ભારતને મોટો ઝટકો? કોહલી-રાહુલ-જાડેજા બાદ આ ખેલાડી સીરિઝથી બહાર થવાનો ખતરો

ઈંગ્લેન્ડ વિરુદ્ધ ત્રીજી ટેસ્ટ મેચ અગાઉ ભારતીય ટીમને મોટો ઝટકો લાગતો નજરે પડી રહ્યો છે. કે.એલ. રાહુલ અને રવીન્દ્ર જાડેજાની ઇજા થવાનું નુકસાન ઉઠાવવું પડી શકે છે. વિરાટ કોહલી અને રવીન્દ્ર જાડેજા ઇજાગ્રસ્ત થવાનું નુકસાન ઝીલી રહી છે. ભારતીય ટીમને શ્રેયસ ઐય્યરના રૂપમાં વધુ એક ઝટકો લાગી શકે છે. એક અંગ્રેજી અખબારના રિપોર્ટ મુજબ, શ્રેયસ ઐય્યર સીરિઝની અંતિમ 3 ટેસ્ટ મેચોથી બહાર થઈ શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે શ્રેયસ ઐય્યરે પ્રેક્ટિસ દરમિયાન પીઠમાં જકડાશ અને ગ્રોઇન ઇજાની ફરિયાદ કરી છે, ત્યારબાદ ન માત્ર ત્રીજી ટેસ્ટ, પરંતુ આખી સીરિઝથી બહાર થવાનું જોખમ મંડરાઈ રહ્યું છે.

મીડિયા રિપોર્ટ મુજબ, વાઈજેક (વિશાખાપટ્ટનમ)માં બીજી ટેસ્ટ સમાપ્ત થયા બાદ ટીમના બધા ખેલાડીઓની પ્લેઇંગ કીટ રાજકોટ પહોંચાડી દેવામાં આવી છે, પરંતુ શ્રેયસ ઐય્યરની કીટ રાજકોટ પહોંચી નથી. કહેવામાં આવી રહ્યું છે કે, તેની કીટ મુંબઇમાં તેના ઘરે મોકલી દેવામાં આવી છે. શ્રેયસ ઐય્યરની ઇજાના કારણે આગામી 3 ટેસ્ટ માટે ટીમની જાહેરાત ટળી રહી હતી, પરંતુ હવે માનવામાં આવી રહ્યું છે કે શુક્રવારે ટીમની જાહેરાત થઈ શકે છે. મીડિયા રિપોર્ટ મુજબ, કહેવામાં આવ્યું છે કે શ્રેયસ ઐય્યરને NCPમાં મોકલવાની તૈયારી છે.

આ ઇજાના કારણે શ્રેયસ ઐય્યર ઈંગ્લેન્ડ વિરુદ્ધ બચેલી 3 ટેસ્ટ મેચથી બહાર થઈ શકે છે. જો કે, આગામી મહિને શરૂ થનારી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં તેની વાપસી થવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે, શ્રેયસ ઐય્યર ગયા વર્ષે પણ બેક ઇન્જરીથી પરેશાન હતો, ત્યારબાદ તેની સર્જરી થઈ હતી. શ્રેયસ ઐય્યરે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં એશિયા કપના માધ્યમથી ટીમમાં વાપસી કરી હતી. શ્રેયસ ઐય્યર જો સીરિઝથી બહાર થાય છે તો સિલેક્ટર્સે તેનું રિપ્લેસમેન્ટ શોધવું પડશે.

ભારતીય ટીમને વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં પહેલા જ જાડેજા અને કેએલ રાહુલન રૂપમાં 2 ઝટકા લાગ્યા હતા. રવીન્દ્ર જાડેજા અને કેએલ રાહુલ ઇજાના કારણે બીજી ટેસ્ટ મેચ રમી નહોતી. વિરાટ કોહલીએ અંગત કારણોનો સંદર્ભ આપીને બ્રેક માગ્યો હતો. હવે ત્રીજી ટેસ્ટમાં વિરાટ કોહલી, રવીન્દ્ર જાડેજા, કેએલ રાહુલ અને શ્રેયસ ઐય્યર ન હોવાથી ભારતીય ટીમ નબળી નજરે પડી રહી છે. હાલમાં બંને ટીમો સીરિઝમાં 1-1થી બરાબર પર છે. હવે ત્રીજી ટેસ્ટ મેટ 15 ફેબ્રુઆરીથી રાજકોટમાં રમાશે.

About The Author

Top News

પિરિયડ્સ માટે રજા આપવાની માંગણી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો

દેશભરમાં કામ કરતી મહિલાઓ અને વિદ્યાર્થીનીઓ માટે ફરજિયાત માસિક રજાની માંગ કરતી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે...
National 
પિરિયડ્સ માટે રજા આપવાની માંગણી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો

LPG અછત: ગુજરાતમાં લારી-ઢાબા સંકટમાં, વેપારીઓ બોલ્યા- 2000નો ધંધો થાય છે અને બ્લેકમાં ગેસ બાટલા 3 ગણા ભાવે મળે છે

મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે વિશ્વભરમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં આખું વિશ્વ પિસાઈ રહ્યું...
Gujarat 
LPG અછત: ગુજરાતમાં લારી-ઢાબા સંકટમાં, વેપારીઓ બોલ્યા- 2000નો ધંધો થાય છે અને બ્લેકમાં ગેસ બાટલા 3 ગણા ભાવે મળે છે

લોકગાયિકા કિંજલ રબારીએ કેમ સરકાર પાસે સુરક્ષા માંગી?

ગુજરાતમાં જાણીતી મહિલા કલાકારોના આંતરજ્ઞાતીય લગ્નોને લઈને વિવાદોનો સિલસિલો યથાવત્ જોવા મળી રહ્યો છે. અગાઉ કિંજલ દવે અને આરતી સાંગાણીના...
Gujarat 
લોકગાયિકા કિંજલ રબારીએ કેમ સરકાર પાસે સુરક્ષા માંગી?

એક ગુગલની સર્ચ લાંચિયા કલેક્ટર રાજેન્દ્ર પટેલને ભારે પડી, જામીન ન મળ્યા 

જમીન એનએ કરવાના કેસમાં કરોડો રૂપિયાની લાંચ લેવાના આરોપસર જેલવાસ ભોગવી રહેલા કલેક્ટર રાજેન્દ્ર કુમાર પટેલને સ્પેશિયલ પીએમએલએ કોર્ટે જામીન...
Gujarat 
એક ગુગલની સર્ચ લાંચિયા કલેક્ટર રાજેન્દ્ર પટેલને ભારે પડી, જામીન ન મળ્યા 

Opinion

બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના અમરેલી જિલ્લામાં ખેડૂતોના હિત માટે અવાજ ઉઠાવનાર અને રાજકીય સામાજિક ક્ષેત્રે લાંબી સફર કરનાર એક સૌસ્વીકૃત નામ...
માતા-પિતાના સ્નેહનું ઋણ ચૂકવી શકાય નહીં પરંતુ તેમની સેવા કરી, આદર તથા સાથ આપીને જ થોડું ઘણું ચૂકવી શકાય
જે લોકો ચૂપચાપ સેવા કરે છે તેઓ જ આ સમાજના અસલી હીરો છે
નિર્લિપ્ત રાય-એક ધૂરંધર IPS ઓફિસર જેનાથી ગુનેગારો જ નહીં નેતા અને પોલીસ પણ ડરે છે!
ગ્રીનલેબ ડાયમંડ્સ: મુકેશભાઈ પટેલ રાષ્ટ્રભક્તિ અને પાટીદાર સમાજ પ્રત્યે અમૂલ્ય યોગદાન આપનાર વ્યક્તિત્વ
Copyright (c) Khabarchhe All Rights Reserved.