શું મુંબઈ ઇન્ડિયન્સ પંડ્યાની કેપ્ટનશીપથી છીનવી લેશે? IPLમાં 'પેકેજ ડીલ'થી મચ્યો હોબાળો

પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ IPL 2026 સીઝનમાંથી બહાર થઈ ગઈ છે. મુંબઈ ઇન્ડિયન્સે KKRને હરાવીને આ સીઝનમાં શાનદાર શરૂઆત કરી હતી, પરંતુ ટીમ અત્યાર સુધી કુલ 3 મેચ જ જીતી શકી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે છેલ્લા બોલે મળેલી હાર બાદ મુંબઈ ઇન્ડિયન્સ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ હતી. એવામાં, નિષ્ણાતો અને ફેંસ બંને હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપની ભારે ટીકા કરી રહ્યા છે.

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ બેટ્સમેન સંજય માંજરેકરે તો ત્યાં સુધી સૂચન કર્યું નાખ્યું કે મુંબઈ ઇન્ડિયન્સ ફ્રેન્ચાઇઝીએ હાર્દિક પંડ્યાને હટાવીને જસપ્રીત બુમરાહને કેપ્ટન બનાવવો જોઈએ. માંજરેકરે જણાવ્યું હતું કે ફ્રેન્ચાઇઝીએ તેના નેતૃત્વ માળખા પર પુનર્વિચાર કરવાની અને સ્ટાર ફાસ્ટ બોલર બૂમરાહને ટીમનું નેતૃત્વ કરવાની તક આપવાની જરૂર છે.

hardik
BCCI

તેમણે કહ્યું કે, ‘હું બૂમરાહને ભારતની કેપ્ટનશિપ  કરતો જોવા માંગુ છું, કારણ કે મને નથી લાગતું કે તેના કરતા રમતને કોઈ વધુ સારી રીતે સમજે છે. તેની બોલિંગમાં ફક્ત એક્શન જ નહીં, પણ પૂર્વાનુમાન,  બેટ્સમેનને રીડ કરવા, પરિસ્થિતિને સમજવા અને પિચને જાણવાનો પણ સમાવેશ થાય છે. મને થોડી નિરાશા છે કે તે ઇંગ્લેન્ડમાં કેપ્ટનશીપ કરવામાં કોઈ રસ દેખાતો નથી. જ્યારે શુભમન ગિલને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, ત્યારે બૂમરાહે કેપ્ટનશિપ કરી નહોતી; જોકે, મને આશા છે કે તેને ઓછામાં ઓછી ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આ તક જરૂર મળશે.માંજરેકરે વધુમાં સૂચવ્યું કે જ્યારે MIએ હાર્દિક માટે સનસનાટીભરેલો કરાર કર્યો હતો, ત્યારે તેમણે આશિષ નેહરાને પણ સાઇન કરવા જોઈતા હતા. હાર્દિક અને નેહરાએ સફળ ભાગીદારી બનાવી હતી અને ગુજરાત ટાઇટન્સને IPL ટાઇટલ સુધી પહોંચાડી હતી.

Sanjay-Manjrekar
royalchallengers.com

તેમણે કહ્યું કે, ‘તમે મારો મુદ્દો બરાબર સમજી લીધો, કારણ કે મને લાગે છે કે તેમને ફક્ત હાર્દિક પંડ્યા સિવાય અન્ય વિકલ્પો પર વિચાર કરવાની જરૂર છે. જી હા, કારણ કે આ પગલું અસરકારક સાબિત થયું નથી. હાર્દિક સાથે પણ અન્યાય થયો છે. તે એક રીતે 'પેકેજ ડીલ' છે. તમને ખબર છે, જો હાર્દિક મુંબઈ આવી રહ્યો હતો, તો તેમણે આશિષ નેહરાને પણ સાથે લાવવા જોઈતા હતા; પરંતુ, આશિષ તેની સાથે નહીં હોય. સંજય માંજરેકરનું કહેવું છે કે જસપ્રીત બૂમરાહ માટે ટેસ્ટ કેપ્ટન બનવાની સરખામણીમાં IPLમાં કેપ્ટનશીપ કરવી પ્રમાણમાં સરળ રહેશે. સંજયના મતે, અહીં એટલો બોજ નથી, જ્યાં તેણે દરેક ટેસ્ટ મેચ માટે ફિટ અને તૈયાર રહેવું પડે છે.

About The Author

Related Posts

Top News

આ 3 દેશના પ્રવાસ કરવાનું ટાળવા ભારત સરકારે સલાહ આપી

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ 17 મેના રોજ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ ધ કોંગો (DRC) અને યુગાન્ડામાં ફેલાઈ રહેલા...
World 
આ 3 દેશના પ્રવાસ કરવાનું ટાળવા ભારત સરકારે સલાહ આપી

હૈદરાબાદ સામેની મેચ દરમિયાન કોહલીએ એવું શું કર્યું જેની પાકિસ્તાનમાં થઈ રહી છે ચર્ચા?

IPL મેચ પછી ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ટ્રેવિસ હેડ સાથે હાથ ન મળાવવા બદલ વિરાટ કોહલીને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરો અને સોશિયલ મીડિયા...
Sports 
હૈદરાબાદ સામેની મેચ દરમિયાન કોહલીએ એવું શું કર્યું જેની પાકિસ્તાનમાં થઈ રહી છે ચર્ચા?

RBIની કરન્સી ચેસ્ટમાંથી 8.70 કરોડ રૂપિયા સગેવગે કરનાર જોઈન્ટ કસ્ટોડીયન ઝડપાયો

અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આવેલી બેંક ઓફ બરોડામાં RBIની કરન્સી ચેસ્ટમાંથી 8.70 કરોડ રૂપિયા સગેવગે કરનારા જોઈન્ટ કસ્ટોડીયનને પોલીસે દબોચી...
Gujarat 
RBIની કરન્સી ચેસ્ટમાંથી 8.70 કરોડ રૂપિયા સગેવગે કરનાર જોઈન્ટ કસ્ટોડીયન ઝડપાયો

'કોકરોચ જનતા પાર્ટી'ના સ્થાપક અભિજીત દીપકેના ઘર બહાર મહારાષ્ટ્ર પોલીસ કેમ પહોંચી?

મહારાષ્ટ્રના સંભાજીનગરના એક યુવક અભિજીત ભગવાનરાવ દીપકેને જાનથી મારી નાખવાની ધમકીઓ મળ્યા બાદ ખળભળાટ મચી ગયો છે. અભિજીત સોશિયલ મીડિયા...
National 
'કોકરોચ જનતા પાર્ટી'ના સ્થાપક અભિજીત દીપકેના ઘર બહાર મહારાષ્ટ્ર પોલીસ કેમ પહોંચી?
Copyright (c) Khabarchhe All Rights Reserved.