રોહિત શર્માએ જણાવ્યું પીચની માટી કેમ ખાધી અને ટ્રોફી લેવા સ્લો મોશનમાં કેમ ગયો

On

T20 વર્લ્ડ કપ 2024ની ટ્રોફી જીત્યા બાદ ભારતીય ટીમે ગુરુવારે (4 જુલાઈએ) પહેલી વખત પોતાની ધરતી પર પગ રાખ્યો. આ ઐતિહાસિક જીતે દેશવાસીઓને પણ સેલિબ્રેશન મનાવવાનો અવસર આપ્યો. ચેમ્પિયન્સના સ્વગતમાં લાખો ફેન્સ એકત્ર થયા અને દિલ્હીથી લઈને મુંબઈ સુધી અદ્વભૂત, અતુલનીય અને અવિશ્વાસનિય નજારો જોવા મળ્યો. આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ચેમ્પિયન ટીમ સાથે વાતચીત કરી.

આ વાતચીત દરમિયાન તેમણે કેપ્ટન રોહિત શર્માને એ વાત પણ પૂછી લીધી, જે બધા દેશવાસીઓના મનમાં હતી. એ પળ જ્યારે આ ઐતિહાસિક જીત બાદ તેણે (રોહિત શર્માએ) પીચની પાટી ખાધી અને સ્લો મોશનમાં ટ્રોફી લેવા પહોંચ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોહિત શર્માને પૂછ્યું કે જમીન ભલે ગમે તે હોય અને માટી કોઈ પણ હોય, પરંતુ ક્રિકેટની જિંદગી પીચ પર જ હોય છે. તમે ક્રિકેટની જિંદગીનું ચુંબન કર્યું, એ કોઈ ભારતીય જ કરી શકે છે. આ પળો પાછળ તમારા મનને જાણવા માગું છું.

તેના પર જવાબ આપતા રોહિત શર્માએ કહ્યું કે, જ્યાં અમને એ જીત મળી, તેની એ પળ યાદ રાખવી હતી અને ચાખવી હતી કેમ કે અમે એ પીચ પર રમીને જીત્યા. અમે બધાએ એટલો ઇંતજાર કર્યો. અમારી બિલકુલ પાસે આવ્યો હતો વર્લ્ડ કપ, પરંતુ અમે હાંસલ ન કરી શક્યા. હવે જ્યારે એ વસ્તુને હાંસલ કરી તો એ પળમાં એ મારાથી થઈ ગયું.  ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોહિત શર્માને પૂછ્યું કે દરેક દેશવાસીએ માર્ક કર્યું છે અને મને તેમાં ઇમોશન્સ નજરે પડે છે, જ્યારે તમે ટ્રોફી લેવા જઇ રહ્યા હતા, એ જે નૃત્ય હોય છે. તેની પાછળ શું હતું?

આ સવાલના જવાબમાં રોહિત શર્માએ કહ્યું કે, અમે બધા માટે એ એટલી મોટી ક્ષણ હતી અને અમે બધા આ વસ્તુને એટલા વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા. મને આ છોકરીઓ બોલ્યા કે ટ્રોફી લેવા માત્ર એમ જ ચાલીને ન જતો. કંઈક અલગ કરવું હતું તો યુઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવે એમ કરવા કહ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂછ્યું કે આ આઇડિયા કોનો હતો ચહલનો હતો? તો રોહિત શર્માએ કહ્યું કે, બંનેનો જ, ચહલ અને કુલદીપ.

Related Posts

Top News

તાજમહેલમાં ફરી રહેલા પર્યટકો પર મધમાખીના હુમલાથી અફરાતફરી, ASIની ભૂલથી થઈ ઘટના

આગ્રામાં તાજમહેલના રોયલ ગેટ પર રવિવારે મધપૂડો તૂટવાને કારણે પર્યટકોમાં અફરાતફરી મચી ગઈ હતી. મધમાખીઓએ પર્યટકો પર હુમલો કર્યો હતો,...
National 
તાજમહેલમાં ફરી રહેલા પર્યટકો પર મધમાખીના હુમલાથી અફરાતફરી, ASIની ભૂલથી થઈ ઘટના

સારા કર્મો કરો, કાળ પણ તમારી રક્ષા કરશે

(ઉત્કર્ષ પટેલ) જીવન એક એવી યાત્રા છે જેમાં આપણે દરેક પગલે પસંદગીઓ કરીએ છીએ. આ પસંદગીઓ આપણાં કર્મો નક્કી કરે...
Lifestyle 
સારા કર્મો કરો, કાળ પણ તમારી રક્ષા કરશે

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 18-03-2025 દિવસ: મંગળવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગુજરાત ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટીનો જોઇન્ટ ડાયરેક્ટર 25000ની લાંચ લેતા પકડાયો

ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટીનો ગુજરાતનો જોઇન્ટ ડાયરેકટર અને કલાસ-1 અધિકારી 25,000વી લાંચ લેતા રંગે હાથે પકડાઇ ગયો છે. ફરિયાદીને ફુડ...
Gujarat 
ગુજરાત ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટીનો જોઇન્ટ ડાયરેક્ટર 25000ની લાંચ લેતા પકડાયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.