ઓસ્ટ્રેલિયા માટે જોખમી બની શકે છે ભારતના આ 3 ખેલાડી, બચીને રહેવું પડશે

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 મેચોની ટેસ્ટ સીરિઝ શરૂ થવામાં હવે થોડા જ દિવસનો સમય બચ્યો છે. ભારત અને ન્યૂઝીલેન્ડની T20 સીરિઝની ત્રીજી અને છેલ્લી મેચ ફેબ્રુઆરીમાં રમાશે. ત્યારબાદ ભારતીય ટીમ પણ ટેસ્ટ સીરિઝની તૈયારીમાં લાગી જશે. જો કે, રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા બેટ્સમેનોને ન્યૂઝીલેન્ડ સીરિઝમાંથી એટલે આરામ આપવામાં આવ્યો છે જેથી તેઓ ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝ માટે ફ્રેશ અને ફિટ રહી શકે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જ્યારે ટેસ્ટ મેચ રમાય છે તો તે માત્ર એક સીરિઝ હોતી નથી, ઘણી બધી વસ્તુઓ દાવ પર લાગેલી હોય છે.

આમ પણ ICCની ટેસ્ટ રેન્કિંગમાં આ સમયે જ્યાં ઓસ્ટ્રેલિયા નંબર વન પર છે તો ભારતીય ટીમે બીજા નંબરે છે. એટલે કે નંબર વન અને બે વચ્ચે કાંટાની ટક્કર હશે. ઓસ્ટ્રેલિયન ટીમ જ્યારે પણ ભારતના પ્રવાસે આવે છે, ખાસ  કરીને ટેસ્ટ સીરિઝ માટે તો તેના માટે એ સખત પરીક્ષાનો સમય હોય છે. આ વખત પણ એવું જ થશે. ખાસ કરીને ભારતના 3 ખેલાડી ઓસ્ટ્રેલિયા માટે જોખમો બની શકે છે. ભારત અને ઑસ્ટ્રેલિયાય વચ્ચે સીરિઝની પહેલી મેચ 9 ફેબ્રુઆરીના રોજ નાગપુરના વિદર્ભ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમશે.

અત્યારથી એમ માનવામાં આવી રહ્યું છે કે ભારતમાં ઓસ્ટ્રેલિયાની પરીક્ષા ધીમી પીચો પર લેવામાં આવશે. આ વાતને ધ્યાનમાં રાખતા ઓસ્ટ્રેલિયન ટીમે સિડનીમાં જ એક સ્પિન ફ્રેન્ડલી પીચ તૈયાર કરી છે અને આ સમયે ત્યાં પ્રેક્ટિસ કરી રહી છે. ભારતીય ટીમના જે સ્પિન બોલરો સામે ઓસ્ટ્રેલિયાની પરીક્ષા હશે તેમાં રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ અને રવીન્દ્ર જાડેજા જેવા દિગ્ગજ હશે. જો કે અત્યારે એ સ્પષ્ટ નથી કે રવીન્દ્ર જાડેજા પહેલી મેચ રમી શકશે કે નહીં, પરંતુ 1 ફેબ્રુઆરીના રોજ તેના પરથી પરદો ઉઠી જશે.

જો કે સૌરાષ્ટ્ર તરફથી રણજી ટ્રોફીમાં રવીન્દ્ર જાડેજાએ બીજી ઇનિંગમાં જે પ્રકારની બોલિંગ કરી છે, તેનાથી માનવામાં આવી રહ્યું છે કે તે રમી શકે છે. જો ઓસ્ટ્રેલિયાને પણ એ વાત ખબર હશે તો નક્કી છે કે તેમના માથે પણ પરસેવો આવી રહ્યો હશે. જો રવીન્દ્ર જાડેજા ફિટ થયો તો રવિચંદ્રન અશ્વિન અને રવીન્દ્ર જાડેજાની જોડી ઓસ્ટ્રેલિયાને નચાવવા માટે પૂરતા હશે અને જો અક્ષર પટેલ પણ આવી ગયો તો પછી કહેવાનું જ શું. ખાસ વાત એ પણ છે કે આ ત્રણેય જ બોલર બેટિંગ પણ સારી એવી કરી શકે છે. જો પહેલા ફાસ્ટ બોલરોએ જલદી વિકેટ લઇને દબાવ બનાવી દીધો તો અશ્વિન, અક્ષર અને જાડેજાની જોડી કમાલ કરી શકે છે.

About The Author

Related Posts

Top News

બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

પાકિસ્તાન અધિકૃત બલુચિસ્તાનમાં બલુચ લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને તેમનો રાષ્ટ્રીય ચુકાદો છે કે બલુચિસ્તાન પાકિસ્તાન નથી અને...
World 
બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

સરકાર આગામી સમયમાં બેન્કિંગ સિસ્ટમને લઈને કેટલાક મોટા ફેરફારની યોજના બનાવી રહી છે. એક તરફ, સરકાર IDBI બેન્કમાં લગભગ ...
Business 
આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું

ઉત્તર પ્રદેશના બરેલીથી એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં, ફખરુદ્દીન નામનો વ્યક્તિ પોલીસ કસ્ટડીમાં લંગડાતા ચાલતો જોવા મળે છે. ફખરુદ્દીન...
National 
'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું

હિન્દી ન શીખવાથી થયું એક લાખ કરોડનું નુકસાન, દિગ્ગજ બિઝનેસમેને જણાવ્યુ કેમ ડૂબી ગયો બિઝનેસ

ટેલિકોમ સેક્ટરની સૌથી મોટી કંપનીઓમાં સામેલ રચી ચૂકેલી એરસેલના સંસ્થાપક ચિન્નાકન્નન શિવશંકરને તાજેતરમાં એક પોડકાસ્ટમાં પોતાની જિંદગી અને વ્યવસાયિક નિર્ણયો...
Business 
હિન્દી ન શીખવાથી થયું એક લાખ કરોડનું નુકસાન, દિગ્ગજ બિઝનેસમેને જણાવ્યુ કેમ ડૂબી ગયો બિઝનેસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.