ભારતને મોટો ઝટકો? કોહલી-રાહુલ-જાડેજા બાદ આ ખેલાડી સીરિઝથી બહાર થવાનો ખતરો

ઈંગ્લેન્ડ વિરુદ્ધ ત્રીજી ટેસ્ટ મેચ અગાઉ ભારતીય ટીમને મોટો ઝટકો લાગતો નજરે પડી રહ્યો છે. કે.એલ. રાહુલ અને રવીન્દ્ર જાડેજાની ઇજા થવાનું નુકસાન ઉઠાવવું પડી શકે છે. વિરાટ કોહલી અને રવીન્દ્ર જાડેજા ઇજાગ્રસ્ત થવાનું નુકસાન ઝીલી રહી છે. ભારતીય ટીમને શ્રેયસ ઐય્યરના રૂપમાં વધુ એક ઝટકો લાગી શકે છે. એક અંગ્રેજી અખબારના રિપોર્ટ મુજબ, શ્રેયસ ઐય્યર સીરિઝની અંતિમ 3 ટેસ્ટ મેચોથી બહાર થઈ શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે શ્રેયસ ઐય્યરે પ્રેક્ટિસ દરમિયાન પીઠમાં જકડાશ અને ગ્રોઇન ઇજાની ફરિયાદ કરી છે, ત્યારબાદ ન માત્ર ત્રીજી ટેસ્ટ, પરંતુ આખી સીરિઝથી બહાર થવાનું જોખમ મંડરાઈ રહ્યું છે.

મીડિયા રિપોર્ટ મુજબ, વાઈજેક (વિશાખાપટ્ટનમ)માં બીજી ટેસ્ટ સમાપ્ત થયા બાદ ટીમના બધા ખેલાડીઓની પ્લેઇંગ કીટ રાજકોટ પહોંચાડી દેવામાં આવી છે, પરંતુ શ્રેયસ ઐય્યરની કીટ રાજકોટ પહોંચી નથી. કહેવામાં આવી રહ્યું છે કે, તેની કીટ મુંબઇમાં તેના ઘરે મોકલી દેવામાં આવી છે. શ્રેયસ ઐય્યરની ઇજાના કારણે આગામી 3 ટેસ્ટ માટે ટીમની જાહેરાત ટળી રહી હતી, પરંતુ હવે માનવામાં આવી રહ્યું છે કે શુક્રવારે ટીમની જાહેરાત થઈ શકે છે. મીડિયા રિપોર્ટ મુજબ, કહેવામાં આવ્યું છે કે શ્રેયસ ઐય્યરને NCPમાં મોકલવાની તૈયારી છે.

આ ઇજાના કારણે શ્રેયસ ઐય્યર ઈંગ્લેન્ડ વિરુદ્ધ બચેલી 3 ટેસ્ટ મેચથી બહાર થઈ શકે છે. જો કે, આગામી મહિને શરૂ થનારી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં તેની વાપસી થવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે, શ્રેયસ ઐય્યર ગયા વર્ષે પણ બેક ઇન્જરીથી પરેશાન હતો, ત્યારબાદ તેની સર્જરી થઈ હતી. શ્રેયસ ઐય્યરે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં એશિયા કપના માધ્યમથી ટીમમાં વાપસી કરી હતી. શ્રેયસ ઐય્યર જો સીરિઝથી બહાર થાય છે તો સિલેક્ટર્સે તેનું રિપ્લેસમેન્ટ શોધવું પડશે.

ભારતીય ટીમને વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં પહેલા જ જાડેજા અને કેએલ રાહુલન રૂપમાં 2 ઝટકા લાગ્યા હતા. રવીન્દ્ર જાડેજા અને કેએલ રાહુલ ઇજાના કારણે બીજી ટેસ્ટ મેચ રમી નહોતી. વિરાટ કોહલીએ અંગત કારણોનો સંદર્ભ આપીને બ્રેક માગ્યો હતો. હવે ત્રીજી ટેસ્ટમાં વિરાટ કોહલી, રવીન્દ્ર જાડેજા, કેએલ રાહુલ અને શ્રેયસ ઐય્યર ન હોવાથી ભારતીય ટીમ નબળી નજરે પડી રહી છે. હાલમાં બંને ટીમો સીરિઝમાં 1-1થી બરાબર પર છે. હવે ત્રીજી ટેસ્ટ મેટ 15 ફેબ્રુઆરીથી રાજકોટમાં રમાશે.

Related Posts

Top News

જો કોઈ વ્યક્તિ રસ્તા પર નમાઝ અદા કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરાશે

ઉત્તર પ્રદેશના મેરઠમાં ઈદ-ઉલ-ફિત્રની નમાઝને લઈને પોલીસે કડક વલણ અપનાવ્યું છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ વ્યક્તિ સડક...
National 
જો કોઈ વ્યક્તિ રસ્તા પર નમાઝ અદા કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરાશે

જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી

ગુજરાતના પહેલા મુખ્યમંત્રી જીવરાજ નારાયણ મહેતા હતા. તેઓ સ્વાભાવિક રીતે રાજ્યના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તેમણે ગુજરાતના વહીવટી...
Opinion 
જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી

'બ્રેસ્ટ પકડવું રેપ નથી...' અલ્હાબાદ HCની ટિપ્પણી પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક

26 માર્ચ 2025ના રોજ સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં અલ્હાબાદ હાઈકોર્ટના તે વિવાદાસ્પદ નિર્ણય પર રોક લગાવી દીધી જેમાં...
National 
'બ્રેસ્ટ પકડવું રેપ નથી...' અલ્હાબાદ HCની ટિપ્પણી પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક

બીજી બેંકના ATMમાંથી પૈસા ઉપાડવા મોંઘા થશે, RBIએ કહ્યું- દરેક ટ્રાન્ઝેક્શન પર ચાર્જ વસૂલાશે

દેશના ખૂણે ખૂણે લોકો હવે પૈસા ઉપાડવા માટે ATMનો ઉપયોગ કરી રહ્યા છે. જો તમે પણ ATMમાંથી પૈસા...
Business 
બીજી બેંકના ATMમાંથી પૈસા ઉપાડવા મોંઘા થશે, RBIએ કહ્યું- દરેક ટ્રાન્ઝેક્શન પર ચાર્જ વસૂલાશે

Opinion

જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી
ગુજરાતના પહેલા મુખ્યમંત્રી જીવરાજ નારાયણ મહેતા હતા. તેઓ સ્વાભાવિક રીતે રાજ્યના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તેમણે ગુજરાતના વહીવટી...
હરેન પંડ્યા: હૈયું જ્યાં સુધી ધબક્યું ત્યાં સુધી સમાજ સેવા, ભાજપ અને કાર્યકર્તાઓને સમર્પિત રહ્યું
કિશોરભાઈ વાંકાવાલા ભાજપના એક એવા સુરતી નેતા જે સૌને ગમતા અને સૌના થઈને સુરત માટે કામ કરતા
ગોપાલ ઇટાલિયા: વાયદા અને તોછડી નીંદા વિના વિસાવદરથી ચૂંટણી જીતી બતાવે તો ખરા નેતા બનશે
આમ આદમી પાર્ટી ગુજરાતના આગેવાનો વાયદા અને નિંદા કરવામાંથી ઊંચા ના આવ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.