ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધશે, રિષભ પંત ODI વર્લ્ડ કપમાંથી પણ થઇ શકે છે બહાર

ટીમ ઈન્ડિયાના વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંત ગયા વર્ષે 30 ડિસેમ્બરે કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના પંત સાથે રૂરકી જતા સમયે બની હતી. રિષભ પંતની અગાઉ દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી. ત્યારબાદ તેને મુંબઈની કોકિલા બેન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. રિષભ પંત ક્યારે મેદાનમાં પરત ફરશે, તે અત્યારે સંપૂર્ણ રીતે સ્પષ્ટ નથી.

આમ જોઈએ તો, કોકિલા બેન હોસ્પિટલ તરફથી આવી રહેલા સમાચાર ભારતીય ક્રિકેટ ચાહકો માટે બિલકુલ સારા નથી. મીડિયા અહેવાલો અનુસાર, પંતને મેદાન પર પાછા ફરવા માટે ઓછામાં ઓછા 8-9 મહિનાનો સમય લાગશે, કારણ કે તેના ઘૂંટણ અને પગની ઘૂંટીમાં લિગામેન્ટ ટિયર માટે ડબલ સર્જરી થવાની અપેક્ષા છે. આનો અર્થ એ થયો કે, રિષભ પંત માત્ર IPL 2023માંથી જ બહાર નહીં રહે, પરંતુ સપ્ટેમ્બરમાં યોજાનાર એશિયા કપ સિવાય ODI વર્લ્ડ કપ 2023માં પણ ભાગ લઇ શકશે નહીં.

ડો. દિનશા પારડીવાલાના નેતૃત્વમાં (કોકિલાબેન હોસ્પિટલના સ્પોર્ટ્સ ઓર્થોપેડિક્સના નિયામક) ડોકટરોની ટીમે રિષભ પંતની તપાસ કરી. ઈનસાઈડ સ્પોર્ટના અહેવાલ મુજબ હોસ્પિટલના નિષ્ણાતોનું માનવું છે કે, જ્યાં સુધી સોજો ઓછો ન થાય ત્યાં સુધી કોઈ MRI કે સર્જરી કરી શકાતી નથી. પંતને ગંભીર લિગામેન્ટ ટિયર છે અને તેને પુરી રીતે સામાન્ય સ્થિતિમાં પાછા આવવામાં ઓછામાં ઓછા 8-9 મહિનાનો સમય લાગશે.

BCCIની મેડિકલ ટીમની નજીકના એક સૂત્રએ કહ્યું, 'આ તબક્કે લિગામેન્ટ ટિયરની હદ જાણી શકાય એમ નથી આગામી 3-4 દિવસમાં જ સ્પષ્ટ ચિત્ર બહાર આવી શકે છે, પરંતુ હોસ્પિટલના ડોકટરોનું માનવું છે કે પંતનું લિગામેન્ટ ફાટી ગયું છે તે ગંભીર છે. વિકેટકીપરને જે પ્રકારના વર્કલોડમાંથી પસાર થવું પડે છે, અમને લાગે છે કે પંત વર્ષના અંતમાં જ સ્પર્ધાત્મક ક્રિકેટમાં પરત ફરી શકે છે.'

IPL કમિશનર અરુણ ધૂમલે કહ્યું હતું કે, 'અમે તેની દરેક રીતે કાળજી લઈશું. પરંતુ આ સમયે, તેની ઇજા અંગે ટિપ્પણી કરવી એ નકરી અટકળો લગાવવા બરાબર હશે, ડોકટરોને તેમની સમગ્ર પ્રક્રિયા અને નિરીક્ષણ કરવા દો. બુધવારે, BCCIએ પંતને એરલિફ્ટ કરીને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. હોસ્પિટલના ડોક્ટરોના રિપોર્ટ બાદ BCCI નક્કી કરશે કે પંતનું ભારતમાં ઓપરેશન કરવું પડશે કે પછી તેને સર્જરી માટે લંડન લઈ જવામાં આવશે.

About The Author

Top News

સુરત પોલીસે ત્યજી દેવાયેલી નવજાત બાળકીની છઠ્ઠી વિધિ ઉજવી; નામ રાખ્યું- ‘હસ્તી’

બાળકો ત્યજી દેવાની ઘટનાઓ ખૂબ જ ચોંકાવનારી અને  ચિંતાજનક હોય છે. અવારનવાર તમે આવી ઘટનાઓ સમાચારોમાં સાંભળી હશે અથવા થોડા...
Gujarat 
સુરત પોલીસે ત્યજી દેવાયેલી નવજાત બાળકીની છઠ્ઠી વિધિ ઉજવી; નામ રાખ્યું- ‘હસ્તી’

રસ્તા પર ખાડા હોવાની જાણ કરનારને મળશે રૂ. 5000, આ રાજ્યમાં આવી રહી છે નવી સ્કીમ

બિહારના રસ્તાઓ પર ખાડા હોવાની જાણ કરનાર કોઈપણ વ્યક્તિને 5000 રૂપિયા મળશે. આ નવી યોજના 15 ફેબ્રુઆરી બાદ લાગૂ કરવામાં...
Politics 
રસ્તા પર ખાડા હોવાની જાણ કરનારને મળશે રૂ. 5000, આ રાજ્યમાં આવી રહી છે નવી સ્કીમ

બજરંગ દળના નેતાને UP પોલીસે આખી રાત પોલીસ સ્ટેશનમાં ધાબળો ઓઢાડી ખૂબ માર્યા; મંત્રી અને ધારાસભ્યએ વિરોધ પ્રદર્શન કર્યું

ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં બજરંગ દળના જિલ્લા સંયોજકે પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે. વિનોદ મૌર્યનો આરોપ છે કે, પોલીસે...
National 
બજરંગ દળના નેતાને UP પોલીસે આખી રાત પોલીસ સ્ટેશનમાં ધાબળો ઓઢાડી ખૂબ માર્યા; મંત્રી અને ધારાસભ્યએ વિરોધ પ્રદર્શન કર્યું

ભાજપના MLAએ ચૈતર વસાવા અને અનંત પટેલને સિંહ કહ્યા, સભામાં હાજર BJPના કાર્યકરો અને હોદ્દેદારો પણ સ્તબ્ધ

સામાન્ય રીતે સત્તા પક્ષ અને વિપક્ષના નેતાઓ એક-બીજા પર આરોપ-પ્રત્યારોપ લગાવતા રહેતા હોય છે. વિપક્ષના નેતાઓ રાજયમાં બનતી કેટલીક ઘટનાઓને...
Gujarat 
ભાજપના MLAએ ચૈતર વસાવા અને અનંત પટેલને સિંહ કહ્યા, સભામાં હાજર BJPના કાર્યકરો અને હોદ્દેદારો પણ સ્તબ્ધ
Copyright (c) Khabarchhe All Rights Reserved.