ઓસ્ટ્રેલિયા માટે જોખમી બની શકે છે ભારતના આ 3 ખેલાડી, બચીને રહેવું પડશે

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 મેચોની ટેસ્ટ સીરિઝ શરૂ થવામાં હવે થોડા જ દિવસનો સમય બચ્યો છે. ભારત અને ન્યૂઝીલેન્ડની T20 સીરિઝની ત્રીજી અને છેલ્લી મેચ ફેબ્રુઆરીમાં રમાશે. ત્યારબાદ ભારતીય ટીમ પણ ટેસ્ટ સીરિઝની તૈયારીમાં લાગી જશે. જો કે, રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા બેટ્સમેનોને ન્યૂઝીલેન્ડ સીરિઝમાંથી એટલે આરામ આપવામાં આવ્યો છે જેથી તેઓ ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝ માટે ફ્રેશ અને ફિટ રહી શકે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જ્યારે ટેસ્ટ મેચ રમાય છે તો તે માત્ર એક સીરિઝ હોતી નથી, ઘણી બધી વસ્તુઓ દાવ પર લાગેલી હોય છે.

આમ પણ ICCની ટેસ્ટ રેન્કિંગમાં આ સમયે જ્યાં ઓસ્ટ્રેલિયા નંબર વન પર છે તો ભારતીય ટીમે બીજા નંબરે છે. એટલે કે નંબર વન અને બે વચ્ચે કાંટાની ટક્કર હશે. ઓસ્ટ્રેલિયન ટીમ જ્યારે પણ ભારતના પ્રવાસે આવે છે, ખાસ  કરીને ટેસ્ટ સીરિઝ માટે તો તેના માટે એ સખત પરીક્ષાનો સમય હોય છે. આ વખત પણ એવું જ થશે. ખાસ કરીને ભારતના 3 ખેલાડી ઓસ્ટ્રેલિયા માટે જોખમો બની શકે છે. ભારત અને ઑસ્ટ્રેલિયાય વચ્ચે સીરિઝની પહેલી મેચ 9 ફેબ્રુઆરીના રોજ નાગપુરના વિદર્ભ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમશે.

અત્યારથી એમ માનવામાં આવી રહ્યું છે કે ભારતમાં ઓસ્ટ્રેલિયાની પરીક્ષા ધીમી પીચો પર લેવામાં આવશે. આ વાતને ધ્યાનમાં રાખતા ઓસ્ટ્રેલિયન ટીમે સિડનીમાં જ એક સ્પિન ફ્રેન્ડલી પીચ તૈયાર કરી છે અને આ સમયે ત્યાં પ્રેક્ટિસ કરી રહી છે. ભારતીય ટીમના જે સ્પિન બોલરો સામે ઓસ્ટ્રેલિયાની પરીક્ષા હશે તેમાં રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ અને રવીન્દ્ર જાડેજા જેવા દિગ્ગજ હશે. જો કે અત્યારે એ સ્પષ્ટ નથી કે રવીન્દ્ર જાડેજા પહેલી મેચ રમી શકશે કે નહીં, પરંતુ 1 ફેબ્રુઆરીના રોજ તેના પરથી પરદો ઉઠી જશે.

જો કે સૌરાષ્ટ્ર તરફથી રણજી ટ્રોફીમાં રવીન્દ્ર જાડેજાએ બીજી ઇનિંગમાં જે પ્રકારની બોલિંગ કરી છે, તેનાથી માનવામાં આવી રહ્યું છે કે તે રમી શકે છે. જો ઓસ્ટ્રેલિયાને પણ એ વાત ખબર હશે તો નક્કી છે કે તેમના માથે પણ પરસેવો આવી રહ્યો હશે. જો રવીન્દ્ર જાડેજા ફિટ થયો તો રવિચંદ્રન અશ્વિન અને રવીન્દ્ર જાડેજાની જોડી ઓસ્ટ્રેલિયાને નચાવવા માટે પૂરતા હશે અને જો અક્ષર પટેલ પણ આવી ગયો તો પછી કહેવાનું જ શું. ખાસ વાત એ પણ છે કે આ ત્રણેય જ બોલર બેટિંગ પણ સારી એવી કરી શકે છે. જો પહેલા ફાસ્ટ બોલરોએ જલદી વિકેટ લઇને દબાવ બનાવી દીધો તો અશ્વિન, અક્ષર અને જાડેજાની જોડી કમાલ કરી શકે છે.

About The Author

Top News

વડાપ્રધાન મોદીના ઉત્તરાધિકારી કોણ? ફડણવીસે આપ્યો સ્પષ્ટ જવાબ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઉતરાધિકારી કોણ? એ બાબતે ઘણા સમયથી ચર્ચા શરૂ થઇ છે. તાજેતરમાં રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘની વડા...
National 
વડાપ્રધાન મોદીના ઉત્તરાધિકારી કોણ? ફડણવીસે આપ્યો સ્પષ્ટ જવાબ

ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

શનિવારે બપોરે ગોવાથી નવી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટમાં એક અમેરિકન મુસાફર અચાનક બીમાર પડી ગઈ ત્યારે અંધાધૂંધી ફેલાઈ ગઈ. કેલિફોર્નિયાની...
National 
ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના ટિબ્બી શહેરમાં આ અઠવાડિયે થયેલી હિંસક અથડામણે સમગ્ર વિસ્તારને ચર્ચામાં લાવી દીધો. સેંકડો લોકો સામે FIR દાખલ...
National 
ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ

ભારતીય જનતા પાર્ટીએ ફરીએકવાર બધાને ચોંકાવતા નીતિન નબીનને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે પસંદ કર્યા છે. નીતિન નબીન વિશે ભાગ્યે...
National 
કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Copyright (c) Khabarchhe All Rights Reserved.