રન બનાવતા રહેશે.

ઉલ્લેખનીય છે કે જસપ્રીત બૂમરાહ માટે T20 વર્લ્ડ કપ શાનદાર રહ્યો હતો. તે ભારત માટે અર્શદીપ બાદ સૌથી વધુ વિકેટ લેનારો બોલર રહ્યો. તેણે 8 મેચોમાં કુલ 15 વિકેટ લીધી, પરંતુ તેની ઇકોનોમી રેટ જોઇને દરેક આશ્ચર્યચકિત રહી ગયું હતું. તેણે આખા વર્લ્ડ કપ ટૂર્નામેન્ટ દરમિયાન માત્ર 4.17ની ઇકોનોમી રેટથી રન આપ્યા. T20 ક્રિકેટમાં એમ કરવું એક અવિશ્વસનીય કામ છે. નોંધનીય છે કે બૂમરાહને શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટીમમાં સિલેક્ટ કરવામાં આવ્યો નથી. તેને આરામ આપવામાં આવ્યો છે, પરંતુ અટકળો છે કે તે સપ્ટેમ્બરમાં બાંગ્લાદેશ વિરુદ્ધ 2 ટેસ્ટ મેચોની સીરિઝમાં વાપસી કરી શકે છે.

Related Posts

Top News

મહારાણા પ્રતાપના વશંજ અરવિંદ સિંહનું નિધન, 50000 કરોડની સંપત્તિ છોડી ગયા

રાજસ્થાનના ઉદયપુરના પૂર્વ રાજ પરિવારના સભ્ય અને મહારાણા પ્રતાપના વશંજ અરવિંદ મેવાડનું 16 માર્ચ, રવિવારે નિધન થયું છે. તેમની...
National 
મહારાણા પ્રતાપના વશંજ અરવિંદ સિંહનું નિધન, 50000 કરોડની સંપત્તિ છોડી ગયા

શું હવે વોટર ID પણ આધાર સાથે લિંક કરાશે? ચૂંટણી પંચ આ યોજના પર પુનર્વિચાર કરી રહ્યું છે

દેશમાં નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણીઓ સુનિશ્ચિત કરવા માટે, ચૂંટણી પંચે મતદાર યાદીમાં ગેરરીતિઓના આરોપોનો કાયમી અને વૈજ્ઞાનિક ઉકેલ શોધવાનો...
National 
શું હવે વોટર ID પણ આધાર સાથે લિંક કરાશે? ચૂંટણી પંચ આ યોજના પર પુનર્વિચાર કરી રહ્યું છે

પાકિસ્તાનમાં આવી રીતે 'હોળી' ઉજવવામાં આવી, ઇન્સ્ટાગ્રામની રીલે ભારતીયોના દિલ જીત્યા!

ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં પણ હિન્દુઓ ખુબ મોટી સંખ્યામાં રહે છે. જેના કારણે હિન્દુ તહેવારો નિમિત્તે ત્યાંથી વીડિયો આવતા રહે...
World 
પાકિસ્તાનમાં આવી રીતે 'હોળી' ઉજવવામાં આવી, ઇન્સ્ટાગ્રામની રીલે ભારતીયોના દિલ જીત્યા!

હું ગાંડાની જેમ તેની પાછળ દોડતો...લેક્સ ફ્રીડમેનના પોડકાસ્ટમાં PM મોદીની રસપ્રદ વાતો

PM નરેન્દ્ર મોદી અને પ્રખ્યાત અમેરિકન પોડકાસ્ટર લેક્સ ફ્રીડમેન વચ્ચેની વાતચીતના પોડકાસ્ટમાં PM મોદીએ ઘણા મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરી....
National 
હું ગાંડાની જેમ તેની પાછળ દોડતો...લેક્સ ફ્રીડમેનના પોડકાસ્ટમાં PM મોદીની રસપ્રદ વાતો

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.