ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધશે, રિષભ પંત ODI વર્લ્ડ કપમાંથી પણ થઇ શકે છે બહાર

ટીમ ઈન્ડિયાના વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંત ગયા વર્ષે 30 ડિસેમ્બરે કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના પંત સાથે રૂરકી જતા સમયે બની હતી. રિષભ પંતની અગાઉ દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી. ત્યારબાદ તેને મુંબઈની કોકિલા બેન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. રિષભ પંત ક્યારે મેદાનમાં પરત ફરશે, તે અત્યારે સંપૂર્ણ રીતે સ્પષ્ટ નથી.

આમ જોઈએ તો, કોકિલા બેન હોસ્પિટલ તરફથી આવી રહેલા સમાચાર ભારતીય ક્રિકેટ ચાહકો માટે બિલકુલ સારા નથી. મીડિયા અહેવાલો અનુસાર, પંતને મેદાન પર પાછા ફરવા માટે ઓછામાં ઓછા 8-9 મહિનાનો સમય લાગશે, કારણ કે તેના ઘૂંટણ અને પગની ઘૂંટીમાં લિગામેન્ટ ટિયર માટે ડબલ સર્જરી થવાની અપેક્ષા છે. આનો અર્થ એ થયો કે, રિષભ પંત માત્ર IPL 2023માંથી જ બહાર નહીં રહે, પરંતુ સપ્ટેમ્બરમાં યોજાનાર એશિયા કપ સિવાય ODI વર્લ્ડ કપ 2023માં પણ ભાગ લઇ શકશે નહીં.

ડો. દિનશા પારડીવાલાના નેતૃત્વમાં (કોકિલાબેન હોસ્પિટલના સ્પોર્ટ્સ ઓર્થોપેડિક્સના નિયામક) ડોકટરોની ટીમે રિષભ પંતની તપાસ કરી. ઈનસાઈડ સ્પોર્ટના અહેવાલ મુજબ હોસ્પિટલના નિષ્ણાતોનું માનવું છે કે, જ્યાં સુધી સોજો ઓછો ન થાય ત્યાં સુધી કોઈ MRI કે સર્જરી કરી શકાતી નથી. પંતને ગંભીર લિગામેન્ટ ટિયર છે અને તેને પુરી રીતે સામાન્ય સ્થિતિમાં પાછા આવવામાં ઓછામાં ઓછા 8-9 મહિનાનો સમય લાગશે.

BCCIની મેડિકલ ટીમની નજીકના એક સૂત્રએ કહ્યું, 'આ તબક્કે લિગામેન્ટ ટિયરની હદ જાણી શકાય એમ નથી આગામી 3-4 દિવસમાં જ સ્પષ્ટ ચિત્ર બહાર આવી શકે છે, પરંતુ હોસ્પિટલના ડોકટરોનું માનવું છે કે પંતનું લિગામેન્ટ ફાટી ગયું છે તે ગંભીર છે. વિકેટકીપરને જે પ્રકારના વર્કલોડમાંથી પસાર થવું પડે છે, અમને લાગે છે કે પંત વર્ષના અંતમાં જ સ્પર્ધાત્મક ક્રિકેટમાં પરત ફરી શકે છે.'

IPL કમિશનર અરુણ ધૂમલે કહ્યું હતું કે, 'અમે તેની દરેક રીતે કાળજી લઈશું. પરંતુ આ સમયે, તેની ઇજા અંગે ટિપ્પણી કરવી એ નકરી અટકળો લગાવવા બરાબર હશે, ડોકટરોને તેમની સમગ્ર પ્રક્રિયા અને નિરીક્ષણ કરવા દો. બુધવારે, BCCIએ પંતને એરલિફ્ટ કરીને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. હોસ્પિટલના ડોક્ટરોના રિપોર્ટ બાદ BCCI નક્કી કરશે કે પંતનું ભારતમાં ઓપરેશન કરવું પડશે કે પછી તેને સર્જરી માટે લંડન લઈ જવામાં આવશે.

About The Author

Top News

અમદાવાદના મનપસંદ જીમખાના જુગારધામ કેસમાં દરિયાપુર PI, PSI સસ્પેન્ડ, 187 જુગારીઓ પકડાયા હતા

અમદાવાદના બહુચર્ચિત મનપસંદ જીમખાનામાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા પાડવામાં આવેલા દરોડા અને કરોડો રૂપિયાના જુગારધામના પર્દાફાશ બાદ પોલીસ...
Gujarat 
અમદાવાદના મનપસંદ જીમખાના જુગારધામ કેસમાં દરિયાપુર PI, PSI સસ્પેન્ડ, 187 જુગારીઓ પકડાયા હતા

શું છે NALSAR વિવાદ જેને લીધે બાર કાઉન્સિલ પર ભડક્યા CJI, કહ્યું- આ મારા અને વિદ્યાર્થીઓ વચ્ચેની વાત છે તમે...

દેશની સૌથી પ્રતિષ્ઠિત કાયદા સંસ્થાઓમાંની એક, હૈદરાબાદની NALSAR યુનિવર્સિટી ઓફ લોના વિદ્યાર્થીઓને સુપ્રીમ કોર્ટ તરફથી ખુબ મોટી રાહત મળી...
Education 
શું છે NALSAR વિવાદ જેને લીધે બાર કાઉન્સિલ પર ભડક્યા CJI, કહ્યું- આ મારા અને વિદ્યાર્થીઓ વચ્ચેની વાત છે તમે...

જાતિ-ધર્મ, કુલ બેંક ખાતા અને કોવિડ વેક્સીનની વિગત.. વસ્તી ગણતરી માટે પૂછાશે આ 40 પ્રશ્નો, જુઓ સંપૂર્ણ યાદી

કેન્દ્રની મોદી સરકારે વસ્તી ગણતરી દરમિયાન પૂછવામાં આવનારા પ્રશ્નોની યાદી જાહેર કરી છે. શુક્રવારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જાતિ, ધર્મ...
National 
જાતિ-ધર્મ, કુલ બેંક ખાતા અને કોવિડ વેક્સીનની વિગત.. વસ્તી ગણતરી માટે પૂછાશે આ 40 પ્રશ્નો, જુઓ સંપૂર્ણ યાદી

‘મિલકતમાં અમારો ભાગ આપી દો, નહીંતર પતાવી દઇશું’, દાદા-દાદીની સંપત્તિ હડપવા પૂત્રવધૂ-પૌત્રીઓએ હદ વટાવી

જ્યારે માતા-પિતા પોતાના પુત્રને પરણાવે ત્યારે એવી અપેક્ષા હોય કે વૃદ્ધાવસ્થામાં, જ્યારે હાથ-પગ કામ કરતાં બંધ થઈ જાય ત્યારે...
Gujarat 
‘મિલકતમાં અમારો ભાગ આપી દો, નહીંતર પતાવી દઇશું’, દાદા-દાદીની સંપત્તિ હડપવા પૂત્રવધૂ-પૌત્રીઓએ હદ વટાવી

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.