BCCIએ લીધો મોટો નિર્ણય, ન્યૂઝીલેન્ડ સામે T20 સીરિઝમાંથી બહાર થશે બે સ્ટાર ખેલાડી

ટીમ ઈન્ડિયા હાલના સમયે શ્રીલંકાની સામે ત્રણ મેચની T20 સીરિઝ રમી રહી છે, ત્યારબાદ બંને ટીમોની વચ્ચે ત્રણ વન ડે મેચ રમાવાની છે. શ્રીલંકા બાદ ન્યુઝીલેન્ડની ટીમ ભારતનો પ્રવાસ કરશે. ન્યૂઝીલેન્ડનો ભારત પ્રવાસ 18 જાન્યુઆરીથી શરૂ થશે, આ દરમિયાન બંને ટીમો ત્રણ વનડે અને ત્રણ T20 મેચ રમશે. આ સીરિઝ પહેલા એક મોટી જાણકારી સામે આવી રહી છે. BCCI ટીમના બે સ્ટાર ખેલાડીઓને આ T20 સીરિઝમાંથી બહાર કરી શકે છે.

ન્યૂઝીલેન્ડ T20 સીરિઝમાંથી બહાર કરવામાં આવશે આ 2 ખેલાડીઓને

ટીમ ઈન્ડિયા 27 જાન્યુઆરીથી ન્યૂઝીલેન્ડ સામે ત્રણ T20 મેચ રમશે. રિપોર્ટ મુજબ, આ સીરિઝમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી ટીમનો ભાગ નહીં હશે. BCCI 2024, T20 વર્લ્ડ કપની તૈયારીઓને જોતાં આ મોટો નિર્ણય લેવા જઈ રહ્યું છે. અહીં તમને જણાવી દઈએ કે, રોહિત શર્મા અને વિરાટ કોહલીને શ્રીલંકાની સામે રમાઈ રહેલી T20 સીરીઝમાં પણ જગ્યા નથી મળી.

BCCIના અધિકારીએ આપી મોટી જાણકારી

BCCIના એક ટોચના અધિકારીએ ઇનસાઇડસ્પોર્ટ સાથે વિરાટ કોહલી અને રોહિત શર્મા વિશે વાત કરતાં કહ્યું, 'દુર્ભાગ્યથી, તેમને ન્યૂઝીલેન્ડ સીરિઝ માટે પસંદ અથવા તેમનો વિચાર કરવામાં નહીં આવશે. આ તેમને ટીમમાંથી બહાર કરવા અથવા કંઈપણ બીજું કરવા માટે નથી કરવામાં આવી રહ્યું, અમને લાગે છે કે અમારે ભવિષ્ય માટે એક સારી ટીમ બનાવવાની જરૂરત છે. બાકી અંતે જોવામાં આવશે કે, પસંદગીકારો શું નિર્ણય લે છે.' જ્યારે, ભુવનેશ્વર કુમાર, R અશ્વિન અને મોહમ્મદ શમીને આ સીરિઝમાંથી બહાર રાખવામાં આવી શકે છે.

વનડે સીરિઝમાં જોવા મળશે

ટીમ ઈન્ડિયા 10 જાન્યુઆરીથી શ્રીલંકાની સામે ત્રણ મેચની વનડે સીરિઝ રમશે. રોહિત શર્મા અને વિરાટ કોહલીને આ વનડે સીરીઝ માટે ટીમ ઈન્ડિયામાં પસંદ કરવામાં આવ્યા છે. જ્યારે, 18 જાન્યુઆરીથી ન્યુઝીલેન્ડની સામે ત્રણ મેચની વનડે સીરિઝ થવાની છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, બંને ખેલાડીઓ આ સીરિઝમાં પણ ટીમનો ભાગ બનશે, પરંતુ T20મા હવે તેમને તક મળવી મુશ્કેલ છે.

ન્યુઝીલેન્ડનો ભારત પ્રવાસ

તારીખ                મેચ                  સ્થળ

18 જાન્યુઆરી      પ્રથમ વનડે          હૈદરાબાદ

21 જાન્યુઆરી      2જી વનડે            રાયપુર

24 જાન્યુઆરી      ત્રીજી વનડે           ઈન્દોર

27 જાન્યુઆરી      પ્રથમ T20          રાંચી

29 જાન્યુઆરી      બીજી T20          લખનૌ

1 ફેબ્રુઆરી          3જી T20           અમદાવાદ

About The Author

Top News

ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

દાંતા તાલુકાના પાડલિયા ગામે જમીન વિવાદને લઈને સર્જાયેલી હિંસક ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 13...
Gujarat 
ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ઠંડીમાં ચક્કર લગાવી લગાવીને પરસેવો પાડી રહ્યા છે. ખેડૂતો હાલમાં યુરિયા ન મળવાને કારણે પરેશાન...
National 
મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ...
Gujarat 
 પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.