એશિયા કપ 2023 માટે એવા દેશની ટીમે ક્વોલિફાય કરી લીધું કે તમને વિશ્વાસ નહીં થાય

1984 થી એશિયા કપની 15 સીઝન રમાઈ છે. જેમાં એશિયા ખંડની ક્રિકેટ ટીમો ભાગ લે છે. છેલ્લી વખત શ્રીલંકાએ છઠ્ઠી વખત 2022 ટૂર્નામેન્ટ જીતી હતી. જ્યારે આ ટૂર્નામેન્ટ રદ્દ થવાની અટકળો ચાલી રહી છે, ત્યારે કંઈક એવું થયું જે છેલ્લા 39 વર્ષમાં થયું નથી. એશિયા કપની આગામી ટુર્નામેન્ટમાં 6 ટીમો ભાગ લેવા જઈ રહી છે. જેના માટે પાંચ ટીમોના નામ પહેલેથી જ નક્કી કરવામાં આવ્યા હતા.

નેપાળ ક્રિકેટ ટીમે 1 મે 2023ના રોજ ઈતિહાસ રચ્યો હતો. નેપાળની ટીમ ACC એશિયા કપ 2023 માટે ક્વોલિફાય થઈ ગઈ છે. નેપાળની ટીમ પ્રથમ વખત આ એશિયન ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય થઈ છે. ACC પ્રીમિયર લીગમાં નેપાળની ટીમે ફાઇનલમાં UAEની ટીમને હરાવીને એશિયા કપ 2023ની ટિકિટ બુક કરી છે. ગુલશન કુમાર ઝાની 84 બોલમાં 67 રનની ઈનિંગ્સે નેપાળની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ટુર્નામેન્ટ માટે પહેલાથી જ પાંચ ટીમો નક્કી કરવામાં આવી હતી, જેમાં ભારત અને પાકિસ્તાનની ટીમોના નામ સામેલ છે.

આ ટૂર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન ઉપરાંત ડિફેન્ડિંગ ચેમ્પિયન શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનની ટીમો પણ રમશે. હવે નેપાળ પણ છઠ્ઠી ટીમ તરીકે આ માટે ક્વોલિફાય થઈ ગયું છે. છેલ્લી વખત જ્યારે આ ટુર્નામેન્ટ રમાઈ હતી ત્યારે UAEની ટીમ ટુર્નામેન્ટની છઠ્ઠી ટીમ હતી. જોકે, એશિયા કપ 2023 ક્યાં યોજાશે તે હજુ નક્કી થયું નથી. હાલમાં તે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા હોસ્ટ કરવામાં આવે છે.

આ મેચની વાત કરીએ તો નેપાળની ટીમના કેપ્ટન રોહિત કુમારે ટોસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. કેપ્ટનનો આ નિર્ણય સાચો સાબિત થયો, કારણ કે UAEની ટીમ 33.1 ઓવરમાં 117 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આસિફ ખાને ચોક્કસપણે 46 રન બનાવ્યા હતા, પરંતુ તેના સિવાય અન્ય કોઈ બેટ્સમેન રમ્યો નહોતો. આ સાથે જ નેપાળની ટીમે 30.2 ઓવરમાં 118 રનનો ટાર્ગેટ હાંસલ કર્યો હતો અને પ્રથમ વખત એશિયા કપ માટે ક્વોલિફાય કરીને ઈતિહાસ રચ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ વખતે એશિયા કપમાં છ ટીમો રમશે. આ ટુર્નામેન્ટ 2 થી 17 સપ્ટેમ્બર દરમિયાન રમાશે. જોકે, સ્થળ અંગેની અનિશ્ચિતતાને કારણે મેચનું ચોક્કસ સમયપત્રક હજુ જાહેર કરવામાં આવ્યું નથી.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.