રોહિત શર્માએ જણાવ્યું પીચની માટી કેમ ખાધી અને ટ્રોફી લેવા સ્લો મોશનમાં કેમ ગયો

T20 વર્લ્ડ કપ 2024ની ટ્રોફી જીત્યા બાદ ભારતીય ટીમે ગુરુવારે (4 જુલાઈએ) પહેલી વખત પોતાની ધરતી પર પગ રાખ્યો. આ ઐતિહાસિક જીતે દેશવાસીઓને પણ સેલિબ્રેશન મનાવવાનો અવસર આપ્યો. ચેમ્પિયન્સના સ્વગતમાં લાખો ફેન્સ એકત્ર થયા અને દિલ્હીથી લઈને મુંબઈ સુધી અદ્વભૂત, અતુલનીય અને અવિશ્વાસનિય નજારો જોવા મળ્યો. આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ચેમ્પિયન ટીમ સાથે વાતચીત કરી.

આ વાતચીત દરમિયાન તેમણે કેપ્ટન રોહિત શર્માને એ વાત પણ પૂછી લીધી, જે બધા દેશવાસીઓના મનમાં હતી. એ પળ જ્યારે આ ઐતિહાસિક જીત બાદ તેણે (રોહિત શર્માએ) પીચની પાટી ખાધી અને સ્લો મોશનમાં ટ્રોફી લેવા પહોંચ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોહિત શર્માને પૂછ્યું કે જમીન ભલે ગમે તે હોય અને માટી કોઈ પણ હોય, પરંતુ ક્રિકેટની જિંદગી પીચ પર જ હોય છે. તમે ક્રિકેટની જિંદગીનું ચુંબન કર્યું, એ કોઈ ભારતીય જ કરી શકે છે. આ પળો પાછળ તમારા મનને જાણવા માગું છું.

તેના પર જવાબ આપતા રોહિત શર્માએ કહ્યું કે, જ્યાં અમને એ જીત મળી, તેની એ પળ યાદ રાખવી હતી અને ચાખવી હતી કેમ કે અમે એ પીચ પર રમીને જીત્યા. અમે બધાએ એટલો ઇંતજાર કર્યો. અમારી બિલકુલ પાસે આવ્યો હતો વર્લ્ડ કપ, પરંતુ અમે હાંસલ ન કરી શક્યા. હવે જ્યારે એ વસ્તુને હાંસલ કરી તો એ પળમાં એ મારાથી થઈ ગયું.  ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોહિત શર્માને પૂછ્યું કે દરેક દેશવાસીએ માર્ક કર્યું છે અને મને તેમાં ઇમોશન્સ નજરે પડે છે, જ્યારે તમે ટ્રોફી લેવા જઇ રહ્યા હતા, એ જે નૃત્ય હોય છે. તેની પાછળ શું હતું?

આ સવાલના જવાબમાં રોહિત શર્માએ કહ્યું કે, અમે બધા માટે એ એટલી મોટી ક્ષણ હતી અને અમે બધા આ વસ્તુને એટલા વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા. મને આ છોકરીઓ બોલ્યા કે ટ્રોફી લેવા માત્ર એમ જ ચાલીને ન જતો. કંઈક અલગ કરવું હતું તો યુઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવે એમ કરવા કહ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂછ્યું કે આ આઇડિયા કોનો હતો ચહલનો હતો? તો રોહિત શર્માએ કહ્યું કે, બંનેનો જ, ચહલ અને કુલદીપ.

Related Posts

Top News

22 વીઘા જમીનમાં બનાવ્યો નકલી આર્મી ટ્રેનિંગ કેમ્પ, 4 વર્ષમાં 600 યુવાનો પાસેથી 18 કરોડની છેતરપિંડી કરી

ઉત્તર પ્રદેશના મૈનપુરીમાં એક નકલી આર્મી ટ્રેનિંગ કેમ્પનો પર્દાફાશ થયો છે. જિલ્લાના કિશની વિસ્તારમાં જટપુરા ચાર રસ્તા પાસે 22 વીઘા...
National 
22 વીઘા જમીનમાં બનાવ્યો નકલી આર્મી ટ્રેનિંગ કેમ્પ, 4 વર્ષમાં 600 યુવાનો પાસેથી 18 કરોડની છેતરપિંડી કરી

રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા: સુરતના ડાયમંડ ઉદ્યોગકારે કરોડોની જ્વેલરી દાનમાં આપી

અયોધ્યા રામ મંદિરમાં 22 જાન્યુઆરી 2024ના દિવસે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ થયો હતો હવે 498 દિવસ પછી 5 જૂન...
Gujarat 
રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા: સુરતના ડાયમંડ ઉદ્યોગકારે કરોડોની જ્વેલરી દાનમાં આપી

કડી વિધાનસભાના ઉમેદવારનું નામ નીતિન પટેલ માટે કેમ ઝટકા સમાન છે?

કડી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ફરી એકવાર નીતિન પટેલને મોટો ઝટકો આપ્યો છે. નીતિન પટેલ જે ઉમદવારો માટે લોબીંગ કરી રહ્યા...
Gujarat 
કડી વિધાનસભાના ઉમેદવારનું નામ નીતિન પટેલ માટે કેમ ઝટકા સમાન છે?

AM/NS India દ્વારા વર્લ્ડ એન્વાયર્નમેન્ટ ડે નિમિત્તે સસ્ટેનેબિલિટી વીકની ઉજવણી

હજીરા - સુરત, જૂન 4, 2025: વિશ્વ પર્યાવરણ દિવસ 2025ની ઉજવણીના ભાગરૂપે, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) – વિશ્વના...
Gujarat 
AM/NS India દ્વારા વર્લ્ડ એન્વાયર્નમેન્ટ ડે નિમિત્તે સસ્ટેનેબિલિટી વીકની ઉજવણી
Copyright (c) Khabarchhe All Rights Reserved.