કોહલીએ નિવૃત્તિની અટકળો પર કહ્યું, કદાચ 4 વર્ષ પછી હોય શકે કે...

રોહિત શર્માના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમે તાજેતરમાં ચેમ્પિયન્સ ટ્રોફી 2025 જીતી હતી. ભારતની ત્રીજી ચેમ્પિયન્સ ટ્રોફી જીતમાં સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. કોહલીએ પાકિસ્તાન સામે સદી ફટકારી હતી, જ્યારે ઓસ્ટ્રેલિયા સામેની સેમિફાઇનલમાં કિંગ કોહલીએ પણ બેટથી શાનદાર પ્રદર્શન કર્યું હતું.

ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા વિરાટ કોહલીના ફોર્મ પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા હતા, કારણ કે ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં તેનું પ્રદર્શન સારું નહોતું. હવે કોહલીએ ચેમ્પિયન્સ ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરીને ટીકાકારોને યોગ્ય જવાબ આપ્યો છે. કોહલીએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે, તે હાલમાં નિવૃત્તિ વિશે વિચારી રહ્યો નથી અને રમતનો આનંદ માણી રહ્યો છે. તેની અંદર હજુ પણ સ્પર્ધાત્મક ભાવના સંપૂર્ણપણે અકબંધ છે. ચેમ્પિયન્સ ટ્રોફી જીત પછી કેપ્ટન રોહિત શર્માએ પણ કોહલીની નિવૃત્તિ અંગેની ચર્ચાઓને નકારી કાઢી હતી.

Virat-Kohli
ndtv.in

વિરાટ કોહલીએ સ્વીકાર્યું કે, તેણે એક વખત રાહુલ દ્રવિડ સાથે નિવૃત્તિના યોગ્ય સમય વિશે ચર્ચા કરી હતી, જે તેની કારકિર્દીના અંતિમ તબક્કા માટે આયોજિત અભિગમ સૂચવે છે. દ્રવિડે કોહલીને ફક્ત સલાહ આપી કે, તે હાલમાં પોતાના જીવનમાં ક્યાં છે તે શોધે. કોહલીએ સંકેત આપ્યો છે કે, બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-2025 ઓસ્ટ્રેલિયાનો તેમનો છેલ્લો પ્રવાસ હતો અને તે કદાચ 4 વર્ષ પછી ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ નહીં કરી શકે.

વિરાટ કોહલીએ 'RCB ઇનોવેશન લેબ' ઇન્ડિયન સ્પોર્ટ્સ સમિટ દરમિયાન કહ્યું, 'તાજેતરનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ મારા માટે ખૂબ જ નિરાશાજનક રહ્યો. હોય શકે કે ચાર વર્ષ પછી હું કદાચ ફરી ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ નહીં કરી શકું. મારી પાસે તેને સુધારવાની કોઈ તક નથી. તેથી તમારા જીવનમાં જે કંઈ પણ બન્યું છે, તમારે તેને સ્વીકારવું પડશે. 2014ના ઇંગ્લેન્ડ પ્રવાસનો હિસાબ મેં 2018માં બરાબર કરી દીધો, કારણ કે મને તે કરવાની તક મળી હતી.'

Virat-Kohli1
msn.com

વિરાટ કોહલી કહે છે, જ્યારે તમે બહારથી નિરાશા વિશે વિચારવાનું શરૂ કરો છો, ત્યારે તમે તમારા પર વધુ બોજ નાખવાનું શરૂ કરો છો. ઓસ્ટ્રેલિયામાં મેં આનો અનુભવ કર્યો હતો અને પહેલી ટેસ્ટમાં મેં સારો સ્કોર કર્યો હતો. મેં વિચાર્યું કે ચાલો, જઈએ. મારા માટે બીજી એક મોટી શ્રેણી બનવા જઈ રહી છે. પણ આવું ન થયું.

વિરાટ કોહલીએ આગળ કહ્યું, 'ગભરાશો નહીં. હું કોઈ જાહેરાત કરી રહ્યો નથી. અત્યાર સુધી બધું બરાબર છે. મને હજુ પણ રમવાનો શોખ છે. તે મોટે ભાગે આનંદ, સ્પર્ધાત્મક ભાવના અને રમત પ્રત્યેના પ્રેમ પર આધાર રાખે છે. જ્યાં સુધી એવું છે, હું રમવાનું ચાલુ રાખીશ. જેમ મેં આજે કહ્યું, હું કોઈ સિદ્ધિ માટે રમતો નથી.'

Virat-Kohli3
thephotonnews.com

તેણે કહ્યું, 'તમે જાણો છો કે સ્પર્ધાત્મક ભાવના તમને નિવૃત્તિના પ્રશ્નનો જવાબ શોધવા દેતી નથી. આ અંગે રાહુલ દ્રવિડ સાથે મારી ખૂબ જ રસપ્રદ વાતચીત થઈ. તેમણે મને કહ્યું કે, તમારા જીવનમાં તમે ક્યાં છો તે શોધો અને જવાબ એટલો સરળ નથી. હોય શકે કે કદાચ તમે ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છો અને તમને લાગે છે કે બસ આટલું જ. પણ એવું કદાચ ન પણ હોય. પણ જ્યારે સમય આવશે, ત્યારે મારી સ્પર્ધાત્મક ભાવના મને તે સ્વીકારવા દેશે નહીં.'

36 વર્ષીય વિરાટ કોહલીએ આગળ કહ્યું, 'કદાચ વધુ એક મહિનો. કદાચ વધુ છ મહિના. તેથી મને લાગે છે કે તે એક સારું સંતુલન છે. મારા જીવનના આ સમયે હું ખૂબ જ ખુશહાલી મહેસુસ કરી રહ્યો છું. હું મારી ઉર્જાને યોગ્ય જગ્યાએ મૂકવા માંગુ છું. હવે આ માટે ઘણી મહેનતની જરૂર છે અને જેઓ લાંબા સમયથી રમી રહ્યા છે તેઓ આ સમજે છે. તમે 30 વર્ષની ઉંમર પછી એટલા બધા કામો કરી શકતા નથી જેટલા તમે 20 વર્ષની ઉંમરે કરી શકો છો. હું પણ મારા જીવનના થોડા અલગ તબક્કામાં છું. મને લાગે છે કે તે એક કુદરતી પ્રગતિ છે. મને વિશ્વાસ છે કે, યુવા ખેલાડીઓ પણ આ સ્તર સુધી પહોંચશે. પણ હવે મારી અંદરની ઉર્જાથી હું ખૂબ જ શાંતિ અનુભવી રહ્યો છું.'

About The Author

Related Posts

Top News

માસ્ક પહેરીને આવ્યો પતિ, પ્રેમી સાથે રહેતી પત્નીને હોસ્પિટલ પહોંચાડી દીધી

ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં, સંબંધોના ગૂંચવાયેલા તાંતણા સાથે સંકળાયેલા એક સનસનાટીભર્યા કિસ્સાએ સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો છે. અહીં એક પતિએ...
National 
માસ્ક પહેરીને આવ્યો પતિ, પ્રેમી સાથે રહેતી પત્નીને હોસ્પિટલ પહોંચાડી દીધી

અભિનેત્રી મંદાના કરીમી પર ઈરાનમાં પ્રવેશ કરવા પર કેમ છે પ્રતિબંધ? બોલી- 'તે હજુ પણ મારો દેશ છે.'

18 વર્ષની ઉંમરે, મંદાના કરીમી ઈરાન છોડીને ભારત આવી ગઈ હતી. અહીંયા આવીને તેણે પોતાના કામ અને કારકિર્દી પર...
Entertainment 
અભિનેત્રી મંદાના કરીમી પર ઈરાનમાં પ્રવેશ કરવા પર કેમ છે પ્રતિબંધ? બોલી- 'તે હજુ પણ મારો દેશ છે.'

જબરદસ્ત ફીચર્સ સાથે આવી રહ્યો છે OnePlus 15T, 7,500mAh બેટરી, 100W ચાર્જિંગ, સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર...

OnePlusના આગામી કોમ્પેક્ટ ફ્લેગશિપ, OnePlus 15T વિશે નવી માહિતી બહાર આવી છે. કંપનીના ચીનના પ્રમુખ, લી જીએ...
Tech and Auto 
જબરદસ્ત ફીચર્સ સાથે આવી રહ્યો છે OnePlus 15T, 7,500mAh બેટરી, 100W ચાર્જિંગ, સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર...

સેમિફાઇનલમાં ભારતની એક નબળાઈ સામે આવી; ગંભીર-સૂર્યા આને ચેતવણી માનીને ફાઇનલ પહેલા સુધારી નાખે તો સારું!

થોડા દિવસો પહેલા, ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઇકલ વોને કહ્યું હતું કે, જો ભારત T20 વર્લ્ડ કપમાં બોલિંગ કરવા...
Sports 
સેમિફાઇનલમાં ભારતની એક નબળાઈ સામે આવી; ગંભીર-સૂર્યા આને ચેતવણી માનીને ફાઇનલ પહેલા સુધારી નાખે તો સારું!

Opinion

ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં એક એવા મુખ્યમંત્રી ગુજરાતને મળ્યા છે જેઓ વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓને રાજકારણથી દૂર રાખીને પ્રજાની સેવામાં સંપૂર્ણપણે સમર્પિત...
ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.