ભારતને મોટો ઝટકો? કોહલી-રાહુલ-જાડેજા બાદ આ ખેલાડી સીરિઝથી બહાર થવાનો ખતરો

ઈંગ્લેન્ડ વિરુદ્ધ ત્રીજી ટેસ્ટ મેચ અગાઉ ભારતીય ટીમને મોટો ઝટકો લાગતો નજરે પડી રહ્યો છે. કે.એલ. રાહુલ અને રવીન્દ્ર જાડેજાની ઇજા થવાનું નુકસાન ઉઠાવવું પડી શકે છે. વિરાટ કોહલી અને રવીન્દ્ર જાડેજા ઇજાગ્રસ્ત થવાનું નુકસાન ઝીલી રહી છે. ભારતીય ટીમને શ્રેયસ ઐય્યરના રૂપમાં વધુ એક ઝટકો લાગી શકે છે. એક અંગ્રેજી અખબારના રિપોર્ટ મુજબ, શ્રેયસ ઐય્યર સીરિઝની અંતિમ 3 ટેસ્ટ મેચોથી બહાર થઈ શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે શ્રેયસ ઐય્યરે પ્રેક્ટિસ દરમિયાન પીઠમાં જકડાશ અને ગ્રોઇન ઇજાની ફરિયાદ કરી છે, ત્યારબાદ ન માત્ર ત્રીજી ટેસ્ટ, પરંતુ આખી સીરિઝથી બહાર થવાનું જોખમ મંડરાઈ રહ્યું છે.

મીડિયા રિપોર્ટ મુજબ, વાઈજેક (વિશાખાપટ્ટનમ)માં બીજી ટેસ્ટ સમાપ્ત થયા બાદ ટીમના બધા ખેલાડીઓની પ્લેઇંગ કીટ રાજકોટ પહોંચાડી દેવામાં આવી છે, પરંતુ શ્રેયસ ઐય્યરની કીટ રાજકોટ પહોંચી નથી. કહેવામાં આવી રહ્યું છે કે, તેની કીટ મુંબઇમાં તેના ઘરે મોકલી દેવામાં આવી છે. શ્રેયસ ઐય્યરની ઇજાના કારણે આગામી 3 ટેસ્ટ માટે ટીમની જાહેરાત ટળી રહી હતી, પરંતુ હવે માનવામાં આવી રહ્યું છે કે શુક્રવારે ટીમની જાહેરાત થઈ શકે છે. મીડિયા રિપોર્ટ મુજબ, કહેવામાં આવ્યું છે કે શ્રેયસ ઐય્યરને NCPમાં મોકલવાની તૈયારી છે.

આ ઇજાના કારણે શ્રેયસ ઐય્યર ઈંગ્લેન્ડ વિરુદ્ધ બચેલી 3 ટેસ્ટ મેચથી બહાર થઈ શકે છે. જો કે, આગામી મહિને શરૂ થનારી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં તેની વાપસી થવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે, શ્રેયસ ઐય્યર ગયા વર્ષે પણ બેક ઇન્જરીથી પરેશાન હતો, ત્યારબાદ તેની સર્જરી થઈ હતી. શ્રેયસ ઐય્યરે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં એશિયા કપના માધ્યમથી ટીમમાં વાપસી કરી હતી. શ્રેયસ ઐય્યર જો સીરિઝથી બહાર થાય છે તો સિલેક્ટર્સે તેનું રિપ્લેસમેન્ટ શોધવું પડશે.

ભારતીય ટીમને વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં પહેલા જ જાડેજા અને કેએલ રાહુલન રૂપમાં 2 ઝટકા લાગ્યા હતા. રવીન્દ્ર જાડેજા અને કેએલ રાહુલ ઇજાના કારણે બીજી ટેસ્ટ મેચ રમી નહોતી. વિરાટ કોહલીએ અંગત કારણોનો સંદર્ભ આપીને બ્રેક માગ્યો હતો. હવે ત્રીજી ટેસ્ટમાં વિરાટ કોહલી, રવીન્દ્ર જાડેજા, કેએલ રાહુલ અને શ્રેયસ ઐય્યર ન હોવાથી ભારતીય ટીમ નબળી નજરે પડી રહી છે. હાલમાં બંને ટીમો સીરિઝમાં 1-1થી બરાબર પર છે. હવે ત્રીજી ટેસ્ટ મેટ 15 ફેબ્રુઆરીથી રાજકોટમાં રમાશે.

About The Author

Top News

વડાપ્રધાન મોદીના ઉત્તરાધિકારી કોણ? ફડણવીસે આપ્યો સ્પષ્ટ જવાબ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઉતરાધિકારી કોણ? એ બાબતે ઘણા સમયથી ચર્ચા શરૂ થઇ છે. તાજેતરમાં રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘની વડા...
National 
વડાપ્રધાન મોદીના ઉત્તરાધિકારી કોણ? ફડણવીસે આપ્યો સ્પષ્ટ જવાબ

ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

શનિવારે બપોરે ગોવાથી નવી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટમાં એક અમેરિકન મુસાફર અચાનક બીમાર પડી ગઈ ત્યારે અંધાધૂંધી ફેલાઈ ગઈ. કેલિફોર્નિયાની...
National 
ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના ટિબ્બી શહેરમાં આ અઠવાડિયે થયેલી હિંસક અથડામણે સમગ્ર વિસ્તારને ચર્ચામાં લાવી દીધો. સેંકડો લોકો સામે FIR દાખલ...
National 
ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ

ભારતીય જનતા પાર્ટીએ ફરીએકવાર બધાને ચોંકાવતા નીતિન નબીનને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે પસંદ કર્યા છે. નીતિન નબીન વિશે ભાગ્યે...
National 
કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Copyright (c) Khabarchhe All Rights Reserved.