રોહિત શર્માએ જણાવ્યું પીચની માટી કેમ ખાધી અને ટ્રોફી લેવા સ્લો મોશનમાં કેમ ગયો

T20 વર્લ્ડ કપ 2024ની ટ્રોફી જીત્યા બાદ ભારતીય ટીમે ગુરુવારે (4 જુલાઈએ) પહેલી વખત પોતાની ધરતી પર પગ રાખ્યો. આ ઐતિહાસિક જીતે દેશવાસીઓને પણ સેલિબ્રેશન મનાવવાનો અવસર આપ્યો. ચેમ્પિયન્સના સ્વગતમાં લાખો ફેન્સ એકત્ર થયા અને દિલ્હીથી લઈને મુંબઈ સુધી અદ્વભૂત, અતુલનીય અને અવિશ્વાસનિય નજારો જોવા મળ્યો. આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ચેમ્પિયન ટીમ સાથે વાતચીત કરી.

આ વાતચીત દરમિયાન તેમણે કેપ્ટન રોહિત શર્માને એ વાત પણ પૂછી લીધી, જે બધા દેશવાસીઓના મનમાં હતી. એ પળ જ્યારે આ ઐતિહાસિક જીત બાદ તેણે (રોહિત શર્માએ) પીચની પાટી ખાધી અને સ્લો મોશનમાં ટ્રોફી લેવા પહોંચ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોહિત શર્માને પૂછ્યું કે જમીન ભલે ગમે તે હોય અને માટી કોઈ પણ હોય, પરંતુ ક્રિકેટની જિંદગી પીચ પર જ હોય છે. તમે ક્રિકેટની જિંદગીનું ચુંબન કર્યું, એ કોઈ ભારતીય જ કરી શકે છે. આ પળો પાછળ તમારા મનને જાણવા માગું છું.

તેના પર જવાબ આપતા રોહિત શર્માએ કહ્યું કે, જ્યાં અમને એ જીત મળી, તેની એ પળ યાદ રાખવી હતી અને ચાખવી હતી કેમ કે અમે એ પીચ પર રમીને જીત્યા. અમે બધાએ એટલો ઇંતજાર કર્યો. અમારી બિલકુલ પાસે આવ્યો હતો વર્લ્ડ કપ, પરંતુ અમે હાંસલ ન કરી શક્યા. હવે જ્યારે એ વસ્તુને હાંસલ કરી તો એ પળમાં એ મારાથી થઈ ગયું.  ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોહિત શર્માને પૂછ્યું કે દરેક દેશવાસીએ માર્ક કર્યું છે અને મને તેમાં ઇમોશન્સ નજરે પડે છે, જ્યારે તમે ટ્રોફી લેવા જઇ રહ્યા હતા, એ જે નૃત્ય હોય છે. તેની પાછળ શું હતું?

આ સવાલના જવાબમાં રોહિત શર્માએ કહ્યું કે, અમે બધા માટે એ એટલી મોટી ક્ષણ હતી અને અમે બધા આ વસ્તુને એટલા વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા. મને આ છોકરીઓ બોલ્યા કે ટ્રોફી લેવા માત્ર એમ જ ચાલીને ન જતો. કંઈક અલગ કરવું હતું તો યુઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવે એમ કરવા કહ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂછ્યું કે આ આઇડિયા કોનો હતો ચહલનો હતો? તો રોહિત શર્માએ કહ્યું કે, બંનેનો જ, ચહલ અને કુલદીપ.

About The Author

Related Posts

Top News

ધોની, દીપિકા અને અશ્નીર ગ્રોવરના રૂપિયા ડૂબવાના? બધાએ એ કંપનીમાં લગાવેલા પૈસા જે...

ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની, બોલિવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ અને શોર્ટ ટેન્કની પહેલી સીઝનમાં જજ રહેલા અશ્નીર ગ્રોવરના લાખો રૂપિયાના...
Business 
ધોની, દીપિકા અને અશ્નીર ગ્રોવરના રૂપિયા ડૂબવાના? બધાએ એ કંપનીમાં લગાવેલા પૈસા જે...

કોચિંગ વગર JEE મેઈન્સમાં 100 પર્સન્ટાઈલ, આ છે સાઈ મનોગનાનો ગોલ્ડન રુલ અને લક્ષ્ય!

JEE મેન્સ સત્ર-2 (એપ્રિલ સત્ર)નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ સત્રમાં, વિવિધ રાજ્યોના કુલ 24 વિદ્યાર્થીઓએ ...
Education 
કોચિંગ વગર JEE મેઈન્સમાં 100 પર્સન્ટાઈલ, આ છે સાઈ મનોગનાનો ગોલ્ડન રુલ અને લક્ષ્ય!

જનોઈ પહેરીને વિદ્યાર્થીને એક્ઝામ હોલમાં જતા રોકાયો, પરીક્ષા અધિકારી સસ્પેન્ડ

કર્ણાટકના શિવમોગામાં આદિચુંચનગિરી સ્કૂલમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) આપવા ગયેલા વિદ્યાર્થીઓ પાસેથી જનોઈ ઉતારવાના મામલો સામે આવ્યા બાદ, ...
National 
જનોઈ પહેરીને વિદ્યાર્થીને એક્ઝામ હોલમાં જતા રોકાયો, પરીક્ષા અધિકારી સસ્પેન્ડ

અંબાલાલ પટેલે જણાવ્યું- આ વર્ષે ગુજરાતમાં કેવી રહેશે વરસાદની ઋતુ

અત્યારે ઉનાળાની સીઝન ચાલી રહી છે, અને રાજ્યમાં મિશ્રા ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે વાદળછાયું વાતાવરણ જોવા મળી...
Gujarat 
અંબાલાલ પટેલે જણાવ્યું- આ વર્ષે ગુજરાતમાં કેવી રહેશે વરસાદની ઋતુ
Copyright (c) Khabarchhe All Rights Reserved.