વિરાટ તેની બેટિંગ વિશે એવું કહેવા માટે કેમ મજબુર થયો કે, 'આ મારો અહંકાર નથી...'

મહાન બેટ્સમેન વિરાટ કોહલીએ કહ્યું કે, તેમનો મૂળ સિદ્ધાંત પોતાના અહંકારને કાબૂમાં રાખવાનો છે અને મેચની પરિસ્થિતિ અનુસાર બેટિંગ કરવાનો છે. વર્તમાન યુગના સૌથી સફળ બેટ્સમેનોમાંના એક કોહલીએ તાજેતરમાં બીજી એક સિદ્ધિ હાંસલ કરી છે. તે T20 ફોર્મેટમાં 13000 રન બનાવનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો. RCB સ્ટાર કોહલીએ કહ્યું, 'તે (બેટિંગ) ક્યારેય અહંકાર વિશે નથી. તે ક્યારેય કોઈને પાછળ છોડીને આગળ જવા માટેની કોશિશ નથી. મારા માટે તે હંમેશા રમતની પરિસ્થિતિને સમજવા વિશે રહ્યું છે. આ એવી વાત છે જેનો મને હંમેશા ગર્વ રહ્યો છે. હું પરિસ્થિતિ પ્રમાણે રમવા માંગુ છું.'

Virat Kohli
india.com

તેમણે કહ્યું, 'જો હું લયમાં હોવ છું ત્યારે, તો સ્વાભાવિક રીતે જ હું જવાબદારી લેવાની પહેલ કરું છું. જો કોઈ બીજું સારું રીતે રમી રહ્યું હોય તો તે આવું કરે છે.' કોહલી IPLમાં સૌથી વધુ સદી અને રન બનાવનાર ખેલાડી છે. તેણે 256 મેચોમાં આઠ સદી સાથે 8168 રન બનાવ્યા છે. આ 36 વર્ષીય ખેલાડીએ કહ્યું કે, તે 2011ની સીઝનથી આ ફોર્મેટની જરૂરિયાતોને સમજે છે.

તેણે કહ્યું, 'રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથેના મારા શરૂઆતના ત્રણ વર્ષમાં મને ટોપ ઓર્ડરમાં બેટિંગ કરવાની તક મળી નહીં. મને સામાન્ય રીતે નીચલા ક્રમે બેટિંગમાં મોકલવામાં આવતો હતો. આવી સ્થિતિમાં, હું તે સમય દરમિયાન IPLમાં મોટી સફળતા મેળવી શક્યો નહીં.' કોહલીએ કહ્યું, 'મેં 2010થી સારું પ્રદર્શન કરવાનું શરૂ કર્યું અને 2011થી મેં નિયમિતપણે ત્રીજા નંબર પર બેટિંગ કરવાનું શરૂ કર્યું. ત્યારથી મેં સાતત્ય સાથે સારું પ્રદર્શન કર્યું છે.'

Virat Kohli
quora-com.translate.goog

વિરાટ કોહલીએ સ્વીકાર્યું કે, લીગમાં 18 વર્ષ ગાળવાથી તેને ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં પોતાની કુશળતા સુધારવામાં મદદ મળી. તેણે કહ્યું, 'IPL તમને ખૂબ જ અનોખી રીતે પડકાર આપે છે, કારણ કે આ લીગનું માળખું એકદમ અલગ છે. તે ટૂંકી દ્વિપક્ષીય શ્રેણી જેવી નથી, તે ઘણા અઠવાડિયા સુધી ચાલે છે અને પોઈન્ટ ટેબલમાં તમારી સ્થિતિ બદલાતી રહે છે. સતત બદલાતી પરિસ્થિતિ તમારા પર વિવિધ પ્રકારના દબાણ લાવે છે.'

Virat Kohli
ndtv-com.translate.goog

તેણે કહ્યું, 'ટુર્નામેન્ટ તમને માનસિક અને સ્પર્ધાત્મક રીતે ઘણી રીતે આગળ વધવાના પડકાર આપે છે, જે અન્ય ફોર્મેટમાં નથી હોતી. તેનાથી મને મારા T20 કૌશલ્યોમાં સતત સુધારો અને વિકાસ કરવાની પ્રેરણા પણ મળી છે.'

About The Author

Related Posts

Top News

પશ્ચિમ બંગાળની ચૂંટણીઓ વચ્ચે, આ પૂર્વોત્તર રાજ્યમાં BJPને પડ્યો મોટો ઝટકો, 28માંથી 24 બેઠકો ગુમાવી

ભારતીય જનતા પાર્ટી (BJP)ને ત્રિપુરામાં મોટો ફટકો પડ્યો છે. તાજેતરમાં પુરી થયેલી ત્રિપુરા ટ્રાઇબલ એરિયાઝ ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ...
National 
પશ્ચિમ બંગાળની ચૂંટણીઓ વચ્ચે, આ પૂર્વોત્તર રાજ્યમાં BJPને પડ્યો મોટો ઝટકો, 28માંથી 24 બેઠકો ગુમાવી

‘રાજ્યની અંદર ગાય કે ગૌવંશને વાહનમાં લઈ જવા એ ગુનો નથી’, હાઈ કોર્ટેની ટિપ્પણી

અલ્લાહબાદ હાઈકોર્ટે તાજેતરમાં પશુઓના કથિત ગેરકાયદેસર પરિવહન અંગે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. સાથે જ કોર્ટે આ સંદર્ભમાં જપ્ત કરાયેલ...
National 
‘રાજ્યની અંદર ગાય કે ગૌવંશને વાહનમાં લઈ જવા એ ગુનો નથી’, હાઈ કોર્ટેની ટિપ્પણી

ચાંદખેડાની ખીરું ખાવાની ઘટના પર FSLનો રિપોર્ટ આવી ગયો, ‘બંને બાળકીના શરીરમાં કોઈ શંકાસ્પદ પદાર્થ મળ્યો નથી’, હવે માતા-પિતાએ નવી થીયરી આપી

અમદાવાદના ચાંદખેડામાં ખીરું ખાવાથી બે બાળકીના શંકાસ્પદ રીતે જીવ જતાં રહ્યા હતા. આ ઘટનાનો FSLનો રિપોર્ટ સામે આવી ગયો...
Gujarat 
ચાંદખેડાની ખીરું ખાવાની ઘટના પર FSLનો રિપોર્ટ આવી ગયો, ‘બંને બાળકીના શરીરમાં કોઈ શંકાસ્પદ પદાર્થ મળ્યો નથી’, હવે માતા-પિતાએ નવી થીયરી આપી

ગાંધીનગરમાં નાયબ મામલતદાર અને નિવૃત્ત પટાવાળો 9.5 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા

ગુજરાતના પાટનગરમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યૂરો (ACB)એ એક મોટી સફળતા હાંસલ કરી છે. ગાંધીનગર કોર્ટ પાર્કિંગ પાસે ફિલ્મી ઢબે...
Gujarat 
ગાંધીનગરમાં નાયબ મામલતદાર અને નિવૃત્ત પટાવાળો 9.5 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા
Copyright (c) Khabarchhe All Rights Reserved.