સચિન તેંદુલકરની ભવિષ્યવાણી, જણાવ્યું- ભારત અને ઈંગ્લેન્ડમાંથી કોણ જીતશે ટેસ્ટ સીરિઝ

હાલના સમયમાં ભારતીય ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસે છે. જ્યાં તેણે 5 મેચની ટેસ્ટ સીરિઝમાં મેજમાન ટીમનો સામનો કરવાનો છે. આ સીરિઝની શરૂઆત આજથી (20 જૂન 2025) શરૂ થઈ રહી છે. આ અગાઉ રમત જગતમાં ક્રિકેટના ભગવાનના રૂપમાં જાણીતા સચિન તેંદુલકરે એક મોટી ભવિષ્યવાણી કરી છે. તેમનું માનવું છે કે, ઈંગ્લેન્ડ પ્રવાસ પર ભારતીય ટીમ 3-1થી જીતશે. જી હા, તેમાં ચોંકાવનારી નથી. કેમ કે આ વાત અમે નહીં, પરંતુ પોતે ક્રિકેટના ભગવાને આ વાત કહી છે. ESPNcricinfo સાથે થયેલી વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે, ‘મેં ભારત માટે 3-1નું અનુમાન લગાવ્યું છે.

sachin2
facebook.com/SachinTendulkar

 

છેલ્લી વખત જ્યારે ઈંગ્લેન્ડ પ્રવાસ ટીમને વર્ષ 2007માં તે જીત મળી હતી. એ જીતના સાક્ષી પોતે સચિન તેંદુલકર છે. રાહુલ દ્રવિડની આગેવાનીમાં, ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરતા ઈંગ્લિશ ટીમને તેની જમીન પર ધૂળ ચટાવી હતી. ત્યારથી ભારતીય ટીમ ત્યાં જીત માટે તરસી રહી છે. હાલમાં ભારતીય ટીમ બદલાવના દૌરમાંથી પસાર થઈ રહી છે. વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવિચંદ્રન અશ્વિન જેવા અનુભવી ખેલાડીઓએ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી ચૂક્યા છે. તેમની જગ્યાએ સામેલ ખેલાડીઓને ઈંગ્લેન્ડની ધરતી પર પ્રદર્શન કરવાનો અનુભવ ન બરાબર છે અથવા ખૂબ ઓછું છે. આ જ કારણ છે કે ક્રિકેટ એક્સપર્ટ આ વખત ટીમના પ્રદર્શનથી થોડા ભયભીત છે.

સચિને ગિલને આપી સલાહ

યુવા કેપ્ટન ગિલને સચિને મહત્ત્વની સલાહ આપી છે. આ સિવાય, તેમણે આશા વ્યક્ત કરી કે, ઈંગ્લેન્ડની ધરતી પર  તે આ વખતે કંઈક ખાસ કરશે. તેમણે કહ્યું કે, ‘તેમને (ગિલને) મારી એવી જ સલાહ છે કે તેમણે ચિંતા કરવાની જરૂરિયાત  નથી, X, Y, Z શું કહી રહ્યા છે.

sachin
facebook.com/SachinTendulkar

 

તેમણે કહ્યું કે, તેમની કેપ્ટન્સી આક્રમક હોય કે રક્ષણાત્મક અથવા પર્યાપ્ત આક્રમક હોય અથવા સક્રિય કેપ્ટન ન હોય, આ જે પણ વિચાર છે. આ માત્ર વિચાર છે, જે બહારથી આવી રહ્યા છે. મારા હિસાબે, બધી બાબતે તેણે વિચારવાની જરૂરિયાત નથી, પરંતુ તેણે એ વિચારવાની જરૂરિયાત છે કે ડ્રેસિંગ રૂમમાં શું ચર્ચા થઈ.'

About The Author

Top News

પશ્ચિમ બંગાળની ચૂંટણીઓ વચ્ચે, આ પૂર્વોત્તર રાજ્યમાં BJPને પડ્યો મોટો ઝટકો, 28માંથી 24 બેઠકો ગુમાવી

ભારતીય જનતા પાર્ટી (BJP)ને ત્રિપુરામાં મોટો ફટકો પડ્યો છે. તાજેતરમાં પુરી થયેલી ત્રિપુરા ટ્રાઇબલ એરિયાઝ ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ...
National 
પશ્ચિમ બંગાળની ચૂંટણીઓ વચ્ચે, આ પૂર્વોત્તર રાજ્યમાં BJPને પડ્યો મોટો ઝટકો, 28માંથી 24 બેઠકો ગુમાવી

‘રાજ્યની અંદર ગાય કે ગૌવંશને વાહનમાં લઈ જવા એ ગુનો નથી’, હાઈ કોર્ટેની ટિપ્પણી

અલ્લાહબાદ હાઈકોર્ટે તાજેતરમાં પશુઓના કથિત ગેરકાયદેસર પરિવહન અંગે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. સાથે જ કોર્ટે આ સંદર્ભમાં જપ્ત કરાયેલ...
National 
‘રાજ્યની અંદર ગાય કે ગૌવંશને વાહનમાં લઈ જવા એ ગુનો નથી’, હાઈ કોર્ટેની ટિપ્પણી

ચાંદખેડાની ખીરું ખાવાની ઘટના પર FSLનો રિપોર્ટ આવી ગયો, ‘બંને બાળકીના શરીરમાં કોઈ શંકાસ્પદ પદાર્થ મળ્યો નથી’, હવે માતા-પિતાએ નવી થીયરી આપી

અમદાવાદના ચાંદખેડામાં ખીરું ખાવાથી બે બાળકીના શંકાસ્પદ રીતે જીવ જતાં રહ્યા હતા. આ ઘટનાનો FSLનો રિપોર્ટ સામે આવી ગયો...
Gujarat 
ચાંદખેડાની ખીરું ખાવાની ઘટના પર FSLનો રિપોર્ટ આવી ગયો, ‘બંને બાળકીના શરીરમાં કોઈ શંકાસ્પદ પદાર્થ મળ્યો નથી’, હવે માતા-પિતાએ નવી થીયરી આપી

ગાંધીનગરમાં નાયબ મામલતદાર અને નિવૃત્ત પટાવાળો 9.5 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા

ગુજરાતના પાટનગરમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યૂરો (ACB)એ એક મોટી સફળતા હાંસલ કરી છે. ગાંધીનગર કોર્ટ પાર્કિંગ પાસે ફિલ્મી ઢબે...
Gujarat 
ગાંધીનગરમાં નાયબ મામલતદાર અને નિવૃત્ત પટાવાળો 9.5 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા
Copyright (c) Khabarchhe All Rights Reserved.