વર્લ્ડ કપ અગાઉ શું બોલી ગયો રોહિત શર્મા, WC કોઈ થાળીમાં સજાવીને આપવા નહીં આવે..

ભારતીય ટીમને વર્લ્ડ કપ જીતવાની દાવેદાર માનવામાં આવી રહી છે. આ વખતનું ટૂર્નામેન્ટનું આયોજન ભારતમાં થવા જ રહ્યું છે. તેનું આયોજન ઓક્ટોબર-નવેમ્બર વચ્ચે થવાનું છે. ભારતીય ટીમે ગત વખત ઘર પર રમાયેલી વર્લ્ડ કપ ફાઇનલમાં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં શ્રીલંકાને હરાવીને વર્ષ 2011નો વર્લ્ડ કપ જીત્યો હતો. રોહિત શર્માએ મીડિયાને કહ્યું કે, ઈમાનદારીથી કહું તો મેં ક્યારેય (50 ઓવરનો) વર્લ્ડ કપ જીત્યો નથી. વર્લ્ડ કપ જીતવાનું સપનું છે અને અહીં તેના માટે પડકાર રજૂ કરવાની ખુશીની વાત કંઇ અલગ નહીં હોય શકે.

તેણે કહ્યું કે, વર્લ્ડ કપ જીતવું ખૂબ મોટી વાત હોય છે, પરંતુ તેને હાંસલ કરવાનું ખૂબ મુશ્કેલ હોય છે. તમને વર્લ્ડ કપ થાળીમાં સજાવીને મળતો નથી, તમારે સખત મહેનત કરવી પડે છે અને વર્ષ 2011થી આટલા વર્ષોથી અમે એ જ કરી રહ્યા છીએ. અમે બધા તેના માટે લડી રહ્યા છીએ. રોહિત શર્માએ કહ્યું કે, બધા મેદાન પર ઉતરવા અને જીતવા માટે ઉત્સુક છે કેમ કે અમને ખબર છે કે અમારી પાસે સારી ટીમ છે. અમે બધા સારા ખેલાડી છીએ, અમારી પાસે આત્મવિશ્વાસ છે કે અમે એમ કરી શકીએ.

રોહિત શર્માએ કહ્યું કે, એમ ન થયુંનો અર્થ એ નથી અમે તેને હલકામાં લઈશું. જ્યારે અમે વર્ષ 2022ના વર્લ્ડ કપમાં હાર્યા તો મેં કહ્યું હતું કે અમે આગામી વર્લ્ડ કપમાં પડકાર ઊભો કરીશું. મારે સૌથી પહેલા બેટ્સમેનના રૂપમાં સારું કરવું પડશે. કેપ્ટન્સી ત્યારબાદ આવે છે. ટીમ મારી ભૂમિકા બેટ્સમેનથી વધુ છે. સૌથી પહેલા મારે મોટી ઈનિંગ્સ રમવી પડશે અને ટીમ માટે મેચ જીતવી પડશે. ગયા વર્ષે પણ અમે એમ કર્યું હતું. T20 વર્લ્ડ કપ થવા હતો એટલે અમે વન-ડે ક્રિકેટ ન રમી.

તેણે કહ્યું કે, અત્યારે પણ અમે એમ કરી રહ્યા છીએ. વિરાટ કોહલીના હાલમાં ભારતની T20 સીરિઝમાં ન રમવા બાબતે પૂછવામાં આવતા રોહિત શર્માએ કહ્યું કે, આ વર્લ્ડ કપનું વર્ષ છે. અમે બધાને ફ્રેશ રાખવા માગીએ છીએ. પહેલાથી જ અમારી ટીમમાં એટલી ઇજાઓ છે કે હવે મને ઇજાઓથી ડર લાગે છે. ખેર હવે જોવાનું એ રહેશે કે આ વખત ભારતમાં આયોજિત થનારા વર્લ્ડ કપમાં ભારત કેવું પ્રદર્શન કરે છે અને ટીમ વર્ષ 2011 બાદ ભારતને વર્લ્ડ કપ અપાવી શકે છે કે નહીં.

About The Author

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.