મુંબઈ ઈન્ડિયન્સે કોલકાતા નાઈટ રાઈડર્સને હરાવ્યું, પરંતુ રોહિત શર્માએ 3 મેચમાં બનાવ્યા 21 રન

ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2025 માં, મુંબઈ ઈન્ડિયન્સે (MI)સતત બે હારનો સામનો કર્યા પછી પ્રથમ જીત હાંસલ કરી છે. 31 માર્ચ (સોમવાર)ના રોજ વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ને 8 વિકેટથી હરાવ્યું હતું. આ મેચમાં પાંચ વખતની IPL ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને જીતવા માટે 117 રનનો ટાર્ગેટ હતો, જે તેણે 43 બોલ બાકી રહેતાં હાંસલ કરી લીધો હતો.

Rohit-shrma
indiatoday.in

હિટમેને ફરીથી કર્યો બેટથી નિરાશ 

મુંબઈ ઈન્ડિયન્સે જીતનું ખાતું ખોલ્યું છે, પરંતુ તેમના માટે ચિંતાનું કારણ અનુભવી બેટ્સમેન રોહિત શર્માનું ફોર્મ બની ગયું છે. રોહિત કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચમાં માત્ર 13 રન બનાવીને આન્દ્રે રસેલના બોલ પર હર્ષિત રાણાના હાથે કેચ આઉટ થયો હતો. રોહિતે આ મેચમાં 'ઈમ્પેક્ટ સબ' તરીકે પ્રવેશ કર્યો હતો, પરંતુ તે બેટથી પ્રભાવ પાડી શક્યો ન હતો.

અગાઉ રોહિત શર્માએ ગુજરાત ટાઇટન્સ (જીટી) સામે 8 રન બનાવ્યા હતા અને ત્યારે તેની વિકેટ મોહમ્મદ સિરાજે લીધી હતી. જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામેની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના ભૂતપૂર્વ કેપ્ટનનું ખાતું પણ ખુલ્યું ન હતું. તે મેચમાં રોહિતને ખલીલ અહેમદે આઉટ કર્યો હતો. એટલે કે રોહિત શર્માએ અત્યાર સુધી IPL 2025ની ત્રણ ઇનિંગ્સમાં 7ની એવરેજથી 21 રન બનાવ્યા છે અને તે ત્રણેય ઇનિંગ્સમાં ફાસ્ટ બોલરનો શિકાર બન્યો છે.

જોકે, રોહિત શર્માનું IPLમાં ખરાબ ફોર્મ છેલ્લા કેટલાક સિઝનથી ચાલી રહ્યું છે. જો જોવામાં આવે તો IPL 2020 થી અત્યાર સુધી માત્ર 8 પ્રસંગો એવા બન્યા છે જ્યારે રોહિત શર્માએ કોઈ IPL મેચમાં 50 કે તેથી વધુ રન બનાવ્યા હોય. આ સમયગાળા દરમિયાન તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 105 રન હતો, જે તેણે ગત સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે બનાવ્યો હતો. જો કે તે સદીની ઇનિંગ છતાં મુંબઈને હારનો સામનો કરવો પડ્યો હતો. રોહિતે છેલ્લી પાંચ IPL સિઝનમાંથી માત્ર એકમાં 400 રનનો આંકડો પાર કર્યો છે, જેના કારણે તેના વર્તમાન પ્રદર્શન પર પણ વધુ સવાલો ઉભા થઈ રહ્યા છે.

Rohit-shrma.2
indiatoday.in

હિટમેનના નામથી પ્રખ્યાત રોહિત શર્મા ઈન્ડિયન પ્રીમિયર લીગમાં અત્યાર સુધીમાં 260 મેચ રમી ચૂક્યો છે. આ સમયગાળા દરમિયાન તેણે 6649 રન બનાવ્યા છે, જેમાં 2 સદી અને 43 અડધી સદી સામેલ છે. રોહિતનો IPLમાં સર્વોચ્ચ સ્કોર 109* રન છે. તેની એવરેજ 29.42 અને સ્ટ્રાઈક રેટ 131.04 છે. રોહિતે તેની કેપ્ટનશીપમાં મુંબઈ ઈન્ડિયન્સને પાંચ વખત આઈપીએલ ચેમ્પિયન બનાવ્યું હતું. પરંતુ ગત સિઝનમાં તેના સ્થાને મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવાનો નિર્ણય કર્યો હતો. હાર્દિક વર્તમાન સિઝનમાં પણ મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ કરી રહ્યો છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 14-03-2025 વાર- શનિવાર  મેષ -  સંતાનો પ્રત્યે ચિંતા રહે, ધારેલો લાભ દૂર જતો લાગે, ભગવાન શિવના જાપ કરવાથી શાંતિ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પિરિયડ્સ માટે રજા આપવાની માંગણી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો

દેશભરમાં કામ કરતી મહિલાઓ અને વિદ્યાર્થીનીઓ માટે ફરજિયાત માસિક રજાની માંગ કરતી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે...
National 
પિરિયડ્સ માટે રજા આપવાની માંગણી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો

LPG અછત: ગુજરાતમાં લારી-ઢાબા સંકટમાં, વેપારીઓ બોલ્યા- 2000નો ધંધો થાય છે અને બ્લેકમાં ગેસ બાટલા 3 ગણા ભાવે મળે છે

મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે વિશ્વભરમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં આખું વિશ્વ પિસાઈ રહ્યું...
Gujarat 
LPG અછત: ગુજરાતમાં લારી-ઢાબા સંકટમાં, વેપારીઓ બોલ્યા- 2000નો ધંધો થાય છે અને બ્લેકમાં ગેસ બાટલા 3 ગણા ભાવે મળે છે

લોકગાયિકા કિંજલ રબારીએ કેમ સરકાર પાસે સુરક્ષા માંગી?

ગુજરાતમાં જાણીતી મહિલા કલાકારોના આંતરજ્ઞાતીય લગ્નોને લઈને વિવાદોનો સિલસિલો યથાવત્ જોવા મળી રહ્યો છે. અગાઉ કિંજલ દવે અને આરતી સાંગાણીના...
Gujarat 
લોકગાયિકા કિંજલ રબારીએ કેમ સરકાર પાસે સુરક્ષા માંગી?

Opinion

બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના અમરેલી જિલ્લામાં ખેડૂતોના હિત માટે અવાજ ઉઠાવનાર અને રાજકીય સામાજિક ક્ષેત્રે લાંબી સફર કરનાર એક સૌસ્વીકૃત નામ...
માતા-પિતાના સ્નેહનું ઋણ ચૂકવી શકાય નહીં પરંતુ તેમની સેવા કરી, આદર તથા સાથ આપીને જ થોડું ઘણું ચૂકવી શકાય
જે લોકો ચૂપચાપ સેવા કરે છે તેઓ જ આ સમાજના અસલી હીરો છે
નિર્લિપ્ત રાય-એક ધૂરંધર IPS ઓફિસર જેનાથી ગુનેગારો જ નહીં નેતા અને પોલીસ પણ ડરે છે!
ગ્રીનલેબ ડાયમંડ્સ: મુકેશભાઈ પટેલ રાષ્ટ્રભક્તિ અને પાટીદાર સમાજ પ્રત્યે અમૂલ્ય યોગદાન આપનાર વ્યક્તિત્વ
Copyright (c) Khabarchhe All Rights Reserved.