નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ધોનીની ટીમ CSKના ઝંડા ન લઇ જવા દેવાયા? જાણો આખો મામલો

રવિવારે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)એ આ સીઝનની પોતાની અંતિમ મેચમાં ગુજરાત ટાઇટન્સ (GT) સામે મોટી જીત હાંસલ કરી હતી. પહેલા બેટિંગ કરતા ધોની એન્ડ કંપનીએ 230 રન બનાવ્યા હતા, જેમાં ડેવાલ્ડ બ્રેવિસે 23 બૉલમાં 57 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતની આખી ટીમ 147 રન પર જ ઓલઆઉટ થઈ ગઈ હતી. આ મેચમાં, એક ફેને ગંભીર આરોપ લગાવતા કહ્યું કે સ્ટેડિયમની અંદર CSKનો ધ્વજ લઈ જવા દેવામાં આવી રહ્યા નહોતા.

CSK
BCCI

 

ફેન્સને લાગી રહ્યું હતું કે, ધોનીને તેઓ ખેલાડી તરીકે મેદાન પર છેલ્લી વખત જોઈ રહ્યા હોય, આમ પણ ધોની જ્યાં રમે છે, તેના ફેન્સ ત્યાં પહોંચી જ જાય છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ગુજરાતનું હોમ ગ્રાઉન્ડ છે, પરંતુ રવિવારે તેને પીળો રંગ રંગી દેવામાં આવ્યું હતું. મોટાભાગના ફેન્સ CSKની જર્સીમાં જ આવ્યા હતા, પરંતુ આ દરમિયાન એક આરોપ લગાવતી ટ્વીટે બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. ધોની એન્ડ CSKના ફેને સોશિયલ મીડિયા પર લખ્યું કે, ‘નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં CSKનો ધ્વજ લઈ જવાની મંજૂરી નથી. જોત જોતામાં આ ટ્વીટ વાયરલ થઈ ગઈ.

અન્ય એક ફેને આ જ પોસ્ટનો જવાબમાં લખ્યું કે, શું થશે જો ઘરેલુ ટીમના ઝંડાઓથી વધારે CSKના ઝંડા તેમના પોતાના મેદાનમાં હોય? દરેક જગ્યાએ પીળો રંગ, અહીં સુધી કે અવે ગ્રાઉન્ડ પણ હોમ ગ્રાઉન્ડ જેવું લાગે છે. મને ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સીટી પણ લઈ જવા દેવામાં આવી નહોતી. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL 2025ની ફાઇનલ મેચ અને તે અગાઉની ક્વોલિફાયર 2 મેચ રમાશે. ચેન્નાઈ સુપર કિંગ્સની વાત કરીએ તો, ટીમનું પ્રદર્શન સૌથી ખરાબ રહ્યું. ટીમ 14 મેચોમાંથી 10 મેચ હારી ગઈ અને પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે રહી.

CSK
BCCI

 

મેચ બાદ ધોનીએ કહ્યું કે, ‘મારી પાસે નિર્ણય લેવા માટે 4-5 મહિના છે, તેમાં કોઈ ઉતાવળ નથી. મારે મારા શરીરને ફિટ રાખવાની જરૂરિયાત છે. જો ક્રિકેટર પોતાના પ્રદર્શનના આધારે સન્યાસ લેશે, તો કેટલાક 22 વર્ષની ઉંમરે જ સંન્યાસ લઈ લેશે. હું રાંચી પાછો જઈશ. બાઇક રાઇડનો આનંદ લઇશ. હું એમ કહી રહ્યો નથી કે હું સંન્યાસ લઈ રહ્યો છું, હું એમ પણ કહી રહ્યો નથી કે હું પાછો આવી રહ્યો છું. મારી પાસે ઘણો સમય છે. આ બાબતે વિચારીશ અને પછી નિર્ણય લઈશ.’

About The Author

Top News

સુરતમાં દાંતના ડોક્ટર સામે થયેલી 15 લાખની વળતરની માંગ કોર્ટે ફગાવી

​સુરત: ફરિયાદીની પુત્રીની દાંતની સારવારમાં સ્મીમેર હોસ્પિટલના દાંત વિભાગના તબીબોએ બેદરકારી દાખવીને જમણી બાજુને બદલે ડાબી બાજુની દાઢ કાઢી નાંખી...
Gujarat 
સુરતમાં દાંતના ડોક્ટર સામે થયેલી 15 લાખની વળતરની માંગ કોર્ટે ફગાવી

સુપ્રીમ કોર્ટે ઉમર અને શર્જીલને જામીન ન આપવાના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા

સુપ્રીમ કોર્ટે દિલ્હી રમખાણો કેસમાં ઉમર ખાલિદ અને શર્જીલ ઇમામને જામીન ન આપવાના પોતાના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે. જસ્ટિસ ...
National 
સુપ્રીમ કોર્ટે ઉમર અને શર્જીલને જામીન ન આપવાના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા

NEET પેપર લીક: 100 કરોડનું ટર્નઓવરવાળું કોચિંગ સેન્ટર ચલાવતા શિવરાજની ધરપકડ

NEET-UG 2026 પેપર લીક કેસની તપાસમાં એક બહુ મોટી સફળતા મળી છે. આ દેશવ્યાપી પરીક્ષા લીક નેટવર્કની તપાસના તાર હવે...
Education 
NEET પેપર લીક: 100 કરોડનું ટર્નઓવરવાળું કોચિંગ સેન્ટર ચલાવતા શિવરાજની ધરપકડ

અનોખા લગ્ન, 7 ફેરા ફરતા પહેલા વરરાજા અને કન્યાએ આ મેડિકલ ટેસ્ટ કરાવ્યો

હરિયાણાના ચરખી દાદરી જિલ્લામાં એક લગ્ન દેશભરમાં ચર્ચાનો વિષય બન્યા છે. પરંપરાગત વિધિઓ અને દેખાડાથી દૂર રહીને નવદંપતીઓએ લગ્ન પહેલાં ...
National 
અનોખા લગ્ન, 7 ફેરા ફરતા પહેલા વરરાજા અને કન્યાએ આ મેડિકલ ટેસ્ટ કરાવ્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.