લોર્ડ્સમાં RCBના ખેલાડીની બેઇજ્જતી! જીતેશને સ્ટેડિયમમાં ઘૂસવા ન દીધો? પછી એણે DKને પાડી બૂમ

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સમાં 5 મેચોની ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચ  રમાઇ હતી. આ દિલ ધડક મેચમાં ભારતીય ટીમને 22 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. લોર્ડ્સમાં રમાયેલી રોમાન્ચક ટેસ્ટ હારનું દુઃખ મનાવી રહેલા ભારતીય ફેન્સ સામે એક એવો વીડિયો આવ્યો, જેને જોઇને તેઓ હેરાન થઇ ગયા.

https://www.instagram.com/reel/DMI8X2UMG9q/?utm_source=ig_web_copy_link

એવો દાવો કરવામાં આવ્યો હતો કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન જીતેશ શર્માને સ્ટેડિયમમાં એન્ટ્રી લેતા રોકવામાં આવ્યો હતો. હવે પૂર્વ ભારતીય ખેલાડી દિનેશ કાર્તિકે આ દાવાની પૂરી વાસ્તવિકતા બધાને બતાવી છે.

DK1
orissapost.com

હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો, જેના કેપ્શનમાં લખ્યું હતું કે, લોર્ડ્સના સુરક્ષા ગાર્ડે જિતેશ શર્માને સ્ટેડિયમમાં ઘૂસવા ન દીધો. આ ખૂબ જ શરમજનક છે. જોત જોતામાં આ વીડિયો આગની જેમ ફેલાઈ ગયો. હવે જીતેશના 'ગુરુ' કહેવાતા દિનેશ કાર્તિકે, આ વીડિયોની વાસ્તવિકતા બતાવી છે.

ભારતના પૂર્વ વિકેટકીપર દિનેશ કાર્તિકે એવી અફવાઓને ફગાવી દીધી છે કે ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ મેચ દરમિયાન જીતેશ શર્માને લોર્ડ્સ સ્ટેડિયમમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યો હતો. લોર્ડ્સમાં સ્કાય સ્પોર્ટ્સ માટે કમેન્ટ્રી કરી રહેલા પૂર્વ દિગ્ગજ વિકેટકીપર દિનેશ કાર્તિકે પોતાના X એકાઉન્ટ પર લખ્યું કે, ‘સોશિયલ મીડિયા સાથે જોડાયેલી કેટલીક એવી સમસ્યાઓ છે, જેનો સામનો ઘણા લોકો કરે છે. મેં જીતેશને કોમ બોક્સમાં બોલાવ્યો હતો, તે આવ્યો પણ હતો અને હું નીચે જઈને તેને મળ્યો અને તેને કોમ બોક્સમાં લઈ ગયો અને તે ત્યાં બધાને મળ્યો. આમ તો આ મીડિયા સેન્ટરની નીચે છે, ગ્રાઉન્ડનો પ્રવેશદ્વાર નહીં.

DK2
hindustantimes.com

તમને જણાવી દઈએ કે, જીતેશ શર્માએ અત્યાર સુધી ભારત માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું નથી, પરંતુ તેણે 9 T20 મેચ રમી ચૂક્યો છે. તેણે 14.28ની સરેરાશ અને 147.05ની શાનદાર સ્ટ્રાઈક રેટથી 100 રન બનાવ્યા છે. જીતેશે IPL 2025માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને ચેમ્પિયન બનાવવામાં મહાત્ત્વ્નું યોગદાન રહ્યું હતું. જમણા હાથના આ બેટ્સમેને 15 મેચમાં 37.3ની સરેરાશ અને 176.35ની સ્ટ્રાઈક રેટથી 261 રન બનાવ્યા હતા.

About The Author

Top News

અમદાવાદની 100થી વધુ સોસાયટીઓમાં અશાંત ધારો લાગૂ કરવા અભિયાન શરૂ

અમદાવાદમાં કેટલીક સોસાયટીમાં અશાંત ધારો લાગુ કરવા માટે એક અભિયાન શરૂ થયું છે અને અત્યાર સુધીમાં 100થી વધુ સોસાયટીઓ કલેકટરને...
Gujarat 
અમદાવાદની 100થી વધુ સોસાયટીઓમાં અશાંત ધારો લાગૂ કરવા અભિયાન શરૂ

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 14-03-2025 વાર- શનિવાર  મેષ -  સંતાનો પ્રત્યે ચિંતા રહે, ધારેલો લાભ દૂર જતો લાગે, ભગવાન શિવના જાપ કરવાથી શાંતિ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પિરિયડ્સ માટે રજા આપવાની માંગણી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો

દેશભરમાં કામ કરતી મહિલાઓ અને વિદ્યાર્થીનીઓ માટે ફરજિયાત માસિક રજાની માંગ કરતી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે...
National 
પિરિયડ્સ માટે રજા આપવાની માંગણી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો

LPG અછત: ગુજરાતમાં લારી-ઢાબા સંકટમાં, વેપારીઓ બોલ્યા- 2000નો ધંધો થાય છે અને બ્લેકમાં ગેસ બાટલા 3 ગણા ભાવે મળે છે

મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે વિશ્વભરમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં આખું વિશ્વ પિસાઈ રહ્યું...
Gujarat 
LPG અછત: ગુજરાતમાં લારી-ઢાબા સંકટમાં, વેપારીઓ બોલ્યા- 2000નો ધંધો થાય છે અને બ્લેકમાં ગેસ બાટલા 3 ગણા ભાવે મળે છે

Opinion

બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના અમરેલી જિલ્લામાં ખેડૂતોના હિત માટે અવાજ ઉઠાવનાર અને રાજકીય સામાજિક ક્ષેત્રે લાંબી સફર કરનાર એક સૌસ્વીકૃત નામ...
માતા-પિતાના સ્નેહનું ઋણ ચૂકવી શકાય નહીં પરંતુ તેમની સેવા કરી, આદર તથા સાથ આપીને જ થોડું ઘણું ચૂકવી શકાય
જે લોકો ચૂપચાપ સેવા કરે છે તેઓ જ આ સમાજના અસલી હીરો છે
નિર્લિપ્ત રાય-એક ધૂરંધર IPS ઓફિસર જેનાથી ગુનેગારો જ નહીં નેતા અને પોલીસ પણ ડરે છે!
ગ્રીનલેબ ડાયમંડ્સ: મુકેશભાઈ પટેલ રાષ્ટ્રભક્તિ અને પાટીદાર સમાજ પ્રત્યે અમૂલ્ય યોગદાન આપનાર વ્યક્તિત્વ
Copyright (c) Khabarchhe All Rights Reserved.