ઓસ્ટ્રેલિયા માટે જોખમી બની શકે છે ભારતના આ 3 ખેલાડી, બચીને રહેવું પડશે

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 મેચોની ટેસ્ટ સીરિઝ શરૂ થવામાં હવે થોડા જ દિવસનો સમય બચ્યો છે. ભારત અને ન્યૂઝીલેન્ડની T20 સીરિઝની ત્રીજી અને છેલ્લી મેચ ફેબ્રુઆરીમાં રમાશે. ત્યારબાદ ભારતીય ટીમ પણ ટેસ્ટ સીરિઝની તૈયારીમાં લાગી જશે. જો કે, રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા બેટ્સમેનોને ન્યૂઝીલેન્ડ સીરિઝમાંથી એટલે આરામ આપવામાં આવ્યો છે જેથી તેઓ ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝ માટે ફ્રેશ અને ફિટ રહી શકે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જ્યારે ટેસ્ટ મેચ રમાય છે તો તે માત્ર એક સીરિઝ હોતી નથી, ઘણી બધી વસ્તુઓ દાવ પર લાગેલી હોય છે.

આમ પણ ICCની ટેસ્ટ રેન્કિંગમાં આ સમયે જ્યાં ઓસ્ટ્રેલિયા નંબર વન પર છે તો ભારતીય ટીમે બીજા નંબરે છે. એટલે કે નંબર વન અને બે વચ્ચે કાંટાની ટક્કર હશે. ઓસ્ટ્રેલિયન ટીમ જ્યારે પણ ભારતના પ્રવાસે આવે છે, ખાસ  કરીને ટેસ્ટ સીરિઝ માટે તો તેના માટે એ સખત પરીક્ષાનો સમય હોય છે. આ વખત પણ એવું જ થશે. ખાસ કરીને ભારતના 3 ખેલાડી ઓસ્ટ્રેલિયા માટે જોખમો બની શકે છે. ભારત અને ઑસ્ટ્રેલિયાય વચ્ચે સીરિઝની પહેલી મેચ 9 ફેબ્રુઆરીના રોજ નાગપુરના વિદર્ભ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમશે.

અત્યારથી એમ માનવામાં આવી રહ્યું છે કે ભારતમાં ઓસ્ટ્રેલિયાની પરીક્ષા ધીમી પીચો પર લેવામાં આવશે. આ વાતને ધ્યાનમાં રાખતા ઓસ્ટ્રેલિયન ટીમે સિડનીમાં જ એક સ્પિન ફ્રેન્ડલી પીચ તૈયાર કરી છે અને આ સમયે ત્યાં પ્રેક્ટિસ કરી રહી છે. ભારતીય ટીમના જે સ્પિન બોલરો સામે ઓસ્ટ્રેલિયાની પરીક્ષા હશે તેમાં રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ અને રવીન્દ્ર જાડેજા જેવા દિગ્ગજ હશે. જો કે અત્યારે એ સ્પષ્ટ નથી કે રવીન્દ્ર જાડેજા પહેલી મેચ રમી શકશે કે નહીં, પરંતુ 1 ફેબ્રુઆરીના રોજ તેના પરથી પરદો ઉઠી જશે.

જો કે સૌરાષ્ટ્ર તરફથી રણજી ટ્રોફીમાં રવીન્દ્ર જાડેજાએ બીજી ઇનિંગમાં જે પ્રકારની બોલિંગ કરી છે, તેનાથી માનવામાં આવી રહ્યું છે કે તે રમી શકે છે. જો ઓસ્ટ્રેલિયાને પણ એ વાત ખબર હશે તો નક્કી છે કે તેમના માથે પણ પરસેવો આવી રહ્યો હશે. જો રવીન્દ્ર જાડેજા ફિટ થયો તો રવિચંદ્રન અશ્વિન અને રવીન્દ્ર જાડેજાની જોડી ઓસ્ટ્રેલિયાને નચાવવા માટે પૂરતા હશે અને જો અક્ષર પટેલ પણ આવી ગયો તો પછી કહેવાનું જ શું. ખાસ વાત એ પણ છે કે આ ત્રણેય જ બોલર બેટિંગ પણ સારી એવી કરી શકે છે. જો પહેલા ફાસ્ટ બોલરોએ જલદી વિકેટ લઇને દબાવ બનાવી દીધો તો અશ્વિન, અક્ષર અને જાડેજાની જોડી કમાલ કરી શકે છે.

About The Author

Related Posts

Top News

પિરિયડ્સ માટે રજા આપવાની માંગણી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો

દેશભરમાં કામ કરતી મહિલાઓ અને વિદ્યાર્થીનીઓ માટે ફરજિયાત માસિક રજાની માંગ કરતી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે...
National 
પિરિયડ્સ માટે રજા આપવાની માંગણી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો

LPG અછત: ગુજરાતમાં લારી-ઢાબા સંકટમાં, વેપારીઓ બોલ્યા- 2000નો ધંધો થાય છે અને બ્લેકમાં ગેસ બાટલા 3 ગણા ભાવે મળે છે

મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે વિશ્વભરમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં આખું વિશ્વ પિસાઈ રહ્યું...
Gujarat 
LPG અછત: ગુજરાતમાં લારી-ઢાબા સંકટમાં, વેપારીઓ બોલ્યા- 2000નો ધંધો થાય છે અને બ્લેકમાં ગેસ બાટલા 3 ગણા ભાવે મળે છે

લોકગાયિકા કિંજલ રબારીએ કેમ સરકાર પાસે સુરક્ષા માંગી?

ગુજરાતમાં જાણીતી મહિલા કલાકારોના આંતરજ્ઞાતીય લગ્નોને લઈને વિવાદોનો સિલસિલો યથાવત્ જોવા મળી રહ્યો છે. અગાઉ કિંજલ દવે અને આરતી સાંગાણીના...
Gujarat 
લોકગાયિકા કિંજલ રબારીએ કેમ સરકાર પાસે સુરક્ષા માંગી?

એક ગુગલની સર્ચ લાંચિયા કલેક્ટર રાજેન્દ્ર પટેલને ભારે પડી, જામીન ન મળ્યા 

જમીન એનએ કરવાના કેસમાં કરોડો રૂપિયાની લાંચ લેવાના આરોપસર જેલવાસ ભોગવી રહેલા કલેક્ટર રાજેન્દ્ર કુમાર પટેલને સ્પેશિયલ પીએમએલએ કોર્ટે જામીન...
Gujarat 
એક ગુગલની સર્ચ લાંચિયા કલેક્ટર રાજેન્દ્ર પટેલને ભારે પડી, જામીન ન મળ્યા 

Opinion

બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના અમરેલી જિલ્લામાં ખેડૂતોના હિત માટે અવાજ ઉઠાવનાર અને રાજકીય સામાજિક ક્ષેત્રે લાંબી સફર કરનાર એક સૌસ્વીકૃત નામ...
માતા-પિતાના સ્નેહનું ઋણ ચૂકવી શકાય નહીં પરંતુ તેમની સેવા કરી, આદર તથા સાથ આપીને જ થોડું ઘણું ચૂકવી શકાય
જે લોકો ચૂપચાપ સેવા કરે છે તેઓ જ આ સમાજના અસલી હીરો છે
નિર્લિપ્ત રાય-એક ધૂરંધર IPS ઓફિસર જેનાથી ગુનેગારો જ નહીં નેતા અને પોલીસ પણ ડરે છે!
ગ્રીનલેબ ડાયમંડ્સ: મુકેશભાઈ પટેલ રાષ્ટ્રભક્તિ અને પાટીદાર સમાજ પ્રત્યે અમૂલ્ય યોગદાન આપનાર વ્યક્તિત્વ
Copyright (c) Khabarchhe All Rights Reserved.