વિરાટ તેની બેટિંગ વિશે એવું કહેવા માટે કેમ મજબુર થયો કે, 'આ મારો અહંકાર નથી...'

મહાન બેટ્સમેન વિરાટ કોહલીએ કહ્યું કે, તેમનો મૂળ સિદ્ધાંત પોતાના અહંકારને કાબૂમાં રાખવાનો છે અને મેચની પરિસ્થિતિ અનુસાર બેટિંગ કરવાનો છે. વર્તમાન યુગના સૌથી સફળ બેટ્સમેનોમાંના એક કોહલીએ તાજેતરમાં બીજી એક સિદ્ધિ હાંસલ કરી છે. તે T20 ફોર્મેટમાં 13000 રન બનાવનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો. RCB સ્ટાર કોહલીએ કહ્યું, 'તે (બેટિંગ) ક્યારેય અહંકાર વિશે નથી. તે ક્યારેય કોઈને પાછળ છોડીને આગળ જવા માટેની કોશિશ નથી. મારા માટે તે હંમેશા રમતની પરિસ્થિતિને સમજવા વિશે રહ્યું છે. આ એવી વાત છે જેનો મને હંમેશા ગર્વ રહ્યો છે. હું પરિસ્થિતિ પ્રમાણે રમવા માંગુ છું.'

Virat Kohli
india.com

તેમણે કહ્યું, 'જો હું લયમાં હોવ છું ત્યારે, તો સ્વાભાવિક રીતે જ હું જવાબદારી લેવાની પહેલ કરું છું. જો કોઈ બીજું સારું રીતે રમી રહ્યું હોય તો તે આવું કરે છે.' કોહલી IPLમાં સૌથી વધુ સદી અને રન બનાવનાર ખેલાડી છે. તેણે 256 મેચોમાં આઠ સદી સાથે 8168 રન બનાવ્યા છે. આ 36 વર્ષીય ખેલાડીએ કહ્યું કે, તે 2011ની સીઝનથી આ ફોર્મેટની જરૂરિયાતોને સમજે છે.

તેણે કહ્યું, 'રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથેના મારા શરૂઆતના ત્રણ વર્ષમાં મને ટોપ ઓર્ડરમાં બેટિંગ કરવાની તક મળી નહીં. મને સામાન્ય રીતે નીચલા ક્રમે બેટિંગમાં મોકલવામાં આવતો હતો. આવી સ્થિતિમાં, હું તે સમય દરમિયાન IPLમાં મોટી સફળતા મેળવી શક્યો નહીં.' કોહલીએ કહ્યું, 'મેં 2010થી સારું પ્રદર્શન કરવાનું શરૂ કર્યું અને 2011થી મેં નિયમિતપણે ત્રીજા નંબર પર બેટિંગ કરવાનું શરૂ કર્યું. ત્યારથી મેં સાતત્ય સાથે સારું પ્રદર્શન કર્યું છે.'

Virat Kohli
quora-com.translate.goog

વિરાટ કોહલીએ સ્વીકાર્યું કે, લીગમાં 18 વર્ષ ગાળવાથી તેને ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં પોતાની કુશળતા સુધારવામાં મદદ મળી. તેણે કહ્યું, 'IPL તમને ખૂબ જ અનોખી રીતે પડકાર આપે છે, કારણ કે આ લીગનું માળખું એકદમ અલગ છે. તે ટૂંકી દ્વિપક્ષીય શ્રેણી જેવી નથી, તે ઘણા અઠવાડિયા સુધી ચાલે છે અને પોઈન્ટ ટેબલમાં તમારી સ્થિતિ બદલાતી રહે છે. સતત બદલાતી પરિસ્થિતિ તમારા પર વિવિધ પ્રકારના દબાણ લાવે છે.'

Virat Kohli
ndtv-com.translate.goog

તેણે કહ્યું, 'ટુર્નામેન્ટ તમને માનસિક અને સ્પર્ધાત્મક રીતે ઘણી રીતે આગળ વધવાના પડકાર આપે છે, જે અન્ય ફોર્મેટમાં નથી હોતી. તેનાથી મને મારા T20 કૌશલ્યોમાં સતત સુધારો અને વિકાસ કરવાની પ્રેરણા પણ મળી છે.'

About The Author

Related Posts

Top News

મનરેગા કૌભાંડ: મંત્રી બચુ ખાબડના 2 પુત્રો પછી હવે ભાણેજ પણ પકડાયો

દાહોદના દેવગઢ બારિયા અને ધનપુર તાલુકાના મનરેગા કૌભાંડમાં પરિવારવાદ જોવા મળ્યો છે. 71 કરોડ રૂપિયાના કૌભાંડમાં ગુજરાતના મંત્રી બચુ ખાબડના...
Gujarat 
મનરેગા કૌભાંડ: મંત્રી બચુ ખાબડના 2 પુત્રો પછી હવે ભાણેજ પણ પકડાયો

સાચવજો, 21મેથી ગુજરાતમાં તોફાની કમોસમી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે

ગુજરાતમાં તોફાની વરસાદનો બીજો રાઉન્ડ 21મેથી શરૂ થવાની સંભાવના છે. અરબી સમુદ્ધમાં અપરએર સાયક્લોનિક સર્ક્યુલેશન સીસ્ટમ સક્રીય બની છે કે...
Gujarat 
સાચવજો, 21મેથી ગુજરાતમાં તોફાની કમોસમી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે

'સમજૂતી પછી જ યુ*દ્ધવિરામ પર ચર્ચા થશે...', યુક્રેનમાં યુ*દ્ધવિરામ પર ટ્રમ્પ સાથેની વાતચીતમાં પુતિને કહ્યું

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને ફોન કરીને યુક્રેનમાં યુદ્ધવિરામ અંગે ચર્ચા કરી. અહેવાલ મુજબ તેમને પૂછવામાં આવ્યું...
World 
'સમજૂતી પછી જ યુ*દ્ધવિરામ પર ચર્ચા થશે...', યુક્રેનમાં યુ*દ્ધવિરામ પર ટ્રમ્પ સાથેની વાતચીતમાં પુતિને કહ્યું

મસ્જિદને થયું નુકસાન, મદદ માટે આગળ આવી ભારતીય સેના; થઈ રહ્યા છે ભરપેટ વખાણ

પહેલગામમાં થયેલા હુમલા બાદ ભારતે ‘ઓપરેશન સિંદૂર’ લોન્ચ કરીને પાકિસ્તાન અને PoKમાં એર સ્ટ્રાઈક કરી દીધી અને...
National 
મસ્જિદને થયું નુકસાન, મદદ માટે આગળ આવી ભારતીય સેના; થઈ રહ્યા છે ભરપેટ વખાણ
Copyright (c) Khabarchhe All Rights Reserved.