વર્લ્ડકપ-23મા ટીમ ઇન્ડિયાનો કેપ્ટન-વાઇસ કેપ્ટન કોણ હશે? કાર્તિકના જવાબથી બબાલ

ભારતીય ક્રિકેટમાં પરિવર્તનનું ચક્ર ઝડપથી ફરવા લાગ્યું છે. ગઈકાલ સુધી જે ચહેરાઓ કેન્દ્રમાં સૌથી સુરક્ષિત લાગતા હતા તે ચહેરાઓ હવે નજર અંદાજ થઇ રહ્યા હોવાનો અહેસાસ કરી રહ્યા છે. બદલાવની આ લહેરને જોઈને ભારતીય વિકેટ કીપર બેટ્સમેન દિનેશ કાર્તિકે એવું નિવેદન આપ્યું છે, જેના વિશે જાણીને તમામ ચાહકો ચોંકી શકે છે. BCCIએ મંગળવારે શ્રીલંકા સામેની T-20 અને વન-ડે સીરિઝની જાહેરાત કરી હતી. T-20 સીરિઝમાં ટીમની કમાન હાર્દિક પંડ્યાને સોંપવામાં આવી છે. ખરો બદલાવ વન-ડે સ્કવોડમાં જોવા મળ્યો. વન-ડે સીરિઝ માટે કેપ્ટન તો રોહિત શર્માને રાખવામાં આવ્યો, પરંતુ વાઇસ કેપ્ટનની બદલી કરી નાંખવામાં આવી. હાર્દિકને વન-ડે સીરિઝમાં કે એલ રાહુલને બદલે હાર્દિક પંડ્યાને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો. વન-ડેની સ્કવોડમાં કે એલ રાહુલનો સમાવેશ તો કરવામાં આવ્યો છે, પરંતુ તેને વાઇસ કેપ્ટન તરીકે ટીમ મેનેજમેન્ટનો હિસ્સો બનાવવામાં આવ્યો નથી. એવામાં મોટો સવાલ એ ઉભો થાય છે કે લગાતાર ફોર્મથી સંઘર્ષ કરી રહેલા કે એલ રાહુલનું ભવિષ્ય શું હશે?

છેલ્લાં 1 વર્ષમાં હાર્દિક પંડ્યાનું કદ ઝડપથી વધી રહ્યું છે. હાર્દિક આર્યરલેન્ડ, વેસ્ટ ઇન્ડિઝ અને ન્યુઝીલેન્ડની ટૂર પર T-20  સીરિઝ માટે ટીમ ઇન્ડિયાના કેપ્ટન તરીકેની જવાબદારી સંભાળી ચૂક્યો છે. હાર્દિકને ભવિષ્યના ટીમ ઇન્ડિયાના કેપ્ટન તરીકે જોવામાં આવી રહ્યો છે. આ બધા વચ્ચે BCCIએ વન-ડે મેચમાં હાર્દિકનું પ્રમોશન કરી દીધું.  મતલબ કે આવતા વર્ષે રમાનારા વર્લ્ડકપમાં હાર્દિક ખાસ જવાબદારી સાથે મેદાન પર જોવા મળી શકે છે.

એવું કહેવું ઉતાવું હશે કે વર્લ્ડ કપમાં રોહિતની કેપ્ટનશીપ ભારતીય ઓલરાઉન્ડરથી ખતરામાં છે, પરંતુ તે કેએલ રાહુલને વાઇસ-કેપ્ટન પદેથી હટાવી શકે છે. દિનેશ કાર્તિકે આ પરિસ્થિતિ પર પોતાનો વિચાર વ્યક્ત કર્યો છે.

શ્રીલંકા વિરૂદ્ધ ભારતીય ટીમની જાહેરાત બાદ બદલાયેલા વાતાવરણ અંગે દિનેશ કાર્તિકે કહ્યું, થોડી ક્ષણો માટે એવું લાગતું હતું કે છેલ્લા 12 મહિનામાં સતત ક્રિકેટને કારણે આ નવા કેપ્ટનના સિલસિલાનો એક ભાગ છે. આ સમયગાળા દરમિયાન શિખર ધવન, કેએલ રાહુલ અને ઋષભ પંતે પણ કેપ્ટનશીપ કરી હતી, પરંતુ આ લોકોએ થોડા સમય માટે જ કમાન્ડ સંભાળી હતી જેમાં બુમરાહ પણ સામેલ હતો.

પરંતુ હવે આ મામલો રોહિત અને હાર્દિક વચ્ચે સીમિત હોય તેમ લાગી રહ્યું છે. એને એ રીતે પણ કહી શકો કે વર્લ્ડ કપમાં રોહિત કેપ્ટન અને પંડ્યા વાઇસ કેપ્ટન હશે. કાર્તિકે વધુમાં ઉમેર્યું, મને લાગે છે કે તે રોહિત અને હાર્દિક વચ્ચે ખૂબ જ નજીકનો મામલો હશે. આ બંને મોટા નામ છે.

ભારતીય વિકેટકીપર અને બેસ્ટમેન કાર્તિકે કે એલ રાહુલના ભવિષ્ય પર ટિપ્પણી કરી કે, હું જાણું છુ કે કે એલ રાહુલ વ્હાઇટ બોલ ક્રિક્રેટમાં ટીમનો વાઇસ કેપ્ટન રહી ચૂક્યો છે. હવે બદલાયેલી પરિસ્થિતિમાં હાર્દિક મજબુતાઇ સાથે સામે આવી ચૂક્યો છે અને કેપ્ટન અને વાઇસ કેપ્ટનની ભૂમિકા રોહિત અને પંડ્યા વચ્ચે નક્કી થશે. કાર્તિકે કહ્યું કે, હાર્દિક પંડ્યા IPLમાં પણ પોતાનું ટેલેન્ટ બતાવી ચૂક્યો છે અને  ટુંક સમયમાં ટીમ ઇન્ડિયા માટે પણ તેનું એ જ રૂપ સામે આવશે.

About The Author

Top News

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

તપાસ સમિતિએ અમદાવાદની ક્રિશ્ચિયન ટ્રસ્ટ સંચાલિત જાણીતી 'સેવન્થ-ડે સ્કૂલ'નો વિસ્તૃત અહેવાલ રાજ્ય સરકારને સુપરત કર્યો છે. જેમાં...
Gujarat 
સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!

કોંગ્રેસે ભૂતપૂર્વ ધારાસભ્ય મોહમ્મદ મોકીમને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. તેમણે તાજેતરમાં પક્ષના નેતૃત્વમાં પરિવર્તનની માંગ કરી હતી અને કહ્યું હતું...
National 
'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!
Copyright (c) Khabarchhe All Rights Reserved.