ભારતને મોટો ઝટકો? કોહલી-રાહુલ-જાડેજા બાદ આ ખેલાડી સીરિઝથી બહાર થવાનો ખતરો

ઈંગ્લેન્ડ વિરુદ્ધ ત્રીજી ટેસ્ટ મેચ અગાઉ ભારતીય ટીમને મોટો ઝટકો લાગતો નજરે પડી રહ્યો છે. કે.એલ. રાહુલ અને રવીન્દ્ર જાડેજાની ઇજા થવાનું નુકસાન ઉઠાવવું પડી શકે છે. વિરાટ કોહલી અને રવીન્દ્ર જાડેજા ઇજાગ્રસ્ત થવાનું નુકસાન ઝીલી રહી છે. ભારતીય ટીમને શ્રેયસ ઐય્યરના રૂપમાં વધુ એક ઝટકો લાગી શકે છે. એક અંગ્રેજી અખબારના રિપોર્ટ મુજબ, શ્રેયસ ઐય્યર સીરિઝની અંતિમ 3 ટેસ્ટ મેચોથી બહાર થઈ શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે શ્રેયસ ઐય્યરે પ્રેક્ટિસ દરમિયાન પીઠમાં જકડાશ અને ગ્રોઇન ઇજાની ફરિયાદ કરી છે, ત્યારબાદ ન માત્ર ત્રીજી ટેસ્ટ, પરંતુ આખી સીરિઝથી બહાર થવાનું જોખમ મંડરાઈ રહ્યું છે.

મીડિયા રિપોર્ટ મુજબ, વાઈજેક (વિશાખાપટ્ટનમ)માં બીજી ટેસ્ટ સમાપ્ત થયા બાદ ટીમના બધા ખેલાડીઓની પ્લેઇંગ કીટ રાજકોટ પહોંચાડી દેવામાં આવી છે, પરંતુ શ્રેયસ ઐય્યરની કીટ રાજકોટ પહોંચી નથી. કહેવામાં આવી રહ્યું છે કે, તેની કીટ મુંબઇમાં તેના ઘરે મોકલી દેવામાં આવી છે. શ્રેયસ ઐય્યરની ઇજાના કારણે આગામી 3 ટેસ્ટ માટે ટીમની જાહેરાત ટળી રહી હતી, પરંતુ હવે માનવામાં આવી રહ્યું છે કે શુક્રવારે ટીમની જાહેરાત થઈ શકે છે. મીડિયા રિપોર્ટ મુજબ, કહેવામાં આવ્યું છે કે શ્રેયસ ઐય્યરને NCPમાં મોકલવાની તૈયારી છે.

આ ઇજાના કારણે શ્રેયસ ઐય્યર ઈંગ્લેન્ડ વિરુદ્ધ બચેલી 3 ટેસ્ટ મેચથી બહાર થઈ શકે છે. જો કે, આગામી મહિને શરૂ થનારી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં તેની વાપસી થવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે, શ્રેયસ ઐય્યર ગયા વર્ષે પણ બેક ઇન્જરીથી પરેશાન હતો, ત્યારબાદ તેની સર્જરી થઈ હતી. શ્રેયસ ઐય્યરે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં એશિયા કપના માધ્યમથી ટીમમાં વાપસી કરી હતી. શ્રેયસ ઐય્યર જો સીરિઝથી બહાર થાય છે તો સિલેક્ટર્સે તેનું રિપ્લેસમેન્ટ શોધવું પડશે.

ભારતીય ટીમને વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં પહેલા જ જાડેજા અને કેએલ રાહુલન રૂપમાં 2 ઝટકા લાગ્યા હતા. રવીન્દ્ર જાડેજા અને કેએલ રાહુલ ઇજાના કારણે બીજી ટેસ્ટ મેચ રમી નહોતી. વિરાટ કોહલીએ અંગત કારણોનો સંદર્ભ આપીને બ્રેક માગ્યો હતો. હવે ત્રીજી ટેસ્ટમાં વિરાટ કોહલી, રવીન્દ્ર જાડેજા, કેએલ રાહુલ અને શ્રેયસ ઐય્યર ન હોવાથી ભારતીય ટીમ નબળી નજરે પડી રહી છે. હાલમાં બંને ટીમો સીરિઝમાં 1-1થી બરાબર પર છે. હવે ત્રીજી ટેસ્ટ મેટ 15 ફેબ્રુઆરીથી રાજકોટમાં રમાશે.

Top News

અદાણી ગ્રુપે FY25માં ભર્યો રૂ. 75,000 કરોડનો ટેક્સ, ગયા વર્ષ કરતા 29% વધારે

ગૌતમ અદાણી એક જાણીતા ગુજરાતી ઉદ્યોગપતિ એમના અદાણી ગ્રુપ દ્વારા દેશના આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. તાજેતરના સમાચાર...
Business 
અદાણી ગ્રુપે FY25માં ભર્યો રૂ. 75,000 કરોડનો ટેક્સ, ગયા વર્ષ કરતા 29% વધારે

જીન્સ અને T-શર્ટ પહેરેલી 4 છોકરી UPમાં ભીખ કેમ માંગી રહી છે... આધારમાં છે ગુજરાતનું સરનામું!

ઉત્તર પ્રદેશના બલિયાના સુખપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં જીન્સ અને T-શર્ટ પહેરેલી ચાર...
National 
જીન્સ અને T-શર્ટ પહેરેલી 4 છોકરી UPમાં ભીખ કેમ માંગી રહી છે... આધારમાં છે ગુજરાતનું સરનામું!

70 વર્ષ લિવ-ઇન રિલેશનશિપમાં રહ્યા બાદ 95 વર્ષીય વરરાજા અને 90 વર્ષની દુલ્હને કર્યા લગ્ન

રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના ગલંદર ગામમાં એક અનોખા અને પ્રેરણાદાયક લગ્ન જોવા મળ્યા. અહીં 70 વર્ષથી લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા 95 વર્ષીય...
National 
70 વર્ષ લિવ-ઇન રિલેશનશિપમાં રહ્યા બાદ 95 વર્ષીય વરરાજા અને 90 વર્ષની દુલ્હને કર્યા લગ્ન

મેચ અગાઉ સાઈકલથી સ્ટેડિયમ પહોંચ્યા ઈગ્લેંડના ખેલાડી, વેસ્ટ ઇન્ડીઝની ટીમ તો...

ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાયેલી ત્રીજી વન-ડે મેચ અગાઉ એક હેરાન કરી દેનારો નજારો જોવા મળ્યો હતો. આ મેચ...
Sports 
મેચ અગાઉ સાઈકલથી સ્ટેડિયમ પહોંચ્યા ઈગ્લેંડના ખેલાડી, વેસ્ટ ઇન્ડીઝની ટીમ તો...
Copyright (c) Khabarchhe All Rights Reserved.