નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ધોનીની ટીમ CSKના ઝંડા ન લઇ જવા દેવાયા? જાણો આખો મામલો

રવિવારે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)એ આ સીઝનની પોતાની અંતિમ મેચમાં ગુજરાત ટાઇટન્સ (GT) સામે મોટી જીત હાંસલ કરી હતી. પહેલા બેટિંગ કરતા ધોની એન્ડ કંપનીએ 230 રન બનાવ્યા હતા, જેમાં ડેવાલ્ડ બ્રેવિસે 23 બૉલમાં 57 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતની આખી ટીમ 147 રન પર જ ઓલઆઉટ થઈ ગઈ હતી. આ મેચમાં, એક ફેને ગંભીર આરોપ લગાવતા કહ્યું કે સ્ટેડિયમની અંદર CSKનો ધ્વજ લઈ જવા દેવામાં આવી રહ્યા નહોતા.

CSK
BCCI

 

ફેન્સને લાગી રહ્યું હતું કે, ધોનીને તેઓ ખેલાડી તરીકે મેદાન પર છેલ્લી વખત જોઈ રહ્યા હોય, આમ પણ ધોની જ્યાં રમે છે, તેના ફેન્સ ત્યાં પહોંચી જ જાય છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ગુજરાતનું હોમ ગ્રાઉન્ડ છે, પરંતુ રવિવારે તેને પીળો રંગ રંગી દેવામાં આવ્યું હતું. મોટાભાગના ફેન્સ CSKની જર્સીમાં જ આવ્યા હતા, પરંતુ આ દરમિયાન એક આરોપ લગાવતી ટ્વીટે બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. ધોની એન્ડ CSKના ફેને સોશિયલ મીડિયા પર લખ્યું કે, ‘નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં CSKનો ધ્વજ લઈ જવાની મંજૂરી નથી. જોત જોતામાં આ ટ્વીટ વાયરલ થઈ ગઈ.

અન્ય એક ફેને આ જ પોસ્ટનો જવાબમાં લખ્યું કે, શું થશે જો ઘરેલુ ટીમના ઝંડાઓથી વધારે CSKના ઝંડા તેમના પોતાના મેદાનમાં હોય? દરેક જગ્યાએ પીળો રંગ, અહીં સુધી કે અવે ગ્રાઉન્ડ પણ હોમ ગ્રાઉન્ડ જેવું લાગે છે. મને ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સીટી પણ લઈ જવા દેવામાં આવી નહોતી. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL 2025ની ફાઇનલ મેચ અને તે અગાઉની ક્વોલિફાયર 2 મેચ રમાશે. ચેન્નાઈ સુપર કિંગ્સની વાત કરીએ તો, ટીમનું પ્રદર્શન સૌથી ખરાબ રહ્યું. ટીમ 14 મેચોમાંથી 10 મેચ હારી ગઈ અને પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે રહી.

CSK
BCCI

 

મેચ બાદ ધોનીએ કહ્યું કે, ‘મારી પાસે નિર્ણય લેવા માટે 4-5 મહિના છે, તેમાં કોઈ ઉતાવળ નથી. મારે મારા શરીરને ફિટ રાખવાની જરૂરિયાત છે. જો ક્રિકેટર પોતાના પ્રદર્શનના આધારે સન્યાસ લેશે, તો કેટલાક 22 વર્ષની ઉંમરે જ સંન્યાસ લઈ લેશે. હું રાંચી પાછો જઈશ. બાઇક રાઇડનો આનંદ લઇશ. હું એમ કહી રહ્યો નથી કે હું સંન્યાસ લઈ રહ્યો છું, હું એમ પણ કહી રહ્યો નથી કે હું પાછો આવી રહ્યો છું. મારી પાસે ઘણો સમય છે. આ બાબતે વિચારીશ અને પછી નિર્ણય લઈશ.’

About The Author

Top News

ગોપાલ ઇટાલિયાને ધારાસભ્ય તરીકે કેટલો પગાર મળશે? શું-શું સુવિધા મળશે?

વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આખરે 23 દિવસ પછી 16 જુલાઇએ શપથ લીધા હતા. સાથે કડીના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાએ પણ શપથ...
Gujarat 
ગોપાલ ઇટાલિયાને ધારાસભ્ય તરીકે કેટલો પગાર મળશે? શું-શું સુવિધા મળશે?

મોદી સરકારને ઘેરતા પહેલા જ INDIA ગઠબંધનમાં તિરાડ! AAP-TMC બેઠકમાં કેમ નહીં આવે?

સંસદનું ચોમાસુ સત્ર 21 જુલાઈ, 2025થી શરૂ થવા જઈ રહ્યું છે. વિરોધ પક્ષોનું ગઠબંધન INDIA બ્લોક, ચોમાસુ...
National 
મોદી સરકારને ઘેરતા પહેલા જ INDIA ગઠબંધનમાં તિરાડ! AAP-TMC બેઠકમાં કેમ નહીં આવે?

લોર્ડ્સમાં RCBના ખેલાડીની બેઇજ્જતી! જીતેશને સ્ટેડિયમમાં ઘૂસવા ન દીધો? પછી એણે DKને પાડી બૂમ

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સમાં 5 મેચોની ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચ  રમાઇ હતી. આ દિલ ધડક મેચમાં ભારતીય ટીમને 22...
Sports 
લોર્ડ્સમાં RCBના ખેલાડીની બેઇજ્જતી! જીતેશને સ્ટેડિયમમાં ઘૂસવા ન દીધો? પછી એણે DKને પાડી બૂમ

કરોડોના માલિક મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા 4 હજારનો ઇ-મેમો કેમ નથી ભરતા

મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા છેલ્લાં કેટલાંક દિવસોથી ગુજરાતના રાજકારણમાં ચર્ચામાં છે. વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને મોરબીમાં ચૂંટણી લડવા માટે...
Gujarat 
કરોડોના માલિક મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા 4 હજારનો ઇ-મેમો કેમ નથી ભરતા
Copyright (c) Khabarchhe All Rights Reserved.