‘… તો આગામી વર્ષે IPLમાં નહીં દેખાય 14 વર્ષીય વૈભવ સૂર્યવંશી!’ સેહવાગે આવું કેમ કહ્યું?

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની વર્તમાન સીઝનમાં રાજસ્થાન રૉયલ્સ (RR)નું ખરાબ પ્રદર્શન યથાવત છે. 24 એપ્રિલ (ગુરુવાર)ના રોજ બેંગ્લોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં રાજસ્થાન રૉયલ્સને, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)11 રનથી હરાવી દીધી હતી. રાજસ્થાન રૉયલ્સની આ સતત પાંચમી હાર હતી. રાજસ્થાન રૉયલ્સના 9 મેચમાં 2 જીત સાથે માત્ર 4 પોઈન્ટ છે અને હવે તેના માટે પ્લેઓફમાં પહોંચવું ખૂબ મુશ્કેલ છે. રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચમાં, બધાની નજર રાજસ્થાન રૉયલ્સના યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશી પર હતી, પરંતુ તે 12 બૉલમાં 16 રન બનાવીને આઉટ થઈ ગયો. 14 વર્ષીય વૈભવે ઈમ્પેક્ટ સબના રૂપમાં મેચમાં ઉતર્યો હતો.

vaibhav suryavanshi
BCCI

 

વૈભવે ભુવનેશ્વર કુમારના બૉલ પર 2 સિક્સ પણ લગાવ્યા હતા, પરંતુ તે આ અનુભવી બૉલરનો જ શિકાર બન્યો. હવે ભારતીય ટીમના પૂર્વ ઓપનર વીરેન્દર સેહવાગે વૈભવ સૂર્યવંશીને ખાસ સલાહ આપી છે.  સેહવાગનું માનવું છે કે વૈભવે 20 વર્ષ સુધી IPL રમવાનો ટારગેટ રાખવો જોઈએ. સેહવાગે કહ્યું કે, જો વૈભવ ખુશ છે કે તે હવે કરોડપતિ છે અને તેનું ડેબ્યૂ શાનદાર રહ્યું, તો બની શકે કે ફેન્સ તેને આગામી વર્ષે IPLમાં ન જોઈ શકે. તેણે એવા ખેલાડીઓ જોયા છે જેમણે એક કે બે મેચમાં સારું પ્રદર્શન કર્યા બાદ કંઈ કર્યું નથી.

sehwag
crictoday.com

 

વીરેન્દર સેહવાગે કહ્યું કે, વૈભવ સૂર્યવંશીએ IPLમાં  20 વર્ષ સુધી રમવાનો ટારગેટ રાખવો જોઈએ. વિરાટ કોહલીને જોઈ લો, તેણે 19 વર્ષની ઉંમરમાં રમવાનું ચાલુ કર્યું હતું અને IPLની બધી 18 સીઝન રમી ચૂક્યો છે. વૈભવે આ વસ્તુનું અનુકરણ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. જો વૈભવ એમ વિચારીને ખુશ છે કે તે હવે કરોડપતિ છે, તેનું ડેબ્યૂ શાનદાર રહ્યું, તેણે પહેલા જ બૉલ પર સિક્સ લગાવ્યો છે, તો કદાચ આગામી વર્ષે આપણે તેને ન જોઈ શકીએ.

vaibhav suryavanshi
BCCI

 

શાનદાર રહ્યું હતું વૈભવનું IPL ડેબ્યૂ

વૈભવ સૂર્યવંશીએ 19 એપ્રિલ 2025ના રોજ લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) વિરુદ્ધની મેચમાં IPLમાં ડેબ્યૂ કર્યું હતું. વૈભવે પોતાના IPL ડેબ્યૂમાં જ શાનદાર બેટિંગ કરીને બધાને પ્રભાવિત કર્યા હતા. વૈભવે આ મેચમાં 20 બૉલમાં 34 રન બનાવ્યા હતા, જેમાં 3 સિક્સ અને 2 ફોર સામેલ હતા. ખાસ વાત એ પણ હતી કે વૈભવે પોતાના IPL કરિયરના પહેલા બૉલ પર જ સિક્સ લગાવ્યો હતો, જેને જોઈને બધા હેરાન રહી ગયા હતા. તમને જણાવી દઈએ કે, વૈભવ સૂર્યવંશીને રાજસ્થાન રૉયલ્સે IPL 2025ની મેગા ઓક્શન દરમિયાન 1 કરોડ 10 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. વૈભવ IPL રમનાર સૌથી યુવા ખેલાડી છે. વૈભવે પ્રયાસ રે બર્મનનો રેકોર્ડ તોડી દીધો હતો.

vaibhav suryavanshi
BCCI

 

પ્રયાસે 31 માર્ચ 2019ના રોજ, રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) તરફથી રમતા સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વિરુદ્ધ ડેબ્યૂ કર્યું. ત્યારે, પ્રયાસ 16 વર્ષ અને 157 દિવસનો હતો. તો વૈભવે 14 વર્ષ અને 23 દિવસની ઉંમરમાં IPL ડેબ્યૂ કર્યું હતું.

About The Author

Top News

માસ્ક પહેરીને આવ્યો પતિ, પ્રેમી સાથે રહેતી પત્નીને હોસ્પિટલ પહોંચાડી દીધી

ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં, સંબંધોના ગૂંચવાયેલા તાંતણા સાથે સંકળાયેલા એક સનસનાટીભર્યા કિસ્સાએ સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો છે. અહીં એક પતિએ...
National 
માસ્ક પહેરીને આવ્યો પતિ, પ્રેમી સાથે રહેતી પત્નીને હોસ્પિટલ પહોંચાડી દીધી

અભિનેત્રી મંદાના કરીમી પર ઈરાનમાં પ્રવેશ કરવા પર કેમ છે પ્રતિબંધ? બોલી- 'તે હજુ પણ મારો દેશ છે.'

18 વર્ષની ઉંમરે, મંદાના કરીમી ઈરાન છોડીને ભારત આવી ગઈ હતી. અહીંયા આવીને તેણે પોતાના કામ અને કારકિર્દી પર...
Entertainment 
અભિનેત્રી મંદાના કરીમી પર ઈરાનમાં પ્રવેશ કરવા પર કેમ છે પ્રતિબંધ? બોલી- 'તે હજુ પણ મારો દેશ છે.'

જબરદસ્ત ફીચર્સ સાથે આવી રહ્યો છે OnePlus 15T, 7,500mAh બેટરી, 100W ચાર્જિંગ, સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર...

OnePlusના આગામી કોમ્પેક્ટ ફ્લેગશિપ, OnePlus 15T વિશે નવી માહિતી બહાર આવી છે. કંપનીના ચીનના પ્રમુખ, લી જીએ...
Tech and Auto 
જબરદસ્ત ફીચર્સ સાથે આવી રહ્યો છે OnePlus 15T, 7,500mAh બેટરી, 100W ચાર્જિંગ, સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર...

સેમિફાઇનલમાં ભારતની એક નબળાઈ સામે આવી; ગંભીર-સૂર્યા આને ચેતવણી માનીને ફાઇનલ પહેલા સુધારી નાખે તો સારું!

થોડા દિવસો પહેલા, ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઇકલ વોને કહ્યું હતું કે, જો ભારત T20 વર્લ્ડ કપમાં બોલિંગ કરવા...
Sports 
સેમિફાઇનલમાં ભારતની એક નબળાઈ સામે આવી; ગંભીર-સૂર્યા આને ચેતવણી માનીને ફાઇનલ પહેલા સુધારી નાખે તો સારું!

Opinion

ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં એક એવા મુખ્યમંત્રી ગુજરાતને મળ્યા છે જેઓ વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓને રાજકારણથી દૂર રાખીને પ્રજાની સેવામાં સંપૂર્ણપણે સમર્પિત...
ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.