વરુણ એરોન હવે ગ્લેન મેકગ્રા સાથે ફાસ્ટ બોલરોની ફેક્ટ્રીમાં કરશે કામ

ભારત માટે 9 ટેસ્ટ રમનાર પૂર્વ ફાસ્ટ બોલર વરુણ એરોને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ કોચિંગ તરફ જવાનો નિર્ણય લીધો છે. પોતાના લગભગ 15 વર્ષના ફર્સ્ટ ક્લાસ કરિયર દરમિયાન 8 વખત સ્ટ્રેસ ફ્રેક્ચર અને 3 વખત પગના ફ્રેક્ચરથી ઝઝૂમ્યો, પરંતુ અત્યારે પણ 140 કિમી પ્રતિ કલાકની ઝડપથી બૉલ કરવાની ક્ષમતા રાખે છે. હવે તે ચેન્નાઈમાં MRF પેસ ફાઉન્ડેશનમાં ઓસ્ટ્રેલિયન મહાન ફાસ્ટ બોલર મેકગ્રા સાથે કામ કરશે. MRF પેસ ફાઉન્ડેશન ફાસ્ટ બોલરોને તૈયાર કરે છે. તેને ફાસ્ટ બોલરોની ફેક્ટ્રી કહેવામાં આવે છે.

તેને લઈને વરુણ એરોને કહ્યું કે, 'હું છેલ્લા 15 વર્ષોથી MRF ફાઉન્ડેશમાં એક ખેલાડીની હેસિયતથી છું. ક્રિકેટને અલવિદા કહેવાના નિર્ણયને ધ્યાનમાં રાખતા કંપનીના MD (રાહુલ મામ્મેન મપિલ્લઈ) અને મારી વચ્ચે ગયા વર્ષે વાતચીત થઈ હતી. મેં સૂચન આપ્યું કે, આપણે પોતાની સુવિધાઓને ઉન્નત કરીએ અને રૉ ફાસ્ટ બોલર્સની શોધ શરૂ કરીએ, જે આપણે હાલમાં જ સિસ્ટમમાં 140 કિલોમીટર પ્રતિ કલાકથી વધુની ગતિથી બૉલ કરનાર બોલરોને રમાડવા માટે કર્યું.

MRF એસ ઓફ સ્પેસ ટેલેન્ટ હંટ પ્રોગ્રામે 4 શહેરોમાં લગભગ 2,500 ફાસ્ટ બોલરો માટે ટ્રાયલ આયોજિત કર્યું. ત્યારબાદ આ મહિનાની શરૂઆતમાં 3 ફાસ્ટ બોલરોમાં અકાદમીમાં સામેલ કરવામાં આવ્યા. એરોન હવે સ્પોર્ટ્સ સાયન્ટિસ્ટ બનવા માગે છે. તેના માટે તે ચેન્નાઈના શ્રી રામચંદ્ર યુનિસિવર્સિટીમાં શિક્ષણ લઈ રહ્યો છે. તેણે કહ્યું કે, હું એક સ્પોર્ટ્સ સાયન્ટિસ્ટ બનવા માગું છું. મને આ વિષયમાં ખૂબ રુચિ છે. કેવી રીતે શરીર ચલાવવાનું છે અને ફાસ્ટ બોલર ઇજાથી કેવી રીતે બચી શકે છે.

ફાઉન્ડેશન માટે એક હાઇ પરફોર્મન્સ સેન્ટર એરોનની એક પહેલ છે. તેણે કહ્યું કે, રાહુલ મામ્મેન પાસે MRF પેસ ફાઉન્ડેશનને દુનિયાની પ્રમુખ ફાસ્ટ બોલિંગ અકાદમી બનાવવાનો દૃષ્ટિકોણ છે, જેણે તેમને મારા પ્રસ્તાવ સ્વીકાર કરવા પ્રેરિત કર્યા. એ ભારતમાં પોતાની પહેલી હાઇ પરફોર્મન્સવાળી ક્રિકેટ ફેસિલિટી હશે. અમે તેને એપ્રિલના મધ્યમા લોન્ચ કરવા જઇ રહ્યા છીએ. અમે દુનિયભરથી કેટલાક ઉપકરણ આયાત કર્યા છે. અમે ખેલાડીઓની ઊંઘ અને વર્કલોડ પર નજર રાખવા માટે ભારતની ઉચ્ચ સંસ્થાઓના લોકો સાથે કામ કરી રહ્યા છીએ.

34 વર્ષીય એરોન ઇજાના કારણે થતી પરેશનીઓને અન્ય લોકો પાસેથી સમજે છે. એરોન ભલે ભારત માટે વધુ ન રમ્યો હોય, પરંતુ તે આગામી પેઢીને હીન ભાવનાથી જોતો નથી. તેણે કહ્યું કે, કોઈ પછતાવો નથી. મેં જે કંઇ પણ હાંસલ કર્યું છે તેનાથી હું સંતુષ્ટ નહીં થઈ જાઉં. મેં અત્યારે પણ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો નથી. હું અત્યારે પણ સારી બોલિંગ કરી રહ્યો છું એટલે તમે ક્યારેય નથી જનતા કે ભવિષ્યમાં શું થશે. મને ખૂબ ઇજા થઈ છે. હું નથી ઈચ્છતો કે ફાસ્ટ બોલર એ જ ભૂલો કરે, જે મેં કરી. હું ઇજા છતા તેના સ્તરને આગળ વધારવા અને તેમને 150 કિમી પ્રતિ કલાકની પાર કરવામાં મદદ કરવા માટે જ્ઞાન આપવા માગું છું.

About The Author

Related Posts

Top News

અમદાવાદની 100થી વધુ સોસાયટીઓમાં અશાંત ધારો લાગૂ કરવા અભિયાન શરૂ

અમદાવાદમાં કેટલીક સોસાયટીમાં અશાંત ધારો લાગુ કરવા માટે એક અભિયાન શરૂ થયું છે અને અત્યાર સુધીમાં 100થી વધુ સોસાયટીઓ કલેકટરને...
Gujarat 
અમદાવાદની 100થી વધુ સોસાયટીઓમાં અશાંત ધારો લાગૂ કરવા અભિયાન શરૂ

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 14-03-2025 વાર- શનિવાર  મેષ -  સંતાનો પ્રત્યે ચિંતા રહે, ધારેલો લાભ દૂર જતો લાગે, ભગવાન શિવના જાપ કરવાથી શાંતિ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પિરિયડ્સ માટે રજા આપવાની માંગણી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો

દેશભરમાં કામ કરતી મહિલાઓ અને વિદ્યાર્થીનીઓ માટે ફરજિયાત માસિક રજાની માંગ કરતી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે...
National 
પિરિયડ્સ માટે રજા આપવાની માંગણી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો

LPG અછત: ગુજરાતમાં લારી-ઢાબા સંકટમાં, વેપારીઓ બોલ્યા- 2000નો ધંધો થાય છે અને બ્લેકમાં ગેસ બાટલા 3 ગણા ભાવે મળે છે

મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે વિશ્વભરમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં આખું વિશ્વ પિસાઈ રહ્યું...
Gujarat 
LPG અછત: ગુજરાતમાં લારી-ઢાબા સંકટમાં, વેપારીઓ બોલ્યા- 2000નો ધંધો થાય છે અને બ્લેકમાં ગેસ બાટલા 3 ગણા ભાવે મળે છે

Opinion

બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના અમરેલી જિલ્લામાં ખેડૂતોના હિત માટે અવાજ ઉઠાવનાર અને રાજકીય સામાજિક ક્ષેત્રે લાંબી સફર કરનાર એક સૌસ્વીકૃત નામ...
માતા-પિતાના સ્નેહનું ઋણ ચૂકવી શકાય નહીં પરંતુ તેમની સેવા કરી, આદર તથા સાથ આપીને જ થોડું ઘણું ચૂકવી શકાય
જે લોકો ચૂપચાપ સેવા કરે છે તેઓ જ આ સમાજના અસલી હીરો છે
નિર્લિપ્ત રાય-એક ધૂરંધર IPS ઓફિસર જેનાથી ગુનેગારો જ નહીં નેતા અને પોલીસ પણ ડરે છે!
ગ્રીનલેબ ડાયમંડ્સ: મુકેશભાઈ પટેલ રાષ્ટ્રભક્તિ અને પાટીદાર સમાજ પ્રત્યે અમૂલ્ય યોગદાન આપનાર વ્યક્તિત્વ
Copyright (c) Khabarchhe All Rights Reserved.