રોહિત શર્માએ જણાવ્યું પીચની માટી કેમ ખાધી અને ટ્રોફી લેવા સ્લો મોશનમાં કેમ ગયો

T20 વર્લ્ડ કપ 2024ની ટ્રોફી જીત્યા બાદ ભારતીય ટીમે ગુરુવારે (4 જુલાઈએ) પહેલી વખત પોતાની ધરતી પર પગ રાખ્યો. આ ઐતિહાસિક જીતે દેશવાસીઓને પણ સેલિબ્રેશન મનાવવાનો અવસર આપ્યો. ચેમ્પિયન્સના સ્વગતમાં લાખો ફેન્સ એકત્ર થયા અને દિલ્હીથી લઈને મુંબઈ સુધી અદ્વભૂત, અતુલનીય અને અવિશ્વાસનિય નજારો જોવા મળ્યો. આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ચેમ્પિયન ટીમ સાથે વાતચીત કરી.

આ વાતચીત દરમિયાન તેમણે કેપ્ટન રોહિત શર્માને એ વાત પણ પૂછી લીધી, જે બધા દેશવાસીઓના મનમાં હતી. એ પળ જ્યારે આ ઐતિહાસિક જીત બાદ તેણે (રોહિત શર્માએ) પીચની પાટી ખાધી અને સ્લો મોશનમાં ટ્રોફી લેવા પહોંચ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોહિત શર્માને પૂછ્યું કે જમીન ભલે ગમે તે હોય અને માટી કોઈ પણ હોય, પરંતુ ક્રિકેટની જિંદગી પીચ પર જ હોય છે. તમે ક્રિકેટની જિંદગીનું ચુંબન કર્યું, એ કોઈ ભારતીય જ કરી શકે છે. આ પળો પાછળ તમારા મનને જાણવા માગું છું.

તેના પર જવાબ આપતા રોહિત શર્માએ કહ્યું કે, જ્યાં અમને એ જીત મળી, તેની એ પળ યાદ રાખવી હતી અને ચાખવી હતી કેમ કે અમે એ પીચ પર રમીને જીત્યા. અમે બધાએ એટલો ઇંતજાર કર્યો. અમારી બિલકુલ પાસે આવ્યો હતો વર્લ્ડ કપ, પરંતુ અમે હાંસલ ન કરી શક્યા. હવે જ્યારે એ વસ્તુને હાંસલ કરી તો એ પળમાં એ મારાથી થઈ ગયું.  ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોહિત શર્માને પૂછ્યું કે દરેક દેશવાસીએ માર્ક કર્યું છે અને મને તેમાં ઇમોશન્સ નજરે પડે છે, જ્યારે તમે ટ્રોફી લેવા જઇ રહ્યા હતા, એ જે નૃત્ય હોય છે. તેની પાછળ શું હતું?

આ સવાલના જવાબમાં રોહિત શર્માએ કહ્યું કે, અમે બધા માટે એ એટલી મોટી ક્ષણ હતી અને અમે બધા આ વસ્તુને એટલા વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા. મને આ છોકરીઓ બોલ્યા કે ટ્રોફી લેવા માત્ર એમ જ ચાલીને ન જતો. કંઈક અલગ કરવું હતું તો યુઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવે એમ કરવા કહ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂછ્યું કે આ આઇડિયા કોનો હતો ચહલનો હતો? તો રોહિત શર્માએ કહ્યું કે, બંનેનો જ, ચહલ અને કુલદીપ.

Related Posts

Top News

રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

દેશના 52માં CJI બી આર ગવઇને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ શપથ લેવડાવ્યા હતા. હવે નવા CJIએ રાષ્ટ્રપતિના 14 સવાલોના...
Governance 
રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહની ધરપકડ કરી હતી અને તેમની તબિયત લથડી જતા અમદાવાદની હોસ્પિટલમાં...
Gujarat 
ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

કચ્છ આહીર સમાજે એવો મોટો નિર્ણય લીધો છે જે બીજા સમાજના લોકોએ પણ અનુસરવા જેવો છે. બીજાની દેખા દેખીમાં લગ્નસરામાં...
Gujarat 
ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે

માર્સેલસ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સના ફાઉન્ડર સૌરભ મુખરજીનું કહેવું છે કે, કોવિડ-19 પછી વર્ષ 2022, 2023 અને 2024નું વર્ષ શેરબજારમાં ભારે તેજીવાળા...
Business 
શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.