કોહલી-રોહિત, શમી-રાહુલ નહીં, ગંભીરે આ ખેલાડીને ગણાવ્યો વર્લ્ડ કપનો 'ગેમ ચેન્જર'

વર્લ્ડ કપ 2023ની ટાઈટલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 19 નવેમ્બરે અમદાવાદના પ્રતિષ્ઠિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ટીમ ઈન્ડિયા તેની ત્રીજી વર્લ્ડ કપ ટ્રોફી જીતવા પર નજર રાખશે, ત્યારે કાંગારુ ટીમ તેનો રેકોર્ડ છઠ્ઠો વર્લ્ડ કપ જીતવા ઈચ્છશે. આ મેચ પહેલા પૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીરે ટીમ ઈન્ડિયાના એક ખેલાડી વિશે એક મોટી વાત કહી છે. આ ખેલાડી વિશે ગંભીરનું માનવું છે કે, તે વર્લ્ડ કપ 2023નો સૌથી મોટો 'ગેમ ચેન્જર' છે અને ફાઈનલ મેચમાં ટીમ માટે મહત્વની ભૂમિકા ભજવી શકે તેમ છે.

ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીરનું માનવું છે કે, શ્રેયસ અય્યર વર્લ્ડ કપ 2023નો સૌથી મોટો 'ગેમ ચેન્જર' છે. મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ ગંભીરે શ્રેયસ અય્યર વિશે કહ્યું, 'મારા માટે શ્રેયસ અય્યર આ વર્લ્ડ કપનો સૌથી મોટો ગેમ ચેન્જર છે.' તેણે આગળ કહ્યું, 'તે ઈજાગ્રસ્ત હતો અને ટીમમાં તેનું સ્થાન શોધી રહ્યો હતો. સેમીફાઈનલ જેવી મોટી મેચમાં 70 બોલ રમીને સદી ફટકારવી એ શાનદાર પ્રદર્શન છે. ઓસ્ટ્રેલિયા સામેની ફાઈનલ મેચમાં તે મહત્વની ભૂમિકા ભજવવા જઈ રહ્યો છે, જ્યારે મેક્સવેલ અને ઝમ્પા બોલિંગ કરશે.'

અહીં તમને જણાવી દઈએ કે, ન્યૂઝીલેન્ડ સામેની સેમીફાઈનલમાં ભારતની જીતમાં ઐયરે ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ચોથા નંબર પર બેટિંગ કરીને તેણે કોહલીને માત્ર સપોર્ટ જ નહીં કર્યો પરંતુ ઝડપી ગતિએ રન પણ બનાવ્યા, જેના કારણે રન રેટને લઈને કોહલી પર વધુ દબાણ રહ્યું નહોતું. અય્યરે માત્ર 70 બોલમાં 4 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 105 રન બનાવ્યા હતા. આ તેની વર્લ્ડ કપની બીજી સદી હતી. અગાઉ, તેણે ટૂર્નામેન્ટની છેલ્લી લીગ મેચમાં નેધરલેન્ડ સામે પ્રથમ વિશ્વ કપ સદી ફટકારીને 128 રનની મોટી ઇનિંગ્સ રમી હતી. આ ઇનિંગમાં તેણે 10 ફોર અને 5 સિક્સર ફટકારી હતી.

અહીં તમને જણાવી દઈએ કે, વર્લ્ડ કપ 2023માં શ્રેયસ અય્યર રોહિત શર્મા (550) અને વિરાટ કોહલી (711) પછી ત્રીજા નંબર પર છે. તેના નામે 10 મેચમાં 526 રન છે. આ દરમિયાન તેણે 2 સદી પણ ફટકારી છે. આ સાથે જ તે ટૂર્નામેન્ટના ટોપ રન સ્કોરરની યાદીમાં 7મા નંબર પર છે. વિરાટ કોહલી વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી વધુ 711 રન બનાવનાર બેટ્સમેન છે. તેણે આ મામલે સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો છે.

ઓસ્ટ્રેલિયા સામે તેનો પાછલો હિસાબ બરાબર કરવા માટે ટીમ ઈન્ડિયા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રવેશ કરશે. ઓસ્ટ્રેલિયાએ 2003 વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતને હરાવીને વર્લ્ડ કપ જીતવાનું સપનું તોડી નાખ્યું હતું. આવી સ્થિતિમાં ભારત પાસે હવે પોતાની ધરતી પર ઈતિહાસ રચવાની અને બદલો લેવાની મોટી તક છે. છેલ્લી વખત ટીમ ઈન્ડિયા 2011નો વર્લ્ડ કપ જીતવામાં સફળ રહી હતી. જ્યારે, 2013ની ચેમ્પિયન્સ ટ્રોફી એ ભારતીય ટીમનું છેલ્લું ICC ટાઇટલ રહ્યું હતું.

About The Author

Top News

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો: 26થી વધુ પ્રવાસીઓના મોતની આશંકા

જમ્મુ-કાશ્મીરના પહલગામની બેસરન ખીણમાં 22 એપ્રિલ, 2025ના રોજ થયેલા એક ભયાનક આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા 26 લોકોના મોતની આશંકા વ્યક્ત...
National 
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો: 26થી વધુ પ્રવાસીઓના મોતની આશંકા

ગુજરાતમાં સોનાનો ભાવ 1 લાખ પાર, પણ ઝવેરીઓ દુખી

દેશમાં પહેલીવાર ગુજરાતાં સોનાનો ભાવ 1 લાખને પાર કરી ગયો છે. આંતરરાષ્ટ્રીય બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ ઔંસ દીઠ 3430 ડોલર...
Business 
ગુજરાતમાં સોનાનો ભાવ 1 લાખ પાર, પણ ઝવેરીઓ દુખી

'વ્યાજે રૂપિયા ક્યારેય ન લેતા...' શું ગોવિંદકાકાની સલાહનું પાલન કરવું સરળ છે?

તાજેતરમાં સુરતના ઇન્ડોર સ્ટેડીયમમાં SRK ડાયમંડ કંપની દ્રારા પરિવારોત્સવ 2025ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કંપનીના 61 વર્ષ પુરા...
Gujarat 
'વ્યાજે રૂપિયા ક્યારેય ન લેતા...' શું ગોવિંદકાકાની સલાહનું પાલન કરવું સરળ છે?

મોહમ્મદ અઝહરુદ્દીનને હવે થઇ રહ્યો છે ક્રિકેટ રમવાનો અફસોસ, જાણો શું છે સ્ટેન્ડનો વિવાદ

ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને તેમના સમયના મહાન બેટ્સમેન મોહમ્મદ અઝહરુદ્દીનને હવે પસ્તાવો થાય છે કે, તેઓ ક્રિકેટ રમ્યા...
Sports 
મોહમ્મદ અઝહરુદ્દીનને હવે થઇ રહ્યો છે ક્રિકેટ રમવાનો અફસોસ, જાણો શું છે સ્ટેન્ડનો વિવાદ
Copyright (c) Khabarchhe All Rights Reserved.